________________
ત્રિશતગુણ વર્ણન.
પરંતુ કદી પણ પેાતાની પ્રતિજ્ઞાના ભગ કરતા નથી. !! ૨ ! વળી કહ્યું છે કે लज्जालुओ अकज्जं वज्जइ दूरेण जेण तणुअंपि । आयरइ सयायारं न मुयइ अंगीकयं कह वि ॥ ३ ॥
શબ્દાર્થ :--આ હેતુથી લજ્જાળુ પુરૂષ અતિ સ્વરૂપ અકાચના પણ દૂરથીજ ત્યાગ કરે છે, સદાચારનું પ્રતિપાલન કરે છે અને કાઇ પણ પ્રકારે અંગીકાર કરેલુ છેડતા નથી. ॥ ૩॥ તે માટે કહ્યું છે કે—
दूरे ता अन्नजणो अंगे च्चिय जाई पंच भूयाई । तेसिंपि य लज्जिज्जइ पारद्धं परिहरंतेहिं ॥ ४ ॥
૧૯૯
શબ્દા ——અન્ય પુરૂષથી શરમાવું તે। દૂર રહ્યું, પણ શરીરમાંજ જે પાંચ ભૃતા છે તેનાથી પણ પ્રારંભ કરેલાના ત્યાગ કરનાર લજ્જાળુ પુરૂષ લજ્જા પામે છે. ।। ૪ । જેમ શ્રીમાન્ આમ્બડ દેવને લજ્જા પ્રાપ્ત થઇ હતી તેનુ ઉદાહરણ નીચે બતાવ્યા પ્રમાણે છે.
અણહિલ્લપુર પાટણમાં સર્વ કાર્યોનો અવસર છે જેમાં એવી સભામાં બેઠેલા ચાલુક્ય ચક્રવત્તી શ્રીકુમારપાળ રાજાએ કાઈવખત કોંકુણુદેશના મટ્ટિકાજીનરાજાનું ભાટ દ્વારા કહેવાતુ ‘રાજપિતામહ ’ એવુ બીરૂદ સાંભળ્યુ અને તે સહન નહી થવાથી સભાને નિહાળતાં રાજના અંત:કરણને જાણનાર આંબડદેવ મંત્રિએ દેખાડેલા કરસ'પુટને જોઇ ચમત્કાર પામેલા રાજાએ સભાવિસર્જન કર્યાબાદ અંજલિખંધ કરવાનુ કારણ પુછતાં મત્રિએ વિજ્ઞપ્તિ કરી કે—આ સભામાં કાઇ તેવા પ્રકારનો સુભટ છે કે જેને મોકલી આ મિથ્યાભિમાની અને નૃપાભાસ રાજાનો ગર્વ ઉતારી શકીયે. એવા પ્રકારના તમારા આશયને જાણનાર અને તમારા હુકમને ઉડાવવા સમર્થ હોવાથી મેં અજલિબંધ કર્યા હતા. એવા પ્રકારની તેની વિજ્ઞપ્તિ સાંભળ્યા પછી તરતજ તે રાજા તરફ પ્રયાણ કરવા માટે સેનાને નાયક કરી અને પાંચઅંગને પહેરામણી આપી સમસ્ત સામતાની સાથે આમડદુંવને વિસર્જન કર્યા. પછી તે આંખડદેવ અવિચ્છિન્ન પ્રયાણ કરી કુકણુદેશને પ્રાપ્ત થઈ દુર પાણીના પૂરવાળી કામણી નામની નદીને ઉતરી સામેના કિનારા ઉપર પડાવ નાંખે છે અને હજુસુધી તે આંખડદેવ લડવાને સજ્જ થયા નથી. એમ વિચાર કરી મલ્લિકાર્જુ ને તેના ઉપર એકદમ ઓચિંતા હલ્લા લાવી તેના સૈન્યને નસાડી મુક્યું. મલ્લિકાર્જુનથી પરાભવ પામેલા શ્યામવદન, કાળાં વસ્ત્ર, કાળુ છત્ર, કાળા અલંકાર અને કાળા મુકટને ધારણ કરનાર તે આંખડદેવ નામના સેનાધિપતિ પાટણશહેરની નજીકમાં કૃષ્ણગૂઢશહેર નામના સ્થાન વિશે આવી રહ્યો. રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org