________________
૧૨૬
ગુજરાતના ધમ સંપ્રદાય અને તીર્થોને પ્રવૃત્તિ વગરનાં બનાવ્યાં. ધીરે ધીરે બૌદ્ધ સાધુઓ નેપાળ અને તિબેટના પ્રદેશમાં ચાલ્યા ગયા. મહેસાણા જિલ્લામાં તારંગા નામે ઓળખાતી ટેકરી ઉપર એક ધારણ માતા નામે ઓળખાતા મંદિરમાં “વરદતારા” અને કેટલીક અન્ય બૌદ્ધ પ્રતિમાઓ આવેલી છે. એ સિવાય આ સમયના કોઈ અન્ય અવશેષ મળતા નથી. આ સમય પછી ગુજરાતમાં બૌદ્ધધર્મ પ્રચારમાં હોવાના કઈ પુરાવા મળતા નથી. તાજેતરમાં શ્રી આંબેડકરની પ્રેરણાથી ગુજરાતમાં એમના અનુયાયીઓએ બૌદ્ધધર્મ અંગીકાર કરવા માંડે છે. તેઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જો કે હજુ સુધી ગુજરાતમાં કેઈ નવું બૌદ્ધ ચૈત્ય બંધાયું નથી. ગુજરાતનું બૌદ્ધ સ્થાપત્ય :
ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર ઈ. સ. પૂર્વેથી શરૂ કરીને નવમા દસમા સૈકા સુધી હતા. આ સમય દરમ્યાન બંધાયેલ સ્તૂપ, વિહાર, ગુફાઓ વગેરેના અવશેષો ગુજરાતનાં વિવિધ સ્થળોએથી મળી આવે છે. સ્તૂપો ઃ
બૌદ્ધધર્મમાં ત્રિરત્ન-બુદ્ધ, ધર્મ અને સંઘનું મહત્વ વિશેષ હતું. આથી પ્રાચીનકાલમાં બુદ્ધ કે તેમના નેંધપાત્ર અનુયાયીઓના અવશેષો(વાળ, દાંત, અસ્થિ વગેરે)ને સાચવી રાખવા સ્મારકે રચાતાં. આવા સ્મારકે સ્તૂપ તરીકે ઓળખાતાં. આવા સ્તૂપની રચના અંડાકાર ઘાટની હતી. તેમાં ઈટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. તેમાં આગાશીઓ, છત્રી, પ્રદક્ષિણુ માર્ગ, વગેરેની રચના કરેલ છે. તેમાં અવશેષોને પેટીમાં મૂકી લેખ સાથે દાટવામાં આવતા. પાલી ભાષામાં સ્તૂપને “થપ્પા” કહે છે. બ્રહ્મદેશમાં સ્તૂપને પેગોડા કહે છે અને સિલોનમાં “દાભગા” કહે છે. આવાં સ્મારકેસ્ત ગુજરાતમાંથી બેરિયા અને દેવની મોરી આગળથી મળી આવ્યા છે. બેરિયાનો સ્તૂપ :
ગિરનારના જંગલમાં બેરિયા નામના સ્થળેથી એક અસ્તવ્યસ્ત તૂપના કેટલાક અવશેષો મળી આવ્યા છે. સ્તૂપનું બાંધકામ પાકી ઇંટેનું છે. તેની આસપાસ આરસની સુંદર પટ્ટિકાઓ હતી. વેદિકા અને મથાળાનું છત્ર પથ્થરનાં હતાં. સ્તૂપના મધ્યભાગમાંથી એક માટીનું અસ્થિપાત્ર મળી આવ્યું છે આ પાત્રમાં પથ્થરને દાબડે હતો. અને તેમાં અનુક્રમે નાના કદના તાંબાના, ચાંદીના અને સોનાના દાબડા હતા છેલ્લા દાબડામાં આંગળીના નખ જેવડા અસ્થિ