________________
હિન્દુ ધમ' અને શૈવ સપ્રદાય
વિદ્યાર્થી ના ચેાવીસમા વર્ષે ઊજવાતા. સમાવર્તન સંસ્કાર પામી વિદ્યાથી સ્નાતક બનતા. પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા. અહીં બ્રહ્મચŠશ્રમની પૂર્ણાહુતિ થતી.
૧૪
વિદ્યાર્થી ને દાઢી-મૂછ ફૂટે ત્યારે જે સ ંસ્કાર થતા તેને કેશાન્ત કે ગેાદાન સંસ્કાર કહેતા. આ સંસ્કાર સામાન્ય રીતે બાળકના સેાળમા વર્ષે ઊજવાતા.
વિવાહ સંસ્કાર એ સર્વ સંસ્કારમાં મહત્ત્વના અને આન ંદદાયક મનાય છે. આ વખતે બાળક ઉંમરલાયક થઈ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે. તેનું દામ્પત્યજીવન સુખી બને તે રીતે તેને ધમ અને સમાજના નિયમેાને વશ રહી જીવન જીવવાનુ હાય છે. પચાસ વર્ષની ઉંમરે તેને ગૃહસ્થાશ્રમ પૂર્ણ થાય છે.
આ પછી તે વનપ્રવેશ કરે છે. વાનપ્રસ્થાશ્રમમાં આદ્યાત્મિક માર્ગે જીવન જીવતા જીવતા તે નૃત્યને શરણ થાય, ત્યારે જે સંસ્કાર કરવામાં આવે છે તેને અંત્યેષ્ટિ સંસ્કાર તરીકે એળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એક સ્પષ્ટ માન્યતા છે કે દેહના વિલિન થયા પછી આત્માની હયાતી રહે છે. તે પુનર્જન્મ પામે છે, એટલે મૃત્યુ પછીના જીવનની ઉત્કૃષ્ટતા માટે અત્યેષ્ટિ સંસ્કાર આવશ્યક મનાય છે, તેમાં દાઢક્રિયા, પિંડદાન, ભૈયાદાન, બ્રહ્મભાજન વગેરેના સમાવેશ થાય છે.
આમ, આ સેાળ સંસ્કારી બાળકના જન્મ પહેલાં ગર્ભાધાનથી શરૂ કરીને તેના મૃત્યુપર્યંત ચાલુ રહે છે. તેના મુખ્ય આશય માનવીની દેહશુદ્ધિ, અને આત્માશુદ્ધિ કરીને તેના સર્વાંગી વિકાસ સાધી તેને ધર્મ ના માર્ગે જીવન વ્યતીત કરવા પ્રેરવાના હતા.
પ્રતિમા પૂજા ઃ
દેવાલયોને દાન આપવાના મુખ્ય હેતુ તેમાં સ્થપાયેલી પ્રતિમાની વિધિસર રાજ પૂન્ન થાય, એ હેાય છે. દેવપૂજાનાં વિવિધ અગેને ઉપચાર કહે છે. હિંદુમદિરામાં દેવપૂજા મુખ્યત્વે પંચાચાર, દશાપચાર કે ષોડશાપચારથી કરવામાં આવે છે.
દેવપૂજા જો ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધથી કરવામાં આવે તે તેને પાંચાપચાર કહે છે. આ પહેલાં પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, યજ્ઞાપવીત વગેરે ક્રિયા કરવામાં આવે તેા તેને દશાપચાર કહે છે. આ સાથે જો આવાહન, આસન, વસ્ત્રાલંકાર, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન વગેરે ક્રિયા કરવામાં આવે તા તેને ષડશેાપચાર કહે છે.