________________
શીખ ધર્મ
ગુરુનાનક ?
નાનકનો જન્મ વિ. સં. ૧૫૨૬ (ઈ.સ. ૧૪૬૯)માં પંજાબમાં લાહેર પાસે આવેલા તલવંડી ગામમાં થયો હતો. પિતાનું નામ કાલુરામ અને માતાનું નામ તૃપ્તાજી હતું. નાનકનું ચિત્ત બાળપણથી જ ભણવા તરફ ચેટતું ન હતું. સંત સમાગમ અને ઈશ્વરભજનમાં તેઓ મસ્ત રહેતા હતા. તે જમાનામાં મુસલમાની રાજ્ય હવાથી ફારસી ભાષા જાણનારને રાજ્યમાં નોકરી જલદી મળતી હતી. તેથી નાનકને મૌલવી પાસે ફારસી ભણવા મોકલ્યા. મૌલવી પાસેથી જ્ઞાન મેળવવાને બદલે નાનકે મૌલવીને ફારસી કક્કાને અર્થ સમજાવવા માંડો. દુન્યવી દૃષ્ટિએ નાનકના વિચિત્ર વર્તનને લીધે કુટુંબીજનેની નજરમાં તેઓ ગાંડા અને ધૂની ગણાવા લાગ્યા. કેટલાક વખત બાદ તેમનું લગ્ન સુલક્ષણ નામની કન્યા સાથે કરવામાં આવ્યું. સંતાનના પિતા બન્યા. નાનક સંસારમાં રહેતા હોવા છતાં, ઈશ્વર ભજનને ભૂલ્યા ન હતા. તેઓ સુલતાનપુરના નવાબને ત્યાં મોદીખાના ઉપર નોકરી કરતા હતા. અહીં પણ નાનક ગરીબ પ્રત્યે રહેમ રાખતા હતા. ઇર્ષાળુ લેકે નાનકની વિરુદ્ધ નવાબના કાન ભંભેરવા લાગ્યા. અંતે તેમણે નવાબની
કરી છોડી દીધી. તેઓ એકાંતમાં રહેવા લાગ્યા. જંગલમાં સાધુ-સંતોના સમા. ગમમાં ભટકવા લાગ્યા. દિવસો સુધી સ્મશાનમાં પડી રહેવા લાગ્યા. આમ કરતાં કરતાં તેમણે ઈશ્વર વિષે ખૂબ ચિંતન કર્યું અને મનની શુદ્ધિ કરી. કહેવાય છે કે આ સમય દરમ્યાન તેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. ઈશ્વરે આદેશ આપે “જપ યજ્ઞ કોષ્ઠ છે” માટે તે કર્યા કરે. લોકોને તેનો ઉપદેશ આપો. આ પછી તેમણે ભારતના ખૂણે ખૂણે ફરીને ૨૦ વર્ષ સુધી “સ” નામને મહિમા ગાયો. ધર્મોપદેશ કરતી વખતે તેઓ સંગીતને ઉપયોગ કરતા. નાનકને આંગણે હિંદુમુસ્લિમ શિષ્યોને દરબાર ભરાતા હતા. આમ, નાનકે પરોપકારી જીવન ગુજારીને ૭૦ વર્ષની ઉંમરે સમાધિ લીધી. આજે આ જગ્યા “નાનકાના દહેરા” નામે પ્રસિદ્ધ છે. ભારતીય સમાજ જીવન પર નાનકના વિચારેની અસર નોંધપાત્ર છે. નાનકનો ઉપદેશ :
નાનકની ઉપદેશ કરવાની પદ્ધતિ બુદ્ધ અને મહાવીરની જેમ સાદી, સરળ અને લોકભોગ્ય હતી. સાદી ભાષામાં ભજને, પદ અને કીર્તને રચીને તેમણે ધર્મોપદેશ કર્યો હતો. નાનકે જાતે કઈ ગ્રંથ લખે નથી. પરંતુ પાંચમા ગુરુ અર્જુનદેવે તેમને ઉપદેશ જાળવી રાખવા, તેમની વાણીને ગ્રંથસાહેબના પ્રથમ મહોલ્લામાં ગોઠવી છે. નાનકની વાણું “જપજી” નામે ઓળખાય છે. આ વાણીમાં