________________
અપરિગ્રહ
૧૫ ભાવયુક્ત, શૌંવર (શરીર)ના જેવા (પરિષહ રૂપી સૈન્યની સામે લડનારા), (યુદ્ધભૂમિમાં) હાથીના જેવા, (સંયમભાર વહવામાં) વૃષભ જેવા સમર્થ, સિંહ જેમ મૃગેને અધિપતિ હોય છે તેના જેવા અજિત, શરત કાળના પાણી જેવા શુદ્ધ હૃદયના, ભારંડ પક્ષીના જેવા અપ્રમત્ત, ખગૈવિષાણુ (ગુંડા જે એક શીંગડાવાળે પશુ) ના જેવા એકીભૂત (રાગદ્વેષથી રહિત), સ્થંભની પેઠે ઉદ્ઘકાચ-
કાત્સગ કરનારા, સૂના ઘરના જેવા અપ્રતિકશ્મ ( સુશ્રુષા નહિ કરનારા), શુન્ય અને વાયુવજિત ગૃહમાંના દીવાની પેઠે કપરહિત ધ્યાનવાળા, અસ્તરાની પેઠે એક ધારે વહેનારા (સાધુ ઉત્સર્ગ લક્ષણે કરી એક ધારે વહેનારા), સર્ષની પેઠે એક દષ્ટિવાળા (વાંકું નહિ જેનારા), આકાશના જેવા નિરાલંબન, પક્ષીના જેવા સર્વથા વિમુક્તઅપરિગ્રહી, જેમ સર્ષ બીજાના કરેલા દરમાં વસે છે તેમ બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, વાયુની પેઠે અથવા જીવની ગતિની પેઠે અપ્રતિહત (વિહાર કરનારા), ગામેગામે એક રાત્રિ અને નગરે-નગરે પાંચ રાત્રિ વિચરનારા, જિતેંદ્રિય, પરિષહને જીતનારા, નિર્ભય, વિદ્વાન (ગીતાર્થ), સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યને વિષે વિરાગ ધારણ કરનારા, સર્વથા વિરતિયુક્ત-પરિગ્રહથી નિવૃત્ત, મુક્ત-ભરહિત, ગર્વરહિત, આકાંક્ષારહિત, જીવન-મરણની આકાંક્ષાથી રહિત, નેહરહિત, અતિચારરહિત ચારિત્રવાળા, કાયરતા રહિત, અને નિરંતર અધ્યાત્મ ધ્યાનને કાયાએ કરી પાળનારા છે. એ પ્રકારે (સાધુ) એકાગ્રચિત્ત થઈને ઉપશાંત વિરતિને આચરે.