Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 261
________________ ય શ્રાદ્ધગુણ વિવરણુ વાળા, રંગ અને પ્રમાણ વિગેરેથી વર્ણન કરવા લાયક એવી જિનેશ્વરની પ્રતિમાએથી ભૂષિત, અત્યંત ઉંચા અને જગન્ના લેાકેાને આન ંદદાયક અષ્ટાપદ્ય અવતાર નામના એક પ્રાસાદ મનુષ્યાની યાત્રાસિદ્ધિ માટે રાજા પાસે કરાવ્યે. કાઇએક દ્વિવસે આકાશમાં વિહાર કરનારા ઉત્તમ ચારણુ સાધુએ તે અષ્ટાપદમાં દેવાને વંદન કરવાની ઇચ્છાવાળા નિચે ઉતર્યાં. પ્રાણીઓને હિત કરનારા તે મુનિયાને મ્હારા રાજાએ વિનયપૂર્વક નમસ્કાર કરી અવસર મળતાં હાથ જોડી પ્રશ્ન પૂછયા કે—હે મુનીશ્વર ! વિશ્વમાં હમેશાં ઉન્નતિ કરનારા અને પરોપકાર કરનારા કર્યા ઉત્તમ પુરૂષ કારણુ શિવાય રામશેખરના મંદિરમાં આશ્ચર્ય કરનારી અને આકાશ માગે ગમન કરવામાં અસાધારણ શક્તિને પ્રગટ કરનારી શુટિકા મને અર્પણ કરી. ’ આ પ્રશ્નના ઉત્તરમાં અતિ આશ્ચર્યકારક, આનંદજનક અને યથાર્થ એવું હું ભરતભૂપતિ! હારૂં ચરિત્ર મુનીશ્વરાએ કહી સંભળાવ્યું તે સત્કારપૂર્વક હમારા રાજાએ સાંભળીને હું રાજેંદ્ર ! ઝેરને દૂર કરનાર આ હાર આપને ભેટા તરીકે આનંદપૂર્વક મેાકલાળ્યા છે. તેથી હે જગન્ના પ્રાણીઓને આનંદ આપનાર ! હે મહારાજ ! પ્રસન્ન થઇ અમારા અનુગ્રહ માટે આ હારને ગ્રહણ કરો. ભરતરાજા તેનું વિનયયુક્ત વચન સાંભળી સભાની અંદર બહુ માનપૂર્વક આ પ્રમાણે એણ્યા કે-અહા ! તે રાજાની કૃતજ્ઞતા અહા ! તેની લેાકેાત્તર સ્થિતિ ! જે મ્હારા સ્વલ્પ પરાપકારને મેરૂપર્વતથી પણ મોટો માની તે ડાહ્યા અને શિષ્ટ શિરોમણિ રાજાએ મહિમાના સ્થાનભૂત આ હારને પોતે માકલાન્યા છે, પરંતુ જે પુરૂષ બીજાને ઉપકાર કરી તેના પ્રત્યકારની ઈચ્છા રાખે છે તે પુરૂષ ક્ષણવારમાં પાતાના આત્માને નિ:સત્ત્વ પુરૂષાની પક્તિમાં સ્થાપન કરે છે. તે માટે કહ્યું છે કે— इयमुच्चधियामलौकिकी महती काऽपि कठोरचित्तता । उपकृत्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशङ्कया ॥ १४ ॥ શબ્દાર્થ:—ઉન્નત બુદ્ધિવાળા પુરૂષાની આ ચિત્ત કઠારતા હેાટી અને કાંઇ વિલક્ષણજ જણાય છે કેમકે પાતે ઉપકાર કરી બીજાના પ્રત્યુષકારની શંકાથી દૂર થય જાય છે. અર્થાત્ મેં જેના ઉપર ઉપકાર કર્યા છે, તે પુરૂષ અને તેના બદલે આપી એવા ભયથી ફરીથી તેના સેમાગમમાં આવતા નથી. ॥ ૧૪ ॥ તે કારણથી હું ઉત્તમ પુરૂષ ! આ હારને હું ગ્રહણ નહી કરૂં. એ પ્રમાણે તેની સાથે સંભાષણ કરી અને સતાષ પમાડી તે પુરૂષને રાજાએ પાછા મેાકલ્યા. કાઇએક વખત અરિષ્ટપુરથી જે પુરૂષને ઉપાડી લાવ્યા હતા હતા તે પુરૂષને પોતે રાજાએ પુછ્યુ એટલે તેણે પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યુ તે આ પ્રમાણે છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282