________________
SUDTEELCRA
તે વખતે સંઘના આગેવાનોએ પૂજયશ્રીને ચાતુર્માસની વિનંતી કરી, ઉદયપુરના કેટલાક જીર્ણ થયેલ દહેરાસરના જીર્ણોદ્ધાર અંગે મંગળ પ્રેરણા તેમજ પુનિત-માર્ગદર્શનની ખાસ જરૂર પર ભાર દઈ શ્રીસંઘે પૂજ્યશ્રીના ચાતુમાંસની જય બોલાવી દીધી.
પૂજ્યશ્રીએ પણ નૂતન દીક્ષિતેના બાકીના પેગ તથા સાત આંબેલ વગેરે કરાવવામાં જેઠ સુદ પૂરી થઈ જાય, પછી આનક્ષત્ર નજીક હાઈ વરસાદના કારણે વિહારમાં વિરાધના વધુ થાય, તેમ સમજી સંઘની વાતને વધાવી લીધી.
પૂ પં. ભાગ્ય વિજયજી મ.ને પણ શ્રીસંઘે સ્થિરતા-ચોમાસા માટે ઘણો આગ્રહ કર્યો, છતાં ઘારાવ શ્રીસંઘના મહત્ત્વના કાર્યો અંગે ચોમાસું લગભગ નક્કી થયેલ હોઈ વૈ.વ. ૧૦ વિહાર કરી પાછા ઘાણેરાવ તરફ પધાર્યા.
આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૯૪૦નું છઠું માસું સંજોગવશ ઉદયપુર થયું.
ચોમાસા દરમ્યાન શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ અને શ્રી પરિશિષ્ટપર્વનું વ્યાખ્યાનમાં વાંચન થયું. પ્રસંગે–પ્રસંગે શ્રાવક-જીવનમાં વિરતિધર્મની મહત્તા સમજાવવાના આશયથી દ્રવ્ય-સ્તવની વિધિપૂર્વક કરણીયતા અંગે ખૂબ પ્રકાશ પાથરવામાં આવે.
ચેમાસા દરમ્યાન ચૌગાનના દહેરાસરમાં અવ્યવસ્થા આદિથી થઈ રહેલ આશાતના ટાળી બંધારણીય-વ્યવસ્થામાં રહેલ ઢીલાશ દૂર કરી પ્રભુજીના ચક્ષુ-ટીકા-આભૂષણે અને પૂજાસામગ્રીમાં ઘટિત યોગ્ય ફેરફાર કરાવી શ્રાવકોને પિતાના કર્તવ્યમાં દઢ કર્યા.
ચોમાસામાં કપડવંજથી પૂ. ચરિત્રનાયકશ્રીના પિતા શ્રી મગનભાઈના પત્ર અવારનવાર આવતા, તેમાં તેઓએ દીક્ષા માટેની તમન્ના વધુ પ્રબળ વ્યક્ત કરેલ, સાથે સાથે સંસારીઅવની ભયાનકતાની ગૂંચમાથી છૂટવાની દોરવણ તેઓએ વારંવાર માંગેલ.
આ મહિને પત્ર દ્વારા પૂજ્યશ્રીને પિતાને સંસારથી બહાર કાઢવા કેટલીક વ્યવહારૂબાબતેનો ગૂંચ ઉકેલવા કપડવંજ પધારવા આગ્રહભરી ધિનંતિ કરેલ.
આ અરસામાં કપડવંજના ભાઈશ્રી ચીમનલાલને વશ-સ્થાનક તપ-નવપદ–તપ અને જ્ઞાનપંચમી તપની સમાપ્તિ પ્રસંગે ઉજમણું કરવાના મનોરથ જાગ્યા.
ચીમનભાઈએ ધર્મક્રિયામાં સતત સાથે રહેનારા મગનભાઈ (પૂ. ચરિત્રનાયકના પિતાજી) ને પ્રાસંગિક વાત કરી કે–
મારે આવી ભાવના છે ! શું કરવું? કયા મહારાજને બોલાવવા? તમે વધુ જાણકાર છે! સાધુઓના પરિચિત પણ વધુ છો માટે કંઈક યોગ્ય માર્ગદર્શન આપો”