________________
હ૧
ચતુર્થ ગુણવર્ણન. " न ग्राह्याणि न देयानि पंच वस्तूनि पंमितैः।
अग्निर्विषं तथा शस्त्रं, मद्यं मांसं च पञ्चमं ॥२॥" શબ્દાર્થ—અગ્નિ ખેર, શસ્ત્ર, મદિર અને પાંચમું માંસ એ પાંચ વસ્તુઓ પડિત પુરૂષએ કેઈને આપવી નહીં, અને ગ્રહણ પણ કરવી નહીં. ૨
તે કારણથી હું પ્રાણાતે પણ અગ્નિ નહીં જ આપું. વિમળના આવા વચને શ્રવણ કરી રાક્ષસનું રૂપ ધારણ કરનાર દેવ તેના પરાક્રમથી સંતુષ્ટ થયેલે પોતાના વાભાવિક રૂપને પ્રગટ કરી બોલ્યા કે, “હે વિમળ ! હારી પ્રશંસા વર્ગમાં ઈદ્ર મહારાજે કરી હતી કે, વિમળ જે કઈ બીજો પાપ ભીરૂ પુરૂષ જ નહીં તે કારણથી તમને ક્ષેભ પમાડવા મેં દેડકી વિગેરે કર્યું હતું પણ તમે ક્ષોભ પામ્યા નહીં. માટે તમે વરદાન માગે.” વિમળે વરદાન માગ્યું નહીં તે પણ તે દેવ વિષ હરનાર મણ આપી સ્વર્ગમાં ચાલ્યા ગયે. પછી વિમળ અને સહદેવ કનકપુરમાં ગયા. આ અરસામાં નગરને વિષે પડહો વાગતું હતું કે, “સર્પથી શેલા રાજપુત્રને જે કોઈ જીવાડશે તેને રાજા અડધું રાજ્ય આપશે.” એવું સાંભળી વિમળે નિષેધ કર્યો તે પણ સહદેવે પડહાને ગ્રહણ (સ્પર્શ) કરી મણિના પ્રભાવથી રાજકુમારનું વિષ ઉતારી દીધું. એટલે રાજાએ તેને અડધું રાજ્ય આપવા માંડ્યું ત્યારે તે કહેવા લાગે કે, “મહાર માટે ભાઈ વિમળ છે તેને આપ.” રાજાએ તેમ કર્યું પણ વિ. મળે અધિકરણના ભયથી રાજ્ય ગ્રહણ કર્યું નહીં તેથી રાજાએ સહદેવને અર્ધ રાજ્ય અને વિમળને શ્રેણી પદ આપ્યું. પછી અધિકારને પ્રાપ્ત કરી સર્વ ઠેકાણે ન્યાય પૂર્વક વર્તન કરતા અને પરોપકારમાં તત્પર એ વિમળ ધર્મ કરવા લાગે કહ્યું છે કે– "आज्ञा कीर्तिः पालनं धार्मिकाणां, दानं लोगो मित्रसंरक्षणं च। एषामेते षड्गुणा न प्रवृत्ताः, कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण॥३॥"
શબ્દાર્થ – આજ્ઞા, કીર્તિ, ધમપુરૂષનું પાલન, દાન, બેગ અને મિત્રનું શક્ષણ આ છે ગુણે જેના પ્રવર્તમાન થયા નથી તેમને રાજાના આશયથી શું પ્ર જન છે?” અર્થાત જેને રાજાને આશ્રય હેય તેણે આ કાર્યો અવશ્ય કરવાં જોઈએ.
સહદેવ તે રાજ્ય મેળવી લેકેને અત્યંત દુઃખ આપવા વિગેરે પાપને નિશકપણે કરવા લાગ્યું. વિમળ તેમ કરતાં અટકાવ કરતે હતા, પણ સહદેવે તેમ કરતાં વિરમે નહીં, કારણ કે, “ઉપદેશથી કેઈને સ્વભાવ ફેશ્વી શકાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org