________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
ગુજરાતમાંથી પંચમુખી હનુમાનની પ્રતિમાઓ જવલ્લે જ મળે છે. આવી એક પ્રતિમા ભાવનગર પાસેના તળાજાના સ્મશાન આગળ આવેલી છે. બીજી એક પ્રતિમા પાટણના અઘોરી બાવાની જગ્યામાં તેમના મંદિરની અંદર બેસાડેલી છે. આ સર્વ પ્રતિમાઓ વિશિષ્ટ પ્રકારની છે. | ગુજરાતમાં ગામડે ગામડે નાની મોટી હનુમાનની પ્રતિમાઓ આવેલી છે. ઘણી લેકે પોતાની પીડામાંથી બચવા માટે શનિવારે હનુમાનને તેલ ચઢાવે છે. કાળી ચૌદશના દિવસે અનેક ભાવિકે હનુમાનને તેલ ચઢાવવા જાય છે. ઘણું તેની ઉપાસના કરે છે. તેલ અને આકડાના ફૂલની માળા ચઢાવે છે. અમદાવાદમાં કેમ્પના હનુમાનને મહિમા વિશેષ જોવા મળે છે.
હનુમાનનાં કેટલાંક સ્વતંત્ર મંદિર છે. વળી, ઘણું મંદિરમાં અંતરાલમાં એક બાજુના ગોખલામાં ગણપતિની અને બીજી બાજુના ગોખલામાં હનુમાનની. મતિ હોય છે. એમના એક હાથમાં ગદા અને બીજા હાથમાં પર્વત હોય છે ને એમના પગ નીચે પનોતી હોય છે.
(૬) વાયુપૂજા :
ગુજરાતમાં વાયુપૂજા ઘણું પ્રાચીનકાળથી ચાલી આવે છે. ગુજરાતમાં વાયડા બ્રાહ્મણો તથા વચ્ચેના ઈષ્ટદેવ વાયુદેવ છે. વાયડા જ્ઞાતિના પુરાણમાં વાયડાદિત્યનું મંદિર હાલમાં (વાયડ) તરીકે ઓળખાતા ગામમાં હોવાનો ઉલ્લેખ છે. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે આ સ્થાને વાયુ ભગવાનને પાદુર્ભાવ થયો હતો, અને તેથી જ તેનું નામ વાયુપુર કે પવનપુર પડયું હતું.
પ્રભાવક ચરિત, ચ. પ્ર. વગેરે ગ્રંથોમાં પણ વાયડમાં વાયડદેવનું મંદિર હેવાનો ઉલ્લેખ મળે છે. હાલમાં આ મંદિર જોવા મળતું નથી. દિકપાલ તરીકે અનેક વાયુ પ્રતિમાઓ મોટા મોટા મંદિરોમાં જોવા મળે છે. શામળાજી જેવાં કેટલાંક મંદિરની અંધામાં, વાયુ સાથે વાયુપત્નીની પ્રતિમા જોવા મળે છે.
ગુજરાતમાં મળતી મોટા ભાગની વાયુ પ્રતિમાઓ ચાર હાથવાળી મળે છે. વાયુદેવ વાયડા-બ્રાહ્મણ, વાણિયાના ઈષ્ટદેવ તરીકે પૂજાતા હેઈ તેનાં મંદિરો હાલમાં પાટણ, વડેદરા, કચ્છ, સૂરત, અમદાવાદ વગેરે સ્થળોએ બંધાયાં છે. (૭) દિપાલની પ્રતિમાઓ : - -
- વૈદિક સાહિત્યમાં દિકપાલેનું સ્થાન મહત્ત્વનું છે. તેઓ દિશાઓના રક્ષક દેવ મનાય છે. આ કારણે તેમની વિવિધ પ્રકારે પૂજા થાય છે. આઠ દિશાના