________________
બૌદ્ધધ
૧૩૧
ઉત્તર ગુજરાતના મહેસાણાથી ઈશાને આવેલ તારંગા નામની ટેકરી ઉપર આવેલ તારણમાતાના મંદિરમાં બુદ્ધની નવ પ્રતિમાએાને સમૂહ આવેલે છે. આ ધારણમાતાના મ ંદિર નામે એળખાતા મંદિરમાં, અમિતાભ ધ્યાની ખુદ્ધની એક પ્રતિમા આવેલ છે. નીચે મેરનું વાહન દેખાય છે. તેની ડાખી બાજુએ મૈત્રેય અને અવલેાતેિશ્વરની પ્રતિમાએ આવેલી છે.
અવલે િકતેશ્વર :
આ ખેાધિસત્વ ઔદુ સંપ્રદાયમાં બહુ જાણીતું છે, શરીરે અલંકારા ધારણ કરેલ છે. એક હાથ વરદ મુદ્રામાં છે. અવલેાકિતેશ્વરની એક પ્રતિમા તારંગા ઉપર ધારણ માતાના મંદિરમાં આવેલી છે.
તારા ઃ
બૌદ્ધ દેવદેવીઓમાં તારાનું સ્થાન ધણું જ મહત્ત્વનું મનાય છે. તેનાં અનેક સ્વરૂપે છે. એના જમણા હાથ વરદમુદ્રામાં હોય છે. ગુજરાતમાંથી તારાની એક-બે મૂર્તિ મળી છે. તેમાંની એક તારંગા પર્વત ઉપર આવેલ ધારણમાતાના મદિરમાં આવેલ ખીજી એક ૧.૨ મીટરની પ્રતિમા આ મ ંદિરની બાજુમાં આવેલ એક નાની દેરીમાં આવેલી છે. પ્રતિમા સફેદ આરસની છે.
વીરમગામના એક દેવમ ંદિરમાંથી તારાની એક પ્રતિમા મળી છે. તેમાં દેવી લલિતાસનમાં બેઠેલ છે. ચતુ ભુજ છે. પ્રભા મંડળ છે. મુકુટ ઉપર અક્ષાભ્ય ધ્યાની ખુદ્ધને ધારણ કરેલ છે.
એકજયા :
આ વિનાશની દેવી તરીકે મનાય છે. આ દેવીની એક પ્રતિમા તારંગાના ધારણમાતાના મદિરમાં આવેલી છે.
અશેાકાન્તા મારિચી :
આ દેવીનું વાહન દેડકા છે. આ દેવીની પ્રતિમા તારંગા પર્વત ઉપર
ધારણમાતાના મંદિરમાં આવેલી છે.
મહામાયૂરી :
આ દેવીની પ્રતિમા તારંગા ઉપરના ધારણમાતાના મંદિરમાં આવેલી છે. તેના જમણા હાથમાં મેારપીછ અને ડાખા હાથ વરદમુદ્રામાં છે. માથા ઉપર અમેાધસિદ્ધિ ધ્યાની ખુદ્ધને ધારણ કરેલ છે.
--