________________
વૈષ્ણવ સપ્રદાય
કેટલીક ક્રમેામાં નવવધૂને લગ્નજીવનના પ્રારંભમાં સહુ પ્રથમ મહારાજ પાસે બ્રહ્મસંબંધ લેવા મેાકલવાના રિવાજ પ્રચલિત હતા. આને ધણા મહારાજે મનમાન્યા લાભ ઉઠાવતા. ૐ નમે મળવતે વાસુલેવાય અને શ્રી રાળ મમ'' જેવા મંત્રો લેાકજીભે ગુંજતા હતા. અનેક ધાર્મિક સ્ત્રી-પુરુષા તેનું અવારનવાર રટણ કરતા હતા. પુષ્ટિ સંપ્રદાયે અનેક સ્ત્રીઓને ઘેલી કરી હતી. તેમની મરજાદ” લેવાની ભાવના વ્યાપક બની હતી. ચૂસ્ત વૈષ્ણવા કાઈના હાથની બનાવેલી રસાઈ જમતા નહિ. જમતી વખતે ગામૂત્ર, છાણ, વગેરેથી જમીનને શુદ્ધ કરી તેના ઉપર ભાજનની થાળી મૂકી જમતા. કંઠમાં તુલસીની માળા પહેરતા. મદિરમાં પ્રેમથી સેવા આપતા.
૬૩
ઘણા વૈષ્ણવા પોતાનાં અને અન્ય કુટુ ંબીજનેનાં નામ કૃષ્ણ ઉપરથી રાખતા હતા. દા. ત., કૃષ્ણુદાસ, વલ્લભદાસ, ગેાકળદાસ, હરિવલ્લભ, હરિદાસ, ચરણુદાસ, વિઠ્ઠલદાસ, રણછોડ, સારંગધર, દામેાદર, દ્વારકાદાસ, નવનીતલાલ, રાધા, લક્ષ્મી, મીરાં, સુભદ્રા, ગોવર્ધન, રુક્મણિ, વ્રજલાલ, મેાહનલાલ, માધવલાલ, માધવદાસ, વૃંદાવન, કનૈયાલાલ વગેરે. દરેક વૈષ્ણવ પેાતાનાં બાળકને પ્રહ્મસ બધ લેવડાવવાના ખાસ આગ્રહ રાખે છે. તેએ કપાળમાં ઊભું તિલક કરે છે.
સમાજમાં મહાઐચ્છવ, ફાગ, જન્માષ્ટમી વગેરે ઉત્સવા લેાકેા પ્રેમથી ઊજવે છે. વૈષ્ણવ દિશમાં હિડાળા અને પારણાંના દિવસેાનું મહત્ત્વ વિશેષ છે. શ્રાવણ માસમાં શરૂઆતમાં જન્માષ્ટમીના પહેલાંના દિવસે એ વિવિધ પ્રકારના હિડાળામાં ભગવાનને ઝુલાવવામાં આવે છે. ઘણાં મંદિરમાં કલાત્મક હિંડાળા તૈયાર કરવામાં આવે છે. કેટલાંક મંદિરમાં હિડાળાને ફૂલથી, ફળથી કે રંગખેરંગી વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. કેટલાંક મંદિરમાં ચાંદીના હિડાળા જોવા મળે છે.
વૈષ્ણવ સોંપ્રદાયમાં સદેવને સરખા માનેલ હોવા છતાં ચૂસ્ત પુષ્ટિ માગી એ અન્ય દેવાનું નામ લેતા નથી. કેટલેક ઠેકાણે તે ગેાકુલેશના અનુયાયીએ જયશ્રીકૃષ્ણ પણ ખેાલતા નથી. તેએ એકીનને મળતાં “જય જય શ્રી ગેાકુલેશ” ખેલે છે.
સમાજમાં ભાગવત પારાયણના મહિમા વિશેષ છે. ભાવિક ભક્તો ભાદરવા માસમાં ભાગવત સપ્તાહ બેસાડે છે. અનેક ભાવિકા કૃષ્ણના જીવન પ્રસ ંગાનું પ્રેમથી શ્રવણ કરે છે. ધણા લેાકેા પેાતાના સ્નેહીએના પૂણ્યાર્થે ભાગવત સપ્તાહનું આયેાજન કરતા હોય છે. ભાગવત પારાયણમાં વિષ્ણુના જુદા જુદા અવતારનુ વણું ન કરવામાં આવેલ છે. ધણા લેાકેા સીમંત જેવા પ્રંસગેાએ મામેરુ ગવડાવે છે,