________________
જનધર્મ
પ્રાસ્તાવિકઃ | ગુજરાતની પ્રજામાં હિંદુ ધર્મ પછી બીજો મહત્ત્વને ધર્મ તે જેને ધમ છે. તેમાં તીર્થકરોનું મહત્વ અંકાયું છે. ભારતની ધર્મપરંપરામાં એક પ્રાચીનકાળથી બે પ્રવાહો જોવા મળે છે : (૧) બ્રાહ્મણપ્રવાહ, (૨) શ્રમણપ્રવાહ, બ્રાહ્મણ પરંપરાને વિકાસ “બ્રહ્મન'ની આસપાસ થયે અને શ્રમણ પરંપરાને વિકાસ “શમન”ની આસપાસ થયા. બ્રાહ્મણ પરંપરામાં યજ્ઞયાગાદિનું વિશેષ મહત્ત્વ હતું. શ્રમણ પરંપરામાં અહિંસા પ્રધાન ધર્મભાવનાને વિકાસ થયેબ્રાહ્મણ પરંપરામાં વેદધર્મને પ્રસાર થયો, જ્યારે શ્રમણ પરંપરામાંથી જૈન અને બૌદ્ધધર્મને પ્રસાર થયો.
આજે આપણે જેને જૈન ધર્મ તરીકે ઓળખીએ છીએ, તે ઈ. સપૂર્વે ૬ઠ્ઠા સૈકામાં મહાવીરના સમયમાં નિગ્રંથ સંપ્રદાય તરીકે ઓળખાતો હતો. નિગ્રંથ એટલે ગ્રંથિ વિનાને. આ સંપ્રદાયમાં થયેલા આચાર્યો અને સંતે જિન તરીકે ઓળખાવા લાગ્યા. “જિન” શબ્દ “નિ–ગય” જીતવું ઉપરથી બનેલું છે. એટલે કે જેણે ઇન્દ્રિયને છતી મન, વાણું અને કાયા ઉપર કાબૂ મેળવેલ છે તે. આવા પુરુષોને જૈન પરંપરામાં “અહંત” કહેવામાં આવે છે. અહંત એટલે જેણે અંતરના શત્રુઓ ઉપર કાબૂ મેળવ્યો છે તે. આવા અહંત તરીકે ઓળખાતા મહાપુરુષ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થકર તરીકે ઓળખાય છે.
જૈન ધર્મમાં આવા ૨૪ તીર્થકરો થયા મનાય છે: (૧) ઋષભદેવ, (૨) અજિતસ્વામી, (૩) સંભવનાથ, (૪) અનિંદન, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદુપ્રભુનાથ, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્યનાથ, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મહિષ