Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 12
________________ ભાષાન્તરકારને ઉપઘાત. વિલ્યમ એડવર્ડ હાઈપલ લેકીનું સ્થાન ઈતિહાસકાર તરીકે અંગ્રેજી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. અંગ્રેજી સાહિત્યના આપણું ગુર્જર વાચક વર્ગમાં પણ એ વિદ્વાનનાં પુસ્તકે હેસર વંચાય છે. આવા માન્ય લેખકોના મનનીય ગ્રંથે અનુવાદરૂપે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી ગુર્જર વાચકછંદ સમક્ષ મુકે છે તે સંસાઈટીના નેતાઓને ઘણું ભાસદ છે; કારણકે અમૂલ્ય ગ્રંથ બહાર પાડી ગુજરાતની ગ્રંથ-સમૃદ્ધિમાં સંગીન ઉમેરે તેઓ કરતા જાય છે, અને પછી કિંમતે તે ગ્રંથ આપી લોક વિચારને કેળવતા જાય છે, તેથી ગુજરાત તેમનો ઉપકાર એટલે માને તેટલે ઓછો છે. લેકીકૃત “જીવનને આદર્શ’ અને ‘યુરોપમાં બુદ્ધિ-સ્વાતંત્ર્યનો ઈતિહાસ” એ બે પુસ્તકે ગુજરાતના માન્ય વિદ્વાનોની પાસે લખાવી આ સંસ્થા ગુર્જર પ્રજા સમક્ષ ક્યારનાં મૂકી ચૂકી છે. અને આ “યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ લખવાની તક મને તેમણે આપી તે માટે હું તેમને સાનંદ ઉપકાર માનું છું. આ ગ્રંથ નીતિશાસ્ત્ર નથી, પણ નીતિના ઈતિહાસને છે એ વાત ગ્રંથ વાંચતાં વાંચનારને એની મેળે વિદિત થશે. લેકી પિતે કહે છે તે પ્રમાણે વિષય નો નથી પણ વિષયની વ્યવસ્થા નવી છે. ઈતિહાસને નીતિના વિકાસ ક્રમની દૃષ્ટિએ તપાસવાને ઉદેશ એણે રાખે છે. આ ક્રમ અને તેનું હાર્દ બહુ સુંદર શબ્દોમાં સ્પષ્ટ રીતે આ ગ્રંથમાં એણે કહ્યું છે. આખો ગ્રંથ બે ભાગમાં વહેં ચાલે છે. પ્રથમ ભાગમાં ત્રણ અને બીજા ભાગમાં બે પ્રકરણે એણે જ્યાં છે; ફૂલે પાંચ પ્રકરણે છે. તેમાં થી પ્રથમ પ્રકરણ અને ચોથું પ્રકરણ બહુ ઉપયોગી અને ઉપદેશાત્મક છે. પાંચમા પ્રકરણને વિષય ઘણે ગંભીર છે અને સમાજમાં ઘણું અગત્યનું સ્થાન એ ભોગવે છે. તેથી અનુવાદમાં પ્રથમ અને પાંચમાં પ્રકરણમાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 492