________________
શાક્ત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
૯
શીતળાની પ્રતિમા નગ્ન સ્વરૂપે ગધેડા ઉપર માથે સુપડુ લઈ બેઠેલ દર્શાવાય છે. તેના બે હાથ પૈકી એકમાં સાવરણ અને બીજીમાં કળશ હોય છે. મોઢેરાના સૂર્યમંદિરના કુંડમાં તેની પ્રતિમા જોવા મળે છે.
(૮) રામદેવપીરઃ
ગુજરાતમાં સમાજના નીચલા થરમાં રામદેવપીરનું સ્થાન મહત્તવનું મનાય છે. રામદેવપીરના પ્રતીક તરીકે ઘડાની પૂજા થાય છે. તેનાં મંદિરમાં તેમની પાદુકા પૂજાય છે. રણુજા(મારવાડ)માં તેનું મુખ્ય મંદિર આવેલું છે. ઘણા હિંદુઓ તેના દર્શને જાય છે અને વિવિધ પ્રકારની માનતા રાખતા હોય છે.
અન્ય દેવદેવીઓ :
આ ઉપરાંત ખેડિયાર માતા, વેરાઈ માતા, સંતોષીમા, બગલામુખી વગેરે દેવીઓની લેકે વિવિધ રીતે પૂજા કરે છે. માનતા રાખે છે. સંતોષીમાનું વ્રત ઘણું લેકે, શુક્રવારે ચણું ખાઈને કરે છે. ધીરે ધીરે ગુજરાતના ગામેગામ સંતોષીમાને મહિમા વધતા જાય છે. સંતોષીમાનું મંદિર વલલભ વિદ્યાનગર (જિ. ખેડા)માં છે. બગલામુખીનું મંદિર, ખેડા જિલ્લામાં ભાદરણ ગામમાં આવેલું છે.
આ સાથે ઘણા લેકે ભાથી કથરીની પૂજા કરતા હોય છે. ખેડા જિલ્લામાં આનું મહત્ત્વ વિશેષ છે. કેટલાક ખેડૂત આંબો વાવતી વખતે ભાથી કથરીનું નામ દઈ શ્રીફળ વધેરીને માનતા કરતા હોય છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામ આગળ ફાગવેલમાં તેમનું સ્વતંત્ર મંદિર આવેલું છે. ભૂતપ્રેતને નિવારણ માટે નીચલા વર્ગમાં મેલડી માતાની પણ ઉપાસના થાય છે.
છેટલા દસકામાં ગીતામંદિર, વેદમંદિર વગેરે મંદિરે ઘણે ઠેકાણે અસ્તિત્વમાં આવ્યાં છે. અમદાવાદ, વડોદરા વગેરે સ્થળેએ ગીતામંદિર બંધાયાં છે. અહીં ગીતાની પ્રતિમાની પૂજા થાય છે. અમદાવાદમાં કાંકરીયા વિસ્તારમાં આવેલ વેદમંદિરમાં વેદનું પ્રતિમા સ્વરૂપે પૂજન થાય છે.
આમ, ગુજરાતમાં શિવ, અને વિષ્ણુ પૂજા સાથે વિવિધ દેવદેવીઓની પૂજા વર્તમાન સમયમાં પ્રચલિત છે.