________________
૧૨૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય
કરવાના ઉપાય ઉપર ભાર મૂકવામાં આવેલ છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં મૂર્તિપૂજાને સ્થાન ન હતું. પણ શતકે બાદ અન્ય ધર્મોની સામે ટકી રહેવા પાછળથી મૂર્તિપૂજા અપનાવવામાં આવી. આ સંપ્રદાયમાં પણ વિવિધ દેવદેવીઓની પૂજા અને વિધિ-વિધાને પ્રચલિત છે.
ધીરે ધીરે બૌદ્ધધર્મને રાજ્યાશ્રય મળવા લાગે. મૌર્યકાલમાં અશકે બૌદ્ધધર્મના પ્રચારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર બાદ કનિષ્ક હર્ષ વગેરેએ તેને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. ગુપ્તકાલમાં બૌદ્ધધર્મને લગતી અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું. આ સમયે મૂર્તિકલાની બે શૈલી અસ્તિત્વમાં આવીઃ (૧) ગાંધાર શૈલી, (૨) મથુરા શૈલી. ગુપ્તકાલમાં મથુરા શૈલીને સુંદર વિકાસ થયો. અહીં ધ્યાની બુદ્ધો અને બોધિસત્વેની અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું. ગૌતમ બુદ્ધને વિષ્ણુના મુખ્ય દશાવ તારમાં સમાવેશ થયો. બધિ (જાગૃતિ, પૂર્ણજ્ઞાન) પ્રાપ્ત કરે તે બુદ્ધ, બુદ્ધ બે પ્રકારના મનાય છે– ધ્યાની (દૈવી) અને માનુષી, ધ્યાની બુદ્ધ પાંચ છે. તે પૈકી અમિતાભ વર્તમાન યુગના અધિષ્ઠાતા છે. માનુષી બુદ્ધ ૨૮ થયા, તે પૈકી પહેલાં ચાર વિશે અલ્પ માહિતી ઉપલબ્ધ છે. પછીના ર૪ પૈકી છેલ્લા સાત વધુ મહત્વના ગણાયા. તેમાં શાક્ય મુનિ (ગૌતમ) બુદ્ધ સહુથી છેલ્લા છે, ભાવિ બુદ્ધોમાં હવે પછી મૈત્રેય બુદ્ધ થવા નિર્માયા છે. દરેક બુદ્ધને પોતાની પત્ની હોય છે તેને બુદ્ધિશક્તિ' કહે છે. જે બેધિ પ્રાપ્ત કરવા સાધના કરી રહ્યા હોય તેને બોધિસવ” કહે છે. વર્તમાન યુગના ધ્યાન બુદ્ધ અમિતાભના બેધિસત્વ પદ્મપાણિ અવલંકિતેશ્વર છે. જગતની દેખરેખ રાખે છે. મૈત્રેય અને મંજુશ્રી અન્ય લોકપ્રિય બોધિસત્વે છે. બૌદ્ધ દેવીઓમાં “તારા' મહત્ત્વની મનાય છે. યાની બુદ્ધોમાંથી અનેક બધિસ અને તારાઓને ઉદ્દભવ થશે છે. વળી, બીજા પણ અનેક દેવો બોદ્ધધર્મમાંથી ખાસ કરીને એને ઉતરકાલીન સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામ્યા હોય તેમ જણાય છે.
બૌદ્ધધર્મના મુખ્ય બે સંપ્રદાય છે–રૂઢિચુસ્ત મતના થેરવાડી કહેવાતા ને સુધારક મત “મહાસંધિક”. આગળ જતાં મહાસંધિક થેરવાદીઓને હીનયાન અને પોતાના મતને મહાયાન (મોટે માર્ગ) કહેવા લાગ્યા. આ બે યાનમાં આગળ જતાં ૧૮ નિકાય પડયા. બૌદ્ધ દર્શનોમાં ચાર ભિન્ન દર્શન વિકસ્યાં. સૌત્રાતિક અને વૈભાષિક તથા માધ્યમિક અને મેગ્યચાર. ગુજરાતમાં બૌદ્ધધર્મને પ્રસારઃ
ગુજરાતમાં પણ ધીરે ધીરે બૌદ્ધધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો.