________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય (૨) સૂર્ય પૂજા
વેદમાં સૂર્યોપાસના નજરે પડે છે. ગાયત્રી મંત્ર એ સૂર્યમંત્ર છે. દક્ષિણ ભારતમાં સૂર્યપૂજાના પ્રાચીન અવશેષે અદ્યાપિપર્યત પ્રાપ્ત થાય છે. વળી, રામાયણ, મહાભારત, પુરાણો વગેરેમાં સૂર્યોપાસનાના અનેક ઉલ્લેખ મળે છે. રામચંદ્ર સૂર્યવંશી હતા. સૂર્યવંશનો આદ્યપુરુષ ઈક્વાકુ મનુ વૈવસ્વતના પુત્ર હતા. વૈવસ્વત મનુ વિવસ્વાન આદિત્યના પુત્ર હતા. રામાયણમાં સુગ્રીવની ઉત્પત્તિ સૂર્ય દ્વારા તથા મહાભારતમાં કર્ણની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થયાની વાત જાણીતી છે. એ ઉપરાંત સૂર્યો કર્ણના રક્ષણ માટે તેને પોતાના કવચ અને કુંડલ આપ્યાં હતાં તથા યુધિષ્ઠિરે અતીથિ ધર્મના પાલન માટે સૂર્યની આરાધના કરી અક્ષયપાત્ર મેળવ્યું હતું. એવા ઉલેખ મહાભારતમાંથી મળે છે. પુરાણોમાં સૂર્યોપાસનાને લગતાં દાને, વ્રત અને પૂજને લગતા વિવિધ ઉલ્લેખ મળે છે. “ભવિષ્ય પુરાણમાં સૂર્યપૂજાના સંદર્ભમાં શ્રીકૃષ્ણના પુત્ર “શામ્બ’નું આખ્યાન છે. જાંબુવંતીના પુત્ર શાખે દુર્વાસાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા શકઠીપમાંથી આ બ્રાહ્મણોને બોલાવી મૂલસ્થાન પાસે સૂર્ય મંદિર બંધાવી શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી એવી અનુકૃતિ છે.
આમ, ભારતમાં ઘણા પ્રાચીનકાળથી ચાલી આવતી સૂર્ય પૂજા લગભગ બારમી સદી સુધી વ્યાપક સ્વરૂપે પ્રચલિત હતી. સમય જતાં તે કેવળ સંયો પાસનામાં જ રહી. ભારતમાં સૂર્ય પૂજા બે તબક્કામાં પ્રચલિત બની : (૧) વેદિક સૂર્યોપાસના, (૨) ઈરાનની અસર નીચે વિકસેલી સૂર્યોપાસના. વેદકાલમાં અહીં દેવની ઉપાસના સૂકતો તથા ય દ્વારા થતી. મિથ-મિત્ર અને ખ્રિહ-મિહિર એ ભારતીય ઈરાની આના સૂર્યદેવ છે. સૂર્યની મૂર્તિપૂજા ઉત્તરભારતમાં ઈરાનમાંથી આવી. તેથી ત્યાંની સૂર્યપ્રતિમાને પગમાં (ઢીંચણ સુધીના) લાંબા બૂટ દર્શાવેલ હેય છે. દક્ષિણ ભારતની સૂર્ય પ્રતિમા શુદ્ધ ભારતીય સ્વરૂપની હોય છે. સૂર્યદેવને હાથમાં કમળ હોય છે. કમળ સૂર્ય દ્વારા ખીલે છે. સમય જતાં ભારતમાં સૂર્યપૂજાને “સૌર સંપ્રદાય'ના નામે વિકાસ થયો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ એક જ સૂર્યનાં વિવિધ સ્વરૂપે મનાવા લાગ્યાં. આગળ જતાં સૂર્ય અને નારાયણનું એક સંયુક્ત સ્વરૂપ પ્રજાવા લાગ્યું જે હાલ સૂર્યનારાયણને નામે ઓળખાય છે. - સૂર્યપરિવારના દેવામાં અરુણ, અશ્વિન, ઉષા, પ્રતિહારો, (પ્રતિહારેમાં સ્કંદ એટલે કાર્તિકેય અને અગ્નિને સમાવેશ થાય છે.) સૂર્યપત્નીઓ વગેરેને સમાવેશ થાય છે. સૂર્યપત્નીઓમાં રાણી, છાયા, ઉષા અને નિષ્ણુભા એવાં ચાર