________________
29)
વૈષ્ણવ સોંપ્રદાય
ભારતના ધાર્મિ ક ઇતિહાસ જોતાં જણાય છે કે ભારતમાં ભક્તિ માની પરંપરા, શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય એ બે મુખ્ય ધારાઓમાં ટકી રહી છે. ભારતમાં ભક્તિના ઉદય કયારથી થયા તે ચેાક્કસપણે કહી શકાતુ નથી. કેટલાક પશ્ચિમના વિદ્વાનાએ એવા મત વહેતા મૂકયો હતા કે ભારતમાં ભક્તિના પ્રચાર ખ્રિસ્તી ધર્મની અસર નીચે થયેા પણ જેમ જેમ આપણા શાસ્ત્ર ગ્ર થાના અભ્યાસ થયા, તેમ તેમ જાણવા મળ્યું છે કે ભક્તિનાં મૂળ વેદમાં રહેલાં હતાં. વળી, વેદકાલ પહેલાંની સૌંસ્કૃતિ હડપ્પા, મેાંહે-જો દડા, લેાથલ વગેરે સ્થળાએથી જે અવશેષ પ્રાપ્ત થયા છે, એ જોતાં કહી શકાય કે પ્રાચીનકાલમાં પ્રજામાં દેવપૂજા, પશુપૂજા, પ્રકૃતિપૂજા પ્રચારમાં હશે. કેટલાક વિદ્વાનેા ભક્તિના ઉદય લિ ંગપૂજા સાથે જોડી દે છે. પરંતુ ભક્તિનેા સંબંધ પ્રેમ સાથે છે. ભક્તિના સંબંધ મનુષ્યના હૃદય સાથે છે. દેવની પ્રાના પણ મનુષ્ય કેવળ ભયથી કરતેા નથી, પર ંતુ પ્રેમથી કરે છે. વૈદની સંહિતાઓમાં અગ્નિ, ઈન્દ્ર, વરુણુ, પૃથ્વી, અશ્વિને, મિત્ર, ઉષા વગેરે દેવદેવીઓને ઉદ્દેશીને કરાયેલી પ્રાર્થનાઓમાં આપણને ભારતીય ભક્તિનું પ્રથમ પગથિયું જોવા મળે છે.
વૈદની દેવષ્ટિમાં દેવના સંબંધ કુટુ ંબ ભાવથી જોડવામાં આવ્યે છે. દેવને પિતા, માતા, સખા, પતિ વગેરે કુટુ ખભાવથી ભજવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથામાં યજ્ઞની ભાવના દ્વારા દેશ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવામાં આવે છે. ઉપનિષદેશમાં ઈશ્વરની સગુણ અને નિર્ગુણ ભક્તિ જોવા મળે છે. શ્વેતાદ્વૈત ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઈશ્વરની ભક્તિ એ મનુષ્ય માટેનું મેાક્ષનું સાધન છે. ઉપનિષદ સાહિત્યમાં ભક્તિ શબ્દ શ્રદ્ધાના અમાં વધારે વપરાયેલે જોવા મળે છે. ભક્તિ શબ્દ “મન” ધાતુ સાથે સંબંધ ધરાવે છે. અને તેના અર્થ કાઈના આશ્રય લેવા એવા થાય છે. વિખ્યાત વ્યાકરણકાર પાણિની પેાતાના સૂત્રમાં ભક્તિના અર્થ આશ્રય લેવા’ને ચાહવુ” એવા કરે છે.' આમ, ભક્તિ શબ્દમાં આશ્રય અને પ્રેમ એ એ બાબત રહેલી છે.