________________
૮૩
શાકન સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના નામ મળે છે. વિષ્ણુ પુરાણમાં આદિત્ય, ઋષિઓ, ગાંધર્વો, યક્ષો, નાગ વગેરેને વાસ સૂર્યના સતા મુખમાં જણાવેલ છે. સૂર્યમંડળમાં સૂર્ય, અન્ય આઠ ગ્રહ, ઉપગ્રહે, તારા, નક્ષત્ર વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યના સપ્તાશ્વ સાત વારના ઘાતક છે એવી એક માન્યતા છે અથવા એ સૂર્યને વેત પ્રકાશના મૂળમાં રહેલા સપ્ત વિભિન્ન રંગનાં પ્રતીક હોય. ગાયત્રી મંત્રઃ
| ગાયત્રી મંત્ર એ સૂર્યનારાયણની શુદ્ધ ઉપાસના છે. “૩૦ મૂવ. ઃ તત્ય વિતુર્વરેન્ચ મે સેવ ધીમહિ ધિ છે : વાર” (પૃથવી અંતરિક્ષ અને સ્વર્ગમાં જે પ્રસંશનીય તેજ વ્યાપેલું છે તે તેજનું હું ધ્યાન ધરું છું, એ તેજ મારી બુદ્ધિને પ્રેરે). આ ત્રિપદા ગાયત્રી ઈદમાં રચેલી ઋચામાં ના સૂર્યનારાયણ આખા જગતને આવરી લે છે. આ ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાને મંત્ર છે તેને છંદ ગાયત્રી ઈદ હેવાથી તે ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. આજે સમાજમાં ગાયત્રી મંત્રનું મહત્વ વિશેષ છે. અનેક માનવીઓ શ્રી અને સરસ્વતી મેળવવા, આ મંત્ર દ્વારા સૂર્યની ઉપાસના કરે છે. વિદ્વાને એને સાવિત્રી ક્યાં (સવિતાદેવને લગતી ઋચા) તરીકે ઓળખાવે છે. ગુજરાતમાં સૂર્ય પૂજાને પ્રસારઃ
પ્રાચીન ભારતમાં છેક વેદકાલથી સૂર્યઉપાસના પ્રચલિત હતી. ગુજરાતમાં મૈત્રકકાલથી સૂર્યમંદિર અને સૂર્યપ્રતિમાઓ દેખા દે છે. કુમારગુપ્તના લેખમાં જણાવ્યું છે કે માલવગણુ સ. ૪૯૩ (ઈ.સ. ૪૩૬)માં દશ પુર (મંદ સર)માં લાટના પટ્ટ વાયની (પટેળાં વણનારા કારીગરો) શ્રેલને કુમારગુપ્તના અમલ દરમ્યાન નગરમાં દીપ્ત રશ્મિનું મંદિર બંધાવ્યું હતું. મૈત્રક રાજવીઓના અમલ દરમ્યાન સૂર્ય પૂજા ધીરે ધીરે વ્યાપક બની હતી. મૈત્રક રાજવી ધરપટ્ટ આદિત્ય ભક્ત હતો. આ સમયે સૌરાષ્ટ્રમાં અનેક સૂર્યમંદિરે બધાયાં હતાં. જંબુસરમાં આદિત્યનું મંદિર હતું.
સેલંકીકાળ દરમિયાન અગિયારમી સદીમાં ભીમદેવ ૧ લાના સમયમાં બંધાયેલ મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન મંદિરમાં સર્વશ્રેષ્ઠ છે. સરસ્વતી પુરાણમાં જણાવ્યું છે કે સિદ્ધરાજે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ભાયલસ્વામીનું મંદિર બંધાવ્યું હતું. ભાયલ્લ સ્વામી એ સૂર્યનું નામ છે.
વાઘેલાકાત દરમ્યાન સ્તંભતીર્થ (ખંભાત) પાસે આવેલ નાગરક (નગરા) માં મહામાત્ય વસ્તુપાલે સૂર્યપત્ની રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિ પધરાવી