Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 11
________________ ભૂમિનું ઘણીવાર અને બહુ સારી રીતે સંશોધન થએલું છે. મારી ખુબી માત્ર એટલીજ છે કે આ હકીકતોને અમુક રીતે મેં ગોઠવી છે, અને તેમાં અમુક જાતનું તાત્પર્ય મેં રાખ્યું છે. જે જે ગ્રંથમાંથી મને મદદ મળી છે, તેમાંથી જે અગત્યના છે તેમને સ્વીકાર ગ્રંથમાં હું કરતો ગયો છું; પરંતુ ગ્રંથ મેટે થઈ જવાના ભયે બધી સહાયને સ્વીકાર કર્યો નથી, પણ વાંચનાર તે ક્ષમા કરશે એવી આશા છે. પરંતુ સ્વર્ગસ્થ ન મિલમેનનો ખાસ ઉપકાર માનવાની આ તક મારે જવા દેવી જોઈએ નહિ. એણે ઘણા ગ્રંથ લખ્યા છે; પરંતુ તેના જ્ઞાનની વિવિધતા અને વિશાળતા કેવી હતી તે એના નિકટ સંબંધમાં આવેલા એના મિત્રોજ જાણી શકયા છે. બુદ્ધિમાં શાંત, તેજસ્વી અને વિવેકી: વાતચિતમાં મારી અને આગલાને વાત અને વિવેકથી ખુશ કરનાર અને બુદ્ધિ અને વર્તન ની એકતાવાળો; એ અનુપમ હીરે એ હતે. એનામાં અનેક ગુણ હતા અને ઈતિહાસકાર થવા માટે એ તદ્દન યોગ્ય હતો. અને તેણે ધર્મને જે ઈતિહાસ લખ્યો છે તેમાંથી મને ઘણી કિંમતી મદદ મળી છે, જો કે કવચિત મારા વિચાર તેનાથી જૂદા પણ પડયા છે. જુદાં જુદાં માણસો જુદી જુદી દલીલથી આ પુસ્તકની વિરૂદ્ધ ટીકા કરશે એ વાત હું સારી રીતે સમજુ છું. ઈંગ્લાંડમાં અત્યારે જે નીતિને, સિદ્ધાંત જેરમાં પ્રચલિત છે તેની બહુ સામે આ ગ્રંથ જાય છે, અને તેમાં આવશે નહિ. વળી જે વિષય એમાં ચર્ચા છે તેમાં અવશ્ય કરીને એવા પ્રો આવી જાય છે કે જેને અડકવું એક અંગ્રેજ લેખકને અત્યંત મુશ્કેલ થઈ પડે છે, અને ઇતિહાસના જે ભાગની સાથે એ સંબંધ ધરાવે છે તે ભાગ ઘણીજ ગેરસમજ અને રાગદ્વેષથી ભરપૂર છે. પણ તેમાં વિવેકી નિષ્પક્ષપાતતા સાવવાનો પ્રયાસ મેં કર્યો છે, અને હું આશા રાખું છું કે આ ગ્રંથ, ગમે તેવી પૂર્ણ થતાં, મારા વિચારને કેવળ નિરૂપોગી નહિ લાગે, લંડન, માર્ચ 1869.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 492