________________
જૈનધર્મ
૧૧૭
પ્રતિમાઓને ગુપ્ત માર્ગે અન્ય સ્થળે ખસેડી લીધી હતી. એ પછી બાદશાહ શાહજહાંને ફરિયાદ કરતાં બાદશાહે મુસ્લિમ કાનૂન મુજબ ખાનગી મિલકતને મજિદ માટે છીનવી લઈ શકાય નહિ એમ જણાવી મસ્જિદને શાંતિદાસને સંપી દેવાનો હુકમ કર્યો હતો. શાહજહાંના પુત્ર દારાશકહે મહેરાબ રહેવા દઈ આસપાસ દીવાલ બંધાવી મંદિરને અન્ય ભાગ શાંતિદાસને સોંપી દીધો હતો, ત્યાં રહેતા ફકીરેને કાઢી મૂક્યા હતા, પરંતુ આ ઈમારત પછી ન તો મસ્જિદ તરીકે વપરાઈ કે ન તે મંદિર તરીકે વપરાઈ. સમય જતાં ખંડેર થઈ ગઈ. એની અન્ય પ્રતિમાઓ ઝવેરીવાડમાં આદિશ્વર મંદિરના ભેરામાં અને મૂળનાયકની પ્રતિમા પુરજમલના મંદિરમાં પધરાવેલ છે. અમદાવાદનું હઠીસિંહનું મંદિર :
આ મંદિર અમદાવાદનું સૌથી મોટું દેવાલય છે. ગઈ સદીના પૂર્વાર્ધમાં અમદાવાદના નગરશેઠ હઠીસિંહે બંધાવ્યું હતું.
મંદિરની ફરતી દેવકુલિકાઓ આવેલી છે. મુખ્ય મંદિર મળી બાવન જિનાલ છે. રંગમંડપ રંગીન પથ્થર જડીને શણગાર્યો છે. ગૂઢમંડપમાં
સ્તંભે નથી. ગૂઢમંડપની ઉપરને ઘુમ્મટ પ્રમાણમાં ઊંચે છે. નૃત્યમંડપને ઘુમ્મટ મુસ્લિમ અસરવાળો ગોળ છે.
એકંદરે આ મંદિર આબુ અને ગિરનારનાં જૈનમંદિર કરતાં કલાની દષ્ટિએ ઊતરતી કક્ષાનું હોવા છતાં સોલંકીકાલ પછી ઘણા લાંબા સમયે અમદાવાદમાં આવી એક સુંદર કૃતિનું સર્જન કરીને શેઠ હઠીસિંહે જૈનમંદિરમાં એક અપૂર્વ મંદિરને ઊમેરો કર્યો છે. જૈન ધર્મના પ્રભાવકે :
ગુજરાતમાં જૈનધર્મને વિકસાવવામાં અનેક જૈન સૂરિઓ, રાજવીઓ, જૈનમંત્રીઓ, કોઠીઓ, કવિઓ વગેરેએ નોંધપાત્ર ફાળો આપે છે. અહીં સ્થળસંકોચના કારણે જૈનધર્મના થોડાક નામાંકિત પ્રભાવકને પરિચય આપવામાં આવ્યો છે. (૧) હેમચંદ્રાચાર્ય :
હેમચંદ્રાચાર્યના જીવન વિશે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ગ્રંથમાંથી પુષ્કળ માહિતી મળે છે.
હેમચંદ્રાચાર્ય સલકી ૨ાજવી સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં એક ઉત્તમ કક્ષાના વિદ્વાન મનાતા. તેમનો જન્મ સંવત ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯)માં