________________
૪૪.
ગુજરાતના ધર્મ સંપ્રદાય
ઘણું જ લોકપ્રિય બન્યું હોય તેમ જણાય છે. આ સમયે રાધા અને કૃષ્ણની પ્રતિમા પૂજાતી હોવાના કઈ ઉલલેખો ઉપલબ્ધ નથી, પણ કૃષ્ણજીવનના પ્રસંગેનાં શિલ્પો, કાલીયમર્દન, ગોવર્ધન ધારણનાં શિલ્પો વગેરે, આબુ અને તેમનાથનાં મંદિરની છતમાંથી મળે છે. આ સમયનાં વિષણુ મંદિરમાં વિષ્ણુ અને કૃષ્ણ પ્રતિમાઓ સવિશેષ જોવા મળે છે. સારંગદેવ એ વિશિષ્ટ વૈષ્ણવ નામ છે. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર નજરે પડે છે. આ ઉપરાંત કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગોનાં શિલ્પ સેલંકીકાલનાં દેવાલમાં નજરે પડે છે. રાધાકૃષ્ણની લીલાનાં બહુસંખ્ય કવિત્વમય વર્ણને સમકાલીન સંસ્કૃત પ્રાકૃત અને અપ્રશંશ સાહિત્યમાં જોવા મળે છે. દ્વારકા આ સમયે મહત્વનું તીર્થધામ બન્યું હતું.
સલતનતકાલ :
ચૌદમા સૈકામાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં ચારે બાજુ અવ્યવસ્થા ફેલાઈ. ધાર્મિક અત્યાચારો વધ્યા. અનેક હિંદુમંદિરને નાશ થયે, તેમ છતાં વૈષ્ણવ ધર્મ તેની લોકપ્રિયતા ગુમાવી ન હતી.
વિ.સં. ૧૪૩ (ઈ.સ. ૧૩૮૧)ના ધમલજના વિષ્ણુ ગયા નામના તળાવ પાસેથી મળેલા લેખમાં વિષ્ણુની સ્તુતિથી આરંભ કરવામાં આવે છે.
ધંધુસર પાસેની હરિ વાવની વિ.સં. ૧૪૪૫(ઈ.સ. ૧૩૮૯)ની પ્રશસ્તિમાં જલશાયી વિષ્ણુની સ્તુતિથી આરંભ કરેલ છે.
વિ.સં. ૧૪૫૬(ઈ.સ. ૧૪૦૦)ના પાટડીમાંથી મળેલા એક લેખમાં એક કર્ણ રાજાને “હરિભક્તિ પરાયણ” કહ્યા છે. બીજા એક લેખમાં મંત્રીને વિષ્ણુભક્ત કહ્યો છે. જૂનાગઢને મહીપાલ દેવ વિષ્ણુપૂજન કરતો હતો તેવો ઉલ્લેખ છે. બીજા કેટલાક લેખોમાં “રણછોડજીની ચરણસેવાને પ્રસાદ”, સત્યશ્રી રણછોડ, જેવા ઉલ્લેખ મળે છે.
વિ.સં. ૧૪૬૯(ઈ.સ. ૧૪૧૩)માં સિંહારણ્ય મુનિએ રચેલ વિષ્ણુભક્તિ ચોદય નામના લેખની હસ્તપ્રત પાટણમાંથી મળી છે. તેમાં સામાન્ય પૌરાણિક વિષ્ણુભક્તિનું નિરૂપણ કરેલું છે.
અમદાવાદની ઉત્તરે આવેલી અડાલજની વાવના લેખમાં રાજા મોકલસિંહને ભાગવત પ્રધાન તરીકે ઓળખાવેલ છે. - મહુવાના લક્ષ્મીનારાયણના મંદિરમાંથી વિ. સં. ૧૫૮૦(ઈ.સ ૧૪૪૪)ના મળેલા લેખમાં એક શ્રેષ્ઠીએ વાવ કરાવી તેમાં લક્ષ્મી સહિત શેષશાયી વિષ્ણુની