SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Doe Un એક વખતે * ઉજમફઈની ધર્મશાળા માં પૂ. ગચ્છાધિપતિની પાસે સિદ્ધગિરિ મહાતીર્થની છ ગાઉની યાત્રા કરી માલવા પ્રદેશના રતલામ-ઉજજન-ઇંદેરના અગ્રગણ્ય શ્રાવકો મોટા જુથમાં વંદનાથે આવ્યા અને સુખશાતા પૂછી નીચે મુજબના ભાવાર્થની વિનંતી કરી કે સાહેબ ! દેશ મનહર માળો ! શ્રી ળ રાસમાં પૂ. શ્રી વિનય વિ. મ.એ જેના ગુણ ગાયા છે–પરદુ: ખભંજન વિક્રમાદિત્યના નામથી જે માળવા પ્રખ્યાત છે, “જે માળવાને માનું પેટ' કહેવાય છે, ત્યાંના જેને ને રવેગી- સાધુના દર્શને જ થતાં નથી! પાખંડીઓ ચિત્ર-વિચિત્ર દલીલથી મુગ્ધજનતાને ધર્મમાર્ગથી વિમુખ બનાવી રહ્યા છે. સાહેબ! કૃપા કરો! કો'ક સારા વ્યાખ્યાતા અને શાસનની પ્રભાવના તેમજ ધર્મને ઉઘાત કરી શકે તેવા મહાત્માને અમારે ત્યાં મોકલો ! ઘણા વર્ષના. ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ! અહી તે આપની છત્રછાયામાં ધર્મપ્રેમી લોકો પાંચ પફવાન જમી રહ્યા છે પણ અમને તો રોટલો શાક હશે તે યે ચાલશે! જરા કૃપા કરો !!! " - પૂ. ગચ્છાધિપતિએ માલવાના શ્રીસંઘના આગેવાનોની વાત સાંભળી કહ્યું કે “પુણ્યવાન! વાત સાચી છે! શું કર ! મારી કાયા હવે બહુ કામ આપે તેમ નથી! અમારી ફરજ છે કે આવા પ્રદેશોમાં વિચરી પ્રભુ-શાસનની જાણકારી લોકોને થાય તેમ કરવું જોઈએ ! તમારી વાત પર જરૂર વિચાર કરીશ! તમે કાલે મળજો! ” પુ. ગચ્છાધિપતિના મીઠા-કમળ આશ્વાસનથી માલવાના ધુરંધર–શ્રાવકે ઉત્સાહી બન્યા. બીજે દિવસે બપેરે ત્રણ પછી આવવાનું કહી વિદાય થય'. ૫. ગાધિપતિએ સાંજના પ્રતિક્રમણ પછી બધા સાધુઓને ભેગા કરી વાત મુકી કે– “મહાનુભાવો ! સ્વ-કલ્યાણની ભૂમિકા સાથે પર-કલ્યાણની ફરજ ગુંથાયેલી છે ! મળવા જેવા પ્રદેશમાં સવેગી સાધુઓને પરિચય ઘટવાથી હુંઢકો, તેરાપંથીઓ, ત્રણ થઈવાળા, ખરતર ગચ્છવાળા આદિ શાસનબાહ્ય લેકે પદડે જમાવી રહ્યા છે, તે બાજુ વિચારવા જેવું છે, છે કોઈની ઈચ્છા ? તે બાજુ જવાની ! સધળા સાધુઓ એક અવાજે બોલ્યા કે “સાહેબ! અમારે તો આપની આજ્ઞા પ્રમાણ છે ! આપને ઠીક લાગે તેમને આપ આજ્ઞા કરો ! યથાશક્તિ આપની આજ્ઞાને અમલમાં મુકવા અમે સહુ તૈયાર છીએ !!! - પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંતુષ્ટ સ્વરે કહ્યું કે-“વાહ! વાહ! ધન્ય છે તમારી નિષ્ઠાને ! ઠીક છે ! હાલ તે તમે બધા જાઓ ! વિચારીને કહીશ !” *નગરશેઠ હેમાભાઈનાં બહેન શ્રી ઉજમબાઈ એ વિ. સં. ૧૯૨૮ નૂતનવર્ષ પુ. શ્રી મૂલચંદજી મની દેશનાથી પ્રભાવિત બની પિતાને રહેવાનું ઘર, હવેલી સકલ શ્રી સંઘને ધર્મધ્યાન કરવા ધાર્મિકસ્થાનઉપાશ્રય તરીકે શ્રીસંઘને અર્પણ કરવાની મંગળ જાહેરાત કરી. આ મંગળ ભાવનાની પૂર્તિ અથે પુ. શ્રી મૂલચંદજી મને સપરિવાર નવા વર્ષનું માંગલિક અને શ્રી ગૌતમસ્વામિજી-રાસ સંભળાવવા આગ્રહભેર વિનંતિ કરી પોતાના ઘરના આંગણે સકલ શ્રી સંઘને આમંત્રેલ અને સેનામહેરની પ્રભાવના કરેલ. આજે પણ આ ધર્મસ્થાન રતનપોળમાં વાઘણપોળમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે પુ. શ્રી મૂલચંદજી મ.ની ગાદી તરીકે કહેવાતું સકળ શ્રી સંઘને ધર્મક્રિયાનું મહત્વનું કેન્દ્ર છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy