________________
૧૦૦
(૪) આદાન નિક્ષેપણ સમિતિ
દરેક સાધુ-સાધ્વીએ એ પેાતાનાં વસ્ત્રો એવી રીતે લેવાં કે મૂકવાં જોઈએ, કે જેથી કાઈપણ પ્રકારની જીવહિંસા ન થાય.
(૫) પરિષ્ઠાપના સમિતિ :
ગુજરાતના ધમ સપ્રદાય
દરેક સાધુ-સાધ્વીઓએ પેાતાના મળમૂત્રના એવી રીતે ત્યાગ કરવા જોઈએ કે જેનાથી હિંસા ન થાય.
ત્રણ ગુપ્તિ :
ગુપ્તિ એટલે સાચવવું, રક્ષણ કરવુ, જૈનધર્મમાં પણ ત્રણ ગુપ્તિ દ્વારા મનને સ્થિર રાખવાનું જણાવ્યું છે. મનેગુપ્તિ, વાગુપ્તિ અને કાયરુપ્તિ.
ચાર ભાવનાઃ
ભાવના એટલે મનમાં ભાવ લાવવા તે. આ ચાર ભાવના નીચે મુજબ છેઃ (૧) મૈત્રીભાવ :
દરેક જીવ પ્રત્યે મિત્રતા રાખવી અને સવાઁ જીવના અપરાધ માફ કરવા. કાઈ પણ જીવ પ્રત્યે વેરની ભાવના ન રાખવી,
(૨) પ્રમાદભાવ :
ભૌતિક કે આધ્યાત્મિક જ્ઞાનમાં કાઈ ચઢિયાતુ હાય તે તેની ઇર્ષ્યા ન કરતાં તેના પ્રત્યે આદરભાવ અને માનની લાગણી રાખવી.
(૩) કરુણાભાવ :
જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ રાખવા જોઈએ.
(૪) મધ્યસ્થભાવ :
કાઈપણ શિષ્ય કે શ્રાવક-શ્રાવિકાને ઉપદેશ ન સમજાય તેા તેના પ્રત્યે ઉપેક્ષા કર્યા સિવાય તેને સમજાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.
(૫) સામયિક અને પ્રતિક્રમણ :
જૈનધમ મનાવિગ્રહની વૃત્તિ પર ભાર મૂકે છે. મનને કાબૂમાં રાખવા માટે બે પ્રકારની ક્રિયાએને આવશ્યક ગણવામાં આવી છે, જે આવશ્યક તરીકે ઓળખાય છે. આ બે ક્રિયાએામાં તીથંકરની સ્તુતિ અને વંદના ઉપરાંત જાણે અજાણે થયેલા પાપને કબૂલ કરી ફરીથી ન થાય તેવા નિણ્ય કરવાના હાય છે. આ બે આવશ્યકો તે (૧) સામયિક અને (૨) પ્રતિક્રમણુ.