________________
ગુજરાતના ધમ સંપ્રદાય ઉત્તમ છે. તેને જમણે હાથમાં કમળ છે. ડાબા હાથમાં દંડ છે. આ પ્રતિમાની શૈલી જોતાં આ મંદિર લગભગ આઠમી સદીનું હેવા સંભવ છે. કુંડમાં એક સૂર્ય પ્રતિમા આવેલી છે. તેની બાજુમાં બે દાસીઓ ચમર ઢોળે છે. મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણા માર્ગ રંગમંડપ વગેરે આવેલા છે. મંદિરને કુલ ૧૬ થાંભલા છે. આમ, અહીંનાં શિલ્પ જોતાં આ મંદિર પ્રાચીન સૂર્યમંદિર હેવાની પ્રતીતિ થાય છે. અમદાવાદનું સૂર્યમંદિર :
અમદાવાદમાં અસારવામાં આવેલ નીલકંઠ મહાદેવમાં એક સૂર્યમંદિર આવેલું છે. દેવાલયના આગળના ભાગમાં સરસ્વતી અને નીચે ગણપતિની પ્રતિમા ઓ આવેલી છે. ગણેશની પ્રતિમા ચતુર્ભ જ છે. તેમના ઉપલા હાથમાં અંકુશ અને પદ્મ છે અને નીચલા બે હાથમાં માળા અને મોદક છે. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યનારાયણની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ છે. પ્રતિમાને સાત અશ્વવાળા રથ ઉપર દર્શાવેલ છે. સૂર્યદેવ રક્ત પઢા પર પદ્માસન વાળીને બેઠેલા છે. પાછળના બંને હાથમાં બેવડી પાંખડીવાળાં પદ્મ ધારણ કરેલાં છે. આગલે જમણો હાથ અભય મુદ્રામાં છે. ડાબે હાથે વરદ મુદ્રામાં છે. મસ્તકે કિરીટ મુકુટ છે. શરીરે કડી, હાર, કડાં, બાજુબંધ, ઉપવીત, તિલક વગેરે ઉપકર ધારણ કરેલ છે. મુખની આસપાસ પ્રભાચક્ર આવેલું છે. ગુજરાતમાંથી મળી આવતી નોંધપાત્ર સૂર્યપ્રતિમાઓ
ગુજરાતમાં સારા પ્રમાણમાં સૂર્યમંદિર આવેલાં હોવાથી, ત્યાંથી અનેક સૂર્યપ્રતિમાઓ મળે છે. ખંભાતથી ઉત્તરે ૩ કિ.મી.ના અંતરે આવેલા નગરા ગામમાં એક શિવાલયમાં બે પ્રાચીન સૂર્યપ્રતિમાઓ અને ત્રણ સૂર્યાણીની પ્રતિમાઓ આવેલી છે. એમાં મધ્યસ્થ સૂર્યની પ્રતિમા સફેદ આરસની દ્વિભુજ છે. માથે મુકુટ, હાથમાં શ્રીવત્સ, શરીરે યજ્ઞોપવીત, હાથમાં પદ્મ, પગમાં હેલબુટ, એના ઉપર નુપુર પહેરેલ છે. પાસે દિફપાલે છે.
ખેરાલુમાં વિ.સં. ૧૨૯૩ (ઈ.સ. ૧૨૩૭)ની સુંદર સૂર્યપ્રતિમા છે. (જુઓ ચિ. નં. ૧૫).
આ ઉપરાંત ગુજરાતમાંથી મોઢેરા, ખંભાત, સુત્રાપાડા, પાટણ, રેડા, ડિસા, વડનગર વગેરે સ્થળોએથી કેટલીક વિશિષ્ટ સૂર્ય પ્રતિમાઓ મળેલ છે. તેમના આયુધોમાં કમળ મુખ્ય હોય છે. કેટલીક મૂર્તિઓના પગમાં હેલબુટ બતાવેલ હોય છે.