________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
કુળદેવી વાયડમાતા મનાય છે. ગુજરાતમાં વસતા આવ્યંતર ઉદુમ્બર બ્રાહ્મણોની કુળદેવી સર્વમંગલા મનાય છે. તેનું મૂળ સ્થાન શામળાજીમાં હોવાનું મનાય છે. અમદાવાદમાં ભદ્રકાલી અને કાલીમાતાનાં સ્થાને ઘણું લોકપ્રિય છે. તાજેતરમાં સંતોષીમાતાની તથા ગાયત્રી માતાની ઉપાસના વધતી જાય છે. ગાયત્રી માતાનાં મંદિરે ઠેકઠેકાણે બંધાતાં જાય છે.
આમ, વર્તમાન સમયમાં દેવીપૂજા સૌમ્ય સ્વરૂપે પ્રચલિત છે. અનેક લોકો અંબાજી, પાવાગઢ, બહુચરાજી વગેરે સ્થળોએ યાત્રા અર્થે જાય છે. માતાના નામે અમુક ચેક્કિસ પ્રકારને આચાર ધર્મ પાળે છે. ઘણા લોકોના દેવધરોમાં માતાની મૂર્તિઓ જોવા મળે છે. અમદાવાદમાં આજે પણ નવરાત્રીના દિવસોમાં મહેલે મહોલ્લે માતાની પૂજા તથા આરતી થાય છે.
ગુજરાતનાં નામાંકિત શાક્તપીઠો:
શાક્તપીઠની ગણના વિવિધ પ્રકારે થયેલી જણાય છે. મંત્રચૂડામણિમાં બાવન મહાપીઠ ગણુવ્યાં છે અને દેવીગીતાના પ્રકરણના આઠમા અધ્યાયમાં ૭૨ પીઠે ગણાવ્યાં છે. આ સર્વપીઠા શાક્ત સંપ્રદાયનાં તીર્થધામો ગણાય છે. | ગુજરાતમાં શક્તિપીઠેમાં આરાસુરનું અંબિકાપીઠ મુખ્ય છે. કાલિકાપીઠ પાવાગઢ અને ગિરનારમાં છે. બાલાત્રિપુરાનું સ્થાન ચુંવાળમાં આવેલ બહુચરાજીમાં છે. મિયાણીનું હરસિદ્ધિ માતાનું સ્થાન સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, કચ્છમાં આશાપુરા, પેટલાદમાં આશાપુરા, ઓખામંડળમાં અભયામાતા, આરંભડામાં લૂણમાતા, દ્વારકામાં રુકિમણી, ચંદ્રભાગા અને ભદ્રકાલી, કાલાવડમાં શીતળામાતા હળવદમાં સુંદરીમાતા, ઉપલેટા પાસે ખત્રીઓની કુળદેવી માત્રીમાતા, ભાવનગર પાસે ખોડિયારમાતા, આબુમાં અર્બુદામાતા, નર્મદાતીરે અનસૂયામાતા, અરણેજમાં બુટમાતા વગેરે જાણીતાં શાક્તપીઠે છે. આ સર્વેમાં આરાસુરનું અંબાજીનું, પાવાગઢમાં કાલિકાનું અને શંખલપુરનું બહુચરાજીનું મંદિર ખૂબ જાણીતાં છે. આરાસુરનું અંબાજીનું મંદિર :
આરાસુરનું અંબાજીનું મંદિર ભૂતપૂર્વ દાંત રાજ્યના અધિકાર નીચે હતું. દાંતાના રાજવીઓ પિતાને અંબાજીના ભક્ત માને છે. આ સ્થળ સાથે ગુજરાતના વડનગરા, સાઠોદરા વગેરે નાગર બ્રાહ્મણે સંકળાયેલ છે. તેઓ આ સ્થાનને પરંપરાથી વહીવટ કરે છે. આ સ્થળે કાર્તિક, માર્ગશીર્ષ અને ભાદ્રપદ માસની