________________
१२
- ' ગુજરાતના ધમ સંપ્રદાય મંદિર આવેલું છે જે બાલકદાસજીના મંદિરના નામે ઓળખાય છે. અહીં રામ, લક્ષ્મણ, સીતા વગેરેની પ્રતિમાઓ પૂજાય છે. (૮) રાધાસ્વામી સંપ્રદાય:
આ પંથને પ્રચાર ગુજરાતની કણબી કામમાં વિશેષ પ્રમાણમાં થયો હતો. ખેડા જિલ્લામાં આ સંપ્રદાયનાં મંદિરો આવેલાં છે. (૯) પ્રણામી પંથ
આ પંથના આદ્યસ્થાપક દેવચંદ્ર મહેતાજી હતા. પિતાનું નામ મતમત્તા અને માતાનું નામ કુંવરબાઈ હતું. આ સંપ્રદાય સૌરાષ્ટ્રમાં સવિશેષ પ્રચલિત છે. આ સંપ્રદાયના લેકે રામાનુજી સંપ્રદાય જેવું તિલક કરે છે. તુલસીની માળા પહેરે છે. નાક સુધી તીલક કરે છે. આ સંપ્રદાયમાં શીખ ધર્મની માફક “ફૂલજલ” ગ્રંથની પૂજા થાય છે. આ ગ્રંથમાં કુલ ૧૪ ભાગ છેજેમાંથી ૪ ગુજરાતીમાં, ૧ સિંધિમાં અને ૯ ભાગ હિંદીમાં છે. જામનગરમાં આ સંપ્રદાયનું મોટું મંદિર આવેલું છે. અહીં એકેશ્વરવાદ અને ગુરુભક્તિનો મહિમા ગાવામાં આવ્યું છે. આ સંપ્રદાયને વિશેષ પ્રચાર પટેલ, કાયસ્થ, કણબી, રજપૂત, ભાટ, સુથાર, દરજી, ગેલા જેવી કેમેરામાં વિશેષ છે. આ સંપ્રદાયની ગાદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઓડ, બેરસદ, ખેડા, વરસોળા, નડિયાદ, લિંગડા, થામણું વગેરે સ્થળે ખેડા જિલ્લામાં આવેલી છે. ટૌષ્ણવ સંપ્રદાયની સમાજજીવન પર અસર:
વૈષ્ણવ ધર્મે ગુજરાતી સમાજ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાપક પ્રમાણ માં અસર કરી છે. ગુજરાતમાં વાણિયા, પાટિદાર વગેરે કેમ ઉપર પુષ્ટિ સંપ્રદાયની અસર વર્તાય છે. જ્યારે નીચલા વર્ગો કણબી, લહાણું કાઠી, સુથાર, કડીયા, કાળી વગેરે ઉપર સ્વામિનારાયણ, કબીરપંથ, પ્રણામીપંથ, રવિપંથ, રાધાવલ્લભ પંથ, ઉદાસી પંથ વગેરેની પકડ જોવા મળે છે. સમાજમાં વિષ્ણુની પૂજા સાથે વિષ્ણુના અવતારે જેવા કે–વરાહ, વામન, નરસિંહ, રામ, કૃષ્ણ વગેરેની પૂજા પ્રચલિત બની છે. વિષ્ણુની ભક્તિપરંપરામાં પુષ્ટિ સંપ્રદાયે કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા વધાર્યો, સમાજમાં વૈષ્ણવ મંદિરે પૃષ્ટિ સંપ્રદાયનાં કેન્દ્રો બન્યાં. કૃષ્ણનું જીવનવૃતાંત, બાળલીલા, રાસલીલા, વગેરે ઘણું લોકપ્રિય બન્યાં હતાં.
વૈષ્ણવ સંપ્રદાયના મહારાજને શ્રદ્ધાથી સન્માનતા હતા. તેમને કૃષ્ણ સ્વરૂપ માનતા. કેટલેક ઠેકાણે સર્વસ્વ અર્પણ કરવાની માન્યતા પણ પ્રચલિત હતી.