________________
નવમ ગુણ વર્ણન.
ધર્માચાર્ય એ ત્રણ જણને બદલેા દુઃખે કરી વાળી શકાય છે. તેમાં કાઇ કુલીન પુરૂષ હંમેશાં પ્રાતઃકાળમાં માતા-પિતાના શરીરને શતપાક તથા સહસ્રપાક તેલથી મન કરી, સુગંધીવાળા ચૂર્ણ`થી ઉત્તન કરી, ગધેાદક, ઉષ્ણેાદક અને શીતેાદક એ ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવી, સર્વ અલકારાથી વિભૂષિત કરી, અઢાર પ્રકારના વ્યંજન (શાક દાળ) વિગેરે યુક્ત અને મનેાજ્ઞ તથા તપેલી વિગેરેમાં રાંધવાથી ખરેાબર પરિપક્વ થયેલું ભાજન જમાડી જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાપિતાને પેાતાની પીડ ઉપર ઉપાડીને કરે તો પણ માતાપિતાના પ્રત્યુપકાર થતા નથી, અર્થાત્ માતાપિતાના ઉપકારના બદલા વળતા નથી. વળી જો તે કુલીન પુરૂષ માતાપિતાને ધર્મ સભળાવી, ધના બેધ કરી અને ધર્મના ભેદે સમજાવી કેવળજ્ઞાનીના કથન કરેલા ધર્મમાં સ્થાપન કરે તેા માતાપિતાના ઉપકારને બદલે વળે. (સ્વામી સેવકના સબંધમાં પણ ઉપરની માફક યથાયેાગ્ય જાણી લેવુ' ).
વળી કાઇ સુગુણ પુરૂષ ઉત્તમ ગુણવાળા સાધુ અથવા શ્રાવક પાસેથી શાસ્ત્રાનુસાર ધર્મ સંબંધી ઉત્તમ વાય શ્રવણ કરી તથા મનથી ધારણ કરી આયુષ્ય સમાપ્ત થતાં મરણ પામી કાઇ પણ દેવલેાકમાં દેવ પણે ઉત્પન્ન થયા હેાય તે વખતે તે દેવ પોતાના ધર્માચાર્યને દુર્ભિક્ષ દેશથી સુભિક્ષ દેશમાં લાવીને મુકે, છાયા તથા જળ રહિત અરણ્યમાંથી સુપ્રદેશમાં લાવી મુકે, અને લાંબા કાળના વ્યાધિથી આકુળ વ્યાકુળ થયેલાને રાગ રિહત કરે તો પણ તેમના પ્રત્યુપકાર થતા નથી. પરંતુ જેતે સુગુણ પુરૂષ પાતાના ધર્માચાર્ય ને કેવળજ્ઞાનીના કથન કરેલા ધથી ભ્રષ્ટ થયેલા જોઇ વારંવાર ધર્મ સંભળાવી, ધર્મના બેધ કરાવી અને ધર્મના બીજા ભેદ સમજાવી કેવળ જ્ઞાનીના પ્રરૂપેલા ધર્મમાં સ્થાપન કરે તે ધર્માચાર્યના ઉપકારના બદલે સારી રીતે વળે છે. તેજ કારણથી ત્રિભુવન ગુરૂ અને કેવળજ્ઞાનદિવાકર શ્રીમન્ વીર વિભુ પોતાના બ્રાહ્મણ માતાપિતાને પ્રતિબંધ કરવા માટે બ્રાહ્મણકુંડ ગામના ઉપવનમાં પધાર્યા હતા. તે સાંભળી તેમને વંદન કરવા માટે દેવાનંદા અને ઋષભદત્તનું ત્યાં આગમન થયું હતું. તે અવસરે શ્રીમમહાવીર સ્વામીનુ` દર્શન થતાંજ દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી તે જોઇ ઇંદ્રાદ્ધિક દેવાની સભાની અંદર શ્રી ગૈાતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે, “ હે ભગવન્ ! આમ થવાનું શું કારણ હશે ? ” તેમણે જણાવ્યુ કે “ હું ગાતમ ! આ દેવાનંદા પ્રથમની મ્હારી માતા છે. ” શ્રી ગાતમસ્વામીએ બીજી વાર પૂછ્યું કે • હે ભગવન્ આ દેવાનંદા કેવી રીતે આપની માતા છે ? ” ભગવાને પેાતાનું દેવાનંદાના ગર્ભમાં આગમન અને ઇંદ્રના આદેશથી હરિગુગમેષ દેવે કરેલું ગર્ભનું હરણ વિગેરે પૂર્વના સર્વ વૃત્તાંત કહી સભળાવ્યા. તે સાંભળી તેમના માતાપિતાને પ્રતિબોધ થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે અગીયાર અંગનું પઠન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત
"6
૧૩
Jain Education International
૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org