________________
४
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવાની આરાધના
(૧) શાકત સંપ્રદાય :
ભારતમાં શાક્ત સંપ્રદાય ધણા પ્રાચીન કાળથી પ્રચલિત છે. હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી શાક્ત (માતૃદેવી)ની પ્રતિમાએ મળી આવેલ છે. આ સ્થળોએથી મળેલ પ્રતિમા દરેક મકાનમાંથી મળી આવેલ છે. તેથી તેની ઉપાસના ઘેર ઘેર થતી હોય તેમ જણાય છે. મેહે-જો-દડાની એક મુદ્રા પર લાંછનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીએ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. હડપ્પાની એક મુદ્રા પર લાંછનમાં એની ચેનિમાંથી વૃક્ષના કુર ફૂટતા બતાવ્યા છે. આ પરથી આ દેવી વનસ્પતિ સાથે સ ંબંધ ધરાવતી હાય તેમ લાગે છે, બલુચિસ્તાન, સુમેર, સીરિયા, ક્રીટ, મિસર જેવા દેશમાં આવી સજ કશક્તિની ઠેર ઠેર ઉપાસના થતી હતી. લેકે તેને માતૃદેવી' તરીકે
આરાધતા.
વેદકાલમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વગેરેમાંથી શક્તિપૂજા વિશેના ઉલ્લેખા મળે છે. ઋગ્વેદમાં અદિતિ” માતાનું વર્ણન છે. ઉષાદેવીનાં સૂક્તોમાં શક્તિના કુમારીભાવ બતાવ્યા છે. આરણ્યકેામાં ત્રિપુરાના ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી વગેરે નામેા બ્રાહ્મણુ તથા આરણ્યક ગ્ર ંથામાંથી મળે છે. પુરાણામાં કર્મ પુરાણમાં શક્તિપૂજાનેા મહિમા ગાય છે. આ ઉપરાંત દેવી ભાગવત, કાલિકાપુરાણ, શક્તિસ ગમત ત્ર, લક્ષ્મીતંત્ર, શ્યામા રહસ્ય, શાકતક્રમ, કાલિકાકારકૂટ વગેરે ગ્રંથામાંથી દેવીપૂજાને લગતી ઘણી માહિતી મળે છે.
શક્તિસંપ્રદાયના અનુયાયીએ શાક્તો તરીકે એળખાતા. શાક્તો પૂજા દ્રવ્યમાં સ્ત્રી, માંસ, મદ્ય વગેરેના ઉપયોગ કરતા. તેએ આને દેવી ઉપાસનાનુ મહત્ત્વનું અંગ માને છે. આ લેા વામમાર્ગી એ તરીકે ઓળખાય છે. કેટલાક લેાકેા યંત્ર મંત્ર દ્વારા શક્તિની ઉપાસના કરે છે. શક્તિના યંત્રને શ્રી ચક્ર” કહે છે. દેવીભાગવતમાં શક્તિપૂજાનાં સ્થાના અને નામેાના ઉલ્લેખ છે. અહીં ૧૦૮ દેવીનાં નામ આપેલ છે. આ સમાં ભદ્રા, જયા, કાલી, મહાલક્ષ્મી, ઉમા,