Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૮૮
ઉપર પ્રમાણે ભેજન આશ્રયી પાંચ અતિચારે જાણવા, જે પાંચમા અંગમાં કહ્યાં છે તેને તથા કર્માદાનના પંદર દેષને શ્રાવકે ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી ટાળવા જોઇએ. (૮૬)
(ભજનના કર્મને જે ગ્રહણ કરે તે કર્માદાન કહેવાય છે. આ પંદર કર્માદાનનો પાઠ પાંચમું અંગ-શ્રી ભગવતી સૂત્ર-તેના આઠમા શતકમાં, પાંચમા ઉદ્દેશમાં કહેવામાં આવે છે.)
૧ (૧) ભાડભૂંજા (૨) સેની (૩) ઠંડર-કંસારો (૪) ઈટોના નિભાડા કરનાર કુંભાર (૫) લુહાર (૬) ધમણીઆઓ વગેરે અગ્નિનું ભઠ્ઠીનું–જે જે કર્મ કરે તે પહેલો ઈંગાલ કર્મ કહેવાય-તે અધર્મ છે.
(૮૭) ૨, અનેક જાતના કણ-ધાન્ય ભરડાવે અને લોટ તથા દાળ પીસાવે (લોટની ઘંટીઓ, મીલે રાખે) તથા પાન, ફળ, ફૂલ વગેરે વેચવાને ધંધે ટાળવો. કપાસ, કપાસીયા વગેરે લેઢાવે–પલાવે, લાકડાં કપાવવા, કોલસા પડાવવા વગેરે વન-કર્મ કહેવાય છે. તે પણ કેવળ પાપ જ ગણય–તે પાપનું ધામ છે.
(૮૮) ૩. શકટ એટલે ગાડું, ઘોડાગાડી વગેરે, તથા શકટાંગ એટલે ગાડાં ગાડી વગેરે વાહનોનો સામાન વેચે તે શકટ-કર્મ સાડી-કર્મ કહેવાય છે, અને તેનાથી વ્રતને ભંગ થાય છે.
૪. ગાડું ગાડી વગેરે વાહને તથા ઘેડા, હાથી, બળદ, ઊંટ, ખચ્ચર, વગેરે પશુઓ, તથા ઘર, જમીન વગેરે ભાડે આપી ભાડું ઉપજાવે તે સર્વને ગુરુઓ ભાટિક-કર્મ ભાડી–કર્મ કહે છે. તેનાથી પણું તને ભંગ થાય છે.
(૮૯) ૫. વળી જેઓ હળ, કોદાળી વગેરેથી ભૂમિને ખોદાવે, તથા તળાવ, કુવા, સરોવર, વાવ, વગેરે ખોદાવે, તથા ખાણમાંથી મીઠું, માટી, પથ્થર વગેરે કઢાવે તથા ફેલાવે તે બધાં સ્ફટિક કર્મ-ફેડી કર્મ કહેવાય છે. તે કુકર્મ છે–પાપ છે–વ્રત ભંગ કરે છે. (૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org