________________
૧૦૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય
જિનસેન સૂરિએ હરિવંશ પુરાણ નામના જૈન પુરાણની રચના વઢવાણમાં કરી હતી. આમ, મૈત્રકકાલમાં જૈનધર્મ ધીરે ધીરે ગુજરાતમાં સ્થાન જમાવતા હતો. જ્યારે બૌદ્ધધર્મની ધીરે ધીરે પડતી શરૂ થઈ હતી.
ચાવડા અને સોલંકીકાળ દરમ્યાન જૈનધર્મને ઠીક ઠીક રાજ્યાશ્રય મળે. સોલંકીકાળ દરમ્યાન જૈનધર્મને લોકપ્રિય બનાવવામાં ચૌલુક્ય રાજવી કુમારપાલે મહત્ત્વનો ફાળો આપે. મૂળરાજ પહેલાએ પાટણમાં મૂલ-વસહિકા બંધાવી. ચામુંડરાજે એક જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. દુર્લભરાજના સમયમાં પાટણમાં એક જૈન શ્રેષ્ઠીએ મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ભીમદેવ પહેલાના સમયમાં એના દંડનાયક વિમલે આબુ ઉપર સુંદર વિમલવસહી નામનું મંદિર બંધાવ્યું હતું. કુંભારિયાનાં જૈન મંદિરો પણ આ સમયે બંધાયાં હતાં. કર્ણદેવ પહેલાએ અને સિદ્ધરાજ જયસિંહે લાડેલ પાસે જેન મ દિરને ભૂમિદાન આપ્યું હતું. મુંજાલ મંત્રીએ પાટણમાં જૈન મંદિર બંધાવ્યું હતું. અભયદેવ સૂરિએ સ્તંભનકમાં, તેમજ દંડનાયક સજ્જને, ગિરનાર ઉપર જૈન મંદિર બંધાવ્યાં હતાં. જોળકામાં શ્રેષ્ઠી ધવલે મુનિસુવ્રત સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાળે અનેક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. પાટણમાં એણે કુમારવિહાર બંધાવ્યું. આ ઉપરાંત તેણે ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત વગેરે સ્થળોએ અનેક જૈન મંદિર બંધાવ્યાં. પિતાના હાથે એણે ત્રિભુવનવિહાર બંધાવ્યું. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં, એણે એક જૈન મંદિર બંધાવ્યું હતું. મંત્રી આમ્રભટે ભરૂચમાં શકુનિકાવિહાર, તથા એના ભાઈ વામ્ભટે શત્રુંજય ઉપર આદિનાથનું જૈન મંદિર સમરાવ્યું.
સમસ્ત ગુજરાતમાં જૈનધર્મને લોકપ્રિય કરવાને યશ સેલંકીકાલના મધ્યાહન કાલમાં જેમ કુમારપાળને મળે, તેમ તેના અંત ભાગમાં એ યશ વસ્તુપાળને મળ્યો. વાઘેલાકાળ દરમિયાન ધોળકાના રાણાના મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલે પોતાની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જૈનધર્મને ઘણો જ વેગવંત બનાવ્યું. વસ્તુપાલ તથા તેજપાલની વિદ્યા અને સાહિત્યને પ્રોત્સાહન આપવાની વૃત્તિને લઈને સાધુઓ અને શ્રાવકેની પ્રવૃત્તિઓને અપૂર્વ વેગ મળ્યો. ઉજ્જયંત (ગિરનાર), શત્રુંજય અને અબુંદ જેવા પર્વત તેમજ અણહિલપુર, પાટણ, ભૂગુકચ્છ (ભરૂચ), સ્તંભતીર્થ (ખંભાત) અને ધવલ્લક (ધોળકા) જેવાં નગરમાં નવાં જિનાલય બંધાવવામાં અને જૂનાં જિનાલયોને સમજાવવામાં વસ્તુપાલ-તેજપાલે અમૂલ્ય ફાળો આપે. આ અમાત્યાએ તે ઉપરાંત જિનાલયના નિભાવ માટે આર્થિક પ્રબંધ કર્યો. આ ઉપરાંત સામંતસિંહ અને વિસલદેવ