________________
૨૭
ૌષ્ણવ સંપ્રદાય ડાકોર :
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું ડાકોર એ વૈષ્ણવ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ તીર્થધામ છે. અહીં રણછોડજીનું વિશાળ મંદિર આવેલું છે. દ્વારકાધીશની જેમ અહીં પણ પ્રતિમા ચતુર્ભુજ ત્રિવિક્રમ સ્વરૂપના વિષ્ણુ ભગવાનની છે. તેને દ્વારકાથી ભક્ત બોડાણું લાવ્યા તેવી અનુશ્રુતિ પ્રચલિત છે. આ મૂર્તિ લાવતાં કાબાઓના હાથે બોડાણાને વધ થયા હતા.
હાલનું મંદિર પેશ્વાના શરાફ ગોપાળ જગનાથ તાંબેકરે ઈ.સ. ૧૭૭૨માં દક્ષિણની સ્થાપત્ય શૈલીના આધારે બંધાવ્યું. અહીંનું મંદિર સર્વને માટે ખુહલું છે. અહીં દર આસો અને કારતક સુદ પૂર્ણિમાએ મેળો ભરાય છે. સામાન્ય દિવસોમાં પૂર્ણિમાએ અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ગુજરાતની કેટલીક નોંધપાત્ર વિષ્ણુની પ્રતિમાઓ
વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્યદેવ વિષ્ણુ મનાય છે. વિષ્ણુ એટલે હિંદુઓના અગ્રગણ્ય દેવ, જગતનું પાલન કરનારા, વિશ્વપાલક. ભારતીય સંસ્કૃતિમાં વિષ્ણુનાં ચોવીસ સ્વરૂપો અને એક હજાર નામ પ્રચલિત છે. ચોવીસ સ્વરૂપોની પ્રતિમા ઊભી છે. એમના કેઈ ભંગ નથી. ચારે હાથમાં આયુધો છે. માથે કિરીટ મુકુટ ધારણ કરેલા હોય છે. આયુધમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા, પદ્મ જણાય છે. વિષ્ણુની પ્રતિમાના ચાર હાથમાં જુદાં જુદાં આયુધો ધારણ કરાવીને જુદાં જુદાં
સ્વરૂપે પ્રયોજાય છે. રૂ૫મંડન નામના મૂર્તિશાસ્ત્રના ગ્રંથમાં આયુધાના જુદા જુદા ક્રમ પ્રમાણે વર્ગ પાડીને વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો જણાવેલ છે.
કેટલાક ગ્રંથમાં આયુધમાં છેડેક તફાવત જણાય છે, પણ રૂપમંડનની યાદી સંપૂર્ણ મનાય છે. એને ભેદ આયુધાદિ ક્રમ પ્રમાણે જણાવેલ છે. હાથોનાં આયુધોના ક્રમ બદલાતાં વિષ્ણુનું સ્વરૂપ બદલાય છે. વિષ્ણુની વિશિષ્ટ પ્રતિમાઓ : | ગુજરાતમાંથી સામાન્ય રીતે વિષ્ણુનાં બધાં જ સ્વરૂપોની પ્રતિમાઓ જુદે જુદે ઠેકાણેથી મળે છે. દા.ત., અનાવડા (પાટણ પાસે,) નારાયણ સરોવર-કરછ અચલેશ્વર મહાદેવ (આબુ), પાટણ વગેરે સ્થળોએ વિષ્ણુની કેટલીક નોંધપાત્ર પ્રતિમાઓ જોવા મળે છે. (૧) ત્રિવિક્રમ (શામળાજી) :
વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની એક માનવકદની ભવ્ય પ્રતિમા પંદરમી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલ શામળાજીમાં દેવગદાધરના મંદિરમાં છે. આ પ્રતિમા ચતુર્ભુજ