________________
૧૬૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ મૂકવા હોય તો ભગવંતના આઠ અંગ ઉપર આઠ પ્રકારનાં કર્મનાં નામોચ્ચારપૂર્વક તે તે કર્મોનાં અભાવની યાચના કરવી અને અંગ ઉપર પુષ્પ મૂકવા અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વનીમોક્ષની માંગણી કરતા નવમું પુષ્પ ચડાવવું.
પુષ્પના સંદર્ભમાં કોઈ શંકા કરે કે “માણસની આંગળી કાપવાથી તેને પીડા થાય છે. દુઃખ થાય છે, તેમ વૃક્ષનું અંગ પુષ્પ છે. એ પુષ્પને તોડવાથી વૃક્ષને પણ પીડા અને દુઃખ થાય તો એમ વૃક્ષને દુઃખ આપવાથી મહાદોષ લાગે છે. આથી પુષ્પનો ઉપયોગ જિનપૂજા માટે યોગ્ય નથી.”
આ શંકાનું સમાધાન કરતા ગુરુ ભગવંત કહે છે કે “માળી બાગમાંથી ફૂલ તેની આજીવિકા માટે ચૂંટે છે અને વિધિપૂર્વક પુષ્પ લાવે છે. કિંમત ચૂકવીને પુષ્પ લેવામાં શ્રાવકોને દોષ લાગતો નથી. કારણ કે તે જીવોની દયાના હેતુથી ખરીદવામાં આવે છે.
માળી પાસેથી ફૂલ ખરીદતાં શ્રાવક વિચારે છે કે – માળી પાસેથી હું ફૂલ નહિ લઉં તો તે મિથ્યાત્વી એ ફૂલોને હોમકુંડમાં હોમશે. એમ થશે તો હોમકુંડમાં પડતા જ ફૂલોના જીવ તુરત જ બળીને ખાખ થઈ જશે. માળી પાસેથી કોઈ વિલાસી કે વ્યભિચારી પણ ફૂલ ખરીદીને લઈ જશે, આવો માણસ તે ફૂલનો હાર કે ગુચ્છો બનાવશે અને તે હાર કે ફૂલ તે તેની કોઈ રખાત, વેશ્યા કે પરસ્ત્રીને આપશે. એમ પણ બને કે તે ફૂલોની શવ્યા કરે અને એ શયા ઉપર તે વિલાસમાં આળોટે અને કોઈ સ્ત્રીના કંઠમાં તે અંબોડામાં ફૂલને જોઈ શુભ ભાવના થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેથી અશુભ વિચારો આવતા પાપબંધ જ થવાનો છે.
આથી શ્રાવક આ સમયે વિચારે છે કે “માળી પાસેથી બીજો કોઈ ફૂલ લઈ જઈને અધર્મ આચરે તેના કરતાં એ ફૂલો ખરીદીને હું તેનો ધર્મ નિમિત્તે ઉપયોગ કરું તે જ ઠીક છે. બકરો કસાઈના હાથમાં જાય એ જોઈ રહેવામાં જે દોષ છે તે દોષ મને આ ફૂલ ન ખરીદવામાં લાગે છે. આથી ઉપેક્ષા કર્યા વિના મારે એ ફૂલ ખરીદી લેવા જોઈએ અને તેને જિનેશ્વર ભગવંતના અંગો પર ચડાવવા જોઈએ.”
આવી શુભ ભાવનાથી ફૂલ ખરીદી ત્રસ જીવ રહિત પુષ્પોનો અગાઉ બતાવેલ પ્રમાણે હાર બનાવીને પ્રભુના કંઠે પહેરાવવો જોઈએ. પ્રભુના કંઠે પડેલા હાર જોઈને વિકારો જાગ્રત થતા નથી. મલિન અને ગંદા વિચારો આવતાં નથી. તે સમયે તો એમ જ માનવું કે જેટલા સમયનું પુષ્પોએ આયુષ્ય બાંધ્યું હશે તેટલો સમય એ પુષ્પોનું છેદન, ભેદન, તોડન, વીંધન, મર્દન તેમજ સ્પર્શન વગેરે નહિ થવાથી એ જીવોને સુખની અનુભૂતિ થશે.
ફૂલોથી ભરેલી થાળી સાથે જિનેશ્વર ભગવંત પાસે જઈને શ્રાવક પ્રભુને પ્રાર્થના કરે કે “હે ભગવંત ! તમે ત્રણ જગતના હિતકારી છો. આ ફૂલોને હું હિંસકો પાસેથી છોડાવી લાવ્યો છું, આથી તમે તેમને અને મને અભય આપો.” આમ આ પ્રમાણે શુભ ભાવનાથી પુષ્પપૂજા કરવાથી કોઈ દોષ લાગતો નથી. અરિહંતે જે દેવોની પ્રશંસા કરી છે તે સમ્યકત્વધારી દેવો પણ જળ અને સ્થળના નીપજેલા ફૂલોથી જિનબિંબોની ભક્તિભાવથી પૂજા કરે છે.