________________
૧૧૨
| ગુજરાતના ધર્મ સંપ્રદાય તારંગાનું અજિતનાથનું મંદિર:
ચૌલુક્ય રાજવી કુમારપાલે અનેક જૈન મંદિર બંધાવ્યાં. તેમાં હાલમાં તારંગા ઉપર અસ્તિત્વ ધરાવતું અજિતનાથનું મંદિર નોંધપાત્ર છે. મંદિરમાં ગર્ભગૃહ અને ગૂઢમંડપ આવેલાં છે. સ્તંભો સાદા અને ઊંચા છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર અનેકવાર થયો છે. ત્રણે બાજુએ પ્રવેશદ્વાર છે. મંદિરને ગૂઢમંડપ છે, પ્રદક્ષિણાપથ છે. મંદિરની બહારની દીવાલ પર સુંદર કાતરકામ કરેલ છે. કુંભારિયાનાં જૈન મંદિર
ગુજરાતમાં તીર્થધામ તરીકે અંબાજી પાસે આવેલ કુંભારિયાનાં જૈન મંદિરો સ્થાપત્ય કળાને ઉત્તમ નમૂને છે. અહીં વિ. સં. ૧૧૭૧ (ઈ. સ. ૧૧૩૫) અને વિ. સં. ૧૨૦૪ (ઈ. સ. ૧૧૪૮)ના લેખ મળે છે.
અહીં શાંતિનાથ દેરાસરની રચના મહાવીર સ્વામીના મંદિરને મળતી આવે છે. એની આસપાસ ૨૪ દેવકુલિકાઓ છે, જેમાં તીર્થકરના પંચકલ્યાણક વગેરેના પ્રસંગે નોંધપાત્ર છે. પાર્શ્વનાથના મંદિરને ફરતી વીસ દેવકૃતિકાઓ આવેલી છે. અહીંના સ્તંભે અને ઠાર શાખાઓ ઉપર સુંદર કલાકૃતિઓ નજરે પડે છે. નેમિનાથના મંદિરમાં પીઠ અને મંડેવર સુંદર રીતે અલંકૃત કરેલા છે. એના રંગમંડપની આસપાસ ચોવીસ દેવકુલિકાઓ આવેલી છે. મંદિરને ફરતા નરથર અને ગજથર આવેલા છે. મંદિરની જ ધામાં દેવદેવીઓ અને યક્ષ
વ્યક્ષિણીઓનાં શિલ્પો નજરે પડે છે. કેટલેક ઠેકાણે ભેગાસનનાં દશે નજરે પડે છે. અહીં નાં મંદિરના સ્તંભે અને છતા વિમલવસહિ મંદિરના સ્તંભો અને છતેની માફક શણગારેલ છે. ગિરનારને વસ્તુપાલ વિહાર:
ગિરનાર પર આવેલાં મંદિરમાં વસ્તુપાલ વિહાર નામે નેમિનાથનું મંદિર સૌથી વિશાળ છે. નેમિનાથ મૈત્યની દક્ષિણે, પશ્ચિમે અને ઉત્તરે વસ્તુપાલે સુંદર તેરા કરાવ્યાં હતાં. મહામાત્ય વસ્તુપાલે નેમિનાથ ચૈત્યના પાછળના ભાગમાં આદિનાથ ઋષભદેવને પ્રાસાદ કરાવ્યા. તે વસ્તુપાલ વિહારને નામે ઓળખાય છે. એમાં મૂળ નાયકની સુંદર પાષાણુ પ્રતિમા પધરાવી એની બાજુએ વાસુપૂજ્યની પ્રતિમાઓ સ્થાપી. મંદિરના મંડપમાં અંબિકા તથા મહાવીરની પ્રતિમાઓ મૂકાવી. આ ઉપરાંત ગર્ભદ્વારની દક્ષિણે અને ઉત્તરે પોતાની તેમજ તેજપાલની અધારૂઢ મૂતિઓ. મૂકાવી. તેમજ ડાબી બાજુએ પોતાની તથા પોતાની પત્ની લલિતા દેવીના પુણ્યની