SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ SESUUTEELCAS કે ' દ * વાડીવાર પૈડા પીતાના સમુકાયનું કામકાજ બરાબર સંભાળનાર પૂ. મુનિયા મેંગલવિજયજી મ ૫. શ્રી ચંદનવિજયજી મ. તથા પૂ. શ્રી નેમવિજયજી મ. ને બેલાવ્યા. ૫ ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે “માલવાના સંઘની વાતને શું જવાબ આપશું? તેઓ કાલે બપોરે આવશે !” સાધુઓએ કહ્યું કે- “વાત બરાબર છે તમારી! પણ સાંભળવા પ્રમાણે હાલ મળવામાં ત્રણ થેયને નો પંથ કાઢનાર આ શ્રી રાજેન્દ્રસૂરિ પ્રભાવ ઘણે છે. એટલે માત્ર વ્યાખ્યાન આપે કે પ્રતિક્રમણ કરાવે કે ધર્મક્રિયા કરાવે તેવા સાધુને ત્યાં મોકલવાનો અર્થ નથી, પણ શાસ્ત્રીય રીતે રમૈનાત્મક શૈલથી શાસ્ત્રીય પ્રરૂપણાં એવી શૈલીથી કરે કે જેથી પાખંડીઓના બધા કુતર્કો શમી જાય. કદાચ જરૂર પડે તો શાસ્ત્રાર્થ– ચર્ચા-વાદવિવાદમાં પણ જિનશાસનનો ડંકે વગાડે એવાને ત્યાં મોકલવા જરૂરી છે. પૂ. નેમવિજયજી મ. કહ્યું કે સાહેબ! તેવા તે આ મંગલ વિ. મ, અને મુનિશ્રી રાજવિજયજી મ. તથા મુનિશ્રી ઋદ્ધિવિજયજી મ. આપણું સમુદાયમાં છે. ૫. ચંદન વિ. મ. બોલ્યા કે વાત તે બરાબર છે ! પણ આ બધા અવસ્થાવાળા,માલવા જેવા દૂર દેશમાં જ શક્તિશાળી અને નવજુવાન કોઈ જાય તો ઠીક રહે! પૂ. શ્રી મંગલવિજયજી મ. એ કહ્યું કે “સાહે! બધી વાત સાચી! પણ આપની નિશ્રામાં આગમિક જ્ઞાન અને સંયમની તાલિમ મળે છે, એટલે સાહજિક ગુરૂ-ભક્તિથી આટલે દૂર કાઈ જવા તૈયાર નહીં થાય. આપ આજ્ઞા કરશે તે કઈ ના નહીં કહે, પણ અંતરથી મન કે ચવાશે. પૂ. શ્રી નેમવિજયજી મ તથા પૂ. શ્રી ચંદનવિજયજી મ. બને બોલ્યા કે “હા ! એ વાત સાચી સાહેબ! મધુર નિશ્રાને લાભ જતો કરી આઘે વિહરવાનું તે કોઈ ઈચ્છે જ નહીં !' પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે- પુણ્યવાન છે તમે બધા! કે આવી વિવેકબુદ્ધિ તમારામાં છે, પણ વ્યક્તિ કરતાં શાસન મેટી ચીજ છે. મારી નિશ્રાનો લાભ સામે જોવા કરતાં શાસનના હિતનો વિચાર વધુ કર જોઈએ. તેમ છતાં તમારી લાગણીઓની અવગણના કરવા માગતું નથી ! મને એમ લાગે છે કેઝવેરસાગરજીને પૂછી જોઈએ તો ! ત્રણે જણાએ કહ્યું કે- હા ! સાહેબ! બરાબર છે! યુવાન છે. ભગીગણી હાલમાં તૌયાર થયા છે. વ્યાખ્યાન-શૈલિ સારી છે, વાદવિવાદમાં કંઈનાથી ગાંજ્યા જાય તેમ નથી. તેમજ શાસનનાં આવાં કામેની ધગશ ઘણી છે !!!” પૂ. ગચ્છાધિપતિએ પોતાના સમુદાયના નાયકના વિચાર લઈ પોતાની પસંદગીને આ રીતે સર્વ માન્ય કરવાની શાસ્ત્રીય શૈલિ અદા કરી. સવારે દેરાસર દર્શન કરીને આવ્યા પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને વંદન કરવા આવેલ ઝવેરસાગરજી મને પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ભાઈ ! જરા બેસ! મારે એક વાત કરવી છે ! - પૂજ્યશ્રી તે રાજી રાજી થઈ ગયા કે-“મારા સૌભાગ્યનો ચાંદ બઢતી કળાએ ઉગ્યો કે પૂ. ગચ્છાધિપતિ જેવા મહાપુરૂષ મને કંઈક કહેવા માંગે છે !” *
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy