________________
સંવરી પ્રતિક્રમણ વિધિ - ૨૧
એવા છે કે જે દિવસે સાંજની ક્રિયા ઘણી મોટી એટલે કે બે થી ત્રણ કલાક સુધીની હોય છે. આ ક્રિયા ઉપાશ્રયમાં કે ઘરમાં થઈ શકે છે. દહેરાસરમાં પ્રભુ સામે આ ક્રિયા કરવાની નથી હોતી, આ ક્રિયા ગૃહસ્થોને રોજના પહેરેલાં ચાલુ કપડાંથી નથી કરાતી. આ ક્રિયા માટે જંગલ-પેશાબ ગયા વિનાનાં નવાં અથવા ચોક્ખાં કપડાં પહેરવાનાં હોય છે. તેની સાથે બેસવા માટે જમીન ઉપર પાથરવાનું ગરમ કાપડનું આસન, મુખ પાસે રાખવાની ‘મુહપત્તી' અને ‘ચરવલો’ આ ત્રણ સાધનની અનિવાર્ય જરૂર પડે છે. જેને ઉપકરણો' કહેવાય છે. તે ઉપરાંત સાક્ષીરૂપ ગુરુજીની હાજરી સ્વરૂપ સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તકાદિ અને સાપડો આ બેની જરૂર પડે છે.
૧. આસન—એટલે જીવરક્ષા શુદ્ધિ વગેરે માટે ગરમ કપડાનું આસન. જે જમીન ઉપર બેસવા માટે વપરાય છે. જેને કટાસણું કહેવામાં આવે છે.
૨. મુહપત્તી—એટલે ૧૬ આંગળનું અમુક પદ્ધતિએ વાળેલું. સૂત્ર બોલતી વખતે મુખમાંથી નીકળતી હવા દ્વારા વાયુકાયના જીવને દુઃખ કે હિંસા ન થાય તે માટે મુખ આગળ રાખવાનું અને જીવદયા માટે શરીરની પણ પ્રમાર્જના (સાફસૂફી) કરવાનું કોરા કાપડનું અનિવાર્ય સાધન.
૩. ચરવળો એટલે શાસ્ત્ર નિર્દિષ્ટ માપ પ્રમાણે લાકડાની દાંડી સાથે બાંધેલા ઉનના ગુચ્છાવાળું ઉપકરણ-સાધન તે. તે ઉપરાંત વિધિ સહિત પ્રતિક્રમણનું પુસ્તક પણ રાખવું.
માત્ર સૂત્રોચ્ચાર કે ઉપકરણો–સાધનો તે બહિરંગ સાધન કે બાહ્ય ક્રિયા છે. જ્યારે સૂત્રો તથા તેની સાથે અર્થના હૃદયસ્પર્શી ચિંતન કે અર્થ સાથે મનનું સક્રિય જોડાણ તે ભાવ ક્રિયા છે. આ ક્રિયા દ્વારા પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે.
૧. મોક્ષમાર્ગની આરાધનામાં આત્માને જે ઉપકારક બને તેને ઉપકરણ કહેવાય.