________________
SESUDUTEURS
કાર્તિક પૂર્ણિમાએ સિદ્ધાચલજીના પટની યાત્રા કરી પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો. ઝવેરચંદને પૂ. ગુરૂદેવ સાથે વિહારમાં રહેવા ભાવના હતી. પણ તેમ કરવામાં પિતાને કારતક વદમાં અમદાવાદ પહોંચી દીક્ષા આપવામાં કુટુંબીઓ નાહક મહારાજને કરો ઉપાડી ગયાને આક્ષેપ કરી વાતાવરણ ડેબે–તેથી ગુરૂ આજ્ઞા તહત્તિ કરી ભારે હૈયે ઝવેરચંદભાઈ ઘરે પાછા આવ્યા. અને કેદખાનામાં રહેલો કેદી જેમ દિવસે ગણે તેમ કારતક વદના દશ દિવસો દશ યુગ જેવા પરાણે પસાર કર્યા છે
પૂ. ગુરૂદેવશ્રીની સૂચના પ્રમાણે કા. વ. ૧૧ સેમવારે સૂર્યોદય વખતના મંગળકારીવિજય મુહુતે સાત નવકાર ગણી ઘરેથી નિકળી મેટા દહેરાસરે સ્નાન કરી શ્રી મનરંગા–પાશ્વનાથ પ્રભુની અને શ્રીસુમતિનાથ–પ્રભુની વાસક્ષેપ પૂજા કરી ૧ બાંધી માળા શ્રી નવકાર મહામંત્રની ગણું અમૃત ચોઘડીયામાં ૨૧ નવકાર ગણી મહેસાણાથી પ્રસ્થાન કરી ગ્ય સાધન દ્વારા કા. વદ ૧૩ બુધવારના બીજા અમૃત ચેઘડીએ રાજનગર-અમદાવાદમાં ઝવેરીવાડ, સૂરજમલ શેઠના ડેલામાં બિરાજમાન પૂ. શ્રી ગૌતમસાગરજી મ.ના ચરણમાં ઉમંગભેર પહોંચી ગયા.
પૂ. મહારાજશ્રીએ પણ ચઢતે—રંગે સંયમની ભાવનામાં ઓતપ્રોત બનેલ ઝવેરચંદને ગ્ય આશીર્વાદ વાસક્ષેપ દ્વારા આપ્યા. ઝવેરચંદભાઈએ વદ ૧૪ ને અહેરાત્રિ પૌષધ પૂ. ગુરૂ દેવશ્રી પાસે કર્યો.
પૌષધ દરમ્યાન બપોરે પૂ. ગુરૂદેવશ્રીને ઝવેરચંદે પોતાને વહેલામાં વહેલા ભાગવતી દીક્ષાનું પ્રદાન કરવા વિનંતિ કરી. પણ પૂ. મહારાજશ્રીએ કહ્યું કે
ભાઈ! દરેક કામ પદ્ધતિપૂર્વક કરવાથી પાછળ પસ્તાવું ન પડે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવનું પણ પ્રબળ નિમિત્તરૂપે કાર્યની સિદ્ધિમાં મહત્ત્વ છે.
અહીંના નગરશેઠ આપણી સાગર–પરંપરાના વફાદાર ભક્ત છે, તેમના કાને વાત નાંખ્યા સિવાય આવું મહત્વનું કામ શી રીતે થાય?!
હવે તું નિશ્ચિત રહે! કા. વ. ૧૦ થી તને સોળમું બેઠું છે હવે કાયદેસર તારા પર કુટુંબીજને કંઈ કરી શકે તેમ નથી! બાકી કુટુંબીઓ કદાચ આવી ધમાલ કરે કે મોહના ચેનચાળાનું પ્રદર્શન કરે છે તે પ્રસંગે ટકવું તે તારી મક્કમતાને આભારી છે. જે તું મેહના સંસ્કારને બરાબર જીતી ન શક્યો હોય તે સંયમ લઈને છેવટે મેહની કારમી જંજાળમાં ફસાઈ જાય !
માટે કદાચ કુટુંબીઓ આવે તે પણ ગભરાવું નહીં! અત્યારે વદ પક્ષ ચાલે છે. સુ. રના મંગળ દિને મુહૂર્ત જોઈને યોગ્ય દિવસ નક્કી કરી લઉં–પછી અહીંના આગેવાનોને વાત કરી જોઉં!
Jiટમો નારી