________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય દક્ષિણામૂર્તિ સ્વરૂપ
આ યોગ અભ્યાસી અને મેક્ષ માર્ગનું સાચું સ્વરૂપ છે. તેના ચાર પ્રકાર છેઃ યેગાસન, વીણાધર,જ્ઞાનમૂર્તિ, વ્યાખ્યાનમૂર્તિ. આ સ્વરૂપની પ્રતિમા ચાણોદ અને પાટણમાંથી મળે છે. વ્યાખ્યાન મૂર્તિની પ્રતિમા પાવાગઢના લકુલીશના મંદિરમાં આવેલ છે. લકુલીશઃ
શિવનું આ સ્વરૂપ ઘણું પ્રાચીન છે. તેની એક પ્રતિમા કાયાવરોહણ તીર્થમાંથી મળેલી તે હાલ વડોદરા મ્યુઝિયમમાં છે. પ્રતિમા દ્વિભુજ છે. બીજી એક પ્રતિમા ગામમાં લકુલેશ્વરના મંદિરમાં છે, તથા બીજી એક હાલમાં નવા બંધાયેલા મંદિરમાં છે. આ ઉપરાંત બીજી બે પ્રતિમાઓ, પાવાગઢના લકુલીશના મંદિરમાં જોવા મળે છે. પ્રતિમા ચતુર્ભુજ છે. એક પ્રતિમા ભરૂચ પાસેના કાવિ ગામમાં છે. પ્રતિમા સુંદર છે.
ખંભાતની પાસે આવેલ મેનપુર ગામના હરિહર મહાદેવમાંથી શિવના લકુલીશ સ્વરૂપની એક સેવ્ય પ્રતિમા મળેલ છે. લિંગ ઉપર લકુલીશની પદ્માસનસ્થ પ્રતિમા કંડારેલ છે. અર્ધનારીશ્વરઃ
આ શિવશક્તિનું સંજિત સ્વરૂપ છે. ઉમા-મહેશનું એક સ્વરૂપ છે. આ સ્વરૂપની પ્રતિમા રોડાના શિવમંદિરના સમૂહના નં. ૩ના શિવાલયના દ્વારશાખ ઉપર જોવા મળે છે. પ્રતિમા ચતુર્ભુજ છે. ઉપરના જમણા હાથમાં ત્રિશલ અને ડાબા હાથમાં દર્પણ છે બાકીના બે હાથમાં અક્ષસૂત્ર અને કમંડલ છે. ત્રિભંગ
અવસ્થામાં છે. આવી જ એક પ્રતિમા પાટણમાંથી મળેલ છે. હાલ એ પ્રિન્સ ઓફ વસ મ્યુઝિયમ મુંબઈમાં છે. તેને જમણો ભાગ પુરુષને અને ડાબો ભાગ સ્ત્રીને છે. આ એક સુંદર કાષ્ટ પ્રતિમા છે. નટરાજ :
નટરાજનાં સ્વતંત્ર મંદિરે ગુજરાતમાંથી મળતાં નથી. પણ તેની પ્રતિમાઓ કસરા, ગોરાદ, વીરતા, સિદ્ધપુર, પાટણ, પ્રભાસ પાટણ વગેરે સ્થળેથી મળે છે. હરિહર :
આ શિવ અને વિષ્ણુનું સંયુક્ત સ્વરૂપ છે. દક્ષિણ બાજુએ શિવ અને ડાબી બાજુએ વિષ્ણુ બતાવવામાં આવે છે. આ સ્વરૂપની એક પ્રતિમા વિસનગરમાંથી મળે છે.