________________
૧૨૮
શ્રી પ્રક્ષ વ્યાકરણ સૂત્ર સાથે એક આસને બેસવું નહિ. ૪ સ્ત્રીનાં અંગે પાગ, તેની સુરચના, તેનું બોલવું, નિરીક્ષણ વગેરે રાગદષ્ટિથી જોવું નહિ. ૫ સ્ત્રીનાં ગીત-રુદન-પૂજન-હાસ્ય વગેરે સંભળાય તેમ ભીંત કે દિવાલને આંતરે રહેવું નહિ. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી કીડા, હાસ્ય, રતિ, વિષયભોગ, સ્નાન, ભોજન ઈત્યાદિ યાદ કરવાં નહિ. ૭ પ્રણિતલચપચત-વિગય સહિત આહાર લેવો નહિ. ૮ મર્યાદિત સમયે ધર્મયાત્રા નિમિત્ત જોઈએ તેથી વધુ આહાર લેવો નહિ. ૯ શરીરની શોભા-વિભૂષા કરવી નહિ.]
(૧૦) દસ પ્રકારને સાધુધર્મ.
[ ૧ ક્ષમા, ૨ મુક્તિ (નિર્લોભતા), ૩ આર્જવ (ઋજુતા), ૪ માર્દવ (કમળતા), ૫ લાઘવ (ાડાં ઉપકરણ રાખવાં), ૬ સત્ય, ૭ સંયમ, ૮ તપ, ૯ ચૈત્યદાન–જ્ઞાનદાન, ૧૦ બ્રહ્મચર્ય ]
(૧૧) અગ્યાર પ્રકારની શ્રાવકની (સાધુના ઉપાસકની) પ્રતિમા.
[ ૧ દર્શન પ્રતિમા–શુદ્ધ સત્ય પર રૂચિ થાય. ૨ વ્રત પ્રતિમા–પ્રાણાતિપાત વિરમણાદિ વ્રત નિરતિચારપણે પાળે. ૩ સવાર-સાંજ સામાયિક-આવશ્યક કરે. ૪ પૂર્ણ પૌષધ પ્રતિમા બધી પર્વતિથિએ નિયમિત પૌષધ કરે; ૫ ઉપર જણાવ્યું તે ઉપરાંત પાંચ બોલ સહિત કાયોત્સર્ગ કરે. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા – ઉપર જણાવ્યું તે કરવા ઉપરાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સેવે; ૭ સચિત્ત આહાર ન લે, પણ પિતાને આરંભ ન કરવાનો નિયમ ન હેય. ૮ આરંભ-સમારંભ કરે નહિ. ૯ આરંભ સમારંભ કરેકરાવે નહિ. ૧૦ આરંભ કરે-કરાવે નહિ તે ઉપરાંત આરંભ કરીને કોઈ આપે તે લે નહિ. ૧૧ ઉપર જણાવ્યું તે ઉપરાંત મુંડન કે લોચ કરાવે, સાધુ પેઠે ધર્મોપકરણ રાખે, સ્વાતિમાં ગોચરી કરે,