________________
૨૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય
તેમજ નરથરની આકૃતિઓ નજરે પડે છે. સ્તંભે સુંદર કલાકૃતિવાળા લગભગ ૧૬ મીટર જેટલા ઊંચા છે. આગળ કીર્તિતોરણ આવેલું છે. મંદિરની પાછળની કેટલીક દેવકુલિકાઓને મસ્જિદના રૂપમાં ફેરવી નાખવામાં આવી છે. તેની બાંધણું હિન્દુ શૈલીની છે. આ સ્થળ પ્રાચીનકાળમાં પાશુપતિનું એક મહત્વનું કેન્દ્ર મનાતું. આજે અહીં રાજભારતીને મઠ પ્રખ્યાત છે.
આ ઉપરાંત સરસ્વતીક્ષેત્રમાં હાટકેશ્વર, ભૂતનાથ, બ્રહ્માંડેશ્વર, અબુંદેશ્વર, વાલકેશ્વર, વટેશ્વર, ભુલેશ્વર, હરિહર, લાંબેવર વગેરે શિવાલયો આવેલાં છે. ત્યાં વારતહેવારે લેકે દર્શને જાય છે. મેળો ભરાય છે.
હાટકેશ્વર :
ઉત્તર ગુજરાતમાં આવેલ હાલના વડનગરના ક્ષેત્રને પુરાણોમાં હાટકેશ્વર તીર્થ તરીકે ઓળખવામાં આવેલ છે. આ ક્ષેત્રનું માહાત્મ્ય સ્કંદપુરાણના નગરખંડમાં આવેલું છે. હાટકેશ્વર નાગરના ઈષ્ટદેવ મનાય છે. આથી હાલના વડનગરમાં આવેલ હાટકેશ્વરના મંદિરને નાગરો પિતાનું મૂળ તીર્થધામ માને છે. આ શિવાલય શહેર બહાર આવેલું છે. પૂર્વાભિમુખ છે તેમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ, શૃંગારકી, વગેરે આવેલ છે. સ્તંભે, ગોળ, ચેરસ અને અષ્ટકોણ છે. લિંગ શ્યામ રંગનું છે. આગળના ભાગમાં બે વિશાળ નંદી છે. મંદિરની બહારની દીવાલો નરથર, ગજથર વગેરેથી અલંકૃત કરવામાં આવેલી છે. મુખ્ય મંદિરના ગવાક્ષમાં વિવિધ દેવદેવીઓનાં શિપ કંડારેલ છે. આજુબાજુ આવેલાં બીજા કેટલાંક નાનાં શિવાલયો સેમિનાથ, અજયપાળ મહાદેવ, અચલેશ્વર, વિશ્વામિત્રેશ્વર, મહાકાલેશ્વર, બળેશ્વર, કુશ્વર, કેદારેશ્વર, અટેશ્વર, અમરેશ્વર, નાગેશ્વર વગેરે નામે ઓળખાય છે. બ્રહ્મક્ષેત્ર : - ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા)ના પ્રદેશની આસપાસના વિસ્તારને બ્રહ્મક્ષેત્ર તરીકે પુરાણોમાં ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં યક્ષીન્દ્ર મહાદેવ, ભૃગુતીર્થ રોડાનાં શૈવમંદિરે વગેરે અનેક નંધપાત્ર શિવાલયો આવેલાં છે. અહીંનાં શિવાલયો નાનાં અને સાદાં છે. રોડામાં શિવાલય વિવિધ પ્રકારનાં શિથિી શણગારેલાં છે. અહીંનાં સાત શિવાલયોનો સમૂહ સોલંકીકાલને હેવાનું જણાય છે. પાસે કુંડ આવેલ છે. કેટલાંક ખંડિત છે. દરેકમાં ગર્ભગૃહ અને મંડપ છે. ઘણું અપૂજ્ય છે.