________________
ગુજરાતના ધમ સંપ્રદાય (૧૩) વિશ્વકર્મા
વિશ્વકર્મા એ સ્થપતિઓના દેવ તરીકે પૂજાય છે. ગુજરાતમાં વસતા સુથાર જ્ઞાતિના લેકેના તે ઈષ્ટદેવ મનાય છે. (૧૪) બળિયાદેવઃ
બળિયાદેવની પૂજા ગુજરાતના ગામડે ગામડે પ્રચલિત છે. ઘણા લોકે બાળકને બળિયાના રોગમાંથી મુક્તિ મળે તે માટે તેની માનતા માનતા હોય છે. ગામની પાધરમાં કે કઈ શિવાલયની સાથે, બળિયાદેવનું સ્થાન આવેલું હોય છે. આદિવાસીઓમાં તે બળિયા બાપાના નામે ઓળખાય છે. સાબરકાંઠાનાં અનેક ગામમાં તેના નામે ઉજાણ રાખવામાં આવતી હોય છે. તેમની પ્રતિમા માત્ર મસ્તકરૂપે હોય છે. વડોદરા પાસે પિોર ગામમાં બળિયા દેવનું એક મોટું મંદિર આલું છે. (૧૫) સરસ્વતી:
સરસ્વતી એ વિદ્યાની દેવી તરીકે પૂજાય છે. તેનું વાહન હંસ છે. બ્રહ્માનાં પત્ની હોવાથી તે બ્રાહ્મી તરીકે પણ મનાય છે. ગુજરાતમાં સરસ્વતીનાં સ્વતંત્ર મંદિરે ભાગ્યે જ જોવા મળે છે. સરસ્વતીની પ્રતિમાઓ પ્રાચીન મંદિરોની અંધાઓમાં, દ્વારશાખામાં કે તોરણામાં મળી આવે છે. ડીસામાં આવેલ સિદ્ધાં. બિકાના પ્રાચીન મંદિરની દ્વારશાખમાં સરસ્વતીની એક સુંદર મૂતિ આવેલી છે. જમણા બે હાથમાં કમળ અને ડાબા હાથમાં વીણું અને કમંડળ છે. વડનગર અને શામળાજીના પ્રાચીન મંદિરમાંથી સરસ્વતીની નાની મોટી પ્રતિમાઓ મળે છે. સિદ્ધપુરમાં અને જૂનાગઢમાં સરસ્વતીનું સ્વતંત્ર મંદિર જોવા મળે છે. (૧૬) કાર્તિકેયઃ
ગુજરાતમાં શિવના પુત્ર કાર્તિકેયની પૂજા સ્વતંત્ર રીતે થતી હોય તેવું જાણવા મળતું નથી. તેમ છતાં તેની કેટલીક પ્રતિમાઓ ગુજરાતનાં ઢાંક, વડનગર, ખંભાત, ગલતેશ્વર, કપુરાઈ, કપડવંજ, વગેરે સ્થળનાં પ્રાચીન મંદિરની જવા કે મંડોવરમાંથી મળે છે. તેમનું વાહન મોર છે. તેમના હાથમાં શક્તિ (ભાલો) હોય છે. એમને છ મુખ હોય છે. (૧૭) શીતળાદેવી:
ગુજરાતમાં શીતળાદેવીને પ્રચાર સર્વસામાન્ય છે. તે શીતળાનો રોગ મટાડનાર દેવી તરીકે પૂજાય છે. શીતળાનાં કેટલાંક સ્વતંત્ર મંદિર બંધાયાં છે.