________________
ઇસ્લામ ધર્મ
(૩) દાદુપંથ :
પ્રસિદ્ધ દાદુપંથના સ્થાપક દાદુ, કમાલના શિષ્ય ગણાય છે. તેમને જન્મ કાશીમાં એક મોચીને ત્યાં થયો હતો. કેટલાક તેમને જન્મ અમદાવાદમાં થયે હોવાનું માને છે. તેમના અનુયાયીઓ એમ સાબિત કરવા માગે છે કે તેઓ નાગરબ્રાહ્મણને ત્યાં જન્મેલ હતા.
તેમનાં લખાણ પરથી સાબિત થાય છે કે તેઓ જાતે મુસલમાન પીંજારા હતા. દાદુનું ચિત્ત નાનપણથી જ ધર્મ તરફ વળેલું હતું. તેમનું સં સારી નામ દાઉદ હતું. તેમની પત્નીનું નામ “હા” હતું. તેમને ગરીબદાસ અને મકનદાસ નામે બે પુત્રો હતા, અને નાનીબાઈ તથા માતાબાઈ નામે બે પુત્રીઓ હતી. ઈ. સ. ૧૫૪૪માં જમીને ઇ. સ. ૧૬૦૩ જેઠ વદ આઠમને શનિવારે રાજસ્થાનના-નારાણું ગામે તેમણે દેહત્યાગ કર્યો હતો. દાદુપંથીઓને અહીં મોટો મઠ છે.
દાદુને પંથ પરબ્રહ્મ સંપ્રદાય અથવા સહજ સંપ્રદાય તરીકે ઓળખાય છે. બાબુ ક્ષિતિમોહન સેન એને બ્રહ્મસમાજ કહે છે. આમાં હિંદુ-મુસલમાન સર્વ જોડાઈ શકે છે. અહીં શાસ્ત્રને મહત્વ આપવામાં આવતું નથી. પણ આત્માનુભવને મહત્ત્વ આપવામાં આવે છે. તેમના ઉપદેશમાં અહંકારને ત્યજીને બધાએ ભાઈ-બહેનની માફક એક થઈને વર્તવું તેમ જણાવ્યું છે. ભગવાનનું ધામ અંતરમાં છે. પ્રેમથી તેને પામી શકાય છે. આ તેમના ઉપદેશને મુખ્ય સાર હતો. મૂર્તિપૂજા બાહ્યાચાર, વ્રત વગેરેમાં તેઓ માનતા નહિ.
કહેવાય છે કે દાદુને અકબર બાદશાહ સાથે મેળાપ થયા હતા. અકબરે મળવા માટે કહેવડાવ્યું, ત્યારે દાદુએ કહ્યું કે “મેટા સમ્રાટને અમારા જેવા ગરીબોને મળીને શું કામ છે ? પણ જે ભક્ત અકબરને મળવાની ઇચ્છા હોય તે તે ભલે આવે. કહે છે કે અકબર સાથે ચાલીસ દિવસ સુધી દાદુને મેળાપ થયો હતો. અકબરના ધાર્મિક વિચારોમાં દાદુના બે વચનેની ઘણું જ અસર વર્તાતી હતી. દાદુને અકબરના દરબારના પંડિતાએ પ્રશ્ન પૂછે કે તમે કેને પૂજે છો ? તમારું પુસ્તક કયું ? ત્યારે તેમના જવાબમાં દાદુએ કહ્યું છે કે, “મારું શરીર મારું પુસ્તક છે. પરમેશ્વર એના સંદેશાઓ એમાં લખે છે. મારું જીવન મારે પંડિત છે. અંતર્યામી એ મારું દેવળ છે. અંતરમાં હું એને પૂજ છું. કહેવાય છે કે, “દાદુ સાથેના પરિચય પછી મુઘલ બાદશાહ અકબરે પિતાના સિક્કાઓ ઉપર પિતાનું નામ કાઢી નાખ્યું હતું અને તેના બદલામાં “અલ્લાહુ