________________
તે પણ
, વિકૃત અંગે
આ
બડા
રા, કાણ,
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર પ્રાણાતિપાત (હિંસા) કરનારા પાપી જી એકેદ્રિયપણે અનંત કાળ સુધી દુખ ભેળવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાંથી નીકળીને મનુષ્યપણું પામે, તે પણ તેઓ બાપડા પુણ્યરહિત હાઇને વિકૃત અંગે અને વિકલા રૂપને પામે છે. તેઓ કૂબડા, વાંકા શરીરવાળા, ઠીંગણા, બહેરા, કાણા, કડવાળા, પાંગળા, ગાત્રરહિત, મૂળાં, બબડા, આંધળા, એક આંખવાળા, ચીપડાભરી આંખેવાળા, રેગવ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસ્ત્રથી વિનાશ પામતા, મૂખ, કુલક્ષણા, દુબળા, બેડેળ, કઢંગા, વિરૂપાકૃતિ, કુરૂપ, રાંક, હલકા કુળના, બળ સવથી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભોગવનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભોગવતાં બાકી રહેલાં કર્મો ભેગવવા નારકી તીર્થંચ અને ભુંડા માણસના અવતારપણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને, એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લેક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભેગવે છે. એ ફળવિપાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ રહેલું છે. જેને કર્મ રૂપ મેલ બહુ ચીકણે છે, દારૂણ છે, કર્કશ છે, આકરે છે, હજાર વર્ષ સુધી ન છૂટે તે છે, તેને તે કમ ભેગવ્યા વિના છૂટકે નથી અને તે સિવાય મુક્તિ પણ નથી.
આ પ્રમાણે જ્ઞાનકુલનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે, જેનું “વીર એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધને ફળવિપાક કહ્યું છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, રૂદ્ર-શુદ્ર જનેએ આચરેલ, અનાએ કરેલે, દયારહિત, ઘાતકી, મહાભયકારી, બીકના કારણરૂપ, ભીષણ, ત્રાસકા