________________
Doe Un
એક વખતે * ઉજમફઈની ધર્મશાળા માં પૂ. ગચ્છાધિપતિની પાસે સિદ્ધગિરિ મહાતીર્થની છ ગાઉની યાત્રા કરી માલવા પ્રદેશના રતલામ-ઉજજન-ઇંદેરના અગ્રગણ્ય શ્રાવકો મોટા જુથમાં વંદનાથે આવ્યા અને સુખશાતા પૂછી નીચે મુજબના ભાવાર્થની વિનંતી કરી કે
સાહેબ ! દેશ મનહર માળો ! શ્રી ળ રાસમાં પૂ. શ્રી વિનય વિ. મ.એ જેના ગુણ ગાયા છે–પરદુ: ખભંજન વિક્રમાદિત્યના નામથી જે માળવા પ્રખ્યાત છે, “જે માળવાને માનું પેટ' કહેવાય છે, ત્યાંના જેને ને રવેગી- સાધુના દર્શને જ થતાં નથી! પાખંડીઓ ચિત્ર-વિચિત્ર દલીલથી મુગ્ધજનતાને ધર્મમાર્ગથી વિમુખ બનાવી રહ્યા છે. સાહેબ! કૃપા કરો! કો'ક સારા વ્યાખ્યાતા અને શાસનની પ્રભાવના તેમજ ધર્મને ઉઘાત કરી શકે તેવા મહાત્માને અમારે ત્યાં મોકલો ! ઘણા વર્ષના. ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ! અહી તે આપની છત્રછાયામાં ધર્મપ્રેમી લોકો પાંચ પફવાન જમી રહ્યા છે પણ અમને તો રોટલો શાક હશે તે યે ચાલશે! જરા કૃપા કરો !!! " - પૂ. ગચ્છાધિપતિએ માલવાના શ્રીસંઘના આગેવાનોની વાત સાંભળી કહ્યું કે “પુણ્યવાન! વાત સાચી છે! શું કર ! મારી કાયા હવે બહુ કામ આપે તેમ નથી! અમારી ફરજ છે કે આવા પ્રદેશોમાં વિચરી પ્રભુ-શાસનની જાણકારી લોકોને થાય તેમ કરવું જોઈએ ! તમારી વાત પર જરૂર વિચાર કરીશ! તમે કાલે મળજો! ”
પુ. ગચ્છાધિપતિના મીઠા-કમળ આશ્વાસનથી માલવાના ધુરંધર–શ્રાવકે ઉત્સાહી બન્યા. બીજે દિવસે બપેરે ત્રણ પછી આવવાનું કહી વિદાય થય'.
૫. ગાધિપતિએ સાંજના પ્રતિક્રમણ પછી બધા સાધુઓને ભેગા કરી વાત મુકી કે–
“મહાનુભાવો ! સ્વ-કલ્યાણની ભૂમિકા સાથે પર-કલ્યાણની ફરજ ગુંથાયેલી છે ! મળવા જેવા પ્રદેશમાં સવેગી સાધુઓને પરિચય ઘટવાથી હુંઢકો, તેરાપંથીઓ, ત્રણ થઈવાળા, ખરતર ગચ્છવાળા આદિ શાસનબાહ્ય લેકે પદડે જમાવી રહ્યા છે, તે બાજુ વિચારવા જેવું છે, છે કોઈની ઈચ્છા ? તે બાજુ જવાની !
સધળા સાધુઓ એક અવાજે બોલ્યા કે “સાહેબ! અમારે તો આપની આજ્ઞા પ્રમાણ છે ! આપને ઠીક લાગે તેમને આપ આજ્ઞા કરો ! યથાશક્તિ આપની આજ્ઞાને અમલમાં મુકવા અમે સહુ તૈયાર છીએ !!! - પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંતુષ્ટ સ્વરે કહ્યું કે-“વાહ! વાહ! ધન્ય છે તમારી નિષ્ઠાને ! ઠીક છે ! હાલ તે તમે બધા જાઓ ! વિચારીને કહીશ !”
*નગરશેઠ હેમાભાઈનાં બહેન શ્રી ઉજમબાઈ એ વિ. સં. ૧૯૨૮ નૂતનવર્ષ પુ. શ્રી મૂલચંદજી મની દેશનાથી પ્રભાવિત બની પિતાને રહેવાનું ઘર, હવેલી સકલ શ્રી સંઘને ધર્મધ્યાન કરવા ધાર્મિકસ્થાનઉપાશ્રય તરીકે શ્રીસંઘને અર્પણ કરવાની મંગળ જાહેરાત કરી.
આ મંગળ ભાવનાની પૂર્તિ અથે પુ. શ્રી મૂલચંદજી મને સપરિવાર નવા વર્ષનું માંગલિક અને શ્રી ગૌતમસ્વામિજી-રાસ સંભળાવવા આગ્રહભેર વિનંતિ કરી પોતાના ઘરના આંગણે સકલ શ્રી સંઘને આમંત્રેલ અને સેનામહેરની પ્રભાવના કરેલ.
આજે પણ આ ધર્મસ્થાન રતનપોળમાં વાઘણપોળમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે પુ. શ્રી મૂલચંદજી મ.ની ગાદી તરીકે કહેવાતું સકળ શ્રી સંઘને ધર્મક્રિયાનું મહત્વનું કેન્દ્ર છે.