________________
ચહૂદી ધર્મ
યહૂદીઓ, ખ્રિસ્તીઓ તેમજ મુસલમાનોની માફક શબને દફનાવે છે. મૃત્યુ સમયે દાન પુણ્ય કરવાનો રિવાજ નથી. શબને સ્નાન કરાવી, પવિત્ર વસ્ત્ર પહેરાવી ધૂપ, અબીલ વગેરે સુગંધી પદાર્થો તેના પર નાખવામાં આવે છે. અંતિમ દર્શન કરાવી મુખ ઢાંકી દેવામાં આવે છે. આ વખતે સંબંધીઓ શબની આંખ ઉપર જેરુસલેમની માટી પધરાવે છે. આ પછી પ્રાર્થના વગેરે કરીને શબને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે. શબને લઇ જતાં રસ્તામાં સેનેગૉગ આવે તે તેના બારણું આગળ શબને મૂકીને પ્રાર્થના કરવામાં આવે છે. કબ્રસ્તાનમાં શબને દફનાવ્યા બાદ, મરનારના સંબંધીઓ સાત દિવસ સુધી દાઢી કે સ્નાન કરીને સૂતક પાળે છે. મરણોત્તર વિધિ સાદાઇથી, કે ભવ્ય રીતે થાય છે. તેમાં સ્થિતિ પ્રમાણે કુટુંબીઓ ફાળો આપે છે. અહીંના સમાજમાં ધાર્મિક નાણાનો ઉપયોગ અયોગ્ય રીતે કરવાની વૃત્તિ દેખાતી નથી. ઉત્સવ :
આ ધર્મના બે નોંધપાત્ર ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે: (૧) હનુકા-મુક્તિ દિનની યાદમાં ઉજવાય છે. (૨) રોશહશાના (યહૂદીનું નવું વર્ષ) આ પ્રજા ઘણી જ ધાર્મિક રીતે પોતાના ઉત્સવ ઊજવે છે. આ વખતે તેઓ બોલે છે કે “આપણો ઈશ્વર એક જ છે.” અમદાવાદનું યહૂદી સીનેરોગ અને ત્યાંનું યહૂદી કબ્રસ્તાન
યદીઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સૂરત, ડીસા, રાજકોટ, વઢવાણ, ભૂજ વગેરે સ્થળોએ છૂટાછવાયા વસ્યા હતા. અમદાવાદમાં આવેલું સેનેગૉગ એ સમસ્ત ગુજરાતનું એક માત્ર સેનેગેાંગ હતું. અમદાવાદમાં તેઓનું કબ્રસ્તાન પહેલાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હતું. હાલનું કબ્રસ્તાન દુધેશ્વરના માર્ગે આવેલું છે.
અમદાવાદમાં ખમાસા ચોકી પાસે બુખારાના મહોલ્લામાં આવેલ યહૂદીઓના સેનેગના મુખ્ય દરવાજાની જમણી બાજુએ બહારની દીવાલ ઉપર એક લેખ હિબ્રુ, અંગ્રેજી અને મરાઠી ભાષામાં કરેલ છે. લેખને સમાવેશ ૧૦ પંક્તિમાં થાય છે. લેખમાં જણાવ્યું છે કે “માગ્રેન અબ્રાહમ સેનેગાંગ અમદાવાદની આ કેશિલા ડે. મિસિર આબિગાયેલબાઈ બે-જામીન આયઝેક ભનકર એલ. સી.પી.એસ.ના હસ્તે હિબ્રુ વર્ષ ૫૬૯૪ (ઇસ.૧૯૩૩)માં સ્થાપવામાં આવી હતી.”
આ સેનેગ(પ્રાર્થના મંદિર)ને જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તે હૈ. અબ્રાહમ અમદાવાદમાં અગત્યનું સ્થાન ધરાવતા હતા. તેમણે પહેલું પ્રાર્થનાલય પોતાના મકાનમાં શરૂ કરેલું.