________________
ગુજરાતના ધમ સંપ્રદાય આવ્યા હતા ત્યાં મઠાધિપતિ ગંડભાવબૃહસ્પતિએ તેમને મહંત બનાવ્યા. આ ત્રિપુરાન્તકે સોમનાથમાં પાંચ દેવાલય બંધાવ્યાં હતાં.
આમ, ઉપલબ્ધ અભિલેખ પરથી જાણવા મળે છે કે ગુજરાતમાં છેક સોલંકીકાલ સુધી પાશુપત સંપ્રદાય પ્રચલિત હતો. એટલું જ નહિ પણ શૈવ ધર્મનાં મહત્ત્વનાં તીર્થસ્થાનોના દેવાલયોમાં આ સંપ્રદાયના સાધુઓ સ્થાના ધિપતી તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. આ સંપ્રદાયની ચોક્કસ પ્રકારની વિંધિઓ હતી. આ સંપ્રદાયમાં “ચપલ” જેવાં જુદાં જુદાં ગાત્ર હતાં.
આજે તે ગુજરાતમાં પૌરાણિક શિવભક્તિ પ્રચલિત છે. ગુજરાતમાં ભાગ્યે જ કઈ ગામ એવું હશે કે જ્યાં ચોરામાં રામ અને કૃષ્ણની પૂજા તથા ગામની બહાર શિવની પૂજા થતી ન હોય. ઘણું સ્થળેએ શિવમંદિરે ગામ બહાર ફરવા જવાના કેન્દ્ર તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઘણા ગામોમાં શિવમંદિરે નદી કિનારે કે તળાવ કિનારે એકાંતમાં હોય છે. ઘણાં ગામોમાં તેની નજીક સ્મશાન જેવા મળે છે. અહીં જવાથી મનમાં શાંતિ થાય છે. ગુજરાતમાં નાથ સંપ્રદાયઃ
આ સંપ્રદાયના સાધુઓના નામાતે “નાથ” શબ્દ પ્રયોજાતો. તેઓ નાથસંપ્રદાયના નામે ઓળખાતા. નાથ એટલે અનાદિ ધર્મ. નાથ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીનકાળથી આ સંપ્રદાય “સિદ્ધમતાને નામે ઓળખાતા. તેથી તેના ગ્રંથ સિદ્ધાંત ગ્રંથ તરીકે ઓળખાય છે.
આ પંથના મૂળ ૯ આચાર્યો છેઃ (૧) ગોરક્ષનાથ, (૨) નાગાર્જુન, (૩) દત્તાત્રેય, (૪) જડભરત, (૫) મત્યેન્દ્રનાથ, (૬) જલ ધરનાથ, (૭) સહસ્ત્રાર્જુન, (૮) દેવદત્ત, અને (૯) આદિનાથ. આમાં ૧, ૫, ૬ અને ૯ નામ સામાન્ય છે. આ નામ તાંત્રિક સિદ્ધોમાં અને તિબેટની સિદ્ધ પરંપરામાં જાણીતાં છે.
નવ નામો, કાપાલિકાચાર્યો, જ્ઞાનનાથ સુધીના ગુરુસિદ્ધો અને વર્ણરત્નાકર ઉલ્લેખિત રાશીનાથ-સિધોની પરંપરા ગણુએ તો તેરમી સદીના અંત સુધીમાં લગભગ સો જેટલાં સિંધ્ધાનાં નામ ઉપલબ્ધ છે. | ગુજરાતમાં સોલંકીકાળ દરમ્યાન આ સંપ્રદાય વ્યાપક રીતે પ્રચલિત હતો. શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી મૂલરાજ ૧લાના સમયના કંથડી નામના આચાર્યને આ સંપ્રદાય સાથે સંબંધ હોવાનું માને છે. આ સિદ્ધ સરસ્વતીને કિનારે રહેતા હતા. મૂળરાજે આ કંથડનાથને પિતે બંધાવેલા ત્રિપુરુષપ્રાસાદના અધિપતિ બનવા