________________
૯૦
વિ. સં. ૧૨૦૬ (ઈ.સ. ૧૧૫૦)માં મંદિરમાં દ્વાર ઉપર ગણેશ તથા નવગૃહેાની
ગુજરાતના ધમ સપ્રદાય
ભાયાવદરમાં બંધાયેલ સામાદિત્યના પ્રતિમાએ કાતરેલી છે.
વિ. સં. ૧૨૬૭ (ઈ.સ.) ૧૨૧૧ ના આપુ ઉપરના વીરધવલના લેખમાં સરસ્વતી તથા ગણેશની સ્તુતિ કરવામાં આવેલ છે. મહામાત્ય વસ્તુપાલે ધૂમલીમાં ગણેશ મંદિરના મંડપ બધાવ્યાના ઉલ્લેખ વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ના લેખમાં કરેલ છે. વીસલદેવના સમયના રાજકવિ નાનાકની પ્રથમ પ્રશસ્તિની શરૂઆત ગણેશની સ્તુતીથી કરવામાં આવેલ છે. ધોળકામાં આવેલા મહાકાલીના મંદિરની પ્રશસ્તિમાં શરૂઆતમાં ગણેશની સ્તુતિ કરવામાં આવી છે. તેરમી સદી દરમ્યાન ગેારાડથી અર્ધમાઈલે આવેલ વીરતા ગામમાં બંધાયેલ નીલક ઢેશ્વર મંદિરમાં જોવા મળતી ત્રણ મુખ્ય મૂર્તિ એમાં બારણા આગળની પ્રતિમા ગણેશની છે. અમદાવાદના અસારવામાં આવેલ નીલકંઠ મહાદેવમાં એક ચતુર્ભુજ ગણેશની પ્રતિમા આવેલી છે. ધોળકામાં લક્ષ્મીનારાયણના મંદિરમાં ગણેશની ધાતુ પ્રતિમા ઉપર સંવત ૧૫૭૬ના લેખ છે. પ્રતિમાની બેસણી પર “ૐ વતુકાય નમઃ” લખેલ છે. વડેાદરામાં દાંડીયા ખારમાં ગણપતિનુ એક સ્વતંત્ર મંદિર આવેલ છે.
આમ, ઉપરના સર્વ આધારે પરથી જણાય છે કે પ્રાચીનકાલથી ચાલી આવતી ગણેશપૂજા આજ દિન સુધી વ્યવસ્થિત રીતે ગુજરાતમાં પ્રચલિત છે. આજે દરેક શુભ પ્રસ ંગે ગણેશની સ્તુતિ કરવામાં આવે છે. કેટલાક જમણી સૂંઢના આકડાના ગણપતિ બનાવીને તેની ઉપાસના પણ કરે છે. હાલમાં ગુજરાતના દરેક ગામમાં ગણેશની પ્રતિમા જોવા મળે છે.
(૫) હનુમાન પૂજા :
હનુમાન એ પરિવાર દેવતા છે. એ રામચંદ્રના પરમ ભક્ત છે. રામચંદ્રના દરેક મંદિરમાં હનુમાનની પ્રતિમા જોવા મળે છે. તેએ વાયુ અથવા મરુત પુત્ર હોવાથી તેમનું નામ મારુતિ પડયું છે. હનુમાન રુદ્ર સ્વરૂપ મનાય છે. આથી ભૂતપશાચની પીડામાંથી બચવા માટે ઘણા લેાકેા હનુમાનની ઉપાસના કરતા હાય છે. ગુજરાતમાં અનેક સ્થળે હનુમાનની પ્રતિમાએ આવેલી છે. તેમાં ખાસ કરીને બે પ્રકારની પ્રતિમાએ જોવા મળે છે: (૧) એક મુખ (૨) પંચમુખ. ગુજરાતમાં સિદ્ધપુર તાલુકાના કણી ગામના હનુમાન, પાટણના ગુણવંતા હનુમાન અને સૌરાષ્ટ્રના સાર ંગપુરના હનુમાનની પ્રતિમાએ ધણી ભવ્ય અને પ્રાચીન છે. અનેક લેકે તેના દર્શનાર્થે ઉમટે છે.