Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 174
________________ શીખ ધર્મ આ લેખ દ્વારા જાણવા મળે છે કે ગુરુદ્વારા પ્રેમસભા અકાલીદલ તથા ગુરુનાનક ખાલસા સ્કૂલ સરસપુરની શિલારોપણ વિધિ સંતશ્રી ૧૦૮ પંડિત નેહમલસિંધજી મહારાજના વરદ હસ્તે વિ. સં. ૨૦૧૭ના પિષ માસની ૧૩ અને ઈ.સ. ૧૯૭૦, ડિસેમ્બરની ર૭ મી તારીખ ને રવિવારે કરવામાં આવી હતી. લેખમાંથી દાનની રકમ અને દાતાઓનાં નામ મળે છે. મણિનગર પાસે પુનિત આશ્રમ નજિક ગોળલીમડા વિસ્તારમાં આવેલા ગુરુદ્વારમાંથી મળેલા લેખ ગુરુનાનકના દરબારની અંદરની એક પાલખીની પાછળની બાજુએ કતરેલા છે. આ લેખ પરથી જાણવા મળે છે કે શ્રીમતી લક્ષ્મીબાઈ ભેજરાજમલે પોતાના પતિની યાદમાં પાલખી અને આરસના મંચના સુશોભન માટે દાન આપ્યું હતું, આ ત્રસ્ય લેખો પરથી જણાય છે કે ગુજરાતમાં શીખ ધર્મને પ્રસાર આ સદીમાં જ થયેલો છે. લગભગ ૫૦ વર્ષ પહેલાં આ ગુરુદ્વાર અસ્તિ ત્વમાં આવેલ છે. તેમાં શીખ ધર્મના અનુયાયીઓ ભક્તિભાવે જાય છે. ત્યાં ચર્થ સાહેબ પૂજન, અર્ચન વગેરે થાય છે. કથા-વાર્તા સંભળાવવામાં આવે છે. અહીં ગ્રંથ સાહેબની પૂજા વૈષ્ણવ મંદિરને અનુરૂપ થાય છે. વારતહેવારે ભજને થાય છે. પ્રસાદ વહેંચાય છે. અહીં પણ દાનને મહિમા વર્તાય છે. ગુરુદ્વારાના નિભાવ અર્થે દાન આપવામાં આવે છે. ગુરુદ્વારાનું સંચાલન શીખોની બનેલી જુદી જુદી કમિટિઓ દ્વારા થાય છે. અહીંનાં લખાણોમાં ગુરુમુખી લિપિને ઉપયોગ થયેલ જોવા મળે છે. ઉત્સવોમાં નાનક જયંતી અને ગુરૂગોવિંદસિંહ જયંતીને ઉત્સવ બહુ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. નાનક જયંતીને ઉત્સવ કાર્તિક સુદ પુનમ અને જેઠ સુદ સાતમના રોજ ઊજવાય છે. આ દિવસેએ એ ગુરુદ્વારામાં અખંડ પાઠ થાય છે. હથિયારોનું પૂજન કરે છે. ગરીબોને ભોજન અપાય છે. સંદર્ભ ગ્રંથ (૧) ડે. હ. ગં. શાસ્ત્રી અને અમદાવાદના ગુરુદ્વારના શિલાલેખ, . ભારતીબેન શેલત બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૧૯૮૧. (૨) દલપતસિંહ પઢિયાર “ગુરુનાનક'-ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧ (૩) ડો. ચીનુભાઈ નાયક અને . --- જગતના ધર્મોની વિકાસ રેખા. ડો. પનુભાઈ ભટ્ટ અમદાવાદ. ૧૯૬૪.

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200