________________
જરથાતી ધમ
જવામાં આવ્યેા. ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવેલ આતશ બહેરામના સ્થાનમાં આ પવિત્ર અગ્નિને રાખવામાં આવ્યેા છે. આમ, ઈરાનથી લાવેલા પવિત્ર અગ્નિને લગભગ અઢીસેાં વર્ષોંથી પારસીએ ઉદવાડામાં જતનપૂવક જાળવે છે. આ કારણથી પારસીએ માટે ઉદવાડા મેટું તીર્થધામ બન્યું છે.. આખા ભારતમાં પારસીઓની વધુ વસ્તી ગુજરાતમાં છે ને તેઓની માતૃભાષા ગુજરાતી છે.
૧૩૯:
અમદાવાદની પારસી ધર્મશાળાના શિલાલેખા :
અમદાવાદમાં જૂની અને નવી ધર્માંશાળાએ નામે ઓળખાતી ધર્મ શાળા-આમાં કેટલાક શિલાલેખા તરેલા જોવા મળે છે. આ લેખેા યજ઼રગરદી સંવતઃ ૧૨૩૫ (ઈ. સ. ૧૮૬૬) ય. સ. ૧૨૬૧ (ઈ. સ. ૧૯૮૨) યુ. સં. ૧૨૬૨ (ઈ. સ. ૧૮૯૩)ની સાલના છે. આ સવત ઈરાનના સાસાની વંશના છેલ્લા પાદશાહ યજૂદ ગના રાજ્યારાહણુ(ઈ. સ. ૬૩૦-૩૧)ના વર્ષોંચી ગણાય છે. એનું વર્ષ સૌર છે. એમાં ૩૦-૩૦ દિવસના ૧૨ મહિના હૈાય છે. ને છેલ્લા મહિનાના ૩૦મા રાજ પછી પાંચ દિવસ ગાથાના ઉમેરવામાં આવે છે. એ રીતે. વર્ષ કુલ ૩૬૫ દિવસનું થાય છે. આ ધર્માંશાળાએ પારસી દાનવી। તરફથી પેાતાના સ્વજાના શ્રેયાર્થે બંધાવેલી છે. ઈ. સ. ૧૮૬૬ના લેખમાં શેઠ સારાબજી જમશેદજી જીજીભાઈએ પેાતાની દીકરીના કોયાથે ધ શાળા બંધાવી હતી તેમ જણાવ્યું છે. ઈ. સ. ૧૮૯૨ના લેખ ધમ શાળાના પાયે! નાખ્યા તે મતલબના છે. ઈ. સ. ૧૮૯૩ના લેખમાં અમદાવાદના અગ્રગણ્ય ઉદ્યોગપતિ નવરાજી પેસ્તનજી વકીલે પેાતાની પત્નીના કોયાથે નવી ધર્મશાળા બંધાવી. તેવા ઉલ્લેખ છે.
પારસી અગિયારીઓઃ
અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ઉદવાડા વગેરે સ્થળેાએ પારસીએની અગિયારીએ આવેલી છે. અહીં પવિત્ર અગ્નિનું જતન કરવામાં આવે છે. અમદાવાદમાં પારસીએની ખે અગિયારીએ આવેલી છે. એક ખમાસા ચેકી: પાસે અને ખીજી કાંકરિયા તળાવની ઉત્તરે. આ બંનેમાં લેખ કાતરેલા છે. લેખા પારસી છાંટવાળી ગુજરાતી ભાષામાં કાતરેલા છે. લેખમાં અદ્રુમઝદના તથા શહેનશાહી, કદમી જેવા વિભાગેા, ઈસ, જગરદી, સંવત વગેરેના ઉલ્લેખા મળે છે. આ લેખે પારસી દાનવીરેએ અગિયારીએને કરેલા દાન અ ંગેના છે. આવી જ રીતે સુરત, વલસાડ, ઉદવાડાની અગિયારીઓમાંથી પણ પારસી દાનવીરાના દાનના ખ્યાલ આપતા લેખા મળી આવે છે.