________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય
આઠ આઠ ઓરડીઓ આવેલી હતી. આ વિહારનું પ્રવેશદ્વાર ઉત્તર તરફનું હતું. ચોકમાં પાકી ઈંટોની ફરસબંધી હતી. દીવાલો મોટી ઈંટની બાંધેલી હતી. એની ઉપર લંબચોરસ નળિયાંનું એક ઢાળિયું-છાપરું હતું. પાછલી હરોળના વચલા ખંડમાં પથ્થરની ફરસબંધીવાળું ભોંયતળિયું હતું. વિહારની નૈઋત્યના ખૂણે મારી હતી. વિહારના બાંધકામમાં વપરાયેલા- લાકડાને કાટમાળ સંપૂર્ણપણે નાશ પામે હતા. પણ તેના કેટલાક અવશેષમાં લેખંડ વપરાયેલ જોવા મળે છે. ખંડ જુદા જુદા કદના હતા. દેવની મેરીના આ વિહારની પૂર્વમાં એક નાના વિહારના અવશેષ જોવા મળે છે. ગુજરાતમાંથી મળતી બૌદ્ધ પ્રતિમાઓ :
ગુજરાતમાંથી મળતી બૌદ્ધ પ્રતિમાઓમાં ધ્યાન બુદ્ધો, બેધિસ, તેમજ બૌદ્ધ દેવદેવીઓને સમાવેશ થાય છે. ધ્યાની બુદ્ધ :
બૌદ્ધધર્મમાં માન્યતા છે કે જગતનું આ સર્જન આદિ બુદ્ધ અને આદિ પ્રજ્ઞા(પ્રજ્ઞા પારમિતા)માંથી થયું છે. એમાંથી પાંચ ધાની બુદ્ધો (૧) વૈરોચન, (૨) અભ્ય, (૩) રત્નસંભવ, (૪) અમિતાભ, અને (૫) અમોધ સિદ્ધિને ઉદભવ થયા. આ ધ્યાની બુદ્ધો અનુક્રમે ધર્મચક્ર, ભૂસ્પર્શ, વરદ, સમાધિ અને અભયમુદ્રામાં દર્શાવાય છે. તેમનું વાહન અનુક્રમે નાગ, ગજ, સિંહ, મયર અને ગરુડ છે.
ગુજરાતમાંથી ઉપલબ્ધ વિહારે અને સ્તૂપોમાંથી મળતી બૌદ્ધ પ્રતિમાઓમાંથી કેટલીક પ્રતિમાઓ જુદા જુદા ધ્યાન બુદ્ધોની હોય તેમ જણાય છે.
ગાંધીસ્મૃતિ ભાવનગરમાં બુદ્ધની એક નાની પ્રતિમા છે. આ પ્રતિમા નાના મૈત્યગૃહમાં પધરાવી શકાય અથવા મુસાફરીમાં સાથે રાખી શકાય એવી છે. આ પ્રતિમા અભ્ય ધ્યાન બુદ્ધની અને મૈત્રકકાલીન હેવાનું મનાય છે.
અન્ય યાની બુદ્ધની એક પ્રતિમા ધંધામાંથી મળી આવી છે. પ્રતિમાને જમણે હાથ જમણ પગમાં ઢીચણ ઉપર ભૂમિસ્પર્શ મુદ્રામાં આવેલ છે. અંગ ઉપર ઉત્તરીય છે. ડે. યુ.પી. શાહ આ પ્રતિમાને આઠમા સૈકાની માને છે.
ખંભાત પાસેના નગરા ગામેથી એક બુદ્ધની પાષાણ પ્રતિમાં મળી આવેલ છે. આ પ્રતિમામાં બુદ્ધને અર્ધપદ્માસનમાં બેઠેલા બતાવેલ છે. પ્રતિમા ખંડિત છે. આ પ્રતિમાને છે. ૨. ના. મહેતા વૈરોચન ધ્યાની બુદ્ધની અને ડે. કાંતિલાલ સેમપુરા રત્નસંભવ ધ્યાની બુહની હેવાનું માને છે.