Page #1
--------------------------------------------------------------------------
________________
થી પ્રશ્નવ્યાકરણ
[ગુ જ રા તી અનુવાદ ]
ક
જૈન મુનિ શ્રી છોટાલાલજી હું મળી છે પણ આપણું
ના
થી
પણ
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સ્મારક ગ્રંથમાળા—મણુકા ૨૨ મેા.
an =d0
--03
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
[ ગુજરાતી અનુવાદ ]
-
અનુવાદક
સ્વ. જૈનાચાય પૂજ્ય શ્રી લાધાજી સ્વામીના શિષ્ય મુનિ શ્રી છેટાલાલજી. ( લીંબડી સંપ્રદાય )
महव्वए पंच अणुव्वए व । तहेव पंचासव संवरे य ॥ विरंति इद्द सामणियंमि पन्ने । लवावसकी समणे त्तिबेमि ।।
सूयगडांग ॥
પ્રકાશક
નાથાલાલ ડાહ્યાભાઈ શાહ
આન. સેક્રેટરી, પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલય, લીંબડી.
આવૃત્તિ ૧ લી
પ્રત ૧૦૦૦
વીર સંવત ૨૪૫૯. સને ૧૯૩૩. વિ. સં. ૧૯૮૯
==
અમદાવાદ ધી “ ડાચમંડ જયુબિલી ” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
મૂલ્ય ૧૦ આના
DOOD
tec
юб
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સ્મારક ગ્રંથમાળા,
જૈન મુનિ શ્રી છેટાલાલજી કૃત પુસ્તકે. મણકે ૧ વિદ્યાસાગર ભાગ ૧. રૂ. ૦–૮–૦
• ૨ , , ૨. રૂ. ૧-૦-૦ , ૩ શ્રીસદુપદેશ કુસુમમાળા (૬ ઠી આવૃત્તિ) ભેટ. , ૪ માંદાની માવજત (નથી)
૫ શ્રી ભક્તામર મંત્રમાહાભ્ય રૂ. ૨–૦-૦ , ૬ વિશુદ્ધ પ્રેમપ્રવાહિની (કાવ્ય) રૂ. ૭-૧૨-૦ (નથી)
૭ પૂ. શ્રી લાધાજી સ્વામીનું જીવનચરિત્ર ૦-૧૨–૦
૮ વિદ્યાસાગર ભાગ ૩ (છપાશે) , ૯ ઈશ્વરસ્તુતિ (અ. મું. પઢીયારકૃત) ૦-૧-૬ , ૧૦ મદાંધની મસ્તી (નથી) , ૧૧ હારી વિતક વાર્તા (નથી)
૧૨ પવિત્ર પ્રમદાનું પરાક્રમ (કથા) ૦–૧૦–૦ ૧૩ શ્રી લઘુ કાવ્ય બત્રીસી (કાવ્યો) ૦–૮–૦ ૧૪ અપવિત્ર વસ્ત્ર વિરૂદ્ધ પવિત્ર ખાદી (ચિત્રો) (ભેટ)
લાખા પટેલની લાકડી (બોધક વાર્તા) (ભેટ) શ્રી લઘુસબાધ પુષ્પમાળા (ભેટ) ત્રિરત્ન (ભેટ)
સામાયિક સૂત્ર (ભેટ) , ૧૯ બે હાથ જોડી (પ્રાર્થના) ૧-૪-૦ - ૨૦ સામાયિક–પ્રતિક્રમણ સૂત્ર ૦–૨-૦ , ૨૧ નવ રત્ન (ભેટ) , ૨૨ પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ભાષાંતર ૦-૧૦-૦
૧૬
ભેટ આપવાનાં પુસ્તકે
આના પોસ્ટેજ મોકલવું.
મળવાનું
પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પ્લચને વ્યવસ્થાપક
બાહેલ-પ, લીંબડી (કાઠિયાવાડ)
Page #4
--------------------------------------------------------------------------
________________
ચરણકમળમાં
અનાદિ કાળથી કર્મનાં આવરણમાં અટવાતા મુજ રંકને હાથ ઝાલી આત્મા અને કર્મ શક્તિની ઓળખાણ કરાવી, કર્મચક્રમાંથી મુક્ત થઈ મુક્તિના માર્ગને બતાવી જેણે અનંત ઉપકાર કર્યો છે, તે ઉપકારના સ્મરણરૂપે હે અર્પણ
આ પુષ્પ પાંખડી, સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ પૂજ્યશ્રી લાધાજી સ્વામીના ચરણારવિંદમાં વિનમ્ર ભાવે અપિત
Page #5
--------------------------------------------------------------------------
________________
આભાર પત્રિકા
આ પુસ્તકમાં અગાઉથી આર્થિક સહાય કરી
ઉત્તેજન આપનારાઓનાં નામ, રૂ. ૫૧, પરી. દામોદરદાસ જેઠાભાઈનાં સ્વ. પુત્રી હેન
ધનલક્ષ્મીના સમરણાર્થે. (અમદાવાદ) ૨૫) શાહ પુંજાભાઈ કરમશી હા. શ્રી વેલજી ઉગાભાઈ
(મુ. ખારાઈ કચ્છ-વાગડ) ૧૭ વકીલ લખધીર દેસાભાઈ શાહ
(ભચાઉ-કચ્છ વાગડ) ૧) શ્રી. અવચળભાઈ મૂળજી શાહ
(ઘાણીથર-કચ્છ વાગડ) પ) શ્રી. સુંદરજી બાવાભાઈ દેસાઈ
હા. ડો. મોહનલાલભાઈ (સાયલા )
Page #6
--------------------------------------------------------------------------
________________
ક્ષમાપ્રાર્થના
પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણ સૂત્રના ગુજરાતી અનુવાદની જાહેરાતના હેન્ડખીલમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ ગ્રંથને મુનિ પુણ્યવિજયની સુંદર પ્રસ્તાવનાથી સુશોભિત કરવામાં આવશે.” એટલે વાચકા આ પુસ્તકનું પાનું ઉધાડતાં તે પ્રસ્તાવના જોવાની આશા જરૂરજ રાખતા હશે; પણ જ્યારે તેનું પાનું ઉઘાડતાં તે આશાને નિરાશામાં ફેરવાયલી જોશે ત્યારે જરૂર કેટલાક વાચક્રાને દુઃખ થશે એ હું ખરાબર સમજું છું, અને તે બદલ પ્રારંભમાંજ તે ઉદાર અને સ્નેહી વાચક એની સવિનય ક્ષમા પ્રારું છું. મુનિવર શ્રીયુત છેટાલાલજી સ્વામીના અને મારે એકજ ધર્મપ્રચારક ધમપિતા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પુત્ર તરીકેના અંગત સ્નેહસંબંધ વષઁ થયાં નિખાલસપણે ચાલ્યા આવતા હતા. તેને પરિણામે ગત ચાતુર્માંસમાં એટલે કે વિક્રમ સંવત ૧૯૮૮ના ચાર્તુમાસમાં તેએશ્રીએ મને પ્રશ્નવ્યાકરણના અનુવાદ ઉપર વિસ્તૃત પ્રસ્તાવના લખવા અત્યંત આદર અને લાગણીભરી રીતે આગ્રહ કર્યો. જો કે હું સાચું કહું તે, મારી કા સ રણી ભિન્ન દિશામાં વહેતી હાવાથી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવા માટેની જે તૈયારી જોઈ ચે તે જરાય નહોતી અને તે માટેની રૂપરેખાય . મારા મગજમાં નહોતી, તેથી મે' તેઓશ્રીને તે માટે ના પાડી હતી; તેમ છતાં તેઓશ્રીએ મારા સમક્ષ એવી દલીલ રજુ કરી કે— આપ આ પુસ્તક ઉપર પ્રસ્તાવના લખશો તેા ઉભય સંપ્રદાયની સમજદાર જનતા ઉપર એવી અસર પડશે કે પરસ્પરમાં અમુક અંશે ભિન્ન ભિન્ન માન્યતા ધરાવવા છતાં એકજ ધર્મપિતાના પુત્ર સમાન, ઉભય સંપ્રદાયના જૈન મુનિએ સત્ય સિદ્ધાંતની આખતમાં પરસ્પર સહકાર અને સમભાવ સાધી શકે છે, અને તેથી
.
Page #7
--------------------------------------------------------------------------
________________
એમ પણ થશે કે-પરસ્પરમાં વિખૂટા પડતા ઉભય સંપ્રદાયના સમજદાર જનસમૂહને એક બીજાની સમીપમાં આવવાને પ્રસંગ મળતાં પરસ્પરના વિરોધ વૈમનસ્ય આદિ દૂર થશે. આથી મારી નમ્ર વિનંતિ છે કે આપ જરૂર આ ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખે.” મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આ દલીલ મને ગળે ઉતરી અને મારી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવા માટેની કશીયે તૈયારી ન હોવા છતાં અનિચ્છાએ પણ મેં તેમનું વચન માન્ય કર્યું. અસ્તુ. તેમ છતાં કુદરતનું નિર્માણ જ એવું હતું કે-હું પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે જે વિશાળ અવલોકન આદિ કરવું જોઈએ તે મારી તબીઅતના કારણે કરી શકો નહિ, અને જેમ જેમ અવલોકન કરવા લાગ્યો તેમ તેમ વધારે આઘે પહોંચવાની ઈચછા થઈ; એટલે મનમાં એમ થયું કે-જ્યાં સુધી આ બાબતે માટે પૂર્ણ અવલોકન ન થઈ રહે ત્યાંસુધી આ વિષયમાં અત્યારે કશું જ ન લખવું, અને જે ખાસ વિશિષ્ટ જણાતી બાબતોની ચર્ચા આ પ્રસ્તાવનામાં છોડી દેવામાં આવે તો તેવી અર્થ વગરની પ્રસ્તાવના લખવી એ કઈરીતે શોભાસ્પદ ન ગણાય.
પ્રસ્તુત પુસ્તકને હું ઈચ્છું તે કરતાં અતિ સત્વર પ્રકાશમાં મૂકવાનું હોવાથી હું વાચકોને પ્રસ્તાવના પૂરી પાડી શક્યો નથી તે બદલ દરેક જિજ્ઞાસુ વાચકની ક્ષમા પ્રાર્થ છું. તેમજ મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આંતર ઈચ્છાને પૂર્ણ કરી શકી નથી તે બદલ તેઓશ્રીની સવિશેષ ક્ષમા પ્રાર્થ છું. અને હું વિશ્વાસ રાખું છું કે-જે પ્રસ્તુત પુસ્તકની બીજી આવૃત્તિ નીકળવાને સમય આવશે અને ત્યારે જે મારાથી બનશે તે વાચકોની સેવામાં જરૂર હું પ્રસ્તાવના રજુ કરીશ, એટલું ઈચ્છી વિરમું છું. ૧૯૮૯ આશ્વિન કૃષ્ણ ૭ | મુનિ પુણ્યવિજય.
Page #8
--------------------------------------------------------------------------
________________
આ પ્રસ્તાવના
સુવર્ણ વસ્તુતઃ શુદ્ધ અને નિર્મળજ હોય છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં સુવર્ણ સુવર્ણરૂપે રહે છે. કોઈ વખતે તે સુવર્ણનાં કણે જથામાં જામે છે–કોઈ સુવર્ણકાર તેને જમાવે છે, ત્યારે તે સુવર્ણના અલંકાર બને છે અને તે વખતે તેની મેંઘી. કિંમત અંકાય છે. જ્યારે એ જ વિખરાઈ જાય છે ત્યારે તે માટી સાથે મળી જાય છે અને તેના પર વધુ માટીના થર જામે છે ત્યારે તે સામાન્ય જનસમાજની દૃષ્ટિથી અદશ્ય બને છે. કેટલાક વખતે સુવર્ણનાં રજકણે વધુ છૂટાં પડી ગએલાં હોય, તે સુવર્ણમિશ્રિત માટીને નહિ જાણનારાઓ એ માટી-માટીમાં છૂપાએલ સુવર્ણને હલકામાં હલકા કાર્યમાં પણ ઉપયોગ કરે છે.
એજ રીતે આત્મા વસ્તુતઃ શુદ્ધ-નિર્મળ–અજર-અમર હેવા છતાં, ત્રણે કાળે શાશ્વત-સિદ્ધ સ્વરૂપી હોવા છતાં, કર્મરૂપ માટીનાં આવરણથી એવો વ્યાપ્ત થઈ ગયો છે કે એ અજરામર આત્માને પુનર િનનને પુનરિ મu–વારંવાર જન્મ મરણનાં આવર્તને કરવાં પડે છે, સ્થૂળ દષ્ટિએ મનુષ્ય–દેવ–પશુ-પક્ષી અને નરકના અવતાર ધારણ કરી તે તે ગતિનાં સુખદુઃખના કર્તા-ભોક્તા ' તરીકે ગણાવું પડે છે. પિતાના સ્વરૂપને ભૂલી ગએલ આત્મા અજ્ઞાનવડે કરીને સિંહે પિતાને માનેલ ઘેટાની માફક આ સ્થલ દેહમાંજ હુંપણું માની નાનાવિધ કર્મો કરી વધુ ને વધુ કર્મરૂપ માટીના થરની નીચે દબાઈ જઈ આત્માનું આત્માપણુંજ વિસરી જાય છે, અને લાંબા કાળની એ ભૂલને પરિણામે આત્મા-અનંત શક્તિમાન આત્મા પિતાનાંજ કરેલાં કર્મની પાસે પોતે રાંક-ગુલામ જેવો બની જઈને નાચ નાચે છે. ક્ષણિક અને નાશવંત સુખ-ખરી રીતે સુખાભાસને જોઈને તે આનંદથી નાચી ઉઠે છે, અને ક્ષણિક-નાશવંત
Page #9
--------------------------------------------------------------------------
________________
દુખ–દુઃખાભાસને જોઈને તે રડી પડે છે. આવી રીતે રડવામાં અને હસવામાં કેટલાએ કાળ–યુગને વિતાવી નાંખ્યા તેની કોઈ ગણુનાજ નથી ! તે કર્મને કતો અને ભોક્તા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ભલે ન હોય, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ તે આત્મા જ કર્મને કર્તા અને ભોક્તા છે; અને શ્રી વીતરાગ દેવ પણ કહે છે કે –“મcur at વિત્તા ય, કુદાય હાય”—અર્થાત સુખ દુઃખને કર્તા અને ભોક્તા આત્મા પોતેજ છે; એ સિદ્ધાન્તને અનુલક્ષીને જૈન સિદ્ધાન્તકાર અને શ્રી ભગવદ્દગીતાકાર પણ આત્માને જ પોતે પોતાના મિત્ર અને શત્રુ તરીકે ઓળખાવે છે. જેનામાં થોડે અંશે પણ બુદ્ધિની નિર્મળતા છે તેને તે એ વાત જરૂર સમજાય તેમ છે.
સુખદુઃખને કર્તા અને ભક્તો આત્મા છે એ વાત સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, પણ તે અમુક અપેક્ષાઓ. જૈન ધર્મના સિદ્ધાન્ત એકાન્તવાદી નથી પણ અનેકાન્તવાદી છે. અમુક અપેક્ષાએ
લાખ વામીન જવા થિ, અર્થાત કરેલાં કર્મો ભેગવ્યા સિવાય આત્માને મોક્ષ નથી, એ વાત સત્ય છે; પરન્તુ એથી દરેકે દરેક બાબતમાં એક સિદ્ધાન્ત તરીકે એકજ વાત ન માની બેસવી કે–કર્મનાં ફળ ભોગવ્યા સિવાય આત્માની મુક્તિ નજ સંભવે. દરેક કર્મ કાંઈ એક જ પ્રકારનાં હોતાં નથી. કેઈ કર્મબંધન શિથિલ હેય છે, અને કોઈ કર્મબંધન નિવિડ-નિકાચિત હોય છે. જે શિથિલ કર્મબંધને હોય છે, તે તે જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા, અંતઃકરણપૂર્વકને શુદ્ધ પશ્ચાત્તાપ, શુદ્ધ અને પ્રબળ ભાવના વગેરે સાધનઠારા વગર “ભોગવ્યેજ દૂર થઈ શકે છે, અને નિકાચિત કર્મબંધને જેકે ભગવ્યા સિવાય સર્વથા-સર્વશે છૂટા થઈ શકતા નથી, પરંતુ પુરૂષાર્થ વડે, તે જે લાંબી મુદત ભેગવવાનાં હોય તે અલ્પ મુદતનાં, અને બહુજ મહાદુખદાયક હોય તે તે અલ્પ દુઃખકારક કરી શકાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૯
જો દરેક દરેક કર્માંનાં ફળ ભોગવવાંજ પડતાં હોય તેા આત્માને માટે કાઈ પણ કાળે મુક્તિ સભવેજ નહિ, કારણકે જ્યાંસુધી પાંચ પ્રકારના શરીરમાં આત્મા રહે અને પૂર્વીકૃત (એટલે જે સમયે કના શિવપાક ભાગવતા હૈાય તેની પહેલાં કાઈ પણ સમયે કરેલાં ક', પછી તે પાંચ-પચીસ જન્માન્તર પહેલાં કર્યેા હાય કે માત્ર પા કલાક પહેલાં કર્યા હાય પણ ભાગવવાના-અનુભવવાના વખત પહેલાં કાઈ પણુ વખતે કરેલાં કર્યાં, તે પૂર્વીકૃત) કનાં કવિપાક જ્યારે જ્યારે ભાગવાતા હોય ત્યારે ત્યારે એજ સમયે નવાં ક્રમ– શુભાશુભ કર્મ બંધાતાંજ હેાય છે; પરન્તુ નવાં કમ જે વખતે બંધાતાં હોય છે તે વખતે જો તે આત્માનાં મન-વચન અને કાયા ત્રણે એકાકાર થાય તાજ એ ક્રમના બંધ પડે છે; પણ જો અવ્યક્ત ભાવે–નિલેપ ભાવે–અનાસક્તિપણે એ કર્મો થતાં હાય તે પછી એ કર્મીના પાકા બંધ પડતા નથી, અને તેથી તેવાં કાં વગરભેગળ્યે પણ દૂર કરી શકાય છે, એમ શ્રી વીતરાગ દેવ કહે છે.
ધમકી
આ વાત વ્યવહારથી પણ સમજી શકાય તેવી છે. ઇરાદાપૂક-દ્વેષપૂર્વક કાઇને આપાએલ મારી નાંખવાની એ ગુન્હો ગણાય છે અને તે જો સાખીત થાય છે તે તેની શિક્ષા પણ ધમકી આપનારને ભાગવવી પડે છે; અને થાડા પણ ઇરાદા વિના કે દ્વેષ વિના અજાણપણે કદાચ કાઈ ને પ્રહાર થઈ ગયા હેાય અને તે જો સાખીત કરી શકાય તે તે શિક્ષા ભાગવતા નથી. જેમ વ્યવહારમાં આ નિયમ છે તેવીજ રીતે ક્રમબંધન અને તેનાં ફળ ભાગવવાના સંબંધમાં પણ જ્ઞાનદષ્ટિએ સમજી શકાય તેમ છે અને એથી જ શ્રી વીરપ્રભુએ કથેલ છે કે ક્રિયાએ બંધ નથી પણ પરિણામે અંધ છે” અને તે કથન સાશે સત્ય છે. કના સંબંધમાં જૈન સિદ્દાન્તના અનેકાન્તવાદના આધારે એક વાત એ પણ વિચારવા જેવી જણાય છે કે, દરેક આત્માને ચૈતપેાતાનાંજ કરેલાં શુભાશુભ મનાં ક્ળ ભાગવવાનાં હાય છે—
'
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૭
અને તેનાં મૂળ આવા પ્રકારની
કરે તે લેાગવે,” બીજાને એક
અન્યનાં કરેલાં શુભાશુભ કર્મનાં બંધના સાથે લાગવવા માટે એક બીજાને કાંઈ સંબંધજ નથી. માન્યતાને લીધે એક કહેવત થઇ ગઈ છે કે “ જે માતા–પિતા–પુત્ર—ભાઇ—હેન-સ્ત્રી–પતિ વગેરેને એક ખીજાએ કરેલાં કર્મનાં ફળ ભાગવવાં પડતાંજ નથીઃ આ માન્યતા- . એ એકાન્ત રૂપ પકડેલ હાવાથી, પરસ્પરના સ્નેહ સેવાભાવ અને એક ખીજાનાં દુઃખમાં હાર્દિક સહાનુભૂતિના ભાવના લગભગ નાશ થઇ ગયા છે. જો થાડે ધણે અંશે માયાવી સ્વાર્થ હાય તા કાંઈક પણ એક બીજાને સહાય કરે, અથવા લેાકલજ્જાથી સહાય કરે, પણ તે પાતાને ખાસ અગવડ ન આવે ત્યાં સુધી જ; જ્યારે પોતાને ખાસ મુશ્કેલી ભાગવવાના પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે અપવાદ સિવાય સૌ ક્રાઈમ એનાં કયા એ ભાગવે, આપણે શું કરીએ” એમ કહી દૂર ખસી જાય છે! માના પરિણામે હૃદયની શુષ્કતા વધે છે અને મનુષ્યમાંથી મનુષ્યત્વ નષ્ટ થતું મને જાય છે. અમુક અપેક્ષાએ એકખીજાનાં શુભાશુભ કમનાં મૂળ ભાગવવામાં ઓછાવધતા અંશે ખીજાનેા પણ ભાગ છે, એ વાત કાંઈક ચેાગ્ય જાય છે. જૈન સિદ્ધાન્તમાં કાઇ પણ ભવમાં મૂકી આવેલાં અધિકરણ-કાઇ પણ જાતનાં સાધના પચ્યા રહેલાં હાય તેના ઉપયેગ ક્રાણુ કરે છે, એ વાત સાધન મૂકી આવનાર મુદ્દલ જાણતા ન હોય, તેમજ અત્યારે તે સાધન–શસ્ત્રના ઉપયેાગમાં તેની અનુમેાદનાએ ન હોય, છતાં એ સાધનથી થતી ક્રિયાના કની રાવજી-ક્રમના ફળ વિપાકના અમુક અંશ સાધન મૂકી આવનારને આવે છે અને તેના સુખ દુઃખનાં ફળ પણ ભાગવવાં પડે છે. આ વાત તત્ત્વદષ્ટિએ વિચાર કરતાં સત્યજ જાય છે. શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાળુ તા આ વાત જરૂર માને છે, અને માનવાયેાગ્ય પણ છે, જ્યારે ક્રની રાવજી આવવાની વાત મનાય છે તેા પછી પોતાનાં કર્યાં જ કર્મો પાતામ ભેાગવવાં પડે છે, ખીજાને લેવા દેવા નથી, એવા એકાન્ત સિદ્ધાન્ત
Page #12
--------------------------------------------------------------------------
________________
શા આધારે જનસમાજ માની બેઠેલ છે, તે આ લખનારથી સમજતું નથી.
એ વાત તે સહુ કોઈ કબૂલ કરે છે કે–કરેલાં શુભાશુભ કર્મનાં ફળ કઈ પણ કાળે ભોગવવાં તે પડે છેજ, અને તે પણ જ્યાં સુધી આત્મા પિતાપિતાના સ્વરૂપને જાણે નહિ-વિભાવમાંથી નીકળી સ્વભાવમાં ન આવે ત્યાં સુધી તે સદુદ્યમ કરી શકે નહિ. એ કર્મનાં આવરણેને દૂર કરવાને પોતે પોતાની શક્તિને ઉપયોગ ન કરતાં મનને અધીન વર્તે ત્યાંસુધી તો તે આત્માને પોતે કર્મથી નિર્લેપ હોવા છતાં કર્મબંધનથી બંધાઈને જન્મ જરા મરણના અને જન્મ જન્માંતરના ફળવિપાક ભોગવવા પડવાનાજ, કારણકે બંધન અને મુક્તિનું કારણ મન છે. એ મન જીતાઈ જાય, મન આત્માને અધીન બની જાય, મન મરી જાય, એટલે એજ ઘડીએ આત્માની દેહાધ્યાસાદિની સઘળી ભ્રમણા ટળી જાય અને સ્વસ્વરૂપમાં સ્થિત થઈ, અરણુંક મુનિ કે ગજસુકુમાર મુનિની પેઠે અલ્પ સમયમાં કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શનને પ્રાપ્ત કરી કદાચ અંતકૃત કેવળી થઈને પરમ પદે સ્થિત થાય. એટલા માટેજ શ્રીવીતરાગ દેવે કહ્યું છે કે- જીજે કયા જવ અર્થાત એક મનને જીત્યું એટલે પાંચે ઈદ્રિય જીતાઈ ગઈ, અને પાંચ ઈ દ્રિયોના વિષયો છતાયા એટલે સર્વ કાંઈ છતાઈ ગયું. શ્રીમાન આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથજીના સ્તવનમાં કહ્યું છે કે “મન જીત્યું તેણે સઘળુંરે જીત્યું, એ વાત નહિ ખટી" આ કથન સંપૂર્ણ સત્ય છે.
મનને જીતવા માટે અને કર્મનાં આવરણો દૂર કરવા માટે : કર્મના સ્વરૂપને જાણવું જોઈએ, કારણકે જે વસ્તુસ્થિતિ હાનિકારક હોય, જે પ્રવૃત્તિથી કઈ પણ જાતનું નુકસાન થતું હોય, તે વસ્તુ અથવા પ્રવૃત્તિના યથાર્થ સ્વરૂપને જાણવું જોઈએ. તેના .
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ યથાર્થ સ્વરૂપને જાણ્યા સિવાય તેનો ભય ન થાય અને ભય થયા સિવાય તેને ત્યાગ પણ થઈ શકે નહિ; અફીણ કે સેમલ વગેરેની ઓળખાણ ન થઇ હેય, તેના પરિણામને જાણ્યું ન હોય તે અજાણપણે પણ તેને ઉપયોગ થવાનો સંભવ રહે છે અને એ સ્વરૂપને જાણનારાઓ મરણુભયથી અને જીવવાની આશાથી, ઝેરથી દૂર નાસે છે. એવી જ રીતે કર્મના સ્વરૂપને જાણવાની અત્યંત આવશ્યકતા છે. એ આવશ્યકતા પૂર્ણ કરવા માટેજ શ્રી વીર પ્રભુએ શ્રીપ્રશ્નવ્યાકરણ સત્રમાં કર્મબંધને કેવી રીતે નિવિડ અને શિથિલ બંધાય છે, આત્મા કઈ રીતે કર્મનાં આવરણોથી વધુ ને વધુ આવરાય છે, અને એ આવરણે કઈ રીતે દૂર કરી શકાય છે, વગેરે વિસ્તારપૂર્વક કચ્યું છે. કર્મના પ્રવાહને આવવાના જ્ઞાનની જેટલે અંશે જરૂર છે તેટલેજ અંશે તે પ્રવાહને રોકવાના જ્ઞાનની પણ જરૂર છે. એ જ્ઞાન પણ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં શ્રી વીરપ્રભુએ બહુ ઝીણવટથી સમજાવેલું છે. સૂત્રની મૂળ ભાષા અર્ધમાગધી હોવાથી એના અભ્યાસીઓ બહુ થડા હોય છે એટલે તેને લાભ સામાન્ય જન સમાજ લઈ શકતા નથી. તેથી યથાશક્તિ આ અનુવાદને પ્રયત્ન કર્યા છે. તે કેટલે અંશે સફળ થયું છે તે તો વિદ્વાન વાચકે કહી શકે.
એક વિશેષ વાત. સૂત્રમાં સ્થળે સ્થળે મુનિને માટે મઘમાંસાદિના ત્યાગની સૂચના આવે છે. આ ઉપરથી સામાન્ય રીતે લોકો કદાચ માની લે કે એ કાળે જૈન મુનિએમાં એ પ્રવૃત્તિ ભગવાને જોઈ હશે અને તેથી તેને ત્યાગ કરવા કહ્યું હશે. આવી માન્યતા ભૂલભરેલી છે. તે કાળે અનેક પથેના ત્યાગીઓ, સાધુ અને શ્રમણ તરીકે મનાતા અને તેમાંના કેટલાકામાં એ પ્રવૃત્તિ જોઈને જૈન સાધુને તેથી જૂદા પાડવા અને ઓળખાવવા માટે એ સૂચને તેમાં સમારેલું હોય એવો મારો અભિપ્રાય છે; છતાં મને લાગે છે કે આ વિષય ઉપર વિશેષ પ્રકાશ અને સ્પષ્ટતા સાથે તેમજ ઇતિહાસદૃષ્ટિથી લખાએલ એકાદ વિસ્તૃત નિબંધ વર્તમાન જૈન સાહિત્યમાં હેવો જોઈએ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રસ્તુત પુસ્તકમાં, હિંસા-જૂઠ-ચેરી-અબ્રહ્મચર્ય—પરિગ્રહ એ પાંચ પ્રકારના આસવ કર્મનું આવવું, એ વિષેને અધિકાર પ્રથમ ખંડ માં છે; અને અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય—અપરિગ્રહ એ પાંચ સંવરને અધિકાર બીજા ખંડમાં છે. એ વર્ણનની મહત્તા–ખુદ તીર્થંકર દેવની વાણુની મહત્તા હું પામર શું કથી શકું ? વાચકેએ વિચારપૂર્વક આ સૂત્રનું મનનપૂર્વક વાંચન કરવું, અને જે કંઈ પણ વાડાના દુરાગ્રહમાં પોતાની બુદ્ધિને ગેધી રાખ્યા વિના તટસ્થતાથી એકથી વધુ વાર આ શાસ્ત્રનું વાચન કરવામાં આવશે તે હું વિશ્વાસપૂર્વક કહી શકું કે વાંચનારને પિતાના માનવજીવનની ઉપયોગિતા અને આમકલ્યાણની સાચી સાધના જરૂર જડી આવશે. વૈદ તે દર્દની ચિકિત્સા કરી દવા આપી શકે, પછી દવા ખાવી અને કરી પાળવી અને આરોગ્ય પ્રાપ્ત કરવું કે કેમ તે તે દર્દીની મરજીની વાત છે. એ જ રીતે જન્મ જરા મરણ–ભવરોગ મટાડવા માટેની અમૂલ્ય ઔષધિ શ્રી વીતરાગદેવે આપણને આપી છે તેને ઉપયોગ કેવો કર એ તે માનવની વૃત્તિ ઉપર આધાર રાખે છે ને!
હારી શારીરિક અસ્વસ્થ પ્રકૃતિ અને બીજી કેટલીક પ્રવૃત્તિને લીધે તેમજ એક અશુદ્ધ પ્રતિ ઉપરથી કરાયેલું પ્રથમ વારનું ભાષાન્તર બીનઉપયોગી થવાથી આખુયે ભાષાન્તર ફરી વાર લખવું પડેલું હેવાથી પુસ્તકપ્રસિદ્ધિમાં ધારવા કરતાં ઘણું વધારે ઢીલ થઈ છે તેને માટે ઉદારચરિત પાસે ક્ષમા યાચું છું. મારા હમેશના સહાયક સેવાપ્રેમી મુનિવર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મુનિની જે મને સંપૂર્ણ સહાય ન હતી તે હું જે કાંઈ આવી સાહિત્ય પ્રવૃત્તિ કરી શકું છું તે કદિ પણ ન જ બનત; એ એમની સહાય મારા પર ઉપકારક છે. વળી આ પુસ્તક જે કાંઈ સુવાચ્ય બન્યું છે તે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહના અથાગ શ્રમને આભારી છે, એ ઋણને પણ અત્ર સ્વીકાર કરવો જોઈએ.
Page #15
--------------------------------------------------------------------------
________________
- ૧૪.
આ સૂત્રને અનુવાદ કરવામાં બે છાપેલી પ્રત અને બે હસ્તલિખિત પ્રતેને ઉપયોગ કર્યો છે, તેમજ શબ્દાર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી સ્વામી કૃત અર્ધમાગધી શબ્દકેષની મોટી સહાય મળી છે.
આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું વિધાન મુનિરત્નશ્રી પુણ્યવિજચછ (પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્ય શ્રીમાન ચતુરવિજયજીમહારાજના શિષ્ય) એ સ્વીકાર્યું હતું, પરંતુ અનુવાદ ફરીથી કરવો પડયો તેની પાછળ બહુ સમય ગયો અને પુસ્તક ઉતાવળે પ્રસિદ્ધ કરવાનું હતું તેથી છાપેલો ભાગ વાંચી જવાને પણ પૂરત અવકાશ રહેવા પામ્યો નહિ, એટલે તે પ્રસ્તાવના લખી શક્યા નહિ. તેમની પ્રસ્તાવનાથી ભગવાનની આ વાણું ઉપર કાંઈ અને પ્રકાશ પડત, પરતુ ઉપર જણાવેલા કારણથી તે બની શકાયું નથી.
છેવટે આ પુસ્તકના–આ અનુવાદના વાચન-મનનથી કોઈ પણ જીવાત્મા કર્મનાં બંધનથી બંધાતા અટકે, આત્મજાગૃતિ અનુભવે, જગતના માયાવી પદાર્થોમાં મુંઝાઈ રહી છે અનેક નહાના મોટા પ્રાણુઓ સાથે વૈર બાંધે છે અને જેનાં કટુ ફળો અનેક જન્માંતરમાં ભેગવવાં પડે છે તે વૈરબંધન કરતાં અટકે, વિભાવમાંથી નીકળી સ્વભાવમાં આવે, પિતાને પોતે ઓળખે, જગતના પ્રાણી માત્રની નિષ્કામ ભાવે સેવા કરવાની વૃત્તિ જાગૃત થાય અને જગતનાં સુખદુઃખને સમભાવે સહી લેવાની વૃત્તિ કેળવાય, પરદેષગ્રાહક દૃષ્ટિ દૂર થાય, અને નાના પ્રકારના કર્મના ઉદયથી જેઓ પાપપંકમાં પડયા હોય તેની પ્રત્યે દ્વેષ કે અભાવ ઉત્પન્ન થવાને બદલે તેની પ્રત્યે સમભાવ જાગૃત થાય, એટલું જ નહિ પણ મિથ્યા કાપવાદના ભયને ત્યજી જગતથી ત્યજાએલાના સિદ્ધ સ્વરૂપી આત્મા સામે જોઈ તેની શુદ્ધ ભાવે સેવા કરવાની રૂચિ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉત્પન્ન થાય, આવું આ માંહેનું થોડું પણ જે કાંઈ બની શકે તે મારે આ રંક પ્રયત્ન સફળ થયે ગણું છું કૃતકૃત્યતા અનુભવીશ.
सुखिनः संतु सर्वत्र सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यतु मा कश्चिद् दुःखमाप्नुयात्.
લિઃ
અમદાવાદ. ) આસો સુદિ ૧૫ વીર સંવત ૨૪૫૯ વિક્રમ સંવત ૧૯૮૯ ]
જૈન મુનિ છોટાલાલજી.
Page #17
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
વિષય
આસવ કાર
અધ્યયન ૧ લું. હિંસાકર્મ... " અધ્યયન ૨ જુ. મૃષાવાદ • • અધ્યયન ૩ જુ. અદત્તાદાન (ચૌર્યકર્મ) અધ્યયન ૪ થું. અબ્રહ્મચર્ય . - અધ્યયન ૫ મું. પરિગ્રહ • •
સંવર દ્વાર
અધ્યયન ૧ લું. અહિંસા . અધ્યયન ૨ જી. સત્ય વચન. અધ્યયન ૩ જુ. દત્તાદાનગ્રહણ. (અચૌર્ય) અધ્યયન ૪ થું. બ્રહ્મચર્ય. - અધ્યયન ૫ મું. અપરિગ્રહ .
Page #18
--------------------------------------------------------------------------
________________
ॐ श्री પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સદ્દગુરવે નમઃ
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રસ્તાવના
શ્રી શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી પિતાના વડા શિષ્ય શ્રી જંબૂ સ્વામીને કહે છે કે, હે જંબૂ! હવે હું “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર” સંભળાવું છું. જીવરૂપ તળાવમાં કર્મરૂપ પાણી આવવવાને આસવરૂપ માર્ગ અને તે આસવને બંધ કરનાર સંવરરૂપ જે પ્રતિબંધ અથવા દિવાલ છે તે આ સૂત્રમાં કહેલ છે. આ તાવને-સત્યાસત્યને નિર્ણય કરવા માટે હું આ શાસ્ત્ર સંભળાવું છું. આવું આ શાસ્ત્ર શ્રી તીર્થંકરદેવે પોતાના અપૂર્વ જ્ઞાનથી જાણીને કથેલ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર કર્મ આવવાનાં પાંચ દ્વાર
શ્રી જિનેશ્વર દેવે કર્મ આવવાનાં દ્વાર રૂપ આસવના પાંચ ભેદ કહેલ છે.એ પાંચ પ્રકારના આસવ સંસારી જીવની માફક (સંસારની માફક) આદિરહિત છે, પરંતુ અનેક પ્રકારના જીવમાંના કેઈ જીવની અપેક્ષાએ તેને અંત પણ છે. તે પાંચે આસવનાં નામ આ પ્રમાણે (૧) હિંસા આસવ-અર્થાત્ એકેન્દ્રિયથી પંચેંદ્રિય પર્યન્તના જીવને ઘાત કર. (૨) મૃષા આસવ-અર્થાત અસત્ય બોલે તે. (૩) અદત્ત આસવ અર્થાત્ રજા વિના કે માલેકે આપ્યા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરે તે. (૪) અબ્રહ્મ આસવ અર્થાત્ મથુનસેવન કરે તે. (૫) પરિગ્રહ આસવ અર્થાત દ્રવ્યાદિ વસ્તુને સંગ્રહ અને તે પર મમત્વ કરે તે.
આ પાંચ આસવનાં પાંચ અધ્યયન કહેલાં છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
હિંસાકમ
આસવ દ્વાર
અધ્યયન ૧ લું
હિંસાકર્મ પ્રથમ અધ્યયનનાં પાંચ દ્વાર કહેલાં છે, તે પાંચ દ્વાર આ પ્રમાણે –(૧) પ્રથમ દ્વારમાં હિંસાનું શું સ્વરૂપ છે તે કહેલ છે; (૨) બીજા દ્વારમાં હિંસાનાં નામ કહેલ છે; (૩) ત્રીજા દ્વારમાં જે જે કારણોથી હિંસા થાય છે તે કારણે કથેલ છે; (૪) ચેથા દ્વારમાં હિંસાથી જે પરિણામ આવે છે તે હિંસાનાં ફળ સમજાવેલ છે; અને (૫) પાંચમા દ્વારમાં જે પાપી જને પ્રાણવધ કરે છે તેઓનું સ્વરૂપ સમજાવેલ છે. એ પાંચ પ્રકારના દ્વારવાળા આ અધ્યચનમાં આસવનું સ્વરૂપ કહું છું તે સાંભળે. (એમ શ્રી સુધમાં સ્વામી શ્રી અંબૂ સ્વામી પ્રત્યે કહે છે). હિંસાનું સ્વરૂપ.
શ્રી જિનેશ્વરદેવે એ પ્રાણવધને હમેશાં પાપકારી અર્થાત્ પાપપ્રકૃતિનું બંધન કરવાવાળે, ચંડ કોધના કારણરૂપ, રૌદ્ર-ભયંકર, ક્ષુદ્ર-દ્રોહ કરનાર, સાહસિક, વગર વિચાર કરેલો, અનાર્ય–સ્વેચછાદિકેએ પ્રવર્તાવેલો, નિધૃણ-પાપની સુગંછા વિનાને, શંસ-કૂર અથવા સૂગરહિત, મહા ભયકારી, પ્રતિભય-બીજાઓને ભય ઉપજાવણહાર, અતિભય-મારણાંતિક ભયને કરનાર, ભયાનક-પ્રાણી
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
માત્રને ભયના સ્થાનરૂપ, ત્રાસના સ્થાનરૂપે, અન્યાયકારી, ઉદ્વેગકારી, પરàાકાદિની અપેક્ષારહિત, શ્રુત-ચારિત્રાદિ ધમથી રહિત, પીપાસા-સ્નેહથી રહિત, યારહિત, છેવટે નરકમાં લઇ જવાવાળા, માહ તથા મહાલયના કરણહાર, અને પ્રાણત્યાગરૂપ દીનપણાને ઉપજાવનાર એવા કહ્યો છે. હિંસાનાં નામ.
હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં ૩૦ નામ કહે છેઃ (૧) પ્રાણવધ, એકેન્દ્રિયના ચાર પ્રાણથી માંડી પચેન્દ્રિયના દસ પ્રાણસુધીના પ્રાણને નાશ કરવા તે, (૨) શરીરથી જીવનું ઉન્મૂલન કરવું તે, અર્થાત્ જેમ વૃક્ષને જમીનમાંથી ઉમેળી કાઢવામાં આવે છે, તેવી રીતે શરીરમાંથી જીવને કાઢી નાંખવા તે, (૩) વિશ્વાસના હેતુ માટે અવિસંભ, (૪) હિં’સ-વિહિંસા અર્થાત્ જીવના વિશેષે કરીને ઘાત, (૫) અકરણીય-નહિ કરવા ચેાગ્ય કરવું તે, (૬) ઘાત કરવા તે, (૭) મારવું તે, (૮) વધ કરવા તે, (૯) પ્રાણીઆને ઉપદ્રવ કરવા તેમને પજવવાં તે, (૧૦) મન, વચન, અને કાયાથી તેમજ દેહ, આયુષ્ય અને ઇન્દ્રિય એ ત્રણથી રહિત કરવું, (૧૧) આરભ-સમારંભ કરવા, (૧૨) આયુષ્ય કમને ઉપદ્રવ કરવા, આયુષ્ય કર્માંના ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવત કરવુ (સાચાવવું, ટુંકું કરવું, શરીરમાંથી જીવના પ્રદેશને સકાચાવવા), (૧૩) મૃત્યુ કરવું, (૧૪) અસયમ કરવા, (૧૫) જીનની સેનાનું મન કરવુ, (૧૬) શ્વાસથી જીવના અંત કરવા, (૧૭) પરભવમાં ગમન કરાવવું, આ ભવ છડાવવા,
Page #22
--------------------------------------------------------------------------
________________
હિંસાક્રમ
(૧૮) ગતિમાં પાડવું, (૧૯) પાપપ્રકૃતિના વિસ્તાર કરાવવા, (૨૦) પાપકામાં આસક્ત થવું, (૨૧) શરીર છેદન, (૨૨) જીવિતવ્યના અંત કરવા, (૨૩) ભય કરવા, (૨૪) ઋણુ (ભવરૂપ દેવું) વધારવું, (૨૫) વ સમાન વજનચુક્ત, (૨૬) પરિતાપ-દુઃખરૂપ આસ્રવ, (૨૭) પ્રાણીના પ્રાણ કાઢવા, (૨૮) જીવથી રહિત કરવું, (૨૯) પ્રાણનું લેાપન કરવું, (૩૦) પ્રાણીઓના ઉત્તમ ગુણની વિરાધના-ખંડના કરવી, ચારિત્રાદિ ગુણની વિરાધના કરવી.
એ રીતે સમુચ્ચયે ત્રીસ નામ પ્રાણવધ . (હિંસા)ના કહેલાં છે, અને તે ત્રીસે પ્રણવધ રૂપ ક કડવાં ફળ ટ્વેનાર છે.
વિશિષ્ટ હિંસા,
હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને મન, વચન, કાયાના દુષ્ટ ચેાગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, અહુવિધ અનેક પ્રકારના છે. તે હિંસા કરનારા અન્ય જીવાને દુઃખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તે નીચે જણાવેલ ત્રસ-સ્થાવર જીવાની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિવાળા હાય છે.
જળચરઃ—(પાઠીન) મત્સ્ય, (તિતિ) મોટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મત્સ્ય, વિવિધ પ્રકારના દેડકા, બે પ્રકારના કાચબા, નર્ક તથા મગર એ એ
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકાર, પુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનાં જળચર. * સ્થળચર –મૃગ, રૂરૂ જાતિને મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાબર, ગાડર, સસલાં, વનચર પ્રાણ, ગોધા, હિત, ઘડા, હાથી, ઉંટ, ગધેડા, વાંદરા, રેઝ, નહાર, શિયાળ, નાનાં ભુંડ, બિલાડા, મેટા સુઅર, શ્રીકંદલક, આવ, લેમ, બે ખરીવાળા પશુ, એક જાતિનાં હરણ, પાડા, વાઘ, બકરા, ચિત્રા, એક ખુરી વિશેષ છવ, કુતરા, તરસ, રીંછ, શાલ સિંહ, કેસરી સિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પાદ જાનવર.
ઉરપર–અજગર, ફેણ વિનાને સપ, દષ્ટિવિષ સર્પ, મકુલીક સર્પ, ફેણ ન માંડે તેવા સર્પ, કાકેદર, દર્ભકર, ફણધર, અસાલી સર્પ, મહારગ, ઈત્યાદિ અનેક પ્રકારના ઉરપર.
ભુજપર હીરલ, સંગ, સેહ,સેલ્લગ, ઉંદર, નળીયે, કાચીંડે, કાંટાવાળો શેળો, મુખ સરખે છવ, ખીસકેલી, ચાતુપદ, ગાળી, એ સર્વને સમૂહ ભુજપર છે.
" ખેચર– હંસ, બગલા, બતક, સારસ, આડા પંખી, સેંતીકા પંખી, કુલલ, વંજુલ, પારાપત, કીવ, પીપી શબ્દ બેલનાર, વેત હંસ, પગ અને હે કાળા હોય તેવા હંસ, ભાસ, કુલીકેસ, કેચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ, પીંગલાક્ષક, કારંડવ, ચક્રવાક, ઉક્કોસ, ગરૂડ, પંગુલ, પોપટ, કળાવાળો મેર, કાબરી, નંદીમુખ, નંદમાણકર, કેરંગ,
Page #24
--------------------------------------------------------------------------
________________
- હિંસાકર્મ
:
ભીંગારક, કેણલગ, જવેછવક, તેતર, વર્તકા, લાવે, કપીજલ, હેલા, કાગ, પારેવા, ચ, અંક, કુકડા, મેસર, નાચનારા મોર, ચકર, હયપુંડરીક, કરંકરક, સીંચાણા, કાગડા, વિહંગ, ભણસી, ચાસ, વડવાગોળ, ચામાચીડિયાં, વિતતપંખી, એ વગેરે ખેચર પક્ષીના ભેદ.
ઉપર કહ્યા તે જળચર, સ્થળચર, બેચર, અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે, બેઈન્દ્રિય, ત્રી ઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય જીવોને હણે, વિવિધ પ્રકારના છને હણે કે જેમને પિતાનું જીવિત વહાલું છે અને મરણના દુખથી વાસે છે. એ બિચારા રાંક જીને દૂર કર્મ કરનારાઓ
હિંસાનાં કારણે
તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણે નીચે મુજબ છે–ચામડાં, ચરબી, માંસ, મેદ, લેહી, જમણું પાસાની ગાંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસ (શરીરની અંદરનું અવયવો, દાંત, હાડકાં, હાડકાંની અંદરની મજજા, નખ, આંખ, કાન, ન, નાક, નાઈ, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પચેંદ્રિય જીવને હણે છે.
ભ્રમર, મધુકર વગેરે ચૌરિદ્રિય જીવના સમૂહના મધુરા રસમાં વૃદ્ધ થએલા ચૌરિંદ્રિય અને હણે છે. તેવીજ રીતે શરીરના રક્ષણને અર્થે ઉંઘને અર્થે શંક ત્રિીઇંદ્રિય (જૂ-માંકણ ઈત્યાદિને હણે છે. વસ્ત્રને
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અર્થે (રેશમ ઈત્યાદિ) કીડા વગેરેને, ઘરને અથે બેઇદ્રિય જી સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે (મેતીસીપ વગેરે) બેઈદ્રિય જીવોને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની છ બેઈદ્રિયાદિ ત્રસ જીવેને હણે છે.
એ સિવાય એકે દ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવેને આશ્રયે રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણોને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય
રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવારિરહિત છે, કર્મરૂપી સાંકળથી બંધાયેલા છે, અકુશળ પરિણામવાળા છે, મંદબુદ્ધિ કે જેમને જાણતા નથી એવા છે. એ જ પૃથ્વીકાયના જીવે છે તથા પૃથ્વી કાયને આશ્રયે રહેલા (અળશિયાં વગેરે) છ છે; પાણીના જીવે છે તથા પાણીને આશ્રયે રહેલા (પોરા વગેરે) જીવે છે; અગ્નિના જીવે છે, વાયુના જીવે છે; તૃણ-વનસ્પતિના જીવે છે તથા તેને આશ્રયે રહેલા જીવે છે. તે છ એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમને આહાર પણ એકેન્દ્રિયને છે. એવા વ્યસને તેઓ હણે છે. ત્રસ જીવે એકેદ્રિયાદિને જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રૂપ અને સ્વભાવ પરિણમે છે. તે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જ છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક, સાધારણ અને અનંત કાયાદિક ને તેઓ હણે છે. આ સ્થાવર જી વિવેકરહિત, સુખદુઃખના જાણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીને તે લોકે હણે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
હિંસાકમ
હિંસાના વિશિષ્ટ કારણુ.
હવે જે જે કારણ કરીને હિંસા થાય છે, તે તે કારણે કહે છે. ખેતી, કમળસહિત ચૌમુખી વાવ, કમળસહિત ગળ વાવ, કયારા, ફૂવા, વણખોદેલું તળાવ, દેલું તળાવ, માટી ખાણ, વેદિકા, નગરની ખાઈ, વાવ, કીડાનાં સ્થાન, મરણ પામેલાનાં પગલાં, ગઢ, બારણું, ગઢની પળ, ગઢના કેઠા, ગઢ અને નગર વચ્ચે માર્ગ, પૂલ, માર્ગ તથા પગથીયાં, મહેલ, તેના ભાગે, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, શિખરબંધ દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં રથાનક, ભેંયરાં અને માંડવા, તેમજ ધાતુનાં વાસણ, માટીનાં વાસણ, (ઘંટી ખાંડણીયો વિગેરે) ઘરનાં રાચરચીલાં, એ વગેરે અનેક પ્રકારના કારણે મંદ બુદ્ધિવાળાઓ પૃથ્વી કાયની હિંસા કરે છે.
સ્નાન, પાન, ભજન, વસ્ત્ર ધોવાં, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપકાયની હિંસા કરે છે.
રાંધવું, રંધાવવું, અગ્નિ સળગાવ, દીવા વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે.
સૂપડે ઝાટકવું, વીંઝણો વિઝ, બપડે વીંઝણે વીંઝ, મેરપીચ્છ ફેરવ, મુખે ઉચ્ચાર કર, તાબોટા વગાડવા, સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિથી વાયુ ઢેળવો ઇત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે.
ઘર, હથીયાર, મિષ્ટાન્નાદિ, અન્ન, શય્યા, આસન
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
( બાજઠ આદિ), પાટીયું, સાંબેલું, ખાંડણી, વીણા આદિ વાદિત્ર, પટહ (ઢાલ આદિ), આતાદ્ય (વાદિત્રના પ્રકાર),વહાણુ, વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તારણ, કાષ્ટ-પાષાણુનાં શિખરમંધ દહેરાં, જાળી, અર્ધું ચદ્રાકાર પગથીયાં, ઘરનાં બારસાખ, પ્રાસાદ ઉપરની ચદ્રશાળા, વેદિકા, નીસ રણી, હાડી, નગારી, ખુંટા, ગમાણુના ખુંટા, પરમ-પાણીયારૂં, આશ્રમ, સુગંધદાયક પદાર્થ(કપુરાદિ), પુષ્પમાળા,અંગવિલેપનના પદાર્થાં, વસ્ત્રો, સરૂં, હળ, પાત્ર, મોટા રથ,પાલખી, નાના રથ, ગાડાં, યાન, તદ્દન નાના રથ, ગઢના કાઠા, ગઢની અંદરના માગ,ખારાં, પાળ, આગળા, રહે’ટ, શૂળી, લાકડી, મુસુદ્ધિ (એક પ્રકારનું હથીયાર), સે। જણને મારે તેવું હથીયાર, તે ઉપરાંત હથીયાર અને ઘરવાખરા ઈત્યાદિ ઘણાં કારણાને માટે ઉપર જણાવ્યા તે તથા બીજાં સત્ત્વવાળાં તથા સત્ત્વ વિનાનાં વૃક્ષાના સમૂહ ઈત્યાદિ વનસ્પતિકાચની હિંસા અતિમૂઢ અને દારૂ મતિવાળાએ ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, રતિ, અરતિ, શેકવડે, વેદ (શ્રી, પુરૂષ અને નપુંસક)ને માટે, વિતને અર્થ, કામલેગને અર્થ, ધનને અર્થે અને ધમ નિમિત્તે કરે છે.
વળી તેઓ સ્વવશ રહેલાને, પરવશ રહેલાને, પેાતાને અર્થ, ૫રને અર્થ, ત્રસ પ્રાણી અને સ્થાવર એકેદ્રિયાક્રિકને હણે છે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પર વશપણે અને સ્વવશ તથા પરવશ બેઉ પ્રકારે હિ'સા કરે છે. તેઓ પેાતાને અગે, પરને અર્થે અને પેાતાને તથા પરને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વૈર
Page #28
--------------------------------------------------------------------------
________________
હિંસામ
પૂર્ણાંક અને રતિ ઉપજાવવા અર્થે, તેમજ હાસ્ય-વર–રતિ એ ત્રણને અર્થે હિંસા કરે છે. તેઓ ક્રોધે કરીને, લાલે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ ક્રોધ-લાભ-અજ્ઞાન એ ત્રણે કરીને હિંસા કરે છે. ધનાપાજનને અર્થ, ધમ નિમિત્તે, કામ-ભાગને અર્થે, તેમજ ધન-ધમ અને કામભાગ એ ત્રણેને અર્થે તેઓ હિંસા કરે છે.
હિંસક લેાકેા.
૧૧
આ બધી હિ ંસા કાણ કરે છે? આહેડુ (સુઅરને શિકાર કરનારા), ધીવર (મચ્છીમાર), પારધી (૫’ખીઓના શિકારી), બીજા પ્રકારના પારધી (વાહા); એ ક્રૂર કમ કરનારાએ વાગરી (એક જાતનું પ્રાણી), ચિત્તો, મૃગાદિકને જીવતા ખાંધવા ઉપાચા કરે છે; તેમજ ત્રાપા પર એસીને મચ્છ પકડવાને જાળ નાંખે છે; ખાજ પક્ષી, લેાહનાં સાધના, ડાભના પાસલા, કુડી, બકરી (ચિત્તા વગેરેને આકવા માટે) વગેરે શિકારનાં સાધના, અને પાપી સેવ કાને પણ તે ચાંડાલેા પાતાના હાથમાં રાખે છે. વનચર (ભીલેા વગેરે), વ્યાધ (મૃગના વધ કરનારા), મધ એકઠું કરનારા, બાળ હત્યારા, મૃગલીના પાષક (મૃગલાં મેળવવા માટે), મૃગાના પાષક, સરોવર-દ્રહ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ( શખ–સીપ-મત્સ્ય વગેરે મેળવવા માટે) ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને બાંધનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાલકુટ ઝેર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ઘાસ તથા ખેતર
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વગડાને અગ્નિ લગાવ નિર્દયતાથી બાળનારા, અને કૂર કમ કરનારા પ્લેચ્છ જાતિના લેકેઃ એ બધા આ પ્રકારની હિંસા કરે છે. હિંસક લેકનાં જાતિ-દેશ. - આ મ્લેચ્છ જાતિના લેકે કયા ક્યા દેશના વાસી છે? સકક દેશ, યવન દેશ, સંબર દેશ, બર્બર દેશ, કાય દેશ, મુરડ દેશ, ઉડ દેશ, ભડગ દેશ, ભિત્તિય દેશ, એકણક દેશ, કુલાક્ષ દેશ, ગેડ દેશ, સિંહલ દેશ, પારસ દેશ, ફ્રેંચ દેશ, અંધ દેશ, દ્રવિડ દેશ, ચિત્તલ દેશ, પુલિંદ દેશ, આસ દેશ, ડેબ દેશ, પિwાણ દેશ, ગંધહારક દેશ, બહલીક દેશ, જલ દેશ, રેમ દેશ, મેસ દેશ, બકુશ દેશ, મલય દેશ, ચુંબુક દેશ, ચુલિક દેશ, કોંકણુક દેશ, મેદ દેશ, પલ્લવ દેશ, માળવ દેશ, મગર દેશ, આભાષિક દેશ, અનક્ષ દેશ, ચીન દેશ, નહલાસિક દેશ, ખસ દેશ, ખાસિક દેશ, નેધર દેશ, મહા રાષ્ટ્ર, મુષ્ટિક દેશ, આરબ દેશ, ડેવિલક દેશ, કુહણ દેશ, કેકય દેશ, હુણ દેશ, રૂડક દેશ, મરૂગ દેશ, અને ચિલાક દેશઃ એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જળચર, સ્થળચર, નખવાળાં (સિંહાદિ) પ્રાણીઓ, સર્પાદિ, બેચર (પક્ષીઓ, સાણસા જેવા મુખવાળાં પંખીઓ, સંસી પ્રાણીઓ, અસંસી પ્રાણીઓ, પર્યાપ્ત છ વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે. તેઓ
Page #30
--------------------------------------------------------------------------
________________
હિંસાકમ
પાપ ઉપર રૂચિવાળા, પ્રાવધ કરીને આનંદ માનનારા, જીવહિંસાને અનુષ્ઠાન માનનારા અને પ્રાણહિંસાની કથા. વાર્તા સાંભળવામાં સંતોષ ધરાવનારા હેય છે. હિંસાનાં ફળ,
તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભોગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપનાં ફળ નરકાદિના દુઃખકારક અને ભયંકર હોય છે. ઘણા કાળ સુધી અવિશ્રાન્તપણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાને અનુભવ એ પાપ કરાવે છે. આયુષ્ય પૂરું થયે એ જ ઘણાં અશુભ કર્મોને યોગે નરકમાં ઉત્પન્ન થાય છે. એ પાપી છે શીઘ મહાનરકમાં ઉત્પન્ન થાય છે. નરક્યાતનાનું વર્ણન.
એ નરક કેવી છે? તેને વામય ભીતે છે, અતિ પહેલી છે, સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠોર ભૂમિનાં તળીયાં છે, તેને સ્પર્શ કર્કશ છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગ્રહ બંધીખાનાં જેવાં છે. તે અત્યંત ઉષ્ણ, હમેશાં તસ, દુર્ગધી, સડેલાં પુદ્ગલવાળાં, ઉગજનક અને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગ્રહ શીતળતામાં હીમના પડળ જેવાં છે, કાન્તિએ કાળાં છે, ભયંકર છે, ઉંડાં-ગહન છે, જેમાંચકારક છે, અરમણીય છે. અનિવાર્ય રેગ અને જરાથી પીડાયલા નારકી નું એ નિવાસસ્થાન છે. ત્યાં હમેશ તિમિર ગુફા અને અંધકાર વ્યાપેલે છે. ત્યાં પરસપર ભય રહે છે. ત્યાં
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગ્રહો મેદ, ચરબી, માંસ, પરૂ, લેહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકણુ તથા સી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરનાં લાકડાંના જે જાજવલ્યમાન અને રાખથી ઢંકાયેલા જે અગ્નિ છે. એ નરકગૃહને સ્પર્શ તત્વાર, છરે, કરવતની ધાર જે તીક્ષણ, વીંછીના આંકડાના ડંખ જે અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાનો, શરણ વિનાને, કડવાં દુઃખે કરી પીડા પામતે, પૂર્વે બાંધેલાં કર્મોવાળા હાઈ વેદના ભગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવે વ્યાપી રહેલા છે. નારકી અને અંતર્મુહૂર્તમાં વૈકિય-લબ્ધિ વડે કરી બેડેળ, બીહામણું અને હાડકાંનસ-નખ-રેમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યારપછી પાંચ પર્યાય અને પાંચ ઇન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાએ ભેગવે છે. તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વ શરીરવ્યાપી, ત્રણ ચોગમાં વ્યાપેલી, છેવટ સુધી રહેનારી હોય છે.
વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારૂણ કેવી હોય છે તે હવે કહે છે. લેહીની મેટી હાંડલીમાં રાંધવું, સેકવું, તાવમાં તળવું, ભઠ્ઠીમાં ભુજવું, લેઢાની કડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું (દેવી આગળ બકરીવત્ ), ખાંડવું, શામલી વૃક્ષના તીણું લોહકંટક જેવા કાંટા ઉપર રગદેળવું, ફાડવું, વિદારવું, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકથી ફટકા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હીંચોળવું,
Page #32
--------------------------------------------------------------------------
________________
- હિંસાકમ
શુળની અણુ ઘંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભેઠા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટ, એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કર્મોના સંચયથી નારકી છ પીડાય છે. નરક ક્ષેત્રને અગ્નિ, મહાઅગ્નિ (દાવાનળ સરખે), એની અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જ ભગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ઘણા પલ્યોપમ અને સાગરેપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે આકંદ કરતાં કહે છે: “હે અત્યંત શક્તિમાન, હે સ્વામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છેડે, હું મરું છું, હું દુર્બળ છું, વ્યાધિ પીડિત છું!” એમ બેલ તે જીવ દયારહિત પરમાધામી તરફ દષ્ટિ કરે છે કે રખે
મને મારશે ! તે કહે છે: “મને કૃપા કરીને મુહૂર્તમાત્ર શ્વાસ લેવા દે અને મારા ઉપર રેષ ન કરે! ક્ષણ માત્ર વિસામે લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છેડે, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપ.” તે વખતે પરમાધામી તે નારકીને કે મળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી તું પી” એમ કહે છે અને તેને પકડીને પરમાધામી કથીરને રસ કળશમાંથી તેના કરસંપુટમાં રેડે છે; તે પાણી દેખીને નારકી ધ્રુજી ઉઠે છે, અને આંસુ ગાળતાં કરૂણાજનક સ્વરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, મારે હવે
*
:
-
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પાણી પીવું નથી.” એમ ખેલતાં નારકી દિશામાં દૃષ્ટિ કરતા, રક્ષણુરહિત, શરણરહિત, અનાથ, અમાંધન, સ્વજનાદિથી રહિતપણે ભય પામેલા મૃગાની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઇ નાસે છે. તેનાસી જતા નારકીને નિર્દય પરમાધામીએ બળાત્કારે પકડીનેતેમનું મ્હાં લાહ'ડ વડે ખુલ્લું કરીને કડકડતા કથીરના રસનેતેમાં રહે છે. કાઈ પરમાધામીએ તેમને દાઝતા જોઈને હસે છે, તે વખતે નારકીએ પ્રલાપ કરે છે, લયકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે, રૌદ્ર શબ્દ કરે છે, કરૂણ વચના મેલે છે, પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વર કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબ્દે આક્રંદ કરતા નારકી આરડે છે અને (“ હે દેવ, હું તાત, ” એવા) શબ્દો ઉચ્ચારે છે. આંધ્યા-રૂંધ્યા નારકીઓના આવા પ્રકટ આત સ્વર સાંભળીને તર્જના કરતા (“ટ” શબ્દોચ્ચાર કરી), કાપતા પ્રમાધામી અવ્યકત ગજના કરીને તેને પકડે છે, મળ વાપરે છે, પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, લાંય પછાડે છે, આંખના ડાળા કાઢે છે, હાથ આદિ અ’ગ કાપે છે, છેદે છે, મારે છે, ખૂખ મારે છે, ગળું પકડી મહાર કાઢેછે, ઉતાવળા અને પાછા ધકેલે છે, અને કહે છે: “ પાપી ! તારાં પૂર્વના પાપ કર્મને અને દુષ્કૃત્યેાને સભાર; ” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કોલાહલ થાય અને લેાકાને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે અને કાલાહુલ થાય છે. નરકમાં પરમાધામીઓથી પીડા પામી રહેલા નારીઓ અનિષ્ટ શબ્દો ઉચ્ચાર્યાં કરે છે, એટલે પરમા
ܕ
Page #34
--------------------------------------------------------------------------
________________
હિંસાકર્મ
ધામીએ તેમને તવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણઘડ-અણુદાર પત્થરના રણમાં, અણુદાર શુળોના જંગલમાં, ખારની ભરેલી વાવમાં, ઉકળેલા કથીરરસની વેતરણું નદીમાં, કદંબ પુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહા પીડા પામે છે. અતિ તત કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને જેને તપાવેલા લેહમાગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે, અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે. તે શસ્ત્રો કેવાં છે? મુદ્દગર, સુસુંઢિ (એક જાતનું લોહનું હથિયાર), કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક્ર, ભાલ, બાણ, શૂળી, લાક, છરે, લાંબે ભાલે, નાળ, ચામડામાં મઢેલે પત્પર, મુગરાકાર હથીયાર, મુષ્ઠિ જેવડે પત્થર, તલવાર, ખેડગ (એક જાતનું શસ્ત્ર), તીર, લેહનું બાણ, કણગ (એક જાતનું બાણ), કાતરણું, વાંસલો, પરશુ, અણીદાર ટંક, એવાં અતિ તીક્ષણ, નિર્મળ, ચકચકાટ કરતાં અનેક પ્રકારનાં ભયંકર શસ્ત્રો વિક્રેય બનાવીને અને સજજ કરીને પૂર્વ ભવના વિરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે, સામા થઈને એક બીજાને મારે છે, મુદગરના પ્રહારે એક બીજાને ચૂર્ણ કરે છે, મુસુંઢિએ કરીને ભાગે છે, દેહને કચડી નાંખે છે, યંત્રે કરીને પીલે છે, તરફડતા દેહને હથીયારે કરીને કાપે છે. કેટલાક નારકીની ચામડી ઉતરપ્લે નાંખે છે, કાન-હઠ-નાકને મૂળમાંથી કાપી નાંખે છે, હાથ-પગ છેદી નાખે છે, તત્વાર-કરવત-અણીદાર
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ભાલા-પરશુના પ્રહાર કરીને નારકીના દેહને કાપે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણીએ ભેંકીને શરીરને જર્જરિત કરે છે, ભેંય ઉપર પાને રગદળે છે, અને તેમનાં અંર્ગોપાંગ સૂજી જાય છે. વળી નરકમાં નહાર, કૂતરા, શીયાળ, કાગડા, બિલાડાં, અષ્ટાપદ, ચિત્રા, વાઘ, સિંહ, એવાં મદેન્મત્ત જાનવર જે સદા ભેજનરહિત હોઈ ક્ષુધાથી પીડાઈને અતિ ઘર અને બીહામણું શબદ કરે છે અને જેમનાં રૂપ અત્યંત બીહામણું છે, તેઓ નારકીને - પગ વચ્ચે ઘાલીને પિતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીવ્રનખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેંકી દે છે; તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, કૂર ગીધ, ઘર અને મોટા કાગડા જેવા પંખીઓનો સમૂહ પોતાના કર્કશ, નિશ્ચલ અને આકરા નખ કરીને ચુંટે છે અને લોહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ આકાશમાંથી ઉતરી આવીને તેમને પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરી નાંખે છે, અને તેમના મુખને પહોળા કરીને ભાગે છે. એટલે એ નારકીઓ આકંદ કરતા ઉંચા ઉછળે છે, નીચા પડે છે અને ચારે બાજુએ પારભ્રમણ કરે છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાત્તાપ કરે છે, બળે છે, અને પિતાને નિંદે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
હિંસાકમ
૧૯
હિસકના પુનર્જન્મ
પૂર્વે કરેલાં કર્મોને અને પાપાને અનુસરતાં ચીકણાં દુઃખ તે તે નરકમાં ભાગવીને પછી નારકીનાં આયુષ્ય પૂરા થતાં તેમાંના ઘણા તીર્યંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જીવા દારૂણ દુઃખ ભોગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા, વ્યાધિ એ બધાં ફૈટની ગતિની માફક (ચક્રવત) ભાગવવાં પડે છે. જલચર સ્થલચર અને ખેચરની ગતિમાં ઉપજીને માંહેામાંહે વિનાશ અને પ્રપચ આદરે છે. જગતમાં રાંક-પડાં તીર્યચા ઘણા કાળ સુધી દુઃખ પામે છે એ તા પ્રકટ છે. આ દુઃખા કેવાં છે? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી; સુશ્રૂષાથી રહિતપણે વનમાં જન્મ પામવા; સત્તાએ ભય તથા ઉદ્વેગમાં વસવું; ભયે કરીને જાગવું; વધ’- ધનનુ પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં પડવું, ભારે કરીને હાડકાં ભાગવાં, નાક વિધાવવું, પ્રહારે કરી દુ:ખ પામવું, કાન વગેરે અંગોપાંગ છેદાવવાં, ખળાત્યારે-માર ખાઈને કામ કરવું, ચાબુક-અકુશ-આર વગેરૈને શરીરમાં ભેાંકાવવાં, પરાણે શીખવું (ક્રમન વેઠવું), નાના પ્રકારના ભાર વહેલા, માતાપિતાના વિયેાગ સહેવા; કાન-નાકના છિદ્ર વાટે રાશ-દોરડા વડે બંધાવું; શસ્ત્ર, અગ્નિ, વિષ ઇત્યાદિ વડે હાવું; ગળું-શીંગડાંના આમળવાથી મરણ પામવું; ગલ અને જાળે કરી પાણીમાંથી (માછલીનું) બહાર નીકળવું, પાંકની પેરે સેકાવું, છેઢાવું, જીવિત સુધી મંધનમાં રહેવું, પાંજરામાં પુરાવુ, પેાતાના ટોળામાંથી વિખૂટા પડવું, (દુ:ખપૂર્વક) વાયુ પુરાવવે,
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દરવાવું, દેરડા વડે ગળે બંધાવું, વાડામાં ઘણું પશુઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, બળાત્કારે પાણીમાં પેસવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠ, પર્વતાદિ ઉપરથી નીચે પછડાવું, દાવાનળની જવાળાએ કરીને બળવું, ઈત્યાદિ સેંકડે દુઃખથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે. છે. નરકમાં જે કર્મનાં ફળ દુઃખ રૂપે ભગવ્યાં છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીવને તીર્થંચ પંચેંદ્રિયમાં આવાં દુખે ભોગવવાં પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપ કર્મો ઉપરાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠોર એવાં આ દુખે છોને ભોગવવાં પડે છે.
ચતુરેંદ્રિયમાં ભ્રમર, મચ્છર, માખી ઇત્યાદિની ગતિમાં ઉપજેલા અનેક પ્રકારના છે જેમની જાતિ નવ લાખ કુળકીની છે તે જન્મ-મરણના અનુબંધને ભેગવતા સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકનાં જેવાં તીવ્ર દુઃખ ભોગવે છે. સ્પર્શ, જીભ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિા સહિત એ છે ઉપર જણાવ્યા તે પ્રકારનાં દુઃખ ભોગવે છે.
તેવીજ રીતે ત્રિક્રિયામાં કંથવા, કીર્વ, ઉધઈ આદિની આઠ લાખ કુળકે છે. તેમાં જન્મ-મરણને અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકના સમાન તીવ્ર દુઃખે સ્પર્શ, જીભ અને નાકવાળાં એ ત્રિઈ દ્રિય. જી ભગવે છે.
સ્પર્શ અને જીભ એ બે ઇન્દ્રિયવાળા છે, જળ, અળશીયાં, કરમીયાં, કેડને જીવ (અક્ષ), ઈત્યાદિની સાત
Page #38
--------------------------------------------------------------------------
________________
હિંસાકમ
લાખ કુળકે છે. તે જન્મ મરણનાં તીવ્ર દુખ સંખ્યાત કાળ સુધી જોગવતાં પરિભ્રમણ કરે છે.
એકેદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂરમ, બાદર, પર્યાપ્ત, અપ્રયત, પ્રત્યેક શરીરધારી, સાધારણુ શરીરધારી (અનંતકાય)માં છ જન્મ મરણનાં દુઃખ ભગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સુધી અનિષ્ટ દુખે અનુભવે છે. એકેદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ સમૂહને વિષે છે. કેદાળી, હળ વગેરે શસ્ત્રથી જમીન ખોદાય તેથી પૃથ્વી કાયમાં જીવને દુઃખ ભોગવવા પડે છે. પાણીમાં રહેલા એકેંદ્રિયપણે જીને સ્નાન વગેરેમાં મર્દાવું, ક્ષોભાવું (ઉલેચાવું) અને રંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાયમાં જીવોને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેદ્રિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પિતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુઃખો પરને અર્થે ભેગવવાં પડે છે. કાર્યને અર્થે, પિતાનાં દાસાદિક અને પશુ નિમત્તે તથા ઔષધે-આહાર આદિને માટે એકેદ્રિય જીને મનુષ્ય ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, ફૂટે છે, સેકે છે, ગાળે છે, ચેળે છે, સેવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે છે, (વાળ-રેસાને) ચુંટે છે, (પાંદ-ફળ માટે) ઝુડે છે, અગ્નિથી બાળે છેઃ ઈત્યાદિ રીતે એકેંદ્રિયપણે જ દુને ભવપરંપરામાં અવિચ્છિનપણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
તે પણ
, વિકૃત અંગે
આ
બડા
રા, કાણ,
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર પ્રાણાતિપાત (હિંસા) કરનારા પાપી જી એકેદ્રિયપણે અનંત કાળ સુધી દુખ ભેળવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાંથી નીકળીને મનુષ્યપણું પામે, તે પણ તેઓ બાપડા પુણ્યરહિત હાઇને વિકૃત અંગે અને વિકલા રૂપને પામે છે. તેઓ કૂબડા, વાંકા શરીરવાળા, ઠીંગણા, બહેરા, કાણા, કડવાળા, પાંગળા, ગાત્રરહિત, મૂળાં, બબડા, આંધળા, એક આંખવાળા, ચીપડાભરી આંખેવાળા, રેગવ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસ્ત્રથી વિનાશ પામતા, મૂખ, કુલક્ષણા, દુબળા, બેડેળ, કઢંગા, વિરૂપાકૃતિ, કુરૂપ, રાંક, હલકા કુળના, બળ સવથી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભોગવનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભોગવતાં બાકી રહેલાં કર્મો ભેગવવા નારકી તીર્થંચ અને ભુંડા માણસના અવતારપણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને, એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લેક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભેગવે છે. એ ફળવિપાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ રહેલું છે. જેને કર્મ રૂપ મેલ બહુ ચીકણે છે, દારૂણ છે, કર્કશ છે, આકરે છે, હજાર વર્ષ સુધી ન છૂટે તે છે, તેને તે કમ ભેગવ્યા વિના છૂટકે નથી અને તે સિવાય મુક્તિ પણ નથી.
આ પ્રમાણે જ્ઞાનકુલનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે, જેનું “વીર એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધને ફળવિપાક કહ્યું છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, રૂદ્ર-શુદ્ર જનેએ આચરેલ, અનાએ કરેલે, દયારહિત, ઘાતકી, મહાભયકારી, બીકના કારણરૂપ, ભીષણ, ત્રાસકા
Page #40
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ
૨ક, અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષારહિત, ધર્મરહિત, સ્નેહરહિત, કરૂણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, મેહના મહાભયને પ્રવર્તનકાર અને મરણથી દીનતા લાવનાર છે.
અધ્યયન ૨ જું
મૃષાવાદ જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે હવે આસવ દ્વારનું બીજું અધ્યયન મૃષાવાદ વિષે સંભળાવું છું. આ અધ્યયનનાં પાંચ દ્વાર છે. મૃષાવાદનું સ્વરૂપ.
મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ પુરૂષ બોલે છે, ભયકારક છે, દુઃખકારક છે, અપયશકારક છે, વૈરકારક છે, ચિત્તને ઉદ્વેગ-મનને સંતેષ-રાગ-દ્વેષ એવાં લક્ષણવાળો મનકલેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા અને અવિશ્વાસને અત્યંત વ્યાપાર છે, નીચ જનેથી સેવાય છે, સૂગરહિત છે, વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિંદવાલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાથી યુક્ત છે, દુર્ગતિમાં લઈ જનાર છે, સંસાર વધારનાર છે, વારંવાર જન્મ કરાવનાર છે, ઘણા કાળથી પરિચીત છે, ઘણા કાળથી સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુખ ઉપજાવનાર છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મૃષાવાદનાં નામ.
બીજા અધમ દ્વારમાં મૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામ નીચે મુજબ કહ્યાં છેઃ—(૧) જૂઠ્ઠું. (ર) માયાવી શબ્દ. (૩) અનાયાઁ વચન. (૪) કપટયુક્ત જૂઠું. (૫) ન હાય તે વાત કહેવી તે. (૬) એન્ડ્રુ, અધિક અને નિરર્થંક ખેલવું તે. (૭) ઇરાદાપૂર્વક મિથ્યા પ્રલાપ. (૮) વિદ્વેષયુક્ત નિંદ્યા. (૯) વર્ક વચન. (૧૦) માયા-પાપવાળું વચન. (૧૧) ઢગાઈ ભર્યું વચન. (૧૨) “ મિથ્યા કહ્યું ” એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. (૧૩) અવિશ્વાસુ વચન. (૧૪) પોતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારૂં કથન. (૧૫) ન્યાયથી ઉપરવટ વચન. (૧૬) આ ધ્યાન. (૧૭) આળ મૂકવું. (૧૮) મલિન વચન. (૧૯) વાંકુ ખેલવુ. (૨૦) વનના જેવુ' ગહન (ગૂઢ) વચન. (૨૧) મયુક્ત વચન. (૨૨) ગૂઢાચારવાળું વચન. (૨૩) માયાપૂર્વક ગેાપવેલું વચન, (૨૪) અપ્રતીતિજનક વચન. (૨૫) અસમ્યક્ આચારયુક્ત વચન. (૨૬) ખેાટી પ્રતિજ્ઞા. (૨૭) સત્ય વચન પ્રત્યે શત્રુતાસર્ચ કથન. (૨૮) અવહેલનાવાળા શબ્દો. (૨૯) માયાએ કરી અશુદ્ધ (સાવદ્યકારી) વચન. (૩૦) વસ્તુના સદ્ભાવને ઢાંકનારૂં કથન. એ પ્રમાણે સમુચ્ચયે પાપકારી મૃષાવાદના ૩૦ નામ કહ્યાં. એ ઉપરાંત મૃષાવાદના ચાગ અનેક પ્રકારે છે. મૃષાવાદીઓ.
હુવે મૃષાવચન કાણુ ખેલે છે તે વિષે ત્રીજે દ્વાર કહે છે, પાપી, અસંયમવંત, અવિરતિ (પાપથી નિવાઁ નથી તેઓ), કપટી, કુટિલ, દાણુ સ્વભાવવાળા, ચપળ(અસ્થિર),
Page #42
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ
૨૫,
ક્ષણે ક્ષણે નવા ભાવવાળા, ક્રોધ, લોભી, બીજાને ભય ઉપજાવનારા, મશ્કરી ખેર, સાખીયા (હાજી હા કરનારા), ચેર, માંગણહારા, માંડવીયા, જીતેલા જુગારી, ગીરે રાખનાર, માયાવીયા, ખોટા વેશધારી, માયાવી વેશ કરનારા, વાણિજ્યકાર, ખાટું તળનારા, હું માપનારા, ખોટા સીક્કા ચલાવી આજીવિકા ચલાવનારા, વણકર-સોની-છીપાબંધારા વગેરે, ઠગારા, હેરૂ (ગુપ્ત ચાર-જાસૂસ), મુખ-મંગળીયા (ભાટ-ભાંડ), કેટવાળ, જાર કર્મ કરનાર, દુષ્ટ વચન બોલનારા, ચાયા, ત્રણને નાકબૂલ કરનારા, પહેલું વચન બેલવામાં ચતુર (કે જે વચનને પાછળથી ફેરવી તળાય), સાહસિક માણસે, તેછડા માણસે, અસત્ય હેતુવાળા, અદ્ધિ વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનારા, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વછંદી, જેમ-તેમ બોલી નાંખનારા, એ બધા જૂઠું બોલનારા હોય છે. જેઓ જૂઠથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. અત્યંમતિ મૃષાવાદીઓ
તે ઉપરાંત નાસ્તિકવાદી તથા લોકસ્વરૂપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે છે અને સાંભળે છે કેજીવ કે અજીવ કાંઈ છે નહિ, જન્મ-જાતિ કશું છે નહિ, ઈહિલેક-પરલેક નથી, જીવને પુણ્ય કે પાપ કાઈ લાગતાં -વળગતાં નથી અને તેનાં ફળરૂપે સુખ-દુખ મળે છે એમ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથી જ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુના રોગથી સહિત છે. કેટલાકે પાંચ કંધને એટલે કે વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અને રૂપના સમૂહને જીવ કહે છે. કેટલાક મનજીવિકામત. વાળાઓ મનને જ જીવ કહે છે. કેટલાક શ્વાસને જીવ કહે છે. કેટલાકે કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે (પૂર્વજન્મ અને પુનર્જન્મ કાંઈ છે જ નહિ, આ ભવ છે તે એક જ ભવ છે, તે ભવને નાશ થતાં જ સર્વને નાશ થાય છે. તેટલા માટે (પરલેક ઇ. નથી તે માટે ) કેટલાક મૃષાવાદીઓ કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી. વળી તેઓ કહે છે કે, હિંસા, જૂઠ, ચેરી, પરદારસેવન, પરિગ્રહ એ પાપકર્મો નથી, તેમજ નરક-તીર્થચ-મનુષ્યની નિમાં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી; મા-બાપ પણ નથી; ઉદ્યમ કરવાપણું નથી; પ્રત્યાખ્યાનની જરૂર નથી; કાળ નથી કે મૃત્યુ પણ નથી; તેવી જ રીતે અરિહંત, ચકવત, બળદેવ, વાસુદેવ પણ નથી; કેઈ ઋષિ-મુનિ પણ નથી; ડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી; માટે એમ જાણુને-ઇંદ્રિયને અનુકૂળ સર્વ પ્રકારના વિષયે ભેગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અક્રિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકે, વામ લેકમાર્ગીઓ કહે છે. કુદશનીઓ અને અસદ્ભાવવાદીઓ (અછતા પદાર્થોને પ્રરૂપનારાઓ) અને મૂઢ લોકે બીજું એવું પણ કહે છે કે આ જગત ઈંડામાંથી પિતાની મેળે જગ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રરૂપણ કરે છે. વળી કેટલાકે કહે છે કે પ્રજાપતિ (બ્રહ્માએ) આ જગત બનાવ્યું છે, કેટલાક ઈશ્વરને જગત્કર્તા કહે છે, કેટલાકે આ જગતને વિષ્ણુમય માને છે, કેટલાકે પંચભૂતમાંથી આ જ
Page #44
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ
२७
ગત્ પોતાની મેળે બન્યું છે એમ માને છે. કેટલાકે એવી મિથ્યા વાત પ્રરૂપે છે કે જગતમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે, તે સુકૃત-દુષ્કતને કર્તા નથી પણ ભેક્તા છે; ઇદ્રિજ સર્વથા સુકૃત-દુષ્કૃતના કારણરૂપ છે; સર્વ પ્રકારે નિત્ય, કિયારહિત, ગુણ (ત્રિગુણ) રહિત અને કર્મબંધનના લેપરહિત એ જગતમાં એકજ આત્મા છે. વળી કેટલાક એ મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્ય લોકમાં સુકૃત –દુષ્કૃતનાં ફળ દેખાય છે તે અણચિંતવ્યાં નીપજે છે અથવા સ્વાભાવિક રીતે જન્મે છે અથવા દૈવપ્રભાવથી (ભાવિભાવ) ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરૂપનું લક્ષણવિધાન કરે છે. એ પ્રમાણે કેટલાકે પ્રરૂપે છે.
[એ સર્વ અન્યમતિ મૃષાવાદીઓના પ્રકારે કહ્યા. હવે ગૃહસ્થ મૃષાવાદીઓના પ્રકારે કહે છે. ] ગ્રહw મૃષાવાદીઓ.
દ્ધિગર્વ, રસગર્વ અને શાતાગર્વમાં તત્પર એવા ઘણા લેકે જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે. બીજા લેકે અધર્મ" અંગીકાર કરતાં રાજ્યની વિરૂદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચોરી નહિ કરનારને ચેર કહે છે; સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે; સુશીલવંત માણસને દુઃશીલવંત કહીને તે પરદારાગામી છે એવું કહી આળ ચડાવી મલીન કરે છે; વિનયવંતને દુવિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્ય પરની કીર્તિને નાશ કરતાં કહે છે કે “એ તે પિતાના
Page #45
--------------------------------------------------------------------------
________________
વને કે તિની જ છે.
૨૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિત્રની સ્ત્રીનું સેવન કરે છે. કેટલાકે બીજાઓને ધર્મભ્રષ્ટ, વિશ્વાસઘાતી, પાપકર્મી, લેકવિરૂદ્ધ કર્મ કરનાર, અગમ્ય એવી સ્ત્રીઓ (બહેન-પુત્રી આદિ) સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરૂ
ને મત્સરધારી મનુષ્ય અવગુણયુકત કહે છે. તે લેકે પિતાની કીતિની વાંછનાવાળા અને પરલોકના સુખની વાંચ્છના વિનાના હોય છે. એવાં જૂઠાં વચન બેલવામાં હેશિયાર અને બીજાને દેષિત ઠરાવવામાં આસક્ત મનુષ્પો જેઓ અણુવિચાર્યા વચને બેલે છે અને જેઓનું મુખ તેમના શત્રુરૂપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજ એવાં કર્મોના બંધને કરીને વીંટે છે. વળી એવા કે પારકી થાપણ પચાવી પાડવા જૂઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લેભને વશ વર્તતા થકા બીજાઓ ઉપર અછતા દેનું આપણું કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, આત્માનું અહિત કરનાર એવા ધનને અર્થે જૂઠું બોલે છે, કન્યાને અર્થે જૂઠું બોલે છે, ભૂમિને અર્થે જૂઠું બોલે છે, તેમજ ચૌપદાદિ-જાનવને અર્થે જૂઠું બોલે છે એવું મટકું જૂઠું બોલનારાઓ અધગતિને પામે છે. અન્યતર મૃષાવાદીઓ
એ સિવાયના બીજાઓ પણ વિવિધ પ્રકારે જૂઠું બોલે છે. કેટલાકે જાતિ-કુળ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલે છે. ચપળ મનુષ્ય (અસ્થિર સ્વભાવવાળાઓ) આઘું પાછું બોલે છે, ચાલ કરે છે, પરમ અર્થરૂપ મુક્તિનાં ઘાતક એવાં - વચન લે છે. કેટલાકે અછતું, દ્વેષયુક્ત, અનર્થકારી,
Page #46
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ
૨૯
પાપકર્મના મૂલરૂપ વચન, અસમ્યક્ પ્રકારે દેખેલું અને અસ
મ્ય પ્રકારે સાંભળેલું હોય એવું વચન, અવિચાર્યું વચન, નિર્લજજ વચન, લેકનિઘ વચન, જે વચનેથી અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં વચન, જરામરણ–દુઃખ-શોકના કારણરૂપ વચન અને અશુદ્ધ પરિણામે મલીન એવાં વચન બેલે છે. વળી ખોટા અભિપ્રાયમાં પ્રવતેનારા, અછતા ગુણને બોલનારા, છતા ગુણને ઉડા મૂકનારા, હિંસા વડે જીવને નાશ થાય તેવું વચન બેલનારા, મૃષાવાદયુક્ત વચન બોલનારા, સાવદ્ય (પાપકારી)-અકુશલ અને સાધુજનેથી નિંદાયેલું વચન બોલનારા અને અધર્મજનક બોલનારાઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્યપાપના અજાણ, અધિકરણ–સાધનથી થતી ક્રિયાના પ્રવતંક, પિતાને અને પર અનર્થ તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે. હિંસક મૃષાવાદીએ.
બીજા કેટલાકે ભેંસો, ડુક્કરે, વગેરેના ઘાતકેને (તેમના સ્થાનની) ખબર આપે છે, તેમજ સસલાં, જંગલી પશુઓ, રેઝ વગેરેની ખબર વાઘરીઓને આપે છે તે ઉપરાંત પારધીને (શિકારીને) તેતર, બટે, લાવા, કપિંજલ, કબૂતર વગેરે પક્ષીઓની જાણ કરે છે; વળી માછીમારને માંછલાં, મગર અને કાચબા વગેરેની ખબર આપે છે, શંખ, કેડા વગેરે જીવડાંની ખબર ધીવરને આપે છે; અજગર, ફેણરહિત સર્પ, મંડલીક સર્પ, ફેધર સર્પ, મુકુલીન સપ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી પ્રવ્યાકરણ સૂત્ર વગેરેની ખબર ગારૂને આપે છે, ઘ, શેળે, સલ્લક, કાકીંડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે; હાથી-વાનરનાં 'ટેળાંની ખબર તેને પાશમાં બાંધનારને આપે છે, પિપટ, મેર, મેના, કેયલ, હંસનાં ટેળાં, સારસ વગેરેની ખબર તેમને પકીને પીંજરે પૂરનારાને આપે છે; વધ, બંધન અને પીડા ઉપજાવવાની રીત નગરના કેટવાળ વગેરેને બતાવે છે; ધનધાન્ય તથા ગાય વગેરે પશુઓની ખબર ચેરને આપે છે; ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરૂને (ગુપ્ત ચાર) આપે છે, માર્ગને અંતે અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂંટારાઓને-ગંઠી છેડાને ખબર આપે છે; ચેરી કરનાર વિષેની ખબર કેટવાળને આપે છે; પશુના કાન કાપવા, ખસી કરવી, ગાય વગેરેને વાયુ પૂર, દોહવું, પ્રાણ વગેરેથી પિષવું, વાછડાને બીજી ગાય સાથે હેળવવાં, પીડા ઉપજાવવી, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીતમાહીતી ગોવાળીયા વગેરેને આપે છે; ધાતુ, મણસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર આગરીયાને (ખાણ ગાળનારને) આપે છે; ફળ-ફુલ વગેરે નીપજાવવાને વિધિ માળીને કહે છે; બહુમૂલ્ય મધ નીપજવાનાં સ્થાનની ખબર ભીલ લોકોને આપે છે; જુદા જુદા પ્રકારને અનિષ્ટ ઉપદેશ આપ, જે કે (ઉચ્ચાટનાદિકના) અંત્રને ઉપયોગ કરવાની રીત બતાવવી, (ગર્ભપાતાદિક માટે) વિષપ્રયોગ જણાવ, નગરાદિકને ભાવવું, (વશીકરણ દિના) તથા જી-બુટી (ઔષધ)ના પ્રાગે બતાવવા, ચેરી–પરદાર ગમન-વગેરે બહુ પાપકર્મની રીતિ શીખવવી, છળ-કપટથી
Page #48
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ.
૩૧
બીજાના બળને તોડવા સમજાવવું, ગામ ભાંગવાં-વન બાળવાં–તળાવ ફેડવાં વગેરે દુષ્કર્મો શીખવવાં, કેઈની સારી બુદ્ધિને અથવા વિષાદિને નાશ કરતાં શીખવવું. આ પ્રમાણે ઉપદેશ આપનારાઓનું કાર્ય ભય, મરણ, કલેશાદિ દેષને ઉપજાવનાર છે, મનના ભાવને કલેશયુક્ત અને મલીન કરનાર છે.એવા પ્રકારનાં ઉપદેશવચને પ્રાણીને ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને તે બધાં હિંસાકારી વચને પાપની ઉદીરણ કરનારાં છે. પૂછયે કે વગરપૂછયે પારકી વાતની ચિંતા કર્યા કરે અને અણુવિચાર્યું બાલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપે કે ઉંટ, બળદ, રેઝ વગેરે જનાવરેને દમ-કામ કરતાં શીખવો કારણકે હવે તે જુવાન થયાં છે, ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેર, વેચે, વેચાતા લેવરાવે, (પક્ષી આદિકને) રાંધે, સગાં-સંબંધીઓને તે આપ, મદિરાદિ પાઓ, દાસ-દાસી, ચાકર, ભાગીદાર, શિષ્ય, ખેપીયા, કામગરા, કિંકર, એવા બધા સ્વજન-પરિજને કેમ નવરા બેઠા છે, કેમ કામ બતાવતા નથી, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે અને કામ કરતી નથી, ગહન વન, ધાન્ય વાવવાનાં ખેતર, અણખેડ્યાં ખેતર તથા બીજાં ખેતરમાં બહુ ઘાસ ઉગી નીકળ્યું છે માટે તેને બાળે, વાઢી નાંખો, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજા બહુવિધ સાધન બનાવે; શેરડને કાપીને પલા, તલને પીલા, ઘરને અર્થે ઇંટે પડા, ખેતર ખેડે અને ખેડા, જંગલમાં ગામ, નગર, ગામડાં, કવડ (નાનું નગર), વાસ વગેરે વસાવે; ઘણી વિશાળ સીમામાં
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફળ-ફુલ, કંદ, મૂળાદિ પાકી નીકળ્યાં છે માટે તે સગાંસંબંધીઓને માટે લઈ લો અને સંગ્રહ કરે; ડાંગર, ચોખા, જવ વગેરે લણ, ખંડા, ઉપણા અને જલ્દી કે ઠારમાં ભરે; નાનાં-મોટાં વહાણેના સાથને હણ-લૂટે, લશ્કર લઈને નીકળો, ઘોર જંગલમાં જાઓ, લડાઈ ચલાવે, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખ, મુંડન-વિવાહ-યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણકે તે દિવસ સારે છે, કરણમુહૂર્તનક્ષત્ર-તિથિ સારાં છે; આજે સ્નાન કરે, આનંદ પૂર્વક ખાઓ-પીઓ, ન્હાઓ-ધુઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિત કરેલા જળવડે સ્નાન કરે, શાન્તિ-કર્મ (હવનાદિ) કરે, સૂર્ય—ચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં સ્વપ્નાદિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે (બકરાં વગેરેના) મસ્તકનો ભાગ ચંડિકાદિ દેવદેવીઓને ચડાવે, કષ્ટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ, ભાનપાન, પુષ્પમાળા, ચંદનાદિને લેપ દેવોને ધરે, ઉજવળ દી કરે, સુગંધી ધૂપ સળગાવે, ફૂલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરે, અને એમ બહુવિધ હિંસાથી વિદને ટાળ; વિપરીત પ્રકા૨ના ઉત્પાત, ભંડાં સ્વપ્નાં, માઠાં શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગળ નિમિત્તના દેષ, એ બધું નિવારવાને માટે અમુક પ્રકારના હિંસક અનુષ્ઠાન કરે; અમુકની આજીવિકા કાપી નાખો, એને કશું પણ દાન આપશો નહિ, ભલે માર્યો, ભલે છે, ભલે ભે; આ પ્રમાણે વિવિધ પ્રકારને પાપકારી ઉપદેશ કરનારાઓ મન-વચન-કાયાએ કરી મૃષાવાદનું પાપ કરે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ
.
૩૪
મૃષાવાદનાં ફળ. * મૃષાવાદીઓ બેલવા વિષે અવિવેકવાળા, અનાર્ય, ખેટાં શાસ્ત્રોવાળા, બેટા ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ ખોટું બોલી તથા બહુ પ્રકારે બેટાં કામ કરી સંતોષ માનનારા હોય છે, તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા થકા, મૃષાવાદ કરીને મહાભયને, અવિરત વેદનાને, ઘણા કાળ સુધી બહુ દુઃખે કરીને યુક્ત એવી નરક-તીર્થયની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુઃખે જોગવતા થકા પુનઃ પુનઃ ભવના અંધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજ્યા થકા તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ઘ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષ્મી અને ભેગથી રહિતતા, અસૌખ્ય (મિત્રરહિતતા), શરીરનું રેગીપણું, કુરૂપતા, વિરૂપતા સ્પર્શની કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ, વિફળ-અવ્યક્ત ભાષા, સંસ્કાર-સન્માનરહિત તતા, દુર્ગધી શરીર, ચેતનારહિતતા, દુર્ભાગતા-અનિષ્ટતા, અસુંદરતા, કાગડા જે સ્વર, ધીમે અને ફાટેલે (અપ્રિય લાગે તે) સ્વર, વિહિંસા (તુચ્છકારને ભય), મૂર્ખતા; બહેરાપણું, મૂગાપણું, ગુંગણાપણું, અળખામણી ભાષા, વિકૃત ઇંદ્રિયે, નીચ જાતિનું સેવન, લોકનિંદા, સેવકપણું, હલકા લેકનું દાસત્વ, દુબુદ્ધિ, લેકશાસ્ત્ર (સામાન્ય નીતિશાસ્ત્ર)-વેદશાસ્ત્ર-અધ્યાત્મશાસ્ત્ર-સમયશાસ્ત્ર (આહંત શાસ્ત્ર)ની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદના કમરૂપી અગ્નિથી
હતા તેવા
પણ,
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દાઝેલા મનુષ્યેા પામે છે. અછતું-ખાટુ ખેલનારા પાપી જના અપમાન, નિંદ્યા, ચાડી, મિત્રભેદ અને માતા-પિતા–માંધવસ્વજન-મિત્ર ઈત્યાદિ તરફનાં અનેક પ્રકારનાં આળ-દૂષણને પામે છે. આ આળ-દૂષણુ મનને અણુગમતાં, હૃદયમનને દુઃખકારક, જીવતાં સુધી ન ઊતરે તેવાં હોય છે. અનિષ્ટ-કાર-આકરાં વચન સાંભળવાં, તના–નિભડ્સના થવી, દીન વજ્રન, કંગાલ મન, હેલક ભાજન, હલકાં વજ્ર, કુવાસ ઇત્યાદિ વડે ફ્લેશ પામતા એ પાપી જનાને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી. એવાં અત્યંત વિપુલ દુઃખે એ મૃષાવાદી સેકડા ગમે ભાગવે છે. મૃષાવાદના વિપાક આ લાકમાં અને પરલેાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ, મહા લય, અહું કમ રૂપી મેલને ઉપજાવે છે અને તે ક્રમ'નાં ફળ આકરાં, રૌદ્ર, કઠાર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભાગળ્યા સિવાય ન છૂટે તેવાં છે.
એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર, મહાત્મા, શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે મૃષાવાદના ફળ નિપાને કહે છે. મૃષાવાદ કેવા છે ? તે મૃષાવાદ તાછડા છે, ચપલ પુરૂષો તે કરે છે; વળી તે ભયંકર, દુઃખકર, અપચશકારક, વૈરકારક, રતિ-અરતિકારક, રાગ-દ્વેષકારક, મન:ક્લેશકારક, માયા-કપટને ઢાંકનાર, અતિ હકારક, નીચ જનથી સેવિત, સૂગરહિત, અપ્રતીતિકારક, સુસાધુથી નિંદ્ય, પરપીડાકારક, ઉત્કૃષ્ટ કૃષ્ણ વેશ્યાથી યુક્ત, દુગાઁતિકારક અને દુર્ગતિવક, વારંવાર જન્મ-મરણના કારણરૂપ, ઘણા કાળથી પરિચિત, પર’પરાથી ચાલ્યા આવતા અને દુઃખે કરી અંત પામી શકાય તેવા છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
મદત્તાદાને
અધ્યયન ૩ જું
અદત્તાદાન (ચર્યકર્મ) જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન સંભળાવું છું.
અદત્ત એટલે નહિ આપેલી એવી વસ્તુનું હરણ કરવું તે (સામા માણસને) ચિત્તને સંતાપ-મરણ-ભય-ત્રાસ ઉપજાવનારું, પરધનને વિષે બૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ (ચોરી કરીને) પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે અદત્ત દાન) અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારૂં અને અનાર્યનું આચરણ છે.(પરગૃહમાં પ્રવેશવા માટેના) છિદ્રને તથા (ચોરી કરવાના અનુકૂળ) અવસરને જેનારે, કષ્ટ તથા રાજા તરફના ઉપદ્રવને નેતરનારે, ઉત્સવમાં મગ્ન થએલા-પ્રમાદવંત-ઉંઘનારા–એવા લેકેને ઠગનાર, વ્યગ્ર કરનારે, મારનારે અને અનુપશાંત સ્વભાવવાળો, એવા માણસને ચોર માનવો. અદત્તાદાનનું સ્વરૂપ.
(એ અદત્તાદાન કેવું છે?) દયારહિત, રાજપુરૂષથી અટકાવાયેલું, સાધુજનેથી સદા નિંદિત, પ્રિયજન-મિત્રજન વચ્ચે ભેદ-અપ્રીતિને કરનારું, રાગદ્વેષને પુષ્ટ કરનારું, ઘણા લકોને વિષે લડાઈ, મારામારી, રાજ્ય વચ્ચેને કલહ, કલેશ, કંકાસ, હિંસા ઇત્યાદિને કરાવનારૂ, દુર્ગતિમાં પાડ
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
નારું, દુર્ગતિને વધારનારું, જન્મ-મરણને વધારનારું, ઘણા કાળનું સેવેલું, હમેશાં સાથે ચાલ્યું આવનારું અને દુખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે. અદત્તાદાનનાં નામ.
એ અદત્તાદાનનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ છે –(૧) ચારવું, (૨) પરકા ધનને હરવું, (૩) નહિ આપેલી વસ્તુ લેવી, (૪) ફૂર કાર્ય કરવું, (પ) પારકા દ્રવ્યને લાભ લે, (૬) અસંયમ, (૭) પરધનમાં વૃદ્ધ થવું, (૮) લેલુપી થવું, (૯) તસ્કરપણું, (૧૦) અપહરણ કરવું, (૧૧) પરધન હરવામાં હાથચાલાકી કરવી, (૧૨) (ચેરી રૂ૫) પાપકર્મ કરવું, (૧૩) ચૌર્ય ભાવ, (૧૪) હરવું અને ધનની હાનિ કરવી, (૧૫) પરધનને લેવું, (૧૬) પરધનને છીનવી લેવું, (૧૭) અપ્રતીતિજનક કાર્ય, (૧૮) પરને પીડાજનક કાર્ય (૧૯) પરધન લેવા માટે ઉદ્યમ, (૨૦) સંતાડવું, (૨૧) વિશેષ પ્રકારે કરીને છુપાવવું, (૨૨) કુંડાં તેલ, (૨૩) કુળને કલંક લગાડવું, (૨૪) પરદ્રવ્યને અભિલાષ કરવે, (૨૫) (રાજા તરફથી કષ્ટ આવે ત્યારે) દીનતા દર્શાવવી, (૨૬) વિનાશકારક વ્યસન, (૨૭) પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ, (૨૮) પામેલા ધનની તૃષ્ણા અને નહિ પામેલા ધનની વાંચ્છના, (ર૯) કમને ઢાંકવા માટે માયા કપટ, (૩૦) પારકી નજર ચુકાવીને ચોરી કરવી. એ પ્રમાણે અદત્તાદાનનાં ૩૦ નામ છે, અને તે ઉપરાંત અદત્તાદાનના દુષ્ટ કર્મનાં બીજાં અનેક નામે જાણવાં.
Page #54
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
ચોર્યકર્મ કરનારાઓ.
હવે ત્રીજા દ્વારમાં ચોરીનું કર્મ કેણ કરે છે તે દર્શાવે છે -ચાર, તસ્કર, પરદ્રવ્યહારક, ચોરીના ધંધાદારીઓ, ચોરી કરવાની તક સાધનારા, ચોરી કરવામાં હિંમતબાજ, તુચ્છ આત્મા, અતિ અસંતોષવાળા, લોભગ્રસ્ત, વચનના આડંબરથી બીજાને ઠગનાર, માયા-પ્રપંચકારક, પરધનને વિષે આસક્ત, સામે થઈને મારનાર, કરજ લઈને ન ચૂકવનાર, બો૯યું નહિ પાળનારા, રાજાએ (ચોરીના કામને કારણે) દેશનિકાલ કરેલા, જ્ઞાતિ બહાર કરેલા, જંગલને બાળનાર, ગ્રામઘાતક, નગરના ઘાતક, પંથના ઘાતક,છાની રીતે ગામ બાળનાર,તીર્થ જતા જાત્રાળુએને મારનારા, હાથચાલાકી કરનારા, બીજાને છેતરીને ચોરી કરનારા, જુગારી, માંડવીના રખવાળ, સ્ત્રી ચોર, પુરૂષ ચોર, ખાતર પાડનારા, ગંઠોડા, સામા માણસને મારીને ધન હરનારા, ઠગારા, હઠ કરીને ધન લેનારા, સામા માણસને બહુ માર મારીને લૂંટનારા, છૂપા ચેર, ગાયે ચારનારા, ઘોડા ચોરનારા, દાસી ચોરનારા, એકલા ચોરી કરનારા, ચોરને સંતાડનારા, ચેરને ભેજનાદિ આપેપહોંચાડે તેઓ, ચોરની પાછળ છાના રહેનારાએ, સાથને ઘાત કરનારા, વિશ્વાસનાં વચન બેલી ધન લેનારા, બીજાને મોહ પમાડવા વિશ્વાસનાં વચન બેલનારા, રાજનિગ્રહથી લૂંટનારા (બહારવટીયા), એ રીતે ચોરી અને પરધનનું હરણ કરવાની બુદ્ધિના ભેદે કરીને અદત્તાદાન, લેનારાઓ અનેક પ્રકારના છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી પ્રેક્ષ વ્યાકરણ સૂત્ર
પરધનલાભી રાજાઓ,
વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે જેમને પચ્ચખાણ નથી, જેઓ અત્યંત સમર્થ છે અને પરિગ્રહવાળા છે, તેવા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હેઈ, પોતાના દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહ્યા થકા, બીજા રાજાએના દેશને વિનાશ કરે છે. તેઓ પારકા ધનને વિષે લેભાઈને હાથી ઘોડા રથ પાયદળ એવી ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુભટે સહિત, “હું પહેલો લડવા જવું” એવા અહંકાર સહિત પ્રયાણ કરીને પાબૂહ, શકટબૃહ, ચિબૃહ, ચક્રવ્યુહ, ગરૂડબૃહ ઈત્યાદિ બૃહોમાં સિન્યની સ્થાપના કરે છે અને સામાના લશ્કરને પોતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા યોદ્ધાઓ રણભૂમિને મોખરે પિતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે. (આ ચોદ્ધાઓ સંગ્રામમાં કેવી રીતે જાય છે તે કહે છે). તેઓ કવચ આદિને સજજ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રને સખત પટ ભીને, હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બખ્તર પહેરે છે, ચામડાના કવચથી શરીરને ઢાંકે છે, લોહને કંચુ પહેરે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે ઉભાં બાંધે છે, પિતાને હાથે રણમાં જવાને માટે શસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠેર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણને વરસાદ વરસાવે છે, વરસાદની ધારાની પેઠે બાણેની પ્રચંડ વૃષ્ટિથી
Page #56
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
૩૯
છવાયલા માર્ગમાં પ્રવેશ કરે છે. વળી આકાશમાં અનેક ધનુષ્ય-માણુ-તવારા-ત્રિા-ખરછીઓ ઉછળી રહી છે તેમાં ચાન્દ્રાએ ડાબે હાથે ઢાલ લઇને, મ્યાનમાંથી જળહળતી તલવારા બહાર કાઢીને પ્રહાર કરવા પ્રવૃત્ત થાય છે. ભાલાં, ખાણુ, ચક્ર, ગદા, કાહાડા, મૂશળ, હલ, ત્રિશૂળ, લાકડી, ભીંડીમાલ (એક જાતનું છરા જેવું હથિયાર), મેટા ભાલા, પટ્ટીશ, ચામડે વીંટેલા પત્થર, ઘણુ, મુઠ્ઠી પ્રમાણ પાષાણુ, સુગર, ભાગળ, ગાણના ગાળા, ટક્કર, ભાથાં, કુવેણી (મગધ દેશનું એક જાતનું શસ્ત્ર), આસનરૂપી શસ્ર, તત્વાર, ઇત્યાદિ જળહળતાં શસ્ત્રો શત્રુ પ્રત્યે તેઓ ફ્રેંક છે ત્યારે આકાશ વીજળીના પ્રકાશની પેઠે ક્રાન્તિમાન અને છે. વળી રણભૂમિને વિષે શંખ, ભેરી, દુંદુભિ, તૂરીના સ્પષ્ટ ધ્વનિથી અને પડહુ વાગવાથી જે ગંભીર શબ્દો થાય છે તેથી શૂરાઓ હર્ષિત થાય છે અને એ ભયંકર અવાજથી કાયરા ખીહે છે. હાથી, ઘેાડા, રથ, સુશને ઉતાવળે ચાલવાથી જે રજ ઉઠે છે તેનાથી છવાયલા અત્યંત અધકારથી કાયર જનાનાં નેત્ર અને હૃદય આકુળવ્યાકુળ અની જાય છે. શિથિલપણે કરીને ચંચળ એવા શિખરવાળા મુકુટા, કિરિટા, કુ’ડલા, નક્ષત્રમાળા (કંઠમાં પહેરવાનું આભરણ)થી શાલતા અને વિજયધ્વજ, વૈજયન્તી પતાકા, વીંઝાતા ચામર તથા છત્રાવાળા (સુલટા) પણુ ગહન અંધકારમાં ડૂબી જાય છે. ઘેાડાના હહણાટ, હાથીના ગુલગુલાટ, રથના ધણધણાટ, પાયદળ લશ્કરના હર-હરજી એવા ધ્વનિ, ખભા ઉપર ભુજાના થાપાટા, સિંહના જેવા
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
નાદ, દાંત પીસીને કરેલે સીત્કાર, દીન સ્વર, સિંધુડો રાગ જે આનંદ શબ્દ, કંઠમાંથી કાઢેલો વિનિ, મેઘના જેવી રૌદ્ર ગર્જના, એકી સાથે હસવાને તેમજ રેષને થતો કકળાટ, એવા પ્રકારને કેલાહલ યુદ્ધભૂમિમાં થઈ રહે છે. અતિ ક્રોધથી સુભટનાં વદન રૌદ્ર-બીહામણાં બની જાય છે, તેઓ દાંતે કરીને નીચેના ઓઠને કરડે છે, અને દઢ પ્રહાર કરવાને તેમના હાથ સાવધાન બને છે. અતિ ફોધવશતાથી તેમનાં ફાટેલાં નેત્રે અત્યંત લાલ બની જાય છે. વરદષ્ટિથી અને કેદની ચેષ્ટાથી તેમને કપાળમાં ત્રિવલી (ત્રણ રેષાએ) પડે છે અને ભ્રકુટી વાંકી બની જાય છે. શત્રુને મારવાના અધ્યવસાયે કરીને હજાર-હજાર મનુષ્યનું બળ-પરાક્રમ તે સુભટના શરીરમાં સ્કુરાયમાન થાય છે. વેગવાન ઘડાઓ જોતર્યા છે એવા રથ ઉપર બેસીને દેડતા ઢાઓ આવીને દક્ષતાપૂર્વક પ્રહાર કરીને જીતે છે અને તેઓ હર્ષે કરીને બેઉ હાથને ઉંચા કરતા અટ્ટ હાસ્ય કરે છે તથા અનેક માણસો કકળાટ કરે છે. આયુધ, ઢાલ અને બખ્તરથી સજજ થએલા ગર્વિષ્ટ તથા પ્રપંચી દ્ધાઓ વિરીના હાથીઓને મારવા અથવા હાથ કરવા ઈચ્છતા સામસામા લી પડે છે, અને યુદ્ધકળાને ગર્વ ધરાવનારાઓ મ્યાનમાંથી તલવાર કાઢીને કેધપૂર્વક શિવ્ર ગતિથી મેખરે આવી પ્રહાર કરી વરીના હાથીની સૂઢને તથા વેરીના હાથને છેદે છે; બાણુના સખ્ત પ્રહારથી છવાયેલા અને બીજા હથીયારોથી છેદાયેલા એવા હાથી વગેરેના વહેતા રૂધિરથી રણભૂમિના માર્ગો પર ચીકણે
Page #58
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
કાદવ થઈ રહ્યું છે, જેને પાસામાં વાગેલા ઘાથી રૂધિર રાવે છે અને આંતરડાં બહાર નીકળી ગયાં છે એવા
દ્ધાઓ વિકળ બનીને તરફડે છે, મર્મસ્થાને વાગેલા સખ્ત ઘાથી મૂર્શિત થઈને ભૂમિપર રેલાય છે અને નિષ્ટ પડયા છે. રણભૂમિમાં કરૂણાજનક વિલાપના સ્વરે સંભળાય છે, મરણ પામેલા દ્ધાઓ, ભમતા ઘેડા, મસ્ત થએલા હાથી, ભયભીત થએલા મનુષ્ય, મૂળમાંથી ભાગી ગએલી ધ્વજા પતાકાઓ, ભાગેલા રથ, માથું કાપી નાંખેલા હાથીનાં કલેવરે, હથીયારે, આભરણે અને ઘરેણાં ઇત્યાદિ વિખરાયેલાં પડ્યાં છે. મસ્તક વિનાનાં ધડે નાચી રહેલાં છે, ભયંકર કાગડાનાં અને મુડદાંઓમાં લુપી બનેલાં ગીધનાં ટોળાં ભમતાં હોવાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યા છે; પૃથ્વીને કંપિત કરનારા દેવે જેવા રાજાઓ પ્રત્યક્ષ શ્મશાન જેવા અત્યંત ભયંકર બીહામણું અને કર્મે કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંચ્છના કરીને પ્રવેશ કરે છે. પરધન હરનારા રે - બીજ પગપાળા ચારના સમૂહ, ચોરના ટેળાને પ્રવ ર્તાવનાર સેનાપતિ, અટવીના વિષમ પ્રદેશમાં રહેનારા, કાળા-લીલા-રાતા–પીળા અને સફેદ એવા સેંકડે પ્રકારના ચિન્હપટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ચચીયા.
(હવે સમુદ્રના ચેરની વાત કહે છે). રત્નાકર સમુદ્ર જે હજારે તરંગેની માળાથી ઉછળી રહ્યો છે તેમાં
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આકુળ-વ્યાકુળ થએલું વહાણ ડેલે છે તથા તેમાંના મુસાફરે (વહાણમાં પાણી દાખલ થઈ જવાના ભયથી) કકળાટ કરે છે. પાતાળકલશમાં રહેલા વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના કણથી અંધકાર છવાઈ ગયે છે. વાયુએ કરી વિક્ષુબ્ધ થએલા પાણી સાથે અત્યંત ઉજળાં શિણ ઉડવાને લીધે સમુદ્રના અટ્ટ હાસ્યને ભાસ થાય છે. પાણીનાં મે જો ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતા કાંઠાની સાથે અથડાય છે. ક્ષુબ્ધ થએલ જળસમૂહ આગળ વહે છે અને કાંઠા પર અથડાતાં પાછા પોતાને સ્થાનકે વળે છે. ગંગાદિ મહાનદીના વેગવાળા પાણીના પ્રવાહથી જે ભરાય છે, જે અત્યંત ગંભીર હાઈ ઉંડાણ જાણી શકાતું નથી, જેમાં પાણીના મેટા વમળ પડે છે, ઉંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠોર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થએલા પાણીના ભાગ થઈ જાય છેઃ તેવા તરંગ અને કલેલથી વ્યાપ્ત સમુદ્રમાં મોટા મગરમચ્છ, કાચબા, મહારગ (મચ્છની જાત), સુસુમાર, હિંસક જળચર પ્રાણી ઈત્યાદિ માંહોમાંહે પ્રહાર કરવાને ધસે છે અને તેવા અસંખ્ય ભયંકર જળચરે પાણીના સમૂહમાં કાયર જનેના હૃદયને કંપાવે છે, ભયંકર શબ્દ કરીને ઘણે ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઠામરૂપ, ત્રાસ ઉપજાવનાર, આકાશની પેઠે પાર ન પમાય તે, આલંબનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થએલા પવનના યોગથી અત્યંત વેગવાળાં તથા ઉપરાઉપરી ઉછળતાં તરંગોથી યુક્ત, ગર્વચુત, અતિ વેંગ
Page #60
--------------------------------------------------------------------------
________________
૪
વાળા, દષ્ટિમાગને આચ્છાદતા, કાઇ સ્થળે ગભીર, કાર્દ સ્થળે વિસ્તાણુ, ( મેઘની પેઠે) ગાજતા,ગુજારવ કરતા, કડાકા કરતા ( આકાશમાંના કડાકાની પેઠે ), કાઈ ભારે પટ્ટાથ પડવાથી થતા અવાજના જેવા ધ્વનિ કરતા, લાંમા કાળ સુધી દૂરથી સંભળાતા એવા ગભીર ઘુઘવાટ કરતા સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગોમાં કાપિત થએલા ચક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારા ઉપસર્વાં તથા ઉત્પાત ઉત્પન્ન કરે છે, અને તેમના મા અવાધે છે. તે વ્યંતર દેવાને શાન્ત કરવાને માટે વહાણ-વટીએ બલિદાન, હામ, ધૂપ, રૂધિરનું બલિદાન, પૂજનઅર્ચન, વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સઘળા યુગના અ ંતિમ યુગ ( પ્રલયકાળ ) સરખી ઉપમાને ચેાગ્ય સમુદ્રના અંત બહુ દુષ્કર છે. ગંગાદિક મહાનદીના સ્વામી (સાગર) અત્યંત ભયંકર દેખાય છે. દુઃખે સેવાય તેવા, જેમાં પ્રવેશવુ દુષ્કર છે :તેવા, દુઃખે ઊતરી શકાય તેવા, દુઃખે આશ્રય લઈ શકાય તેવા અને ખારા પાણીથી ભરેલા, એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા વહાણુમાં બેસીને, દૂર દૂર જઈને, ૫૬ન્યને હરનારા, અનુકં પારહિત તથા પરલેાકના ભયથી રહિત ચાર લેાકેા વહાણવટીઓના વહાણને ભાગે છે અને તેમને લૂટે છે. ચારીનાં સટ
અદત્તાદાન
ગામ, આગર, નગર, ગામડું, કવડ, મ’ડપ, દ્રોણુમુખ ( જળ–થળના માર્ગ ), પાટણ, આશ્રમ, વણીકાવાસ, દેશ ઈત્યાદિમાં રહેતા ધનિક લેાકાને ચેર લોકો હણે છે, કઠણુ
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર હૈયાના અને નિર્લજજ ચાર કે બીજાઓને લૂટે છે અને ગાયને ઉપાડી જાય છે. એ દારૂણ મતિવાળાઓ અને દયારહિત ચારે પોતાનાઓને પણ હણે છે, ઘર ફેવને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું-દાટેલું ધન-ધાન્ય-દ્રવ્ય ચેરી જાય છે. વળી તેવા નિર્દય ચેરે દેશના લોકોને મારે છે–ફૂટે છે. પારકું દ્રવ્ય હરવાની આખી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લેકે પરદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતાઓમાં બળતાં રૂધિરાદિથી ભરેલાં મુડદાંને કાઢીને, રૂધિરથી ખરડેલાં સુખવાળી ડાકણે તે મુડદાને ખાય છે તથા તેમાંનું લેહી પીએ છે, એવા ભયંકર સ્મશાનમાં કે જ્યાં શિયાળીયાં ભયાનક શબ્દ કરે છે, ઘુવડે ઘોર ઘુઘવાટ કરે છે, પિશાચ અપ્રકટ રહીને કહકહાટ કરે છે તથા અટ્ટ હાસ્ય કરે છે, એ પ્રકારે બીહામણા-અરમણીય, અતિ દુર્ગધયુક્ત અને સૂગ ઉત્પન્ન કરે તેવા સમશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફામાં, સિંહાદિ હિંસક જાનવરના નિવાસવાળાં વિષમ સ્થામાં, કલેશ પામતા ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથા કાંતિરહિત બનેલા ચોર લેકે નરકતીચના ભાવમાં ભોગવવાં પડતાં દુઃખોની પરંપરાને અને (ચેરીનાં) પાપકર્મોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાછું જેને દુર્લભ છે અને જે ભૂખ તથા તરસથી દુખ પામે છે, તે ચોર લેકે માંસ, મુડદાલ માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેને બહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતા
Page #62
--------------------------------------------------------------------------
________________
અાજ્ઞાન
૪૫
તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડે સપથી વ્યાપ્ત હેઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચેર લેકે “ કેનું ધન હરૂં? “આજેજ દ્રવ્ય હરૂં” એમ એકઠા થઈને ગુપ્ત મંત્રણ કરે છે. ઘણું લેકેના કાર્યકરણમાં વિશ્વ ઉત્પન્ન કરનારા, મદમત્ત-પ્રમાદી-સૂતેલા-વિરામ કરતા-એવાનાં છિદ્ર જોઈ અવસરે હણનારા અને કષ્ટ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિવાળા, ચોર લેકે નહેરવાળાં જાનવરોની પેઠે લેહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યાદાને લેપનારા, સારા માણસેથી નિંદાલા, પિતાના કર્મો કરીને પાપકર્મના કરનારા, અશુભ પરિણામવાળા, દુઃખ ભેગવનારા, હમેશાં અસમાધિયુક્ત તથા મેલા મનવાળા, ઈહલેકમાં કલેશને પામનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્ય સેંકડે દુઃખને પામે છે.
ચારીનાં ભયાનક ફળી.
કેટલાકે પારકા દ્રવ્યને શેધતાં રાજપુરૂષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં રખાય છે, તુરત નગરમાં ફેરવાય છે અને તેને કેટવાળને સોંપરામાં આવે છે. કેટવાળ તેને સલાવીને મીઠે વચને. મનાવે છે, (અને જે તે ન માને-તે) તેને આમળેલા વસ્ત્રના ગોલીટાના પ્રહાર કરવામાં આવે છે, નિર્દય કેટવાળ કઠેર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને છું કે છે, એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રક્ષાકરણ સૂત્ર
'
કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ
ખેવાળના પ્રહારે, અગ્નિના કામ, તિરસ્કાર, કડવાં વચન, મયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. વળી ત્યાં પહેરવાનાં વસ્ત્રા ખેંચી લેવામાં આવે છે, પહેરવાનાં વસ્ત્રા મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કેટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રાદિની વધુ સગવડ તે કેદ પુરાયલાઓ માંગે છે. કેટવાળના પહેરેગીરે તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. તે બંધને કેવાં છે? લાકડાની હેડ, લેખંડની બે, વાળની રાશ-દેરડું, કુદડેક (લાકડાના દંડને છેડે બાંધેલું દેરડું), ચામડાનું દેરડું, લોહની સાંકળ, લેઢાની હાથબે, ચામના પાટા, પગની કામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવનારાં બંધને કરી તેમને કેટવાળના પહેરેગીરે માત્ર સકેઠાવીને અને અંગેપાંગ મરીને બાંધે છે. એ મંદપુણ્ય જીને કાષ્ટયંત્રમાં, કમાડ વચ્ચે અને લેહપિંજરમાં ઘાલી મારે છે, ભેંયરામાં પૂરે છે, અંધારા કૂવામાં ઉતારે છે, ખીલાધૂસરાં અને ( રથનાં ) પિડાં સાથે મજબૂત બાંધે છે, થાંભલા સાથે બાંધે છે, ઉધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મરવિને નીચી વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમના ફડકતા અને નિસાસા નાખતા હૃદયને-છાતીને ભીંસીને બાંધે છે, તેમના માથાને ચામકાથી વીંટે છે, તેમની જાંગને ચરે છે, કારણ કરીને તેમના ઘુંટણને બાંધે છે, તપાવેલા લેહના સળીયાથી ડામ
Page #64
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
૪૭
દે છે, સોય ચે છે, લાકડાની પેઠે છેલે છે, એ પ્રમાણે તેમને પીડા ઉપજાવે છે, ખાર, લીંબડે, મરચાં વગેરે તેમના નાકમાં ઘાલે છેઃ એમ સેંકડે પ્રકારનાં કષ્ટ તેમને પમાડવામાં આવે છે. છાતી ઉપર મેટું લાકડું મૂકીને તેમને કષ્ટ આપવામાં આવે છે, પછી લાકડાને આઘું પાછું કરીને તે વડે તેમનાં હાડ-પાંસળાં ભાગવામાં આવે છે. વળી તેમને ગળે બાંધે છે, લેહના દંડ વડે છાતી, પેટ, ગુદા, પૂંઠ ઉપર પ્રહાર કરી તેમને પીડે છે, હૃદયને મદે છે, અને તેમનાં અંગોપાંગને ભાગી નાંખે છે. ઉપરીના હુકમથી કેટલાક સેવકે નિરપરાધીને પણ શત્રુભાવથી જમની પેઠે પીડે છે. તે મંદભાગી અદત્તનું હરણ કરનારાઓને ચપેટા મારે છે, ચામડાના દેરડાથી મારે છે, લેહના સળીયાથી મારે છે, નાના-મોટા ચામડાના ચાબૂકથી મારે છે, નેતરની સેટીથી મારે છે. એ પ્રકારે સેંકડો પ્રહારથી અંગેપગે માર સહન કરતા બાપડાઓ લબી ગએલી ચામડીવાળા અને ઘાથી પીડા પામતા છતાં ચોરીના પાપને છોડતા નથી. અનેક પ્રકારનાં શસ્ત્ર કરીને માર પડવાની, લેહમય બેના બંધને ગાત્ર બંધાવાની અને ભંગાવાની, શરીરની હાજત બંધ કરવાની ઇત્યાદિ બહુવિધ વેદના એ પાપી જને પામે છે. એ રીતે મળી ઈદ્રિવાળા, વિષયાસક્ત, અતિ મોહમુગ્ધ, પરધનમાં લુબ્ધ, સ્પર્શેન્દ્રિયના વિષયમાં અને સ્ત્રીમાં તીવ્ર આસક્તિવાળા, સ્ત્રીના રૂપ-શબ્દ-રસગંધમાં મનવાંછનાવાળા, ભેગની તૃષાવાળા અને ધન હરવામાં આનંદ માનનારા, એ બધા ચોરી કરવાના ફળના
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અજાણુ માણસોને રાજાના સેવકેની પાસે લઈને તેમને સોંપવામાં આવે છે. " તે રાજસેવકે કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની,તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, ફૂડ-કપટ કરનારા, વેશ-ભાષા બદલે કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજકિંકોની આજ્ઞાથી ચોર લોકેના દુષ્ટાચરણની સજા તુરત નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં ત્રણ માર્ગને ચોક, ચાર માગને ચેક, અનેક માર્ગને ચેક, રાજમાર્ગ, સામાન્ય માગ હોય છે, તેની વચ્ચે નેતરને સેટે, લાકી, કાષ્ટદંડ, ડાંગ, દંડકે, મૂઠી, લાત, પગની પાની, ઘૂંટણ, કેણી વગેરેના પ્રહારો કરી ચેરના શરીરનાં ગાત્રે ભાંગવામાં–મવામાં આવે છે. તે વખતે એ અઢાર પ્રકારનાં ચૌર્ય કર્મ કરનારાનાં અંગોપાંગ ભાગી જવાથી તેઓ પીડા પામે છે, કરૂણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ-હઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે, જીવવાની આશા નાશ પામે છે. એવા તૃષાતુર રાંક બાપડા પાણી પણ પામતા નથી, ત્યારે તે ચાર લેકેને કઈ પાણી પાવા આવે તે રાજપુરૂષે તેમને પાણુ પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટુંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રૂપે કંઠમાં રાતાં કરેણનાં ફૂલની
Page #66
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
માળા દેરડાની પેઠે પહેરાવેલા, મરણના ભયથી શરીરે પરસેવાથી રેબઝેબ બનેલા જાણે કે શરીરે તેલ ચેપડયું હોય, રાખે ખરડેલા જેવા દેખાતા શરીરવાળા, ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જાણે માથે કસું લગાડો હેય, જીવવાની આશાથી રહિત બનેલા, વિકળપણે લતા, હેણુવાને માટે લઈ જવામાં આવતા હોવા છતાં પ્રાણશ્વાસોશ્વાસ ઉપર પ્રીતિવાળા તે ચેર લેકેને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-નાના કકડા કરી. તેમને ખવડાવે છે, પાપી જને ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, વાયુની પેઠે ન અટકાવી શકાય તેવાં. સ્ત્રી પુરૂષનાં અને નગરજનેનાં ટેળાં તેમની સાથે તેમને જેતા જેતા ફરે છે. વધ કરવા માટે એગ્ય વસ્ત્રો પહેરાવીને તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે, તે રાંકદિન ચેર લેકેના વિનાશને નિવારનાર કેઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનથી ત્યજાયેલા છે, આસપાસ જુએ છે (પિતાને કેઈ. મુકાવનાર છે કે નહિ એવા ભાવથી જુએ છે), મરણના ભયથી ઉદ્વિગ્ન થએલા છે. તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમના અંગે પાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ દીન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચારનાં ચાર અંગ (બે. હાથ અને બે પગ) બાંધીને તેમને પર્વતની ટોચ પરથી. નીચે ગબડાવે છે ત્યારે તેઓ બહુ ઉંચેથી પડવાથી વિષમ
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૦,
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પથર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ ચગદ-. વામાં–મવામાં આવે છે. વળી પાપી અધિકારી જનો કેટલાક ચરેનાં અઢારે અંગે ખંડિત કરે છે, કેટલાકને બુઠ્ઠા કેહાડે કરી મારે છે, કેટલાકના કાન–હેઠ–નાક કાપે છે, કેટલાકની આખે-દાંત-વૃષણ–જીભને છેદે છે, કેટલાકના કાન તથા મસ્તક કાપી નાંખે છે, અને વધભૂમિ પર લઈ જઈને તવારથી ટુકડા કરી નાંખે છે. કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકના હાથ પગ કાપી નાંખીને છોડવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્યહરણમાં લુખ્ય લેકેને હાથ પગમાં બે પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. એ પરદ્રવ્યહારી જનેને તેમનાં સ્વજને ત્યજી દે છે, મિત્રે તેમને તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લેકના ધિક્કારના શબ્દથી લજવાય છે, છતાં તે નિર્લજજ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-ટાઢની આકરી વેદના સહન કરતા, વિરૂપ મુખવાળા, કાન્તિહીન શરીરવાળા, અફળ ગએલા મરથવાળા, મેલથી ભરેલા દેહવાળા, દુબળા, ગ્લાનિ પામતા,
કરતા, કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પીડાતાં ગાત્રોવાળા, નખ-કેશ-દાઢી-મૂછ–રમાદિ જેના બાંધેલા છે તેવા, પિતાના મળ-મૂત્રમાં રગદોળાતા ચોર લેકે ત્યાં જ-કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઈચ્છતા છતાં મરણ પામે છે, પછી તેમના હાથ-પગ બાંધીને કારાગૃહમાંથી તેમને બહાર ઘસી કાઢે છે અને ખાઈમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં વરૂ,
Page #68
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
૫૧
કૂતરા, શિયાળ, ડુક્કર, બિલાડાંનાં ટેળાં, સાણસા સરખી ચાંચવાળાં પક્ષીઓનાં વૃદ આવીને સેંકડે મુખે-ચાંએ કરીને એ ચારનાં મુડદાંનાં અંગોપાંગ ભેદીને ચુંથે છે. કેટલાકના દેહમાં કીડા પડે છે. જોકે તેમને અનિષ્ટ વચને કરી શ્રાપ દે છે અને “સારું થયું, ભલે એ પાપી મૂઓ,” એમ બેલીને કેટલાક લકે હર્ષિત થાય છે, અને મરી ગયા છતાં તે ચેર કે બીજાઓને લજજાના કારણે રૂપ બને છે. પરધન હરનારાની દુર્ગતિ.
વળી મૂઆ પછી ઘણા વખત સુધી તેમના સ્વજનને પણ તેઓ લજજાના કારણરૂપ બને છે. મરણ પામ્યા પછી તેઓ પરલોકમાં નરકને વિષે ઉપજે છે. અણગમતા નરકમાં બળતા અંગારાની ઉષ્ણ અને અતિશય શીત વેદના વગેરે સતત કષ્ટ અશાતા વેદનીય કામ ઉદય આવવાને લીધે તેઓ સેંકડે ગમે સહન કરે છે. તે નરકથી નીકળીને વળી પાછા તીર્થંચ નિમાં ઉપજે છે અને ત્યાં પણ નરકના જેવી વેદનાઓ ભેગવે છે. પછી અનંત કાળે તે જ કદાચ મેટે કટે કરી મનુષ્યભવ પામે છે, તે પણ અનેક વાર નરકગતિમાં જઈને અને લાખો વાર તીર્થંચપણે જન્મીને પછી મનુષ્યપણું પામે છે. મનુષ્યપણે પણ તે જ અનાર્ય દેશમાં હલકા કુળમાં ઉપજે છે અને જે આર્ય દેશમાં ઉપજે છે તે લોકબાહ્ય એટલે વજવાયોગ્ય તીર્થંચ જેવા, ડહાપણુરહિત અને કામગને વિષે
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સદા અતૃપ્ત એવા ઉપજે, અને ત્યાં પણ નરકનાં આવન આંધે, ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ફ્રી સંસારનાં આવન બાંધે; ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, ક્રૂર કાઁના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા અને. તે એકાંત હિંસાની રૂચિવાળા કરાળીચાની જાળની પેઠે કમ'ના આવરણથી વીંટાઇને દુઃખ ભાગવે. પેાતાના આઠ પ્રકારના કમ'ના તંતુના મજબૂત બંધને અધાયલા હાઈ તે પરિભ્રમણ કરે છે.એવી રીતે નરકતીર્થંચ-મનુષ્ય અને દેવગતિરૂપ સંસારની પરિઘિમાં પરિભ્રમણ કરે છે,
પર
સંસારસમુદ્ર.
એ સ'સારસમુદ્રમાં જન્મ-જરા-મરણરૂપી ગંભીરપણું છે, દુઃખે કરીને પ્રક્ષુબ્ધ એવું ઘણું જળ છે, સચેાગ વિચાગરૂપી મેજા ઉછળે છે, ચિંતાના પ્રસંગે ચામેર પ્રસરી રહેલા છે, વધ–મધનરૂપી માટી કલ્લાલ વિસ્તરી રહ્યો છે, કરૂણાજનક શબ્દ–વિલાપ અને લાભના કલકલ ધ્વનિ અતિશય સભળાઈ રહ્યા છે, અપમાનરૂપ ીણુ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ઘણા રાગોની નિરંતર વેદના, પરાભવ તથા પતન, નિષ્ઠુર વચન, નિત્સના, એ બધાંને ઉપજાવનાર કઠાર ક રૂપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે; સદા મરણભયરૂપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કષાયરૂપી પાતાળકલશેાથી ન્યાસ, લાખા ભવરૂપી પાણીના સમૂહના જ્યાં અંત નથી, જે ઉદ્વેગકારક છે, જેના પાર પામી
Page #70
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
૫૩
શકાતું નથી, મેટા ભયને ઉપજાવનાર છે, બીહામણે છે, પરિમાણુરહિત છે, જે મહેચ્છા અને મેલી બુદ્ધિરૂપ વાયુવેગથી ઉછળે છે, આશા-પિપાસારૂપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ, દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઈત્યાદિરૂપ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી
જ્યાં અંધકાર છવાયો છે, જ્યાં મેહનાં આવર્તન અને કામગ મંડલકારે ભ્રમે છે, ઉંડા ઉતરે છે, ઉંચે ઉછળે છે; વળી જે સમુદ્રમાં ઉંચે આવી નીચે પડતા અને આમ તેમ દોડતા પાઠીન (મચ્છ) જેવા પાણીના જીવની પેઠે ગર્ભવાસમાં ઉચે-નીચે પાણીને પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રૂદનરૂપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રૂપી તરંગે ચાલી રહ્યા છે, જ્યાં વ્યાકુળ તરંગથી પછડાઈને વહેંચાઈ જતું અને અનિષ્ટ મહાન માંથી વ્યાસ જળ પથરાઈ રહેલું છે, પ્રમાદરૂપી રૌદ્ર અને શુદ્ર હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મસ્યરૂપી મનુષ્યોના સમૂહો જેમાં આવી રહેલા છે, જેમાંના મસ્યરૂપી મનુષ્ય અતિ રૌદ્ર છે, વિનાશ સ્વભાવી છે, ઘણા અનર્થઅપયશથી ચુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મા રહેલાં છે, અનુપશાંત ઇંદ્રિવાળા મોટા મગરની ત્વરિત ચણાએ કરીને જે સમુદ્ર ક્ષેભ પામી રહેલ છે, જેમાં સંતાપરૂપ વડવામિ (સમુદ્રને અગ્નિ) નિત્ય અતિ ચપલ–ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રાણ અને અશરણે મનુષ્ય કે જેમને પૂર્વ કર્મના સંચયથી પાપ ઉદય આવ્યાં છે તેઓના સેંકડે દુઃખના વિપાકરૂપી વમળ જે સમુદ્રના જળમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ઘૂમી રહ્યા છે, ઋદ્ધિ-રસ-શાતારૂપી ગારવ-અશુભ અધ્યવસાયરૂપી જલચર વિશેષથી ગ્રહાયલા કર્મથી પ્રતિમÊ થએલા જીવે તેવા સમુદ્રના નરકરૂપી તળીયા તરફ તણાય છે અને તેમાં બહુ ખુંચી જાય છે; અતિ-રતિ-ભય-વિષાદ– શાક-મિથ્યાત્વરૂપી પર્વતાથી તે સાંકડા છે, કર્મ અધનરૂપી તેના અનાદિ સતાના છે, ક્લેશ અર્થાત્ રાગદ્વેષરૂપ કાદવથી ભરેલા હાઇને દુસ્તર છે, દેવ-મનુષ્ય-તીર્યંચ-નારકીએ ચાર ગતિમાં જવું એ તેનાં ચક્રવત્ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે; હિંસા-મૃષાવાદ-અદ્દત્તાદાન-અબ્રહ્મચર્યપરિગ્રહના આરસ કરતાં-કરાવતાં અને અનુમાઢતાં અંધાચલાં આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ઘણા ભાર થઈ જતાં વિષમ પાણીના સમૂહ પ્રાણીઓને ડુબાવીને 'ચા-નીચા પછાડે છે એવું દુર્લભ તેનું (સંસાર–સમુદ્રનું) તળી છે; શારીરિક અને માનસિક દુઃખા પામતાં શાતાઅશાતા અને પરિતાપનું ઉપજવું એજ ઉંચે જવુ* અને નીચે પડવું છે; ચાર ગતિરૂપ, મોટા અને અનત એવા વિસ્તીર્ણ સંસારરૂપ સમુદ્ર છે; જેમને સયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશા આધાર નથી, અપ્રમેય ( સર્વજ્ઞ વિના કાઇ ન જાણે તેવા ) છે, ચોરાશી લાખ–જીવચેાનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર છે, અન’તકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને (સાત) લય અને (ચાર) સંજ્ઞાથી યુક્ત જીવા સ’સારમાં પરિભ્રમણ કરે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાન
પરધનહારીને પુનર્જન્મ.
ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં (જે જે કુળમાં) છે આયુષ્ય બાંધે (ઉત્પન્ન થાય), ત્યાં ત્યાં તે પાપકર્મી છોને તેમના ભાઈઓ, સ્વજને, મિત્ર છેડી દે છે, અળખામણ હેઈને તેમનું વચન કેઈમાને નહિ, તેઓ અવિનીત હોય છે, રહેવાનું સ્થાન–આસન-શમ્યા–ભેજન ખરાબ હોય છે, શરીર અશુચિયુક્ત હોય છે, શરીરનું સંહનન (શરીરનું બંધારણ), પ્રમાણ, સંસ્થાન (આકાર) અને રૂપ કુત્સિત હોય છે, તેઓમાં બહુ કોધ, માન, માયા, લોભ અને મોહ હાય છે; ધર્મસંજ્ઞા અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ હેય છે, દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે; રે જ પારકાં કામ (ચાકરી કરનારા હોય છે આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભજનને શોધનારા (ભીખારી) હોય છે; તેઓ દુખે કરી આહાર મેળવી શકે છે; અરસ અને વિરસ અલ્પ ભેજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; બીજાનાં દ્ધિસત્કાર–ભેજનાદિ વગેરે વૈભવ જોઈને પૂર્વ ભવે પોતે કરેલાં અને ઉદય આવેલાં કર્મો–પાપને તથા તેથી ઉપજેલાં દુઃખને નિંદે છે; તેઓ દીનતા અને શેકથી દાઝતા દુઃખને ભગવે છે; તેઓ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પચિત્રાદિ કલા-સમયશાસ્ત્ર (ધનુર્વેદાદિ વિદ્યા)ના જ્ઞાનથી રહિત હોય છે અને પશુ સરખા જન્મેલા હોય છે, તેઓ અપ્રતીતિકારી, હમેશાં હલકાં કાર્યો કરીને આજીવિકા મેળવનારા, લેકે વડે નિંદનીય હોય છે અને તેમને મેહ, મને રથ તથા અભિલાષા ઘણા હોય છે પણ તે
Page #73
--------------------------------------------------------------------------
________________
બિ૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ - જગતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામગની પ્રાપ્તિ મેળવવાને માટે બહુ ઉદ્યમ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ થાય છે જે ઉદ્યમ કરવા છતાં મહાકાલેશે કરીને સિધાન્સ ડે પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં દ્રવ્યથી રહિત, અસ્થિર ધનધાન્યભંડારના ઉપભેગથી રહિત, કામ–ભેગથી અને સર્વ સુખથી રહિત, અને બીજાની લક્ષમી-ભોપભોગના સાધનને આશ્રય શોધનારા હોય છે તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખ ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી, અને અત્યંત સેંકડે પ્રકારનાં દુઃખથી દાઝે છે.
' પરદ્રવ્યના હરણથી જેઓ નથી નિવર્યા, તેઓ અદનાદાનને ફળવિપાક આ લોક અને પરલોકમાં અ૫ સુખ અને બહુ દુઃખ રૂપે ભોગવે છે. તે મહા ભયનું કારણ છે, કમરૂપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભગવ્યા સિવાય ન છૂટાય તેવું કર્મ છે. તે ભગવ્યે જ છૂટકે થાય છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવ દ્વારનું ત્રીજું અધ્યયન અદત્તાદાન વિષેનું,
Page #74
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચ
અધ્યયનંwધું
– – આ
અબ્રહ્મશ્ચર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં જાણિીતાડી, શાલ જબૂ! હવે હું આસવદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે સંભળાવું છું. અબ્રહ્મચર્યનું સ્વરૂપ.
એ અબ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લોકને વિષે પ્રાર્થનીય-અભિષણીય છે, ભારે કીચડ રૂપ છે, પાતળા કાદવ રૂપ છે, પાશરૂપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રી-પુરૂષ-નપુંસકના લક્ષણ રૂપ છે, તપસંયમ-બ્રહ્મચર્યને વિદન કરનાર છે, ચારિત્રને વિનાશ કરનાર છે, ઘણું પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસો તેનું સેવન કરે છે, સારા મનુષ્યએ વર્જવાયેગ્ય છે, દેવ લોક-નરક લક-મનુષ્ય લેક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા-મરણ-ગ-શેકને વધારનાર છે, વધ-બંધનવિઘાત છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન (સ
મ્યકત્વ) મેહનીય અને ચરિત્ર મેહનીયના કારણરૂપ છે, લાંબા કાળથી પરિચિત છે, પરંપરાથી ચાલ્યું આવે છે અને દુખે કરીને અંત પામી શકાય તેવું છે. અબ્રાચતાં નામ. 1. અબ્રાન્ચનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ કહાં છે. (૧) અબ્રહ્મચર્ય, (૨) મૈથુન, (૩) ચરંત-વિશ્વવ્યાપી, (૪)
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્ર સંસર્ગી-પુરૂષના સંસર્ગથી ઉપજેલું, (૫) સેવનાધિકારઅકાર્યનું સેવન, (૬) સંકલ્પ-વિકલ્પને હેતુ, (૭) બાધાપીડાને હેતુ, (૮) દર્પકારી (ગર્વ ઉત્પન્ન કરનાર), (૯) મહ-અજ્ઞાનને હેતુ, (૧૦) મનમાં સંભ ઉપજાવનાર, (૧૧) અનિગ્રહ-ઇંદ્રિયને સ્વચ્છંદી બનાવનાર, (૧૨) કલેશને હેતુ, (૧૩) ગુણઘાતને હેતુ, (૧૪) વિભંગ-ગુણની વિરાધનાને હેતુ, (૧૫) વિશ્વમને હેતુ, (૧૬) અધર્મ આચરણને હેતુ, (૧૭) શીલનું વિનાશક, (૧૮) કામગુણ અર્થાત શબ્દાદિને શોધનાર, (૧૯) કામસેવા, (૨૦) સનેહ ચિંતાને હેતુ, (૨૧) કામગમાં મરણાંત સુધી આસક્ત રાખી અનેક મરણ નીપજાવનાર, (૨૨) વૈરને હેતુ, (૨૩) છાનું કર્તવ્ય, (૨૪) છુપાવવા ગ્ય, (૨૫) ઘણાને મનમાન્યું, (૨૬) બ્રહ્મચર્યનું ઘાતક, (૨૭) ગુણનું ઘાતક, (૨૮) ચારિત્ર્યની વિરાધના કરનાર, (૨૯) કામાસક્તિ, (૩૦) કંદર્પ ના ગુણકાર્ય રૂપ. સમુચ્ચયે અબ્રહ્મચર્યનાં એ ત્રીસ નામ કહ્યા. અબ્રહ્મચર્ય સેવનારાઓ.
હવે અબ્રહ્મચર્યને કેણ સેવે છે, તે કહે છેઃ –વૈમાનિક દેવતાઓ દેવાંગનાઓ સાથે મેહમુગ્ધ મતિથી તેનું સેવન કરે છે. ભુવનપતિઓ-અસુરકુમાર,નાગકુમાર,સુવર્ણકુમાર, વિદ્યુત્ કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્થાનિતકુમાર એ ૧૦ તેનું સેવન કરે છે. વાણવ્યંતર-આણપત્રી, પાણપત્ની, ઈસીવાઈ, ભૂયવાઈ, કંદિમ, મહાકદિમ, કુહંડ, પયંગદેવ, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ,
Page #76
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચર્ય
પલ
કિન્નર, કિંજુરીસ, મહારગ, ગંધર્વ એ ૧૬ તછી લોકમાં રહેનારા દેવે તેનું સેવન કરે છે. તિષી, વૈમાનિક, મનુ ષ્યગણ, જલચર, સ્થલચર, ખેચર, મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, વિષયતૃષ્ણા સહિત છે, કામગના તૃષાતુર છે, બળવાન અને મેટી વિષયતૃણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે, અતિ મૂચ્છિત થયા છે, અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને યુક્ત છે, દર્શન અને ચારિત્ર મોહનીય કમરૂપી પિંજરમાં પુરાયા છે. અબ્રહ્મચારી ચકવતી.
હવે અબ્રહ્મચર્ય સેવનારાઓ વિષે વિસ્તારથી કહે છે. તેઓ અન્ય અન્ય કામગનું સેવન કરે છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ, તિર્યંચ અને મનુષ્ય કામગમાં આસક્તિથી ચિત્ર-વિચિત્ર ક્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એવે ચકવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. (હવે એ ચક્રવર્તીની અદ્ધિ આદિનું વર્ણન કરે છે). જેવી રીતે દેવતાઓ દેવલોકમાં વિરાજે છે તેવી રીતે ચકવર્તી ભરતક્ષેત્રમાં વિરાજે છે. એ ભરતક્ષેત્રમાં પર્વત, નગર, વણિકવાસ, જનપદ (દેશ), પુર, જળ-સ્થળના પંથ, માટીના કેટવાળાં ગામ, ગામડાં, મડપ(દૂર-દૂર આવેલાં ગામ), સંવાહ-(ધાન્યાદિના સંગ્રહ માટેનાં કિલ્લા), પાટણ, એવાં હજારો સ્થાને આવી રહેલાં છે, એવી પરચકના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભગવતે ચક્રવર્તી નગરમાં સિંહ જે, મનુ
Page #77
--------------------------------------------------------------------------
________________
૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
જ્યેામાં ઇંદ્ર જેવા, નરવૃષભ જેવા, મભૂમિના વૃષભ જેવા ( ભારનિર્વાહક) સમથ છે. અતિશય રાજતેજ અને લક્ષ્મીએ કરી દેદીપ્યમાન છે. (ચંદ્રની પેઠે) સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં મંગળ ચિન્હા-લક્ષણા હાય છે, જેવાં કે (૧) સૂ, (૨) ચંદ્ર. (૩) શંખ. (૪) ઉત્તમ ચક્ર. (૫) સાથીચેા. (૬) ધ્વજા. (૭) જવ, (૮) મત્સ્ય, (૯) ઝૂમ-કાચએ. (૧૦) રથ. (૧૧) ભગ-ચેાનિ. (૧૨) ભવન. (૧૩) વિમાન. (૧૪) અશ્વ. (૧૫) તારણ. (૧૬) ગાપુર (ત્રિપાળી). (૧૭) મણિ (ચંદ્રકાન્તાદિ). (૧૮) રત્ન. (૧૯) નંદાવત–નવપૂણા સાથીચેા. (૨૦) મૂશળ. . (૨૧) હેળ. (૨૨) સુંદર કલ્પવૃક્ષ. (૨૩) મૃગપતિ (સિંહૅ). (૨૪) ભદ્રાસન. (૨૫) સુરૂચિ (એક પ્રકારનું આભરણુ). (૨૬) સ્તૂપ. (૨૭) સુંદર સુકુટ. (૨૮) મુક્તાવલિ. (૨૯) કુંડલ. (૩૦) હાથી. (૩૧) સુંદર વૃષભ. (૩૨) દ્વીપ. (૩૩) મેરૂ પુત. (૩૪) ગરૂડ. (૩૫) પશુ–વજ વિશેષ, (૩૬) ઇંદ્રસ્થળ. (૩૦) ૪૫ણુ. (૩૮) અષ્ટાપદ-ધ્રુત રમવાના બાજોઠ. (૩૯) ધનુષ્ય, (૪૦) માણુ. (૪૧) નક્ષત્ર, (૪૨) મેઘ, (૪૩) સ્ત્રીની કટિમેખલા. (૪૪) વીણા. (૪૫) ધેાસરૂં. (૪૬) છત્ર, (૪૭) માળા. (૪૮) દામણી. (૪૯) કમડળ. . (૫૦) કમળ. (૫૧) ઘટા. (પર) સુંદર વહાણ, (૫૩) સામ. (૫૪) સમુદ્ર. (૫૫) કુમુદનું વન. (૫૬) મગર, (૫૭) હાર. (૫૮) ઘાઘરા. (૫૯) ઝાંઝર, (૬૦) પર્વત, (૬૧) નગર. (૬૨) વજા. (૬૩) કિન્નર. (૬૪) માર. (૬૫) રાજહે'સ. (૬૬) સારસ, (૬૭)
Page #78
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચય
ચકેર. (૬૮) ચકવાકનું જોડું. (૬૯) ચામર. (૭૦) ખેટક (એક પ્રકારનું આયુધ). (૭૧) સતાર. (૭૨) સુંદર વીજ(૭૩) લક્ષ્મીને અભિષેક. (૭૪) પૃથ્વી. (૭૫) ખડ્ઝ. (૭૬) અંકુશ. (૭૭) નિર્મળ કળશ. (૭૮) ભંગાર (એક પ્રકારનું વાસણ). (૭૯) શરાવલાને સંપુટ. ઈત્યાદિ જુદાં જુદાં પ્રશસ્ત પુરૂષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવતી હોય છે. બત્રીસ હજાર રાજાઓ તેમની પાછળ પાછળ ચાલતા હોય છે. ચોસઠ હજાર સુંદર યુવતીઓના તે નયનાભિરામ છે. આખોને ઠારનારા છે. તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમ-. ળના ગર્ભ સરખે તેમને ગૌર દેહ છે, કેરંટ પુષ્પની માળા ગળે ધારણ કરે છે, ચંપાનાં ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સેનાની રેખા કરી હોય તેના જે તેમના શરીરને વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવાથી તેમનાં અંગ સુંદર હોય છે. મેંઘા અને મેટાં નગરમાં ઉપજતા વિધવિધ રંગરાગ એ ચક્રવર્તીઓ ભોગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. ચીન દેશમાં નીપજેલાં રેશમનાં પટકૂળે ધારણ કરે છે. કમર પર કટિસૂત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગંધ કસ્તુરી ઈત્યાદિના ચૂણેથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદરસુગંધી પુષ્પોને શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકારો જેવાં કે સુખદાયિની માળા, કંકણ, બાહુબંધ, બેરખા, ઈત્યાદિ શરીરે ધારણ કરે છે, કંઠમાં એકાવલિ હાર પહેરીને છાતીને ભાવે છે, બેઉ પાસે લટક્તા
તેમના રીનો વણાની રેખા છે અને કરીના
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર ઉત્તરીય વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવર્ણની-પીળા રંગની વીંટીથી આંગળીને શોભાવે છે. એવી ઉજવલ વેશરચનાએ કરીને વિરાજમાન તેઓ તેજે કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જે મધુર, ગંભીર અને નિષ્પ તેમને શબ્દ હોય છે. સમસ્ત રત્નચકરત્નાદિ ૧૪ રત્નના તેઓ સ્વામી છે, નવે નિધિના ઘણું છે, તેમના ભંડાર ભરેલા છે, ચારે દિશાના અંત વિભાગ છે. જ્યાં તે (ચકવર્તી) જાય ત્યાં ચાર પ્રકારની સેના હિાથી, ઘેડા, રથ, પાયદળ) તેમની પાછળ જાય છે. અશ્વપતિ-ગજપતિ–રથપતિ-નર (સેના) પતિ આદિએ કરીને તેમનું પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનું વદન છે. તેઓ શરા છે, ત્રિલોકમાં તેમને પ્રભાવ વ્યાપેલે છે, સુવિખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેંદ્ર છે. પર્વત-વન–કાનન અને ચૂલ હીમવંતથી માંડીને સાગરના છેડા સુધી ભરતક્ષેત્રને ભેગવીને જેમણે શત્રુઓને જીત્યા છે, રાજવીઓમાં જે સિંહ જેવા છે, તે ચકવર્તીઓ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સંચિત કરેલું સુખ હજારે વર્ષના આયુષ્ય સુધી હજારે સ્ત્રીઓની સાથે ભેળવતાં, આખા દેશના ઉત્તમ નો ઉપર અધિકાર ચલાવતાં, અનુપમ શબ્દ-સ્પર્શ–રસ-રૂપ અને ગંધને ઉપભેગ કરતાં છતાં કામગમાં અતૃપ્ત રહા થકા મૃત્યુને પામે છે. અબ્રહ્મચારી બળદેવ-વાસુદેવ.
વળી બળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
અબ્રાચય
તેઓ કેવા છે? તેઓ પ્રવર પુરૂષ છે, મોટા બળ-પરાક્રમવાળા છે, મોટા ધનુષ્યને ટંકાર કરનારા છે, મહા સત્યાહસના સાગર છે, પ્રતિસ્પદ્ધથી જીતી ન શકાય તેવા છે, ધનુર્ધર છે, પુરૂષોમાં વૃષભ સમાન છે. એ રામ (બળદેવ) અને કેશવ (વાસુદેવ) એ બે ભાઈ પરિવાર સહિત છે. વસુદેવ, સમુદ્રવિજય આદિ દસ દશાહ હદયના વલ્લભ છે; પ્રદ્યુમ્નકુમાર, પ્રદીપકુમાર, સાંબકુમાર, અનિરૂદ્ધકુમાર, નૈષધકુમાર, ઉશુકકુમાર, સારણ કુમાર, ગજકુમાર, સુમુખકુમાર, દુમુકુમાર, આદિ યાદના સાડા ત્રણ કરોડ કુમારેના હૃદયના લલભ છે, તથા દેવી રેહિણું (બલદેવની માતા) અને દેવી દેવકી (કૃષ્ણની માતા) ના હૃદયને આનંદને ભાવ ઉત્પન્ન કરનારા છે. સેળ હજાર પ્રધાન રાજાઓ તેમની પાછળ પાછળ હીંડે છે. સોળ હજાર દેવીઓનાં નયન-હૃદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન, મોતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ત્રાદ્ધિના સંગ્રહથી તેમના કેષાગાર ભરેલા છે. હજારે ઘડા, હાથી, રથના સ્વામી છે. હજારો ગામ, આગર, નગર, ગામડાં, મંડપ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંવાહ, ભયવર્જિત હાઇને સુખસમાધિ અને આનંદ ભગવતા વિવિધ લેકેથી ભરેલી પૃથ્વી, સરોવર, નદી, તળાવ, પર્વત, કાનન, આરામ (બગીચા), ઉદ્યાનથી નેત્રને આનંદ આપે છે, એવા અર્થે ભરતના તે સ્વામી છે. દક્ષિણા ભરત વૈતાઢય ગિરિથી વિભકત થએલે છે અને લવણસમુદ્રથી વિંટાઈ રહે છે. વળી છ પ્રકારની તુ
Page #81
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર એના ગુણકર્મથી તે યુક્ત છે, એવા અધ ભરતના સ્વામી પૈર્યવંત, કીર્તિવંત પુરૂષ છે. અછિન્ન બળશાળી છે, અતિ બલવંત છે, કોઈથી હણાય નહિ તેવા છે, અપરાજિત છે, શત્રુનું મર્દન કરનાર છે, હજાર વૈરીના માનનું મથન કરનાર છે, અનુકંપ સહિત છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-રદ્રતાથી રહિત છે, મૃદુમંજુલ સ્વરે બેલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનેન્માન પ્રમાણ એટલે ૧૦૮ આંગળના પ્રમાણે કરીને પરિપૂર્ણ એવા સર્જાય સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીયમને હર છે, પ્રિયંકર દર્શન છે, કાર્યને વિષે આળસરહિતઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સૈન્યાદિને પ્રવર્તાવનાર છે, ગંભીર દર્શનવાળા છે, તાલવૃક્ષના ચિત્ર નથી અંકિત વિજા (બળદેવની) અને ગરૂડ પક્ષીના ચિહુનથી અંકિત વિજા (વાસુદેવની) ને ફરકાવનારા છે, અતિબળવંત છે, (અમારા જે કેણ છે? એમ) ગર્જના કરનારા છે, અતિદ–અભિમાનવાળા છે, મૌષ્ટિક મલને ચૂર્ણ કરનાર (બળદેવ) છે, ચાણુર મલને ચૂર્ણ કરનાર (વાસુદેવ) છે, રિષ્ટ વૃષભના ઘાતક છે, કેસરી સિંહના (અથવા કંસના દુષ્ટ ઘેડાના) મુખને વિદારનારા છે, અતિ દવાન નાગ (જમના નદીમાં રહેતા કાલીય નાગ)ના દપનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામના વૃક્ષને
Page #82
--------------------------------------------------------------------------
________________
અબ્રચય
ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મુકુટના મેડણહાર (મારનાર) છે, જરાસંધના માનનું મર્દન કરનાર છે, ઘણી શલાકાએ કરી સહિત વિરાજમાન છે, અવિરલ-સમાન શલાકાએ કરી મંડિત એ બીજે કઈ નથી તેવા છે, ચંદ્રમંડળ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજવલ્યમાન એવા અનેક દડાવાળા છેત્રે કરીને વિરાજમાન છે; વળી મોટા પર્વતની ગુફાઓમાં વિચરતી નીરગી ગાયની પૂઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચામરોથી વિરાજમાન છે; (એ ચામરેનું વિશેષ વર્ણન કરે છે). એ ચામર રજતગિરિ (ચાંદીના પહાડ) ના શિખર જેવા વિમળ છે, ચંદ્રનાં કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે; પવનથી હાલતાં ચંચળ પાણીમાં નાચતાં મેજએ કરી લીરેદક સાગરમાં જે કાલ પ્રસરી રહે છે તેના જેવા ચંચળ એ ચામર વીંઝાઈ રહે છે; માનસરોવરના વિસ્તારમાં વસતી, નિર્મળ વેશ તથા આકારવાળી અને સુવર્ણપર્વતના શિખર ઉપર બેઠેલી હંસી ચપળ-શીધ્ર ગતિએ ઉંચેનીચે ઉડે તેના જેવા એ ચામરો છે; નાના પ્રકારના મણિરન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દંડથી એ ચામરો શોભે છેઃ એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરે રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે; મોટાં નગરમાં નીપજતા અને સમૃદ્ધ રાજાઓ વડે સેવાતા, કાળું અણ (કલાગુરૂ) અને શિલારસા
Page #83
--------------------------------------------------------------------------
________________
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આદિ ચારૂ-સુગંધી દ્રવ્ય જેવા દસ પ્રકારના ધૂપથી સુવાસિત તેમનાં સ્થાન મઘમઘાટ કરી રહે છે; તેમની બેઉ પાસે ચામરના સુખકારી શીતળ વાયુથી તેમનાં અંગ વીંઝાઈ રહે છે, તેઓ અજિત છે, અજિત રથવાળા છે, હાથમાં હલ-મુશલ-બાણ (આયુ)ને ધારણ કરનાર (બલદેવ) છે; (પંચજન્ય) શંખ, (સુદર્શન) ચક, (કૌમુદકી) ગદા, ત્રિશુળ, નંદનક ખર્શને (વાસુદેવ) ધારણ કરે છે, સુંદર, ઉજજ્વલ, ઉત્તમ, વિમળ કૌસ્તુભમણિ હદયને વિષે ધારણ કરે છે, મસ્તક પર મુકુટને ધારણ કરે છે. વળી કુંડેલે કરી શોભાયમાન તેમનાં વદન છે, સફેદ કમળ જેવાં તેમનાં નેત્ર છે, કઠે એકાવલિ હાર પહેરવાથી તેમનાં વક્ષસ્થળ શોભે છે, શ્રીવચ્છરૂપી રૂડું જેમનું લાંછના છે; તેવા તેઓ અતિ યશસ્વી છે. સર્વ હતુઓનાં સુગંધી પુષ્પોથી રચિત લાંબી શોભતી વિકસિત વિચિત્ર પ્રકારની વનમાળાથી તેમનાં વૃક્ષસ્થળ શોભે છે; જૂદાં જુદાં એકસે ને આઠ પ્રશસ્ત સુંદર લક્ષણોથી વિરાજિત તેમનાં અંગે પાંગ શેભે છે; મત્ત ઐરાવત હાથીની લીલાયુક્ત ગતિના જેવી તેમની વલસિત ગતિ છે; કટિસૂત્ર સાથે નીલાં (બળદેવ) અને પીળાં (વાસુદેવ) વસ્ત્રો તેઓ પહેરે છે, અને તેજે કરી દીપ્તિમાન છે. શરદ ઋતુના નવા મેઘની ગર્જના જે મધુર-ગંભીર-સ્નિગ્ધ તેમને શબ્દ છે નરમાં સિંહ જેવું તેમનું બળ છે અને સિંહ જેવી તેમની ગતિ છે; એવા તેઓ પણ અસ્ત પામ્યા. મેટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય, દ્વારામતી નગરીના પૂર્ણ ચંદ્ર (આનંદકારક), પૂર્વ
Page #84
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચર્ય
૬૭
કૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખા અનેક શત વર્ષોંના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે ભાગવતાં છતાં, સકળ દેશમાં પ્રધાન સુખાએ વિલસતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ–રસ– રૂપ-ગધને અનુભાગતા છતાં, તે પણ કામભાગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરણ ધમને પામે છે (મૃત્યુ પામે છે.) અબ્રહ્મચારી રાજાએ.
વળી મંડળીક રાજા સેનાવાળા છે, અંતઃપુરવાળા છે, પરિષદા-પરિવારવાળેા છે, પુરાહિત સહિત છે, તેના અમાત્ય-દંડનાયક, સેનાપતિ, મંત્રણા વિષે અને નીતિ વિષે કુશળ છે, નાના પ્રકારના મણિરત્ન, ઘણા ધન-ધાન્યના સંચય તેના ભંડારમાં ભરેલા છે; તે વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતા છતાં, અહુ કારે ગતા છતાં અને બળે કરીને મત્ત છતાં કામભોગમાં અતૃપ્ત રહીને મરણુ ધર્મને પામે છે. અબ્રહ્મચારી જુગલીયા.
પુનઃ ઉત્તરકુરૂ-દેવકુરૂનાં વનિવવામાં જે પગે ચાલતા મનુષ્યના સમૂહ છે, તે ભાગે કરી ઉત્તમ છે, ભાગનાં લક્ષણ–ભાગની રેષાઓને ધારણ કરનારા છે, ભાગે કરીને શેાભાયમાન છે, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ રૂપે કરીને દર્શન કરવાચેાગ્ય છે, સુઘટિત અવયાએ કરીને સુંદર અગવાળા છે, લાલ કમળપત્ર જેવાં મનહર તેમના હાથપગનાં તળીયાં છે, રૂડા આકારના કાચા જેવા તેમના સુંદર ચરણ છે, અનુક્રમે ચડઉતર-સુસહત તેમની આંગ
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ળીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને નિષ્પ તેમના નખ છે, સુઘટિત-સુશ્લિષ્ઠ અને માંસલ તેમની પગની ઘુંટીએ છે, મૃગલીની જેઘા ઉપર જેમ કુરૂવિંદના તૃણના જેવા આવર્તક પડ્યાં હોય તેવી રીતની અનુક્રમે જાડી થતી તેમની જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી તેમની વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘેડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘોડાના જે તેમને મળરહિત દેહ છે, અને તેમના જેવા તેઓ હર્ષવંત છે, ઉત્તમ ઘેડા અને સિંહથી અધિક વર્તુલાકારે તેમની કટી-કમર છે; ગંગાના અવતન પેઠે, દક્ષિણાવર્તની પેઠે, તરંગલંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિકસિત થએલા કમળની પેઠે ગંભીર તથા વિકટ તેમની નાભિ છે; એકઠી બાંધેલી ત્રગીત્રણ લાકીઓના જે, મુશળના જેવું, દર્પણના જેવા નિર્મળ કરેલા સુંદર સેનાની બનાવેલી તત્વારની મૂઠના જે અને વજન જેવો પાતળો તેમને શરીરને મધ્ય ભાગ છે; સરલ, સુપ્રમાણયુકત, અવિરલ, સ્વાભાવિક સૂક્ષ્મ, કાળી, સિનગ્ધ-તેજવંત, ભાયુક્ત, મનોહર, સુકુમાર, અને સુકેમળ એવી તેમની રોમરાજિ છે; મત્સ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી-જઠર દેશ છે મત્સ્યના જેવું તેમનું ઉદર છે; કમળના જેવી પ્રકટ તેમની નાભી છે; નીચા-નીચાં નમતાં, સંગત-અંતરરહિત સુંદર, નિર્માણ
ગુણયુકત, અને સુપ્રમાણયુક્ત-માંસલ-રમણીય તેમનાં * પાસાં છે, પૂંઠ માંસલ હેવાથી તેમના પૂંઠનાં હાડ બહાર
Page #86
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચર્થ
દેખાતાં નથી, કનકના સરખી તેમની કાન્તિ છે; નિર્મળ, રૂડે અને રોગરહિત તેમને દેહ છે; સોનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વિસ્તીર્ણ અને પહેલી તેમની છાતી છે; ધૂસરા સરખા, માંસલ, રમણીય અને મેટા હાથના ઊંચા છે; સુસંસ્થિત, સુશ્લિષ્ઠ, વિશિષ્ટ, મનોજ્ઞ, સુનિશ્ચિત-શુભ પુદ્ગલયુક્ત, વિશાળ, દઢ અને સુબદ્ધ અસ્થિના સંધી છે; મોટા નગરની ભેગળ સરખી વર્તુલાકાર તેમની ભુજાઓ છે; નાગરાજનું મોટું શરીર સ્વસ્થાનકથી બહાર નીકળે તેવા રમણીય અને ગોળ અર્ગલા જેવા દીધું તેમના બાહુ છે; લાલ હથેળીવાળા, મૃદુ, માંસલ,શુભ લક્ષણ યુક્ત, પ્રશસ્ત, અછિદ્ર-અવિરલ આંગળીએથી યુક્ત તેમના હાથ છે; પુષ્ટ, સુંદર અને કેમળ તેમની આંગળીઓ છે; લાલ, પાતળા, પવિત્ર-ચેખા, રૂચિર-સુંદર, સ્નિગ્ધ તેમની આંગળીઓના નખ છે; હાથમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દક્ષિણાવર્ત સાથી એ પ્રકારની રેખાઓ છે; સૂર્ય-ચંદ્ર-શંખ-ચક દક્ષિણાવર્ત સાથીઓ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેની રેખાઓ છે; મહીષ, શકર-વરાહ, સિંહ, શાલ, વૃષભ, હાથી સમાન વિસ્તીર્ણ તેમને કંધપ્રદેશ છે; ચાર આંગળ પ્રમાણુની શંખના સરખી તેમની ગ્રીવાડેક છે; યથાવસ્થિત, શેભાયુક્ત મૂછ છે; માંસલ, રૂ, પ્રશસ્ત, સિંહ સરખી વિસ્તીર્ણ હડપચી છે; કમાવેલા શિલાપ્રવાલ તથા પાકાં બીંબફળ (ધીલેડાંના ફળ) જેવા લાલ નીચેના હેઠ છે; પેળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મળ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્રણ જેવી, કુંદનાં
શકાર ગણિત, ચીન છે
Page #87
--------------------------------------------------------------------------
________________
190
–શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પુષ્પ જેવી, પાણીનાં ટીપાં જેવી, કમળ જેવી ધળી દાંતની હાર છે; પરિપૂર્ણ, અસ્ફટિત, અવિરલ, સુસ્નિગ્ધ, સુજાત, એવા એક એક દાંતની હારની જેવી અનેક દાંતની પંક્તિ છે, અગ્નિથી તપાવેલા નિર્મળ ઉના સુવર્ણના જેવું લાલ તેમનું તાળવું અને જીભ છે; ગરૂડની ચાંચ જેવી લાંબી, સરલ અને ઉંચી તેમની નાસિકા છે; ખીલેલા પુંડરીક-કમળ, સરખાં તેમનાં નયન છે; વિકસેલી, સફેદ, પાંપણ સહિત તેમની આંખો છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર વાદળાની રેખા જેવી કાળી, સંસ્થિત, એકસરખી, લાંબી, સુંદર તેમની ભ્રમરે છે; સુંદર આકારવાળા તેમના કાન છે; સુંદર શ્રવણપુટ છે; પુષ્ટ અને માંસલ ગાલને પ્રદેશ છે; તાજા ઉગેલા બાલચંદ્રના આકારનું તેમનું વિશાળ લલાટ છે; ચંદ્રમા સરખું પરિપૂર્ણ સૌમ્ય વદન છે; છત્રના
આકારે તેમનું મસ્તક છે; લેઢાના ઘણ સરખા દઢ-સુબદ્ધ સ્નિાયુએ કરી સહિત, ઉનત, શિખર સહિત ઘરના જેવું વર્તુલાકારે તેમનું મસ્તક છે; અગ્નિમાં તપાવેલા નિર્મળ સુવર્ણ જે લાલ કેશનો અંતભાગ તથા મસ્તકની ચામડી છે; શાલમલી વૃક્ષના અત્યંત પુષ્ટ-કઠીન અને વિદ્યારેલા ફળના જેવા મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણવંત, સુગંધયુક્ત, સુંદર, ભૂજમોચક રત્ન જેવા (કાળા), ભ્રમરા જેવા, નીલ રત્ન જેવા, કાજળ જેવા, હષિત ભ્રમરના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહરૂપે અવિખર્યા, વાંકા વળેલા, પ્રદક્ષિણવૃત્ત લાંબા વળેલા, એવા તેમના મસ્તકના કેશ છે, સુનિષ્પન, સુવિભક્ત અને એક બીજાની સાથે સુસંગત
Page #88
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચર્ય
૭૧ એવાં તેમનાં અંગે લક્ષણ અને વ્યંજન ગુણે કરીને યુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જે, ક્રૌંચ પક્ષીના જે, દુંદુભિના જેવ, સિંહના જે મેઘના જે, મનુષ્યના સમૂહના સ્વર જે તેમને સ્વર છે; સુસ્વયુક્ત તેમને ધ્વનિ છે; વાષભનારાચ સંહનનને ધારણ કરનારા છે; સમચતુરંસ સંસ્થાને કરી સંસ્થિત છે; કાન્તિમાન તથા ઉઘાતવંત તેમનાં અંગોપાંગ છે; રેગરહિત તેમના શરીરની ત્વચા છે કેક પક્ષીના જેવી તેમની (નિર્લેપ) ગુદા છે; પારેવાની પેઠે તેમને આહાર પચે છે (કાંકરા પણ પચી જાય) શકુનિ પક્ષીને જેવા તેમની ગુદાનાં પાસાં છે, જે મતવિસર્જન કરતાં ખરડાય નહિ; પદ્મકમળ અને નીલકમળ સરખે તેમના શ્વાસને ગંધ છે; સુગંધી વદન છે; મનહર તેમના શરીરમાંના વાયુને વેગ છે; ગૌરવર્ણય, સતેજ અને કાળ તેમના શરીરને અનુરૂપ કુક્ષી પ્રદેશ-ઉદર પ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળને આ હાર કરનારા છે; ત્રણ ગાઉ ઉંચા તેમનાં શરીર છે; ત્રણ પલ્યોપમની તેમની સ્થિતિ છે; ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે, તેવા એ જુગલીયા પણ કામગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે.
(હવે જુગલીયાની સ્ત્રીનું વર્ણન કરે છે.) તેમની સ્ત્રી (જુગલણ) પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સગે કરી સુંદર હોય છે, પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ટ પ્રમાણયુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણે તેમને હોય
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે; સરલ, મૃદુ, પુષ્ટ અને અવિરલ તેમની આંગળીઓ હેય છે; ઉંચા, સુખદાયી, પાતળા, રાતા, સ્વચ્છ અને સ્નિગ્ધ તેમના નખ હોય છે; રેમરહિત, વર્તુલાકારે, ઉત્તમ, પ્રશસ્ત, લક્ષણયુક્ત, રમ્ય એવી તેમની બે જાંગ હોય છે; સુનિમિત અને અદશ્યમાન એવા તેમના પગના ઘુંટણ છે; માંસલ, પ્રશસ્ત અને સુબદ્ધ-સ્નાયુયુક્ત તેમના (અસ્થિના) સંધિ છે; કેળના થંભથી અધિક (સુંદર) આકારવાળા, વ્રણરહિત, સુકુમાર, મૃદુ, કોમળ, અવિરલ, એકસરખા, લક્ષણયુક્ત, વર્તુલાકાર, માંસલ, પરસ્પર સરખા એવા તેમના સાથળ છે; અષ્ટાપદ તરંગના (એક પ્રકારના જુગારના) પાટલામાંની રેખાઓ જેવી રેખાઓથી યુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, પહોળી તેમની કટી-કમર છે; વદનની લંબાઈના પ્રમાણથી બમણ (૨૪ આંગળ), વિશાળ, માંસલ, દઢ, એ તેમની કટીને પૂર્વ ભાગ છે; વાના જેવું વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, કૃશ તેમનું ઉદર–પેટ છે; ત્રિવલીએ કરી નમેલે કૃશ તેમને મધ્યભાગ છે; સરલ, પ્રમાણે પેત, જાતવંત-સ્વાભાવિક, પાતળી, અખંડ, સતેજ, શોભાયુક્ત, મનહર, સુકુમાર, મૃદુ, અને જૂજવી તેમની રેમરાજ છે; ગંગાના આવતરની પેઠે, દક્ષિણાવર્તની પેઠે, તરંગભ્રમની પેઠે, સૂર્યના કિરણથી જાગૃત થઈ વિકાસ પામેલા કમળની પેઠે ગંભીર અને વિકટ તેમની નાભી છે, અણુઉપ, પ્રશસ્ત, સુનિષ્પન્ન અને પુષ્ટ તેમની કુક્ષી છે; નીચા નમતાં, અંતરરહિત, સુંદર, નિર્માણ ગુપત, સુપરિમાણયુક્ત, માંસલ અને રમણીય તેમનાં
Page #90
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચર્ય
પાસાં છે; પૂંઠના અસ્થિ અદશ્યમાન છે; સેના સમાન કાન્તિમાન, નિર્મળ, સુજાત, રોગરહિત, તેમની ગાત્રયષ્ટી છે; સોનાના કળશના જેવાં પ્રમાણયુક્ત, એકસરખા, સુલક્ષણયુક્ત, મનહર શિખરયુક્ત, સમણીયુક્ત, એવાં બે વર્તુલાકાર તેમનાં સ્તન છે; સપની પેઠે અનુક્રમવાળા (જાડા-પાતળા), કમળ, ગાયના પૂછડાની પેઠે ગાળ, એક સરખા, મધ્યભાગે વિરલ, નમેલા, રમણીય અને લલિત તેમના બાહુ છે; તાંબા જેવા લાલ નખ છે; હાથના અગ્ર ભાગ માંસલ છે; કોમળ અને પુષ્ટ આંગળીઓ છે; હાથમાંની રેષાઓ સતેજ છે; ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, સ્વસ્તિક, એવાં જૂજવાં લક્ષણે કરી વિરાજતી હાથની રેષાઓ છે; પુષ્ટ અને ઊંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે; પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે; ચાર આંગળના માપની, શંખને આકારે, રેખા સહિત તેમની ગ્રીવા-ડેક છે; માંસલ તથા રૂડા આકારની તેમની હનુવટી-હડપચી છે; દાડમનાં પુલ સમાન સતે, પુષ્ટ, જરા લાંબે, આકુંચિત એ સુંદર નીચેને હે છે; દહીં, પાણીનાં બિંદુ, કુદનાં પુષ્પ, ચંદ્રમા, વાસંતીની સુકુમાર કળી સમાન છિદ્રરહિત અને નિર્મળ તેમના દાંત છે; લાલ કમળ અને લાલ પદ્મપત્ર સમાન સુકોમળ તેમનું તાળવું અને જીભ છે; કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે; શરદઋતુનાં નવકમળ, કુમુદ અને નીલકમળના સમૂહ સમાન, સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયને છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનહર, કાળી વાદળની
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
રેખામી, એક સરખી, સુનિષ્પન્ન, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરે છે; સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને રૂડા તેમના કાન છે; પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે ચાર આંગળ જેટલું વિશાળ તેમનું લલાટ છે; કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્ર સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું ઉત્તમાંગ-મસ્તક છે; અત્યંત કાળા અને સતેજ તથા લાંબા તેમના મસ્તકના કેશ છે; બત્રીસ લક્ષણ (ચિન) જેવાં કે, ધ્વજા, થંભ, તૂપ, દામણી, કમંડળ, કલશ, વાવ, સાથીઓ, પતાકા, જવ, કાચ, રથ, મકરધ્વજ, અંક રત્ન, થાળ, અંકુશ, અષ્ટાપદનું ફલક, આલિયે (૨), દેવ અથવા મયૂર, લક્ષ્મીને અભિષેક, તેરણ, પૃથ્વી, મહાસાગર, ઉત્તમ ભવન, ગિરિવર, અરીસે, મલપતે હાથી, વૃષભ, સિંહ અને ચામર, એ પ્રમાણે ૩૨ લક્ષણેને તેઓ શરીર પર ધારણ કરે છે; હંસ સરખી તેમની ગતિ છે; કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભપ્રિય છે; ચામડીની કરચલી, સફેદ કેશ, વ્યંગ (કુરૂપ અંગ), દુષ્ટ વર્ણ, વ્યાધિ, દુર્ભાગ્ય, શોક ઈત્યાદિથી તેઓ રહિત છે; ઉંચપણે પુરૂષથી છે ઓછી ઉંચી છે, શૃંગાર રસના આગાર રૂપ સુંદર તેમને વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન એ ગુણે કરીને સહિત છે; નંદન વનના વિવરમાં એ અસરાની જેમ પરિભ્રમણ કરે છે; ઉત્તરકુરૂને વિષે મનુષ્ય રૂપે અપ્સરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાગ્ય એ જુગ
Page #92
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મચય
લણી) ત્રણ પચેાપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ ભાગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યુધને પામે છે. અબ્રહ્મચર્યનાં ફળ.
૭૫
મૈથુનસજ્ઞામાં ગૃદ્ધ અને માહ-અજ્ઞાનથી ભરેલા તે વિષયરૂપી વિષની ઉદીરણા કરતા થકા એક મીજાને શસ્ત્ર કરીને હણે છે. વળી કેટલાકેા પરસ્ત્રીની સાથે પ્રવતતાં બીજાએથી હણાય છે. (એવા દુરાચાર વિષે) વાત. જાહેર થતાં તેના ધનના અને સ્વજનાર્દિકના નાશ થાય છે (રાજા દ્વારા એવા દંડ પામે છે). પરસ્ત્રી થકી જે નિવાઁ નથી, મૈથુનસજ્ઞામાં ગૃદ્ધ છે, મેહે ભરેલા છે, તેવા અશ્વ, હાથી, ગેાધા, મહીષ, મૃગા કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કામી મનુષ્યા, વાંદરા અને પક્ષીઓ માંડામાંહે વિરાધ કરે છે. મિત્ર હાય તે વેરી થાય છે. પરદારાગામી મનુષ્યેા સિદ્ધાન્તના અર્થને, ધમને, સમાચારી–સાધુગણને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણુને વિષે રક્ત એવા બ્રહ્મચારી પરદ્વારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. યશવત અને રૂડાં વ્રત આચરનારા તેથી અપયશ, અપકીતિ, વ્યાધિને વધારે છે, વિશેષ ગ-વ્યાધિથી પીડા પામે છે, અને બેઉ લેાકમાં-હ લેાકમાં તથા પરલાકમાં દુરારાધક થાય છે. પરદ્વારાથી જે નિવાઁ નથી તેમાંના કોઇ પરદારાને શોધતાં પકડાય છે, હણાય અને એડીમાં રૂંધાય છે. એ પ્રમાણે અત્યંત માહ-મુગ્ધતા રૂપ સ'જ્ઞા મૈથુનનુ કારણ છે અને તેથી પરાભવેલા જીવે
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દુર્ગતિને પામે છે. વળી જુદાં જુદાં (અન્યમતિના) શાસ્ત્રોને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજ કારણથી) લેકને ક્ષય કરનારાં યુધ્ધ થયાં છે. સીતા, દ્રૌપદી, ઋકિમણી, પદ્માવતી, તારા, કાંચના, રક્ત સુભદ્રા, અહલ્યા, સુવર્ણગુલિકા, કિન્નરી, સ્વરૂપવતી વિદ્યુમ્નતિ, રોહિણી ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થે સંગ્રામ થએલા સંભળાય છે. એ પ્રમાણે થએલાં યુદ છે અધર્મનાં-વિષયનાં મૂળ છે. અશ્વહ્મચર્યને સેવનારા ઇલેકથી નષ્ટ થાય છે (અપકીતિ રોગ આદિને પામે છે) અને પરલોકને વિષે પણ નષ્ટ થાય છે. (તે કેવી રીતે ) મહામોહરૂપી અંધકારને વિષે અને ઘેર
જીવસ્થાનને વિષે પીને તેઓ નષ્ટ થાય છે. ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ-અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેઓ ઉપજે, વળી અંડજ (પક્ષી-સર્પાદિ), પિતજ (હાથી આદિ), જરાયુજ (મનુષ્યાદિ), રસજ (મદ્યાદિમાં ઉપજતા બેઇંદ્રિયાદિ), સંદજ (જૂ-માકણાદિ), સંમૂર્ણિત (દેડકા આદિ), ઉદુભિજજ (તીડ આદિ), તથા નારકી દેવતામાં તેઓ ઉપજે, નરક, તીર્થચ, દેવતા અને મનુષ્ય એ ચારે ગતિમાં જરા, મરણ, રેગ, શેક આદિએ કરી શેકભર્યા સંસારમાં ઘણું પલ્યોપમ-સાગરેપમ સુધી, અનાદિ-અનંત અને દીર્ઘ કાળવાળી એવી ચાર ગતિરૂપ સંસાર અટવીમાં એ મેહને વશ પડેલા છ વારંવાર પરિભ્રમણ કરે છે.
અબ્રહ્મચર્યને ફળવિપાક એવા પ્રકાર છે. અબ્રહ્મચર્ય ઈહલોકમાં અને પરલોકમાં અલ્પ સુખ આપનારું અને
Page #94
--------------------------------------------------------------------------
________________
પસ્થિત
૭૭:
બહુ દુઃખ આપનારું છે, મહા ભયરૂપ છે, ઘણા કમરૂપી મેલથી આકરૂં છે, દારૂણ-રૌદ્ર છે, કર્કશ-દુઃખયુક્ત છે, અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષ પણ અણગચે ન છૂટે તેવું છે, તે ભગવ્યે જ છૂટકે–મેક્ષ રહેલો છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવદ્વારનું અબ્રહ્મચર્ય ફળવિપાક વિષેનું ચોથું અધ્યયન સંપૂર્ણ થયું.
અધ્યયન ૫ મું
પરિગ્રહ જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે. જબૂ! હવે હું આસવદ્વારનું પાંચમું અધ્યયન પરિગ્રહ વિષે નિશ્ચયે કરીને જેમ છે તેમ સંભળાવું છું. પરિગ્રહનું સ્વરૂપ
વિવિધ પ્રકારનાં મણિ, સુવર્ણ, રત્ન, મૂલ્યવાન (કસ્તુરી આદિ) પરિમલ-સુગંધ, પુત્ર-સ્ત્રી-આદિ પરિ. વાર, દાસીઓ, દાસ, ચાકર, પૃષ્ય (કામ પડયે મેકલવા માટેને ચાકર); ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં, બકરાં, ગાડર; શિબિકા (પાલખી), ગાડાં, રથ, યાન (વાહન), યુગ્મ (જુગ્ન-પાલખી જેવું; ચંદન (એક પ્રકારને રથ); (૫લંગાદિ) શયન, (બાજોઠાદિ, આસન, વાહન, ઘરવાપ
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર રાની જૂદી જૂદી ચીજે; ધન, ધાન્ય, પાણી, ભજન, વસ્ત્ર, ગંધ, (પુષ્પાદિ)માલા, વાસણ, ભવન ઈત્યાદિ વિધવિધ વસ્તુઓને રાજા ભોગવે છે. તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેક પર્વતે, નગર, વાણિજ્યસ્થાન, દેશ, પુર, જલપંથ, ધૂળકેટ, ગામ, ગામડાં, મંડપ, બાહ, પટ્ટણ આદિ હજારે સ્થાને આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત પૃથ્વીને, એક છત્રે, સાગર સહિત ભોગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિ. મિત (માપ વિનાની) અને અનંત રહે છે. તેમની સાથે મેટી ને મેટી ઈચ્છારૂપે (વધુ પ્રાપ્ત કરવા રૂપે) પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષનાં નરરૂપ જાડાં મૂળ છે, લે, સંગ્રામ અને કષાય (કેધ-માન-માયા ) રૂપ મોટું થડ છે, સેંકડે ચિંતારૂપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે, (દ્ધિ આદિના) ગવરૂપે વિસ્તારવંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયા-કપટરૂપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ–ભેગરૂપ પુષ્પ-ફળ છે, શરીરને ખેદ, મનને ખેદ, કલહ, એ વડે કંપતો તેને શિખરને ભાગ છે; એવા પરિગ્રહરૂપી વૃક્ષને રાજા પૂજે છે, ઘણા મનુષ્યના હૃદયને તે વહાલું છે, અને પરિગ્રહથી યુક્ત થવાને જે નિર્લોભારૂપ માર્ગ છે તે માર્ગની અર્ગલારૂપ એ પરિગ્રહરૂપ વૃક્ષ છે. પરિગ્રહનાં નામ.' - એ પરિગ્રહનાં ગુણનિષ્પન્ન ૩૦ નામે આ પ્રમાણે છે –(૧) પરિગ્રહ, (૨) સંચય (એકઠું કરીને સંગ્રહવું),
Page #96
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહ
૭૯
(૩) ચય (એકઠું કરવું), (૪) ઉપચય (મટે ઢગલો કરી રાખ), (૫) નિધાન (ભૂમિમાં એકઠું કરી રાખવું), (૬) સંભાર (સારી રીતે ભરી રાખવું), (૭) સંકર (સંમિશ્રિત પીંડકરણ), (૮) આદર (આદર સાથે રાખી લેવું), (૯) પીંડે બનાવ, (૧૦) દ્રવ્યસાર (દ્રવ્ય લક્ષણને સારતત્વ કાઢી રાખ), (૧૧) મહેચ્છા, (૧૨) પ્રતિબંધ (સ્નેહનું કારણ), (૧૩) લોભસ્વભાવ, (૧૪) મેટી યાચના, (૧૫) ઉપકરણ (ઘરવાખરાનો સંગ્રહ), (૧૬) સંરક્ષણ (શરીરાદિનું વિશેષ પ્રકારે રક્ષણ), (૧૭) ભારનું કારણ, (૧૮) અનર્થનું ઉત્પાદન (૧૯) કલેશને કરંડિયે, (૨૦) ધન ધાન્યને વિસ્તાર, (૨૧) અનર્થનું કારણ, (૨૨) સંસ્તવ, (ધન સ્વજનાદિને પરિચય), (૨૩) મનનું અગેપન, (૨૪) શરીરને આયાસ (ખેદ-પરિગ્રહ હેતુપૂર્વક), (૨૫) અવિયોગ (ધનાદિને
ત્યાગ સહજમાં ન કરે), (૨૬) અમુક્તિ (સલેભતા), (૨૭) તૃષ્ણ, (૨૮) અનર્થક (પરમાર્થ વૃત્તિની રહિતતા), (૨૯) ધનાદિને આસંગ, (૩૦) અસંતુષ્ટ વૃત્તિ, ઈત્યાદિ ત્રીસ નામે પરિગ્રહનાં છે. પરિગ્રહીઓ.
(હવે પરિગ્રહ કરનારાઓ વિષે કહે છે.) પરિગ્રહ કરનારાઓ મમત્વ મૂછીથી ગ્રસ્ત અને લોભગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દેવો પણ પરિગ્રહની રૂચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિશાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કુમાર, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશા કુમાર, પવન કુમાર, સ્થનિત કુમાર; વળી. ( આઠ ન્યતા ) આણુપત્ની, પાણપત્ની, ઈસીવાઈ (ઋષિવાદી ), ભૂતવાદી, કઢી ( ક્રુદિત ), મહાકદિત, કુહુડ ( કુષ્માંડ ), પતંગ; વળી પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ પુરૂષ, મહેારગ, ગંધવ, વળી તીર્થં લેાકના વાસી પાંચ પ્રકારના જ્યોતિષી દૈવા; બૃહસ્પતિ, ચદ્ર, સૂર્ય, શુક્ર, શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ, એ બધા તપાવેલા સાના જેવા રક્તવષ્ણુના ગ્રહ વિશેષા; વળી જે ગ્રહો જ્યાતિષ ચક્રમાં ભ્રમણ કરી રહેલા છે; વળી પરિભ્રમણ કરવામાં રતિવાળા કેતુ (ગ્રહા), અઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવતાના સમૂહ, નાના પ્રકારનાં સસ્થાને કરીને સ્થિત તારા, અવસ્થિત-નિશ્ચળ દીપ્તિવાળા તારા જેઓ મનુષ્ય ક્ષેત્રની બહાર ફરે છે, જેઆ ક્ષણ માત્રના વિસામે નહિ લેતાં તિયોાકની ઉપરના ભાગમાં જયાતિષચક્રમાં ફર્યાં કરે છે; ઉર્ધ્વલાકના વાસી એ પ્રકારના વૈમાનિક દેવા; (૧) સૌધમ (૨) ઇશાન (૩) સનત્કુમાર (૪) મહેદ્ર (૫) બ્રહ્મલાક (૬) લાંતક (૭) મહાશુક (૮) સહસ્રાર (૯) અનત (૧૦) પ્રાણત (૧૧) આરણુ (૧૨) અચ્યુત, એ ખાર કપેાપન્ન દેવતાના સમૂહ; ત્રૈવેયક અને અનુત્તર વિમાની એ કલ્પાતીત દેવતા; આ દેવા મહા ઋદ્ધિવત છે, દેવામાં ઉત્તમ છે; એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ ( પરિવાર ) સહિત છે, પણ તે મમતા કરે છે (પરિગ્રહ રાખે છે). (હવે તેમના પરિગ્રહની વસ્તુ કહે છે). ભવન, વાહન, યાન (શકટાદ), વિમાન,
૮૦
Page #98
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહ
૮૧
શયન (પલંગાદિ), આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભ્રષ, ઉત્તમ હથીયારા, નાના પ્રકારના-પાંચ વણ નાં મણિરત્નાના દિવ્ય સંચય, વિવિધ પાત્રા, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારનાં રૂપ વિષુવે (ઉત્પન્ન કરે) તેવી અપ્સરાઓના સમૂહ, દ્વીપ, સમુદ્ર, દિશાઓ, વિદિશાઓ, ચૈત્ય (મદિરા અથવા વૃક્ષા), વનખડા, પર્વત, ગામ, નગર, આરામ, ઉદ્યાન, કાનન (મોટાં વન), કૂવા, સરાવર, તળાવ, વાવ, દીષિકા (મોટી વાવ), દેવનાં દહેરાં, સભા, પરમ, તાપસનાં આશ્રમ, આદિ ઘણા પદાર્થીના પરિગ્રહ રાખતા, ભારે વિસ્તી દ્રવ્યનું મમત્વ રાખતા, ધ્રુવ-દેવીઓ અને ઇંદ્રો પણ તૃપ્તિ કે તુષ્ઠિ (સતાષ) પામતા નથી. તેની બુદ્ધિ અત્યંત લાલે કરીને પરાભવેલી છે. વળી મિવંત, ક્ષુકાર, વૃત્ત પર્વત, કુંડલ પર્વત, રૂચક, માનુષાત્તર પવત, કાલેાધિ, લવણુસમુદ્ર, ગંગાદિક નદી, પદ્મ આદિ દ્રહ, રતિકર પર્યંત, અજનક પર્યંત, ધિમુખ પર્યંત, અવપાત પર્યંત ( દેવ ઉતરે તે ), ઉત્પાત પર્વત ( જે દ્વાશ ભવનપતિ મનુષ્ય ક્ષેત્રમાં આવે છે), કાંચનગિરિ, વિચિત્ર પર્વત, જમક પર્યંત, શિખરી પત, ઇત્યાદિ પતાના ફ્રૂટને વિષે વસતા દેવા પરિગ્રહ ધારતા છતાં તૃપ્તિ પામતા નથી. તેવીજ રીતે વષધર પર્વતના દેવ અને અકમ ભૂમિના દેવ પણ તિસ પામતા નથી. વળી ક ભૂમિમાં જે જે દેશ રૂપ વિભાગેા છે તેમાં જે મનુષ્યા, ચક્રવર્તી, વાસુદેવ, અલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટમધ, સેનાપતિ, ઇંબ્લ (જેની પાસે એટલું દ્રવ્ય હોય કે જેથી ઉભા હાથી ઢંકાઈ
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જાય તે), શેઠ, શેઠીયા (દેશને અધિકારી), પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક (દેશના સીમાડાના રાજા), સાર્થવાહ, કૌટુંબિક (કુટુંબના મેટા), અમાત્ય, ઈત્યાદિ બીજા જે અનેક મનુષ્ય વસે છે તે બધા પરિગ્રહને કરનારા છે. (આ પરિગ્રહ કેવો છે?) એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે (આપત્તિમાંથી છોડાવે તે નથી), દુઃખભર્યા સંતવાળે છે, અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત (ક્ષણે ક્ષણે વિનાશ સ્વભાવવાળા) છે, પાપકમનાં મૂળરૂપ છે, (વિવેકીએ) નહિ કરવાગ્યા છે, વિનાશના મૂળ રૂપ છે, અત્યંત વધ-બંધ-કેલેશના કારણરૂપ છે, અનંત સંકલેશ (ખ) ના કારણરૂપ છે; ધન-ધાન્ય-રત્નાદિને સમૂહ કરતા છતાં લેભથી ગ્રસ્ત થએલાઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખના નિવાસસ્થાન રૂપ છે. પરિગ્રહના કારણું.
પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્ય સેંકડો પ્રકારનાં શિલ્પ (વિજ્ઞાનાદિ) ની (ચિત્રાદિ) કળાઓ શીખે છે, નિપુણ લેખકે લખવાની, પક્ષીઓ વગેરેના શબ્દ શકુનની, ગણિતાદિની બહેતર કળાઓ શીખે છે; ચીની રતિની ઉપજાવનારી ચોસઠ કળાઓ શીખે છે; (રાજાદિકની) સેવાને અર્થે શિલ્પકળા, તલ્હારની (યુદ્ધની) કળા, લેખનકળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધનુવિદ્યા, ખલ્ગાદિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્ર પ્રયાગ (વશીકરણાદિ, અને બીજા અનેક પ્રકારના કળા
Page #100
--------------------------------------------------------------------------
________________
પગ્રિહ
વિદ્યા વગેરે-પરિગ્રહ કરવાના કારણરૂપ ધંધા જીવન સુધી તેઓ કર્યા કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્ય પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણુઓને વધ કરે છે, જૂઠું બોલે છે, માયા-પ્રપંચ કરે છે, સારી વસ્તુમાં નઠારી વસ્તુ ભેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાને લાભ કરે છે, પિતાની અને પારકી સ્ત્રીના સેવનથી શરીર અને મનને ખેદ પ્રાપ્ત કરે છે, (વચનવડે) કલહ, (કાયાએ કરી) ભાંડણ-ઝગડે, વૈર, અપમાન, અને કદર્થના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રૂપી સેંકડે વષાઓએ કરીને તરસ્યા, તૃષ્ણ (અપ્રાપ્ત વસ્તુની) એ કરી લભગ્રસ્ત, અને આત્માના અનિગ્રહવાળા મનુષ્ય નિંદનીય કેધ, માન, માયા અને લાભ કરે છે. વળી પરિગ્રહથીજ નિશ્ચયે (માયા આદિ) શલ્ય, (ત્રણ) દંડ, (ત્રણ) ગર્વ, (ચાર) કષાય, (ચાર) સંજ્ઞા, (પાંચ) કામગુણ, (પાંચ) આસવકર્મ, (પાંચ) ઇંદ્રિયવિકાર, (ત્રણ અપ્રશસ્ત) વેશ્યા, સ્વજન સંગની મમતા, સચિત્ત -અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉપજે છે.
પરિગ્રહનાં ફળી.
તીર્થકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને આસુરાદિ લોકમાં લોભથી ઉપજેલા પરિગ્રહ જે બીજે કઈ પરિગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી. સવ લેકમાં સર્વ જીવેને પરિગ્રહ વળગેલો છે. પરિગ્રહથી ગ્રસેલા છે પરકમાં નષ્ટ થાય છે (સુગતિને પામતા નથી) અને
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અજ્ઞાનરૂપી અંધકારમાં મગ્ન થાય છે. મહામહનીય (ચારિત્ર મોહનીય)થી મૂછિત થએલી મતિવાળા એ છે લોભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રૂપ ત્રસ્થાવર-સૂફમ-આદર-પ્રર્યાસ-અપર્યાપ્ત એવા જીવનિકાયમાં દીર્ધ કાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહને ફળવિપાક આ લેકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રૂપ છે. તે મહાભયનું કારણ છે, કર્મ રૂપી રજને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે, તે દારૂણ છે, કઠેર છે, અશાતાકારક છે અને હજાર વર્ષ સુધી જોગવ્યા સિવાય ન છુટાય તેવું કર્મ છે. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ પરિગ્રહને ફળ વિપાક કહ્યું છે. એ પ્રમાણે આસવદ્વારનું પાંચમું અધ્યયન પરિગ્રહના ફળવિપાક વિષેનું સંપૂર્ણ થયું. આસવ દ્વારને ઉપસહાર.
એ પ્રમાણે પાંચ આઅ કમરૂપી રજથી જીવને મલિન કરે છે, અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રૂપ સંસારમાં રખડાવે છે. જે અનંત અધર્મયુક્ત અને અકૃતપુણ્ય છ ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાદષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્ય ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઓને અંત લાવનારાં, ગુણમાં મધુર એવાં જિનવચન રૂપી ઔષધ આપ્યા છતાં જે તે પીવાને
Page #102
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહ
ઈચ્છતા નથી તેઓ શું કરી શકવાના છે? જેઓ પાંચ (પ્રાણાતિપાતાદિ) આસવ છાંવને પાંચ (પ્રાણાતિપાત વિરમણ આદિ) સંવરને ભાવપૂર્વક પામે છે, તેઓ કમ રૂપી રજથી મુક્ત થઈને અનુક્રમે સિદ્ધિને પામે છે.
ઈતિ આસવ દ્વાર સમાસ,
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સંવર દ્વાર
- - અધ્યયન ૧ લું
અહિંસા જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું સંવર (અનુષ્ઠાન કર્મના)ના પાંચ દ્વાર અનુક્રમે જે પ્રમાણે ભગવાને કહ્યાં છે તે પ્રમાણે સંભળાવું છું. એ પાંચ દ્વારા સર્વ દુઃખમાંથી મુક્તિ આપનારાં છે. સંવરનાં પાંચ કાર,
(૧) પહેલું દ્વાર અહિંસા, (૨) બીજું દ્વાર સત્ય વચન, (૩) ત્રીજું દ્વાર (તીર્થંકર-ગણુધરાદિએ) પ્રરૂપેલું એવું જે બીજાએ આપેલું લેવું તે, (૪) ચોથું દ્વાર બ્રહ્મચર્ય અને (૫) છેલ્લું દ્વાર અપરિગ્રહ,
અહિંસા બસ-સ્થાવર-સર્વ જીને ક્ષેમકારી-સુખકારી છે. અહિંસા (પાંચ) ભાવનાથી યુક્ત છે, તેના (અનંત ગુણ છે તેમાંથી કાંઈક-ડા ગુણે વિષે કહું છું. મહાવ્રતને મહિમા.
તે આ પ્રમાણે છે: હે સુવ્રત (જબૂ) ! મહાવતે (અનુવ્રતની અપેક્ષાએ) લોકહિતને કરનારાં છે, શ્રુતસાગર (સિદ્ધાન્તસમુદ્ર)માં ઉપદેશેલાં છે, તપ-સંયમ ઉપાર્જન કરાવનારાં છે, શીલગુણે (સમાધિ-વિનયાદિ ગુણે) કરી પ્રધાન
Page #104
--------------------------------------------------------------------------
________________
અહિંસા
૮૦૭
વ્રત છે, સત્ય વચન તથા માયાત્યાગે કરી પ્રધાન વ્રત છે, નરક-તીર્થંચ-મનુષ્ય-દેવ ગતિનું નિવારણ કરનારાં છે, સર્વ તીર્થકરોએ પ્રતિપાદેલાં છે, કમરજને વિદારનારાં છે, સેંકડે ભવના ફેરાને વિનાશ કરનારાં છે, સેંકડે સુખને પ્રવર્તાવનારાં છે, કાયર પુરૂષોને પાળતાં દેહ્યલાં લાગે તેવાં છે, શરા-ધીર પુરૂષોએ સેવેલાં છે, નિર્વાણગમનના માર્ગ અને સ્વર્ગના માર્ગ પ્રત્યે પ્રયાણ કરાવનારાં છે, એવાં સંવરનાં દ્વાર ભગવાને પાંચ કહેલાં છે.. અહિંસા.
તેમાં પહેલું અહિંસા દ્વાર છે. અહિંસા દેવ-મનુષ્યઅસુર લોકને (સંસારસાગરમાં) દ્વીપ રૂપ, ત્રાણુ (આપત્તિમાં) શરણરૂપ, સંપદા આપનારી તથા (શ્રેયાર્થીએ) આદરવાયોગ્ય છે. અહિંસાનાં નામ.
(હવે અહિંસાનાં ગુણનિષ્પન્ન નામ કહે છે). (૧) નિર્વાણનું કારણ, (૨) ચિત્તની સ્વસ્થતા, (૩) સમાધિ, (૪) શાનિ, (૫) કીતિ આપનાર, (૬) કાન્તિ (શરીરની)નું કારણ, (૭) (મનને) રતિ ઉપજાવનાર, (૮) (હિંસાથી) નિવૃત્તિનું કારણ, (૯) શુભ અંગ (શ્રુતજ્ઞાન)નું કારણ, (૧૦) તૃતિનું કારણ, (૧૧) દયા, (૧૨) વિમુક્તિ, (૧૩) ક્ષાન્તિ-ક્ષમા, (૧૪) સમ્યક્ત્વની આરાધના, (૧૫) (સર્વ ધર્માનુષ્ઠાનમાં મહતી, (૧૬) બેધિ (સર્વજ્ઞ ધમની પ્રાપ્તિ), (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ–પૈય, ૧૯ો સમૃદ્ધિ, (૨૦) ઋદ્ધિ, (૨૧) વૃદ્ધિ,
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (રર) (મુક્તિને વિષે) સ્થિતિ, (૨૩) (પુણ્યની) પુષ્ટિ, (૨૪) આનંદ, (૨૫) ભદ્ર-કલ્યાણ, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ, (૨૮) વિશિષ્ટ (નિર્મળ:) દષ્ટિ, (૨૯) કલ્યાણ, (૩૦) માંગલ્ય, (૩૧) પ્રદ-હર્ષ, (૩૨) વિભૂતિ, (૩૩) રક્ષા, (૩૪) મોક્ષવાસ, (૩૫) અનાસવઃ કર્મબંધ રૂંધવાનું કારણ, (૩૬) કૈવલ્યસ્થાનની પ્રાપ્તિ, (૩૭) શિવ-નિરુપદ્રવ, (૩૮) દ્રવ્ય સમ્યકત્વ, (૩૯) શીલ, (૪૦) સંયમઃ હિંસાથી નિવતન, (૪૧) શીલનું સ્થાનક, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪૪) (નિશ્ચયધર્મ રૂ૫) વ્યવસાય, (૫) ઉન્નત ભાવ, (૪૬) ભાવયા, (૪૭) ઉત્તમ ગુણને આશ્રય, (૪૮) અભયદાન, (૪૯) અપ્રમાદ, (૫૦) આશ્વાસન, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫૩) સવજીને અનાઘાત-અમારકતા, (૫૪) ચકખાઈ (મનની), (૫૫) પવિત્રતા (ચિત્તની), (૫૬) અતિશય શુચિતા, (૫૭) ભાવપૂજા, (૫૮) વિમળતા, (૫૯) પ્રભા, (૬૦) અત્યંત નિર્મળતાઃ એ પ્રકા “નજ આત્માના ગુણે કરી નિમિત અહિંસા ભગવતીના પર્યાય નામે છે. ' એ ભગવતી અહિંસા ભયભીત ને શરણના સ્થાન રૂપ છે, પક્ષીઓને આકાશના આધાર રૂ૫ છે, તરસ્યાને પીવાના પાણી રૂપ છે, ભૂખ્યાને ભોજન રૂપ છે, સમુદ્રની મધ્યમાં વહાણ રૂપ છે, (ગાય-ભેંસાદિ) ચૌપદ છને આશ્રયના સ્થાન રૂપ છે, રોગથી પીડાતા પ્રાણીએને ઔષધના બળ રૂપ છે, અટવા-વગડામાં (ભૂલા પડેલાને) સાથી ૫ છે. એવી વિશિષ્ટતા એ અહિંસા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજ, હરિતકાય,
Page #106
--------------------------------------------------------------------------
________________
અહિંસા
જળચર, સ્થળચર, બેચર, ત્રસ, સ્થાવર, સર્વ જીને ક્ષેમકારિણી-સુખ કરનારી અહિંસા છે. એ પ્રકારની જ એ અહિંસા ભગવતી છે–અન્યથા (લૌકિક દષ્ટિએ કલ્પિત) નથી. અહિંસા સેવનારા
(હવે અહિંસાનું સેવન કોણ કરે છે તે કહે છે.) અપરિમિત જ્ઞાન-દર્શન ધારણ કરનાર, શીલ (શુદ્ધ આચાર)– મૂળ ગુણ-વિનય-તપ-સંયમના નાયક, તીર્થંકર ભગવાન, આખા જગતના વાત્સલ્યકારી, ત્રિભુવનના પૂજનીય, વિતરાગ દેવ, કેવળ જ્ઞાની એમણે અહિંસાને વિશેષ પ્રકારે જાણું છે, સામાન્ય જજુમતિએ (સામાન્ય મન:પર્યવ જ્ઞાની) વિશેષે દેખી છે; વિપુલમતિ (વિશેષ મન:પર્યવ જ્ઞાની) એ સારી પેઠે જાણી છે; ચાહ પૂર્વના ધારણ કરનારાઓએ અધિક પાળી છે, વિયલબ્ધિવાળાઓએ આજન્મ પાળી છે; મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવળજ્ઞાની, સ્પર્શ કરીને વ્યાધિ મટાડવા જેવી લબ્ધિ ધરાવનાર, મુખમાંના શુંક રૂપે ઔષધિ ધરાવનાર, શરીરના મેલ રૂપે ઔષધિ ધરાવનાર, મૂત્ર-પુરીષાદિ રૂપ ઔષધિ ધરાવનાર, તથા (સ્પશર્થંક-મેલ-મૂત્ર-પુરીષાદિ) એ સર્વ ઔષધિ રૂપ લિબ્ધિને ધારણ કરનાર, બીજ સરખી બુદ્ધિવાળા, કે જેવી બુદ્ધિવાળા (અંતરમાં ઉતારેલું ભૂલે નહિ), પદાનુસારી બુદ્ધિવાળા (એક પદ ઉપરથી પછીનાં અનેક પદોને અર્થ સમજી લે તેવા ), શરીરનાં બધાં- અવયએ કરી સાંભળનારા, શ્રતના ધારણહાર, નિશ્ચલ મનને ધારણ
Page #107
--------------------------------------------------------------------------
________________
રસ અલ વચન માલનાર, વી
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરનાર, (જેમ બેલે તેમ નિવડે એવું) વચનબળ ધારણ કરનાર, (પરિસહને સહે તેવું) શરીરબળ ધારણ કરનાર, જ્ઞાનરૂપી બળવાળા, દશન-સમ્યકત્વરૂપી બળવાળા, ચરિત્રરૂપી બળવાળા, દૂધનાં જેવાં મીઠાં વચન બોલનાર, મધનાં જેવાં મીઠાં વચન બોલનાર, ઘીથી પડેલા પદાર્થની જેમ અરૂક્ષ વચન બેલનાર, અક્ષીણ રસેઈવાળા (જેના રસોડામાં રસોઈ ખૂટે નહિ તેવા-પિતા અર્થેના ભેજનમાંથી સાધુજનને ભેજન આપે, છતાં પોતે અતૃપ્ત ન રહે, જંઘાચારણ વિદ્યાવાળા (આકાશગામિની લબ્ધિવાળા), વિદ્યાધરે, એકાંતર ઉપવાસ કરનારા, સળંગ બે ઉપવાસ કરનારા, સળંગ ત્રણ ઉપવાસ કરનારા, ચાર ઉપવાસ કરનારા, એમ પાંચ, છ, સાત, પંદર ઉપવાસ કરનારા, એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ અને છ માસના ઉપવાસ કરનારા, ઉત્સિસ ચરક (રાંધવાના વાસણમાંથી ઉપાધિને ભેજનને પદાર્થ ગૃહસ્થ પોતાના ભાણામાં લીધું હોય તે જ ભોજન લેવું એ અભિગ્રહ ધારણ કરનાર), નિક્ષિસચરક (રાંધવાના વાસણમાંથી બહાર કાઢેલું હોય તેજ લેવાને અભિગ્રહ ધારણ કરનાર), વાલ-ચણાદિને આહાર લેનાર, જમતાં વધ્યું હોય તેને આહાર લેનાર, લુખે આહાર લેનાર, ઘરોના સમૂહની ભિક્ષા લેનાર, નિર્દોષ અને ચલિત ન થયો હોય તેવો આહાર લેનાર, સૌનપણે ભિક્ષા લેનાર, ખરડેલા હાથે કે ખરડેલે વાસણે ભેજન આપે તેજ તે લેવાને કલ્પ રાખનારા, જે પદાર્થ લેજનમાં આપવાનું હોય તેજ પ્રકારના પદાર્થથી હાથ કે
Page #108
--------------------------------------------------------------------------
________________
અહિંસા
૧
વાસણ ખરડાયેલું હોય અને તે વડે જ ભોજન પદાર્થ આપે તે લે એ કલ્પ ધરનારા, ઉપાશ્રયથી નજીક જ આહાર મળે તે લેનારા, શુદ્ધ એષણય-શંકાદિ દેષરહિત આહાર લેનારા, (દાતિની) સંખ્યા પ્રમાણે આહાર વિહરનારા, દેખાતા સ્થાનેથી લાવેલ આહાર લેનારા, જેને પૂર્વે જ ન હોય તે માણસ આહાર આપે તે લેનારા, “આ ભજન આપને કપે?” એ પ્રમાણે) પૂછીને આહાર આપે તે લેનારા, સદા આયંબિલ કરનારા, સદા પુરિમઠ્ઠ કરનારા,સદા. એકાશન કરનારા, નિવિ (મોટા તપને પારણે વિગય રહિત આહારનું ત૫) કરનારા, કટકા કરીને પાત્રમાં નાંખે તે આહાર લેનારા, પરિમિત આહાર લેનારા (મર્યાદિત કરેલી સંખ્યા જેટલાં ઘર, કેળીયા કે દ્રવ્યને જ આહાર લે), વાલ-ચણા વગેરેને બાકી વધેલે આહાર લેનારા, (બધા. જમી રહ્યા પછી પ્રાંત આહાર લેનારા,( હિંગ મરચાં વિરહિત) અરસ આહાર લેનારા, રસરહિત આહાર લેનારા, તુચ્છ-અલ્પ આહાર લેનારા, લુખે આહાર લેનારા, અન્તાહાર–પ્રાંતાહાર-લૂખો આહાર-તુચ્છ આહાર લઈને જીવનારા, ઉપશાન્ત આજીવિકા ચલાવનારા,પ્રશાન્ત (સૌમ્યઅંતવૃત્તિની અપેક્ષાએ) આજીવિકા ચલાવનારા, બહિરંગ વૃત્તિએ દેષરહિત આજીવિકા ચલાવનારા, દૂધ-મધ-ઘીથી રહિત આહાર લેનારા, મદ્ય-માંસના ત્યાગી, કાઉસગ્નને આસને બેસનારા, ભિક્ષુની બાર પડિમા પાળનારા, ઉત્કટુક ઉક્કડું) આસને બેસી રહેનારા, વીરાસને બેસી રહેનારા, પલંકાસને બેસનારા, દંડાસને બેસનારા, લગુડાસને-સ્થિર
Page #109
--------------------------------------------------------------------------
________________
-- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
બેસી રહેનારા, એક પાસે શયન કરનારા, આતાપના લેનારા, પ્રાવરણ (વસ્ત્રાદિ રહિત રહેનારા (ટાઢ-તાપ સહેનારા), મુખ–શ્લેષ્મને ન પરિઠવનારા, ખજવાળ આવતા છતાં શરીરને નહિ ખણુનારા, કેશ-મૂછ-રામ-નખને શોભાની દષ્ટિએ) નહિ રાખનારા, શરીરનાં બધાં અવયવોના સંસ્કારને છોડનારા, શ્રતધર (સૂત્રના જાણકાર), અને અર્થના સમૂહને જાણ નાર બુદ્ધિવાળા, એ બધાયે ભગવતી અહિંસાને આચરી-પાળી છે. જેઓ ધીર મતિવાળા છે, બુદ્ધિવાળા છે, દષ્ટિવિષ સર્ષના ઉગ્ર તેજ જેવા તેજ-પ્રભાવયુક્ત છે, નિશ્ચય તથા પુરૂષકારથી પર્યાપ્ત એવી પરિપૂર્ણ મતિવાળા છે, નિત્ય સ્વાધ્યાય-ધ્યાનાદિ કરનારા છે, સતત ધર્મધ્યાનને આચરનારા છે, પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર કરી યુક્ત છે, (પાંચ) સમિતિમાં પ્રવર્તે છે, પાપને શમાવ્યાં છે, છકાયરૂપી જગતના વલ્લભ-વાસત્યકારી છે, સદા અપ્રમત્ત છે, તેઓએ અને તેમના સરખા બીજા અનેકે અહિંસા ભગવતીનું પાલન કર્યું છે.
અહિંસકનાં કર્તવ્ય. | ( હવે અહિંસાપાલનમાં ઉદ્યમવત મનુષ્ય શું કરવા
ગ્ય છે તે કહે છે ). પૃથવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, ત્રસ તથા સ્થાવર એ સર્વ જીવોની દયા પાળવાને અર્થે શુદ્ધ આહારની ગવેષણ (ધન) કરવાગ્ય છે. (સાધુને અર્થ) નહિ તૈયાર કરેલું, નહિ કરાવેલું, અનાહુત (અનિમંત્રણપૂર્વક વહેરેલું), અનુષ્ટિ (ઉદેશિક દોષ રહિત), સાધુને અર્થે વેચાતું નહિ લીધેલું, નવ કેટિએ
Page #110
--------------------------------------------------------------------------
________________
અહિંસા
( મન-વચન-કાયાએ નહિ કરેલું-કરાવેલું–અનુમાઢેલું ) પરિશુદ્ધ, (શકાūિ) દૃશ દોષથી રહિત, (સાળ) ઉદ્ગમદોષ અને (સાળ) ઉત્પાદન દોષથી રહિત એવું એષણીય તથા શુદ્ધ, પેાતાની મેળે (આપવાની વસ્તુથી) દૂર થએલા અથવા પોતાની મેળે દૂર રહેલા (કૃમિ આદિ) જીવા હાય અને એ રીતે અચિત્ત થએલી વસ્તુ અને પ્રાથુક એવું ભાજન ગવેષવાચેાગ્ય છે. (ચાચરીએ-ભિક્ષાર્થે જઈ ને) આસન પર એસી કથા પ્રચાજન કરવાથી પ્રાપ્ત ન થએલું, ચિકિત્સા– મંત્રયંત્ર-જડીબુટ્ટી-ઔષધ-કાય કરીને પ્રાપ્ત ન કરેલું, લક્ષણ (ચક્ર-સ્તુતિકાદિક ચિહ્ના)-ઉત્પાત-સ્વમ-જાતિષનિમિત્તની કથા કે વિસ્મયાત્પાદક વાર્તા કર્યાં વિના મળેલું, માયા–કપટ કર્યાં વિના મળેલું, કાર્યને માટે રાખી મૂકેલું ન હોય તેવું, કળા આદિ શીખવ્યા વિના મળેલું, માયા કપટ વિનાનું–રાખી ન મૂકેલું-કળાદિ શીખવ્યા વિના મળેલું, એવું ભિક્ષાભાજન ગવેષવાચેાગ્ય છે. કોઈનું અપમાન કરી, નિંદા કરી, માન આપી, વખાણ કરી, સેવા-પૂજા કરી, અપમાન-નિ ́દા-માન-સેવા ઈત્યાદિ કરી ભિક્ષાન લેવાયેાગ્ય નથી. કાઇને ભય બતાવી, તજના કરી, તાડના (માર મારી) કરી, ભય–તના-તાડના કરી, ભિક્ષા લેવાયેાગ્ય નથી. ગવ કરી, દરિદ્રતા ખતાવી, રાંકની પેઠે યાચી, ગવ–રિદ્રતા—યાચના એ ત્રણેવાનાં કરી ભિક્ષા લેવાચાગ્ય નથી. મિત્રતા બતાવી, પ્રાથના કરી, ભૃત્યવત્ સેવા કરી, મિત્રતાપ્રાર્થના-સેવા કરી ભિક્ષા લેવાચેાગ્ય નથી. (સ્વજનાદિને) અજાણ્યે, અગ્રથિત-પ્રતિખદ્ધ, અદૃષ્ટ દ્વેષાદિથી રહિતપણે,
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અદીનપણે, અવિમનસ્ટપણે (આહાર ન મળતાં વિમનસ્ક ન થાય), કરૂણપણે, વિષવાદરહિતપણે, 'સયમમાં ઉદ્યમવત મનાયેાગે કરી, યતનાએ કરી, (અપ્રાપ્ત) સચમયેાગની પ્રાપ્તિએ કરી, વિનય-ક્ષમા આદિ ગુણે કરી યુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવ’ત રહે. આખા જગતના જીવાની રક્ષાને અર્થે, દયાને અર્થે, શ્રી મહાવીર ભગવાને એ પ્રમાણે પ્રવચન કરેલું છે. એ પ્રવચન આત્માને હિતકારક છે, જન્માંતરે શુદ્ધ ફળને આપનારૂં છે, આગામી કાળે કલ્યાણકારક છે, નિર્દોષ-શુદ્ધ છે, ન્યાય્ય છે, મક્ષપ્રાપ્તિ માટે સરલ છે, સર્વોત્તમ છે અને સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારૂં છે. પાંચ ભાવનાઓ.
૯૪
પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણને અર્થે પાંચ ભાવનાઓ છે. પહેલી ભાવનાએ સ્થાનમાં સ્થિતિ કરવામાં, ચાલવામાં, પેાતાને અને બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે ગુણુ ચાગયુક્ત અને (ગાડાના) ધૂસરાના પ્રમાણ જેટલી ભૂમિ ઉપર ષ્ટિ પડે તેવી ષ્ટિએ ચાલવું. કીડા, પતંગ, ત્રસ, સ્થાવર જીવ ઉપર જે દયાળુ છે અને નિત્ય પુષ્પ, ફળ, છાલ, અંકુર, કદ, મૂલ, પાણી, માટી, બીજ, લીલેાતરી ઇત્યાદિને (સજીવ જાણી) જે પરિહરે છે, તેણે સમ્યક્ પ્રકારે (ઈયાઁસમિતિએ ) ચાલવું. મધા પ્રાણીઓ( ને અવગણવા નહિ, નિર્દેવા નહિ, તિરસ્કારવા નહિ, મારવા (પગે ચાંપીને) નહિ, ખંઢ કરવા નહિ, છેદવા નહિ,
વ્યથા ઉપજાવવી નહિ, અને જરા પણ ભય કે દુઃખ ઉપ
Page #112
--------------------------------------------------------------------------
________________
અહિંસા
જાવવું નહિ. જે એવી રીતે ઈસમિતિ ચેગની ભાવનાએ કરી ભાવિત હોય છે, તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી એવી (સામાયિકાદિ ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સાધક (સાધુ) બને છે.
બીજી ભાવના–મને કરી પાપ ચિંતવવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, નૃશંસ (સૂગરહિત) છે, ઘણા વધ-બંધ-પરિકલેશને ઉપજાવનારું છે, ભય-મરણ પરિકલેશે કરીને અશુભ છે, અને કદાપિ પાપયુક્ત મને કરી જરા પણ (પ્રાણાતિપાતદિ) ચિંતવવાગ્ય નથી. એ પ્રકારે મનસમિતિ યોગની ભાવનાએ કરી જે ભાવિત હોય છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરીને ચુકત, અહિંસક, સંયમવત અને (મક્ષને) સુસાધક-સાધુ બને છે.
ત્રીજી ભાવના–વચને કરી પાપ કરવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, નૃશંસ છે, ઘણું વધ-બંધ-પરિકલેશ (અશાતારૂપ પરિતાપ) ઉપજાવનારું છે, જરા-મરણપરિકલેશે કરીને અશુભ છે, અને પાપયુક્ત વચને કદાપિ. જરા પણ બેલવાયેગ્ય નથી. એ પ્રમાણે વચન સમિતિ ચગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સુસાધક છે.
ચોથી ભાવના–આહારસમિતિ) એષણીય, શુદ્ધ,
Page #113
--------------------------------------------------------------------------
________________
/
-શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અલ્પ આહાર ગષ. (આહાર આપનાર ગૃહસ્થથી) અજાણુ રીતે, અકથિત રીતે (પિતાની ઓળખાણ આપ્યા વિના), અશિષ્ટ રીતે (બીજાએ કહ્યા વિના), અદીનતાપૂર્વક, અવિમનસ્કતાપૂર્વક (આહાર ન મળે તે વિમનસ્ક-ઉદાસ ન થાય), અકરૂણ રીતે (દયામણું પરિણામથી રહિત), વિષાદરહિતપણે, સંયમમાં ઉદ્યમવંત મનેગપૂર્વક, યતનાપૂર્વક, સંયમપૂર્વક, વિનયક્ષમા આદિ ગુણે કરી યુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવંત રહે. એ પ્રમાણે ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરીને થોડું થોડું લઈ આવીને ગુરૂજનની પાસે ગમનાગમન કરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરી દેષથી નિવર્તે, જે રીતે ભજનના પદાર્થો લીધા હોય તે કહે અને ગુરૂજનને તે દેખાડે અને ગુરૂને ઉપદેશ સાંભળી, નિરતિચાર થઈ અપ્રમત્ત થાય. વળી સાધુને અનેષણાના જે કંઇ દેશે અજાણતાં લાગ્યા હોય અને આલેચ્યા ન હોય તેનું પ્રતિક્રમણ કરે, પછી પ્રશાન્ત ચિત્ત, સુખનિષ્પન્ન (અનાબાધ વૃત્તિએ) બેસે, પછી ધ્યાન-શુભ જેગ-જ્ઞાન-સ્વાધ્યાયથી મુહૂર્ત માત્ર મનને ગાપિત કરનાર અનિરૂદ્ધ મનવાળે સાધુ), ધર્મમાં મનવાછે, અન્ય ચિત્તવાળ, શુભ મનવાળે, અવિગ્રહ (કલહરહિત) મનવાળે, સમાધિયુક્ત(સમતાયુક્ત) મનવાળે, શ્રદ્ધાસંવેગ-નિર્જરામાં સંસ્થાપિત ચિત્તવાળે, પ્રવચન-સિદ્ધાન્તમાં વાત્સલ્ય ભાવવાળે, એ સાધુ ઉભે થઈને, હર્ષિત થતાં, પિતાથી મેટા સાધુઓને અનુક્રમે નિમંત્રીને, બધા સાધુઓને ભાવપૂર્વક ભજન લેવા આગ્રહ કરે, પછી
Page #114
--------------------------------------------------------------------------
________________
અહિંસા
ગુરૂજનની આજ્ઞાને અનુસરી આસન ઉપર બેસે; મુખવગ્નિકા-રજોહરણે કરી મસ્તક સહિત આખા શરીરને પ્રમાજે; હાથની હથેળીઓનું પ્રમાન કરે; પછી અમૂતિપણે, અગૃદ્ધપણું, અગ્રથિતપણે-આકાંક્ષારહિતપણે, આહારની નિંદા–તિરસ્કાર કર્યાં વિના, રસમાં એકાગ્રપણું કર્યાં વિના, નિમળ ચિત્તે, મલુબ્ધ ચિત્તે, આત્માર્થ નહિ પણ પરમાથે આહાર કરૂં છું એવા ભાવે, સડસડાટ કે ચવચવ (એવા અવાજ) કર્યાં વિના, અનુત્સુક રીતે, અવિલંબ રીતે-મહુ વાર કર્યાં વિના, ભેાંય પર એક બિંદુ પણ પડવા દીધા વિના, પ્રકાશવંત (પહેાળા મુખના) ભાજનમાં, યત્નાસહિત, પ્રયત્ન સહિત, સચેાજના દોષરહિત, ઇંગાલદોષ (રાગ દ્વેષ)રહિત, દ્વેષરહિત, ગાડાની ધરીને તેલ ઉંજવાની પેઠે, ત્રણને ઔષધના લેપ કરવાની પેઠે, સ'ચમ યાત્રા નિહૅવાને માત્રા નિમિત્તે, સચમના ભાર વહેવાને અર્થે, એમ સમ્યક્ પ્રકારે સીંચતિ (સાધુ) આહાર કરે. એ પ્રમાણે આહારસમિતિના ચેાગથી જે ભાવિત છે તેના અંતરાત્મા મળરહિત, અસક્લિષ્ટ પરિણામ સહિત, અખંડ ચારિત્રની ભાવનાએ ભાવિત, સંચમવત સાધક અને છે,
''
૯૭
પાંચમી ભાવનાએ વસ્તુ આદાન-નિક્ષેપ સમિતિ.પાટલેા, પાટીયું, શય્યા, સ ંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કાંમળી, દંડ, રજોહરણ, ચાલપટા, મુખવસ્ત્રિકા, પાદપુ છણુ, એ બધાં સંચમના પાષણ અર્થેનાં ઉપકરણા છે; વાયુ-આતાપડાંસ-મસલાં ટાઢમાંથી રક્ષણ-નિવારણ અર્થે છે; એ ઉપકરણા રાગદ્વેષ રહિતપણે ભાગવવા ચેાગ્ય છે. સાધુએ હંમેશાં એ ભાજન
G
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમવ્યાકરણ સૂત્ર વસાદિ ઉપકરણને પ્રતિલેખવાં-નાથી વિસ્તારી જેવા, પ્રમાજવાં અને રાત્રિ-દિવસ પ્રમાદરહિતપણે તેને નિરંતર લેવા-મૂકવાં. એ પ્રમાણે આદાન-ભંડ-નિક્ષેપણા સમિતિના ચગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપસળરહિત, અસંકિલષ્ટ પરિણામયુક્ત અને અખંડ અસ્ત્રિની ભાવનાને ભાવિત, અહિંસક, સંયમવંત, સુસાધક બને છે. અહિંસાનાં ફળ.
એ પ્રમાણે સંવર દ્વાર સમ્યક્ પ્રકારે આચરતાં સુખનિહિત-સુરક્ષિત થાય છે. એ પાંચ ભાવનાએ કરીને, મનવચન-કાયાએ કરીને, સદા મરણ પર્યત સુરક્ષિત એ રોગ-પાંચ ભાવના રૂપ વ્યાપાર પ્રતિમાને અને મતિમાને નિવહવાયોગ્ય છે. એ રોગ અનાસવરૂપ છે, નિર્મળ છે, છિદ્રરહિત છે (જેથી કર્મ જળ પ્રવેશ કરી શકતું નથી),
અપરિસ્ટવિત છે (જેથી અંદર જરા પણ કર્મ જળ ઝમતું નથી), ચિત્તના કલેશથી રહિત છે, શુદ્ધ છે, અને બધા જિનેએતીર્થકરેએ અનુજ્ઞાત છે, પાળીને ઉપદેશેલો છે. એ પ્રકારે પહેલું સંવર દ્વાર આદર્યું, પાળ્યું, (અતિચાર ટાળી) શુદ્ધ કર્યું, પૂરું કર્યું, ઉપદેશ્ય, આરાધ્યું અને જિન ભગવાનની આજ્ઞાએ કરીને સાધુ જનેએ પાળ્યું છે.
એ પ્રમાણે ભગવાન જ્ઞાત મુનિએ (મહાવીરે આ સિદ્ધવર શાસન પ્રજ્ઞાપ્યું, પ્રરૂપ્યું, પ્રસિદ્ધ-પ્રતિષ્ઠિત કર્યું, ચૂય કહ્યું, ઉપસ્યું અને પ્રશસ્ત કર્યું છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
સત્ય વચન
અધ્યયન ૨ જું
સત્ય વચન જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! . હવે હું સત્ય વચન વિષે બીજું અધ્યયન સંભળાવું છું. સત્ય વચનને પ્રભાવ.
સત્ય વચન નિર્દોષ, મહાપવિત્ર, મેક્ષના હેતુરૂપ, સુજાત, સુભાષિત, સુત્રતરૂપ, સુકથિત, સુદષ્ટ (અતીન્દ્રિય દષ્ટિવાળાઓએ રૂદ્ધ પેરે જેએલું), સુપ્રતિષ્ઠિત (બધા પ્રમાસેથી પ્રતિપાદિત), સુપ્રતિષ્ઠિત ચશયુક્ત, સુસંયમિત વચનથી ઉચ્ચરાયલું, ઉત્તમ દેવે-નરવૃષભ-પ્રધાન પુરૂષ-બળવંત જને-સુવિહિત જને વડે બહુમાન્ય, પરમ સાધુજનેને ધર્માચરણ રૂપ, તપ નિયમને આદર્યા રૂપ, સુગતિને માર્ગ દર્શાવનાર અને લોકોમાં ઉત્તમ વ્રત છે. વિદ્યાધરની ગગનગામી વિદ્યાનું સાધન, સ્વર્ગને માર્ગ દર્શાવનાર અને સિદ્ધિને માર્ગ દર્શાવનાર સત્ય વચન છે. વળી સત્ય વચન
જુભાવયુક્ત–સરલ છે, અકુટિલ-અવકે છે, પ્રજનાથે કરીને વિશુદ્ધ નિર્દોષ) છે, ઉદ્યત કરનાર છે અને સર્વ ભાવના જીવતોકને પ્રકાશિત કરનાર છે. અવિસંવાદી, યથાર્થ, અને મધુર એવું સત્ય વચન પ્રત્યક્ષ દૈવત તુલ્ય અને આશ્ચર્યકારક છે. ઘણી વાર વિપરીત અવસ્થામાં આવી પડેલા મનુષ્યો સત્યે કરીને મહાસમુદ્રની મધ્યે નિશબાધ રહે છે, બૂડતા નથી. (સક્રમાં ભૂલા પડેલા
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
(બેટી દિશાએ) ગએલા અને પાણીના વમળમાં પડેલાં વહાણે પણ સત્યથી ડૂબતા નથી, તેમાંના માણસે મરતા નથી અને સ્થાન (કિનારે) મેળવે છે. સત્યથી અગ્નિસંભ્રમમાં પણ માણસ દાઝતા નથી. સત્યવાદી માણસે તાતા તેલ, કથીર, લોહ કે સીસાને સ્પર્શ કરે અથવા હાથમાં ધારણું કરે તે પણ તેઓ દાઝતા નથી, પર્વતના શિખર ઉપરથી પડે તેપણ સત્યથી માણસ મરતે નથી, સત્યવાદી સમરાંગણમાં (શત્રુઓની) તલવારના પિંજારામાં સપડાયા છતાં તેમાંથી અણઘવાયલે બહાર નીકળે છે. મારપીટબંધન-ઘોર શત્રુતામાં સપડાયા છતાં અને શત્રુઓની વચ્ચે આવી પડ્યા છતાં સત્યવાદી મનુષ્ય તેમાંથી અબાધિત છૂટે છે અને બહાર નીકળે છે. (આપત્તિના સમયમાં) દેવતાઓ સત્યવાદીને-સત્ય વચનમાં રતિ ધરાવનારાઓને સહાય કરે છે. સત્યને આચરનારા,
આવું સત્ય ભગવાન શ્રી તીર્થંકર દેવે દસ પ્રકારનું રૂદ્ધ રીતે ભાખ્યું છેચૌદ પૂર્વધરે સત્યના પ્રભૂત-પૂર્વ ગત અર્થને જાણે છે મહર્ષિઓએ સિદ્ધાન્ત કરીને સત્યને આપ્યું છે; દેવેન્દ્ર અને નરેન્દ્ર સત્યનું પ્રજન (અર્થ) પ્રકાશેલું છે; વૈમાનિક દેએ સત્યને મહા અર્થ– મહાપ્રયજન સાધ્યું છે, મંત્રૌષધિ વિદ્યાની સાધના માટે સત્ય (આવશ્યક) છે, વિદ્યાધર-ચારણાદિ વંદની અને શ્રમણની વિદ્યા (આકાશગમન-વૈકેયકરણદિ) સત્યથીજ
Page #118
--------------------------------------------------------------------------
________________
સત્ય વચન
૧૦૧
સિદ્ધ થાય છે. મનુષ્યોને માટે સત્ય વંદનીય છે, દેવને માટે અર્ચનીય છે અને અસુર લેકેને પૂજનીય છે. અનેક પાખંધ મતવાળાઓએ પણ સત્યને અંગીકાર્યું છે; સત્ય એ લોકમાં સારભૂત છે, મહાસાગર કરતાં વધારે ગંભીર છે, મેરૂપર્વત કરતાં વધારે સ્થિર છે, ચંદ્રમંડળ કરતાં વધારે સૌમ્ય છે, સૂર્યમંડળ કરતાં વધારે દીપ્તિમાન છે, શરદ ઋતુના આકાશ કરતાં વધારે નિર્મળ છે, ગંધમાદન પર્વત કરતાં વિશેષ સુગંધયુક્ત છે; લેકને વિષે બાકીનાં જે મંત્રાદિ, ગાદિ (વશીકરણાદિ), મંત્રજાપ, વિદ્યાઓ, જુંભકા દેવતા, અસ્ત્ર-શસ્ત્રાદિ (કિવા અર્થશાસ્ત્રાદિ) શિક્ષણ (કલાદિનું), આગમ-સિદ્ધાન્ત છે, એ બધાં સત્યને વિષેજ પ્રતિષ્ઠિત છે. નહિ બલવાયોગ્ય સત્ય.
વળી સત્ય પણ સંયમને ઉપરોપકારક થાય તેવી રીતનું જરા પણ ન બોલવું. હિંસા અને પાપથી યુક્ત, ચારિત્રને ઘાત થાય તેવું, વિકથાવાળું (સ્ત્રી આદિની કથા); અનર્થવાદવાળું, કલહકારક, અનાર્ય ( કિંવા અજાણ્ય), અપવાદયુક્ત, વિવાદ ઉપજાવે તેવું, (બીજાને) વિડંબના ઉપજાવે તેવું, એજયુક્ત (બળ-જુસ્સાથી ઉચ્ચરેલું), ધર્ય ચુક્ત (હિંમતભર્યું) લજજારહિત, લેકનિંદાને પાત્ર, દુષ્ટ (માઠું જોયું હોય તેવું), દુશ્રુત (અસમ્યક્ પ્રકારે સાંભળેલું), અસમ્યક્ પ્રકારે જાણેલું, આત્મશ્લાઘાથી ચુત, પરનિંદાથી ચુક્ત, એવું સત્ય હેય તે પણ બેસવું નહિ. “તું બુદ્ધિ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી પ્રણવ્યાકરણ સૂત્ર
માન નથી, તું ધનના લેણદાર નથી, તું ધર્મપ્રિય નથી, ૐ કુલીન નથી, તું દાતા નથી, તું શું નથી, તું રૂપવાન નથી, તું સૌભાગ્યવંત નથી, તું પંડિત નથી, તું બહુશ્રુત નથી, તું તપસ્વી નથી, તું પરલેાક સંધે નિશ્ચયકારિણી મતિવાળા નથી ” એવા પ્રકારનાં વચના જે જાતિ, કુળ, રૂપ, વ્યાધિ, રાગ વિષેનાં હોય તે વજ્રનીય ( ત્યજ્જાચેાગ્ય ), દ્રાહકારક અને ઉપચારનું (દ્રવ્યપૂજા તથા ભાવપૂજાનું ) અતિક્રમણ કરનારાં હાઈ સત્ય હાચ તાપણુ આલવાં નહિ.
એલવાયેાગ્ય સત્ય.
વળી એવું સત્ય ખેલવું કે જે દ્રન્ચે, પાંચે, ગુણે, કર્મે (કૃષિ આદિ વ્યાપારે), બહુવિધ કળાએ અને ગમ સિદ્ધાન્તાદિકે કરી યુક્ત હોય, તેમજ નામ, ક્રિયાપદ, નિષાદ, ઉપસગ, તહિત, સમાસ, સંધિ, પદ, હેતુ, ચાંગિક, શુ (પ્રત્યય), ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વ, એટલાં (વ્યાકરણનાં અંગે)એ કરીને સંપૂર્ણ (સત્ય) વચન હાય. પુનઃ ત્રિકાળે (ભૂત-વમાન-ભવિષ્ય) સત્ય હોય તે ખેલવું. સત્ય દસ પ્રકારનું છે. (૧ જનપદ, ૨ સંમત. ૩ સ્થાપના. ૪ નામ. ૫ રૂપ. ૬ પ્રતીત. છ સત્ય. ૮ યુવહાર. ૯ ભાવ. ૧૦ ચૈાગ ). એ સત્ય પણ જે પ્રમાણે એલવું તેજ પ્રકારે કાર્યે કરીને (અક્ષરથી લેખન કરવા વગેરેમાં અથવા હસ્તાદિની ક્રિયાના સૂચનમાં ) દર્શાવવું. ભાષાના ૧૨ ભેદ છે. (સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી,
Page #120
--------------------------------------------------------------------------
________________
સત્ય વચન
૧૦૩
પૈશાચિની, અપભ્રંશ, એ ૬ ભાષાનું ગદ્ય અને પદ્ય). વચન સેળ પ્રકારનાં છે. (૩ વચન, ૩ લિંગ, ૩ કાળ, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઉપનીત, અપનત, ઉપનીત-અપનત, અપનીત-ઉપનીત અને અધ્યાત્મ). એ પ્રકારે તીર્થંકર ભગવાને અનુજ્ઞાત કરેલું, બુદ્ધિથી પર્યાલોચિત કરેલું વચન સંયમવંત મનુષ્ય યથા અવસરે બલવું.
આ પ્રકારનાં અસત્ય વચન, ચા-ચુગલી, કઠોર વચન, અનિષ્ટ વચન અને ચપળ-અધેર્યયુક્ત વચનના નિવારણાર્થે ભગવાને પ્રવચન (સિદ્ધાન્તમાં) કહેલું છે. આ પ્રવચન આત્માને હિતકારક છે, પરભવમાં શુભ ફળદાયક છે, ભવિષ્ય કાળે કલ્યાણકારક છે, શુદ્ધ છે, ન્યાય છે, કુટિલતાથી રહિત છે, સર્વોત્તમ છે, સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારું છે. પાંચ ભાવનાઓ,
આ બીજા વ્રતની પાંચ ભાવનાઓ છે. જૂઠાં વચનથી વિરમવાને અર્થે, સત્ય વચનના રક્ષણને અર્થે, પહેલી ભાવના આ પ્રમાણે છે –(સદ્દગુરૂ સમીપે) સંવરને અર્થ તથા પરમાર્થ (મક્ષ લક્ષણયુક્ત) સાંભળીને, સમ્યક્ પ્રકારે જાણીને, ઉતાવળું, ત્વરિત, ચપળ, અનિષ્ટ, કઠોર, સાહસિક, પરને પીડાકારક અને સાવદ્ય (પાપયુક્ત) વચન બોલવુ નહિ; સત્ય, હિતયુક્ત, પરિમિત, ગ્રાહક (પ્રતીતિયુકત), શુદ્ધ, સુસંગત, સ્પષ્ટ, સમિહિત (બુદ્ધિએ કરીને પર્યાચિત) વચન સંયમવંત મનુષ્ય અવસરને અનુકૂળ પ્રકારે
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર બલવું. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના ચાગ લક્ષણે કરીને જે ભાવિત હોય છે તેને અંતરાત્મા હાથ-પગનયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યા જેવથી સંપન્ન બને છે.
બીજી ભાવનાએ ક્રોધ સેવ નહિ. ક્રુદ્ધ અને રૂદ્ર મનવાળો મનુષ્ય જૂઠું બોલે, અન્યના અપવાદ બોલે, કઠેર વચન બોલે, જૂઠું-અપવાદ-કઠેર વાણી બોલે; કલહ કરે, વૈર કરે, વિકથા કરે, કલહ-વૈર-વિકથા કરે, સત્યને હણે, શીલને હણે, વિનયને હણે, સત્ય-શીલ-વિનયને હણે અપ્રિય થાય, વસ્તુદોષાવાસ થાય, પરિભવ (નિગમન) થાય, અપ્રિય-વસ્તુદોષાવાસ-પરિભવ થાય; એ અને બીજા પણ અનેક પ્રકારનાં મૃષાવચન કોધાગ્નિથી દાઝેલો મનુષ્ય બોલે; માટે ક્રોધ સેવ નહિ. એ પ્રમાણે જે ક્ષમાથી ભાવિત થાય તેને અંતરાત્મા હાથ-પગ-નયન-વદનને સંયત કરનારે, સાધુ અને સત્યાવથી સંપન્ન બને છે. . ત્રીજી ભાવનાએ લેભ સેવ નહિ. ભલુબ્ધ મનુષ્ય ક્ષેત્રાદિને માટે, ગૃહ આદિને માટે જ હું બેલે, કીતિ અને ઓષધાદિને અર્થે જૂ હું બેલે, અદ્ધિ ( પરિવારાદિ) અને સુખને અર્થ જૂઠું બોલે, જનપાનાદિને માટે જૂ હું બેલે, પાટ-પાટીયાને માટે જ હું બેલે, શય્યા-સંસ્મારકને માટે જૂઠું બોલે, વસ્ત્ર–પાત્ર માટે જ હું બેલે, કામળી-પાદવુંછનને માટે જ હું બેલે, શિષ્ય-શિષ્યાને માટે જૂઠું બોલે, એ અને બીજા અનેક કારણે ભલબ્ધ મનુષ્ય જૂઠાં વચન બેલે; માટે તેમાં સેવ નહિ. એ પ્રમાણે મુક્તિ (નિ
Page #122
--------------------------------------------------------------------------
________________
- સત્ય વચન
૧૦૫
લેતા)ની ભાવનાએ જે ભાવિત થાય છે તેને અંતરાત્મા હાથ-પગ-નયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજવથી સંપન્ન બને છે.
ચથી ભાવનાએ ભય પામવે નહિ. ભયભીત મનુષ્યને શીધ્ર અનેક પ્રકારના ભય નડે છે. ભયભીત મનુષ્યને કેઈ સહાય કરતું નથી, ભયભીતને ભૂત-પ્રેત બહુવડાવે છે, ભયભીત માણસ બીજાને પણ હીવડાવે છે, ભયભીત મનુષ્ય તપસંયમને પણ છેડે છે, બીહત માણસ સંયમ રૂપ ભારને વહી શકતું નથી, બીહત માણસ સત્પરૂએ સેવેલા માર્ગને પાળવા સમર્થ હેત નથી, માટે કદાપિ ભય ધારણ કરવું નહિ. બીહવાથી વ્યાધિ, રોગ, જરા, મૃત્યુ અને બીજા અનેક ભયે ઉપજે છે. એ પ્રમાણે જે ધર્યથી ભાવિત થાય છે, તેને અંતરાત્મા હાથ-પગ-નયન-વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજવથી સંપન્ન થાય છે. - પાંચમી ભાવનાએ હાસ્ય સેવવું નહિ. પરિહાસ કરનારાઓ ક્રૂડાં (અસંભૂત અર્થવાળાં–અશભન) વચને બોલે છે, તે વચને પરાભવનાં કારણ છે (પરના ઉપહાસનાં કારણ રૂપ છે). હાસ્ય પર પરિવાદનું કારણ થાય, પરને પીડા ઉપજાવવાનું કારણ થાય, ચારિત્રભેદનું કારણ થાય, વિભૂતિનું (નયન-વદન વિકૃત થવાનું) કારણ થાય, અન્યઅન્ય કુચેષ્ટાનું કારણ થાય, અને અન્ય મર્મ-કુચેષ્ટાદિનું કારણ થાય, લેકનિંઘ કર્મનું કારણ થાય, કંદર્પ દેવતુંભાંડ વૃત્તિનું કારણ થાય, આદેશકારી દેવતાનું (આભિગમનનું) કારણ થાય, ભવનપતિ આદિ દેવતાનું કારણ થાય,
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આસુરી ગતિનું અને ચાંડાલ રૂપ (કિલ્વીષિ) દેવતાનું કારણ થાય (હાસ્ય તે તે અધમ દેવતાની ગતિમાં ઉપજવાના કારણ રૂપ થાય); તેટલા માટે હાસ્ય સેવવું નહિ. એ પ્રકારે મૌને કરીને જે ભાવિત થાય તેને અંતરાત્મા હાથ-પગ-- નયન-વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યજીવથી સંપન્ન થાય છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક પ્રકારે આચરતાં તે રૂડા નિધાન રૂપ થાય છે. એ પાંચે કારણે કરી મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકાં એ (સત્ય વચન) ચોગ મરણપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવા ચોગ્ય છે. અનાસવયુક્ત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું
આ બીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાગ્ય, પાળવાયેગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાચોગ્ય, અન્યને ઉપદેશવાયોગ્ય, અનુપાલન કરવાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાત પુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ શાસન પૂજનીય સદુપદેશિત અને પ્રશસ્ત છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
દત્તાદનગ્રહણઃ અચૌર્ય
૧૦૭
અધ્યયન ૩ જું
દત્તાદાનગ્રહણ અચાર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું દત્ત તથા અનુજ્ઞાત એવી વસ્તુઓજ ગ્રહણ કરવા રૂપ સંવર વિષેનું ત્રીજું અધ્યયન સંભળાવું છું. દત્તાદાનનું સ્વરૂપ.
હે સુવતી (જંબૂ !) એ મહાવ્રત છે અને ગુણવ્રત છે. (ઈહલોક-પરલોકના ઉપકારનું કારણભૂત છે). પરદ્રવ્યના હરણ પ્રત્યે વિરક્તિયુક્ત, અપરિમિત તથા અનંત તૃણું રૂપ અને અનુગત (વરતુઓ આશ્રી) મહેચ્છા રૂપ જે મન-વચન વડે થતું પાપ રૂપી ગ્રહણ (આદાન) તેના સુખુ નિગ્રહયુક્ત, સુડું સંયમિત મન-હાથ-પગના સંવરણ યુક્ત, (બાહ્ય તથા અત્યંતર) ગ્રંથીને ટાળનાર, નિષ્ઠાયુક્ત (ઉત્કૃષ્ટ), નિરૂક્ત (તીર્થકરેએ ઉપદેશેલું), આસવરહિત, નિર્ભય, વિમુક્ત (લેભ દોષથી રહિત), ઉત્તમ નરવૃષભેએ, પ્રધાન બલવંત મનુષ્યએ અને સુવિહિત (સાધુ) જનેએ માન્ય કરેલું અને પરમ સાધુઓના ધર્માનુષ્ઠાન રૂપ એવું આ (ત્રીજુ) વ્રત છે. ગામ-આગર-નગર-નિગમ-ખેડ-કવડમંડપ-દ્રોણમુખ-સંબાહ-પટ્ટણ-આશ્રમ આદિમાંનું કઈ પણ દ્રવ્ય જેવું કે મણિ, મુક્તા (મોતી), શિલા, પ્રવાલ, કાંસું (ધાતુ), વસ્ત્ર, રૂપું, સોનું, રત્ન આદિ કાંઈ પડયું હોય કેઈનું ખોવાઈ ગએલું પડયું હાય (અને તેના માલેકને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર .
જડતું ન હોય), તે પણ તે કેઈને કહેવું કે પિતે લેવું સાધુને કપે નહિ. હિરણ્ય-સુવર્ણથી રહિતપણે અને પાષાણ તથા કાંચનને સમાન ગણતાં (એવી ઉપેક્ષાવૃત્તિથી) કેવળ અપરિગ્રહ અને સંવૃત્ત (ઇંદ્રિયોના સંવરયુક્ત) ભાવે સાધુએ લોકને વિષે વિહરવું. કાંઈ પણ દ્રવ્યાદિ ખળાંમાં હોય, ખેતરમાં હેય, વગડાની વચ્ચે હોય, કાંઈ પુષ્પ-ફળછાલ-મંજરી (પ્રવાલા)–કંદમૂળનૂણ-કાઠ-કાંકરી આદિ વસ્તુઓ અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી હોય, થી હોય કે ઘણી હોય, તે પણ તે વસ્તુઓ તેના માલીકની અણદીધી લેવી સાધુને કપે નહિ. દિન દિન પ્રત્યે અવગ્રહ મેળવીને (માલીકની પરવાનગી લઈને) તે તે વસ્તુ સાધુએ ગ્રહણ કરવી કપે. સાધુ પ્રત્યે અપ્રીતિ કરનારના ગૃહમાં પ્રવેશ કે તેવા અપ્રીતિકારકનાં ભજન-પાનાદિ સાધુએ વર્જવાં તેમજ અપ્રીતિકારકનાં પાટ, પાટીયાં, શય્યા, સસ્તારક, વસ્ત્ર, પાત્ર, કામળી, દંડ, રજોહરણ, પાટલે, ચલ પટે, મુખવસ્ત્રિકા, પાદપુછણાદિ, ભાજન, વસ્ત્રાદિ ઉપકરણ એ પણ વર્જવાં. વળી પારકા અપવાદ (વિકથા), પારકા દેશેનું દર્શન અને પારકાને નામે (આચાર્ય કે ગ્લાન સાધુને નામે) કાંઈ વસ્તુ લેવી, તે દષે પણ સાધુએ વજવા. તેમજ બીજાએ કરેલો ઉપકાર (સુકૃત) નાશ પમાડે (મત્સરપૂર્વક ઉપકારની અવગણના કરવી) એ પ્રકારનું કાર્ય, દાનમાં વિન કરવાનું કાર્ય, દાનને વિનાશ, બીજાની ચાવી-ચુગલી તથા મત્સરિત્વ (પારકા ગુણે પ્રત્યે અસહિષ્ણુતા), એ બધા દેશે (તીર્થકરેએ અનુજ્ઞાત નહિ કરેલા હાઈ) વર્જવાયેગ્ય છે. તે
Page #126
--------------------------------------------------------------------------
________________
દત્તાદાનગ્રહણ: અચૌર્ય ૧૯ અચાર્યના અનારાધક અને આરાધક.
જે સાધુ પાટ–પાટીઉં-શસ્યા-સંસ્મારક-વસ્ત્ર-પાત્રકામળી-દંડ-રજેહરણ-બેસવાને પાટલે–ચલ પટે-મુહપત્તીપાદયું છણાદિ અને ભાજન, લંડ ઈત્યાદિ ઉપકરણ (આચાર્ય લાનાદિને) વહેંચી આપે નહિ, એવાં ઉપકરણે દેષમુક્તસૂઝતાં મળતાં લેવાની રૂચિ ધરાવે નહિ, તપને ચોર હોય, વાચાને ચાર હોય, રૂપને ચોર હોય, આચાર ધર્મ (સમાચાર)ને ચેર હોય, ભાવને ચાર હેય (બીજાઓનું વ્યાખ્યાન સાંભળીને વ્યાખ્યાન કરે અને તેમને ભાવ પોતે શોધી કાઢે છે એમ કહે તે), (રાત્રે) ગાઢ-ઉતાવળે સ્વરે બેલે, (ગચ્છમાં) ભેદ પાડે, કલહ કરે, વેર કરે, વિકથા કરે, ચિત્તની અસમાધિ કરે, સદા પ્રમાણુરહિત ભજન કરે (બત્રીશ કેળીયાથી વધુ જમનાર), સતત વૈરને ધારણ કરે, નિત્ય રોષ રાખ્યા કરે, એ પ્રકારને સાધુ આ ત્રીજા વ્રતને આરાધી શકતું નથી.
કેવા સાધુજને તે વ્રતને આરાધી શકે છે? જે વસ્ત્ર-ભજનપાન લેવા તથા આપવા વિષે કુશળ છે, અત્યંત બાળક-દુબળ-ગ્લાર્ક-વૃદ્ધ-માસક્ષમણાદિ તપ. કરનાર-આચાર્ય–ઉપાધ્યાય-શિષ્ય-સાધમિક-તપસ્વી- કુલ ગણ-સંઘ-જ્ઞાનાથી એટલાની વૈયાવૃત્ય પોતાના કર્મક્ષયને અર્થે કીતિ આદિની વાંચ્છનાથી રહિતપણે દસ પ્રકારે અથવા બહુ પ્રકારે કરે છે, જે અપ્રીતિકારીના ગૃહમાં પ્રવેશતે નથી, અપ્રતિકારીનાં ભેજના પાન ગ્રહણ કરતે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી અક્ષવ્યાકરણ સમ
સેવતા
નથી, અપ્રીતિકારીનાં પાટ-માટીઉં–શય્યા-અસ્તારવા પાત્ર-કાંમળી–દડ–રજોહરણ-બેસવાને પાટલા-ચાલપટા સુહુપત્તી-પાદપુંછણાદિ–ભાજન-વસ્ત્રાદિ ઉપકરણ -નથી, જે પારકા અપવાદ ખેલતા નથી, જે પારકા દોષ ગ્રહણ કરતા નથી, પારકા (વૃદ્ધાદિના) નિમિત્તે જે કાંઇ (ભેાજન-પાનાદિ) વહારતા નથી, જે કોઈ મનુષ્યને (દાનાદિ ધમથી) વિમુખ કરતા નથી, જે કાઈના દીધેલાના રૂડા કાર્યના ઇનકાર કરતા નથી, જે(દાન) દઈને અથવા વૈયાવૃત્ત્પાદિ કરીને પાછળથી પશ્ચાત્તાપ કરતા નથી, જે (મળેલાં ભેાજનપાનાદિના) સંવિભાગ કરવામાં કુશળ છે, જે સગ્રહાપગ્રહમાં (શિષ્યાદિને ભેાજન તથા જ્ઞાનનું દાન કરવામાં) કુશળ છે તેવા સાધુએ આ વ્રતને આરાધી શકે છે. પાંચ ભાવના.
પરદ્રવ્યહરણથી વિરમવાના વ્રતનું રક્ષણ કરવાને અર્થે શ્રી ભગવાને સકળ જીવાને હિતકારી, પરભવને વિષે હિતકારક, આગામી કાળે કલ્યાણકારક, ન્યાયચુત, અકુટિલ, સર્વોત્તમ, સવ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવ ચન કરેલું છે. તે ત્રીજા વ્રતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છેઃ—
પરદ્રગૃહરણથી વિરમવાના મતના રક્ષણને અર્થે પહેલી ભાવનામાં દૈનકુળ, સભાસ્થાન (મહાજન સ્થાન), પરમ, પરિવ્રાજકનું સ્થાન, વૃક્ષમૂળ, અગીચા, પર્યંતની કદરા, (લેહાર્દિકની) ખાણ, ગિરિશા, ચુના પાડવાનું
Page #128
--------------------------------------------------------------------------
________________
દત્તાદાનગહેણુ : અચોય
૧૧૧
સ્થાન, ઉદ્યાન, ચાનશાળા (વાહન રાખવાનું સ્થાન), ઘર વાખરા ભરવાનું સ્થાન, યજ્ઞાદિના મંડપ, શૂન્ય ઘર, મશાન, લયન (પતગૃહ), હાટ અને બીજા એવાં સ્થાનકામાં સાધુએ વિહાર કરવા ચેાગ્ય છે. પાણી, માટી, બીજ, લીલેાતરી, ત્રસ જીવા, ઇત્યાદિથી રહિત અને ગૃહસ્થે પાતાને અથે મનાવેલું ઘર ફાચુક (શુદ્ધ) હાય, સ્રી-પશુ-પગથી રહિત હાય, પ્રશસ્ત હાય, એવા ઉપાશ્રયમાં જ સાધુએ વિહરવું ચેાગ્ય છે. જ્યાં ઘણાં આષાકર્મો (સાધુને થે કરેલાં પાપક) કરવામાં આવ્યાં હાય, જેવાં કે માછાં પાણી છાંટ્યાં હોય, સાવરણીથી સ્થાન પ્રમાર્યું હોય, ખૂબ પાણી છાંટયું હાય, (માળા-ફૂલ-તારાદિથી) શણુગાર્યું હોય, (દાંદિથી) આચ્છાદન કર્યું-છાયું હોય, ખડીચૂનાથી ધાન્યું હોય, છાણે કરી લીંપ્યું હાય, લીંપ્યા ઉપર ફરીથી લીંપ્યું હાય, (ટાઢ નિવારવાને) અગ્નિ સળગાગ્યેા હાય, (સાધુને અથે) વાસણ કુસણ હેરબ્યાં ફેરવ્યાં હાય, એ પ્રમાણે ઉપાશ્રય સ્થાનની અંદર અને બહાર સાધુને અર્થે પ્રાણુધાત કરવામાં આળ્યે હાય, તેવું માગમનિષિદ્ધ ઉપાશ્રય સ્થાન સાધુએ વવાયાગ્ય છે. એ પ્રકારે જૂદા જૂદા દ્વેષથી રહિત સ્થાને વસીને જે વસતીસમિતિના યાગથી ભાવિત અને છે તેના અંતરાત્મા ક્રુતિમાં પાડનારાં પાપકર્મો કરવા કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતા દત્ત અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારા થાય છે.
બીજી ભાવનાએ અનુપત સસ્તારકનું ગ્રહણ કરવું.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
એટલે કે બગીચા-ઉદ્યાન-વન-વનપ્રદેશમાં જે કાંઈ (અચેત) તૃણ, જલાશયમાં ઉપજેલી વનસ્પતિ, પાંદડાં, પરા (એક જાતનાં તરણ), મુંજ, કુશ, દર્ભ, પરાળ, મૂયક (મેવાડનું એક જાતનું ઘાસ), વત્વજ (એક જાતનું ઘાસ), પુષ્પ, ફળ, છાલ, અંકુર, કંદ, મૂળ, તૃણુ, કાષ્ટ, કાંકરી, ઈત્યાદિ સંસ્તારક-વસ્ત્રાદિને અર્થે અનુજ્ઞા માંગીને લેવાં કલ્પ, અનુજ્ઞા માંગ્યા વિના-અદત્ત લેવાં કપે નહિ. રોજ રોજ અનુજ્ઞા માંગીને લેવાં કપે. એ પ્રમાણે અવગ્રહસમિતિના યોગથી જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દેષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે.
ત્રીજી ભાવનાએ પાટ-પાટલા-શમ્યા–સંસ્તારકને અર્થ વૃક્ષને કાપવું નહિ. (વૃક્ષના) છેદનવડે કે (ભૂમિ-પત્થરના) ભેદનવડે શસ્યા બનાવવી નહિ; જે ગૃહસ્થના સ્થાનમાં વાસ કર્યો હોય ત્યાંજ શય્યાનું ગવેષણ કરવું; ઊંચી-નીચી જમીન જાણીને સમી કરવી નહિ; પવનને અભાવ હોય કે બહુ વાયુ વાતે હોય તે પણ તે વિષે કશી ઉત્સુકતા ન રાખે; ડાંસ કે મસલાં (ને ઉપદ્રવો હોય તે પણ તેથી ક્ષોભ ન કર કે અગ્નિવડે ધુમાડે ન કર; એ પ્રમાણે સંયમમાં (પૃથ્વી આદિના છાના રક્ષણમાં) અતિ તત્પર, સંવરમાં (આસવ દ્વાર નિરાધમાં) અતિ તત્પર, સંવૃત્તમાં (કષાય ઇંદ્રિયન સંવરમાં) અતિ તત્પર, ચિત્તસમાધિમાં અતિ તત્પર, પૈયવત, કાયાએ કરીને (પરિષહોને) પાળતે જે સતત અધ્યા
Page #130
--------------------------------------------------------------------------
________________
દત્તાદાનગ્રહણ અચૌર્ય ૧૧૩ ત્યે ધ્યાન (આત્મસ્વરૂપ ચિંતન)થી યુક્ત થાય છે તેજ સમભાવે (રાગદ્વેષરહિતપણે) ચારિત્ર ધમને આચરે છે. એ પ્રકારે શય્યાસમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દેષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે.
ચોથી ભાવનાએ સંયતિએ સાધારણું-ઘણું ઘર આહાર જે પાત્રમાં આવે તે સમ્યક્ રીતે (અદત્તાદાન ન લેખાય તે રીતે) ભોજન કરવાગ્ય છે. આહારમાંથી શાકદિને વધારે ભાગ ન લે, ભેજનને અધિક ભાગ ન લે તેમ કરવાથી બીજા સાધુઓની અપ્રીતિ ઉપજે, ઉતાવળું-ઉતાવળું ન ખાવું, ત્વરિત રીતે આહાર ન કર, ચપળ રીતે આહાર ન લે, સહસા ભેજન ન કરવું, બીજાને પીડા ઉપજે તેમ આહાર ન કર, તથા સાવદ્ય-પાપ રૂપ આહાર ન ભક્ષ. આહાર એવી રીતે લે કે જેથી ત્રીજું વ્રત ખંડિત થાય નહિ. સાધારણ પિંડ પાત્ર આહાર માત્ર લેવો અને જરા પણ અદત્તાદાન વિરમણ વ્રતનું નિયમન ખંડિત થવા દેવું નહિ. એ પ્રકારે સાધારણ પિંડપાત્ર સમિતિના ગે કરીને જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના tષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારો થાય છે.
પાંચમી ભાવનાએ સાધમિકે પ્રત્યે વિનય કર. ઉપચારમાં (રેગી સાધુની સેવા સંભાળમાં), પારણામાં (તપ
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
*
૧૧૪
સ્વીના તપના પારણામાં) વિનય કરવા. (સૂત્રાદિની) વાચનામાં તથા તેના પરિયટ્ટણમાં (સૂત્રાર્થ ગ્રહણ કર્યાં હાય તે ફેરવવામાં-પુનઃ પુનઃ સ્મરણ કરવામાં) વિનય કરવા, ભેાજનાદિનું દાન કરવામાં અને લેવામાં તથા (વિસ્તૃત થએલા સૂત્રા) પૂછવામાં વિનય કરવા. સ્થાનકમાંથી નીકળવામાં અને પ્રવેશવામાં વિનય કરવા ( નીકળતાં આવસહિ' અને પ્રવેશમાં ‘નિસ્સહી’): એ આદિક બીજા અનેક કાર્યોંમાં વિનય કરવા. વિનય એ તપ છે અને તપ એ ધર્મ છે, માટે ગુરૂ પ્રત્યે, સાધુ પ્રત્યે અને તપસ્વી પ્રત્યે વિનય કરવા. એ પ્રકારે વિનયથી જે ભાવિત થાય છે, તેના અંતરાત્મા ક્રુતિમાં પાડનારાં પાપકર્મી કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતા દત્ત-અનુજ્ઞાત અવગ્રહની ચિ ધરાવનારા થાય છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચાગ (દત્તા દાન ગ્રહણુ) મરણુપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્યે નિત્ય નિહવાચૈાગ્ય છે. અનાસ્રવયુકત, નિળ, અદ્રિ, અપરિસવિત, ક્લેશરહિત, સ તીર્થંકરએ અનુજ્ઞા કરેલું એવું આ ત્રીજી સવર દ્વાર કાચાએ કરી ફરસવાગ્ય, પાળવાચેાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચેાગ્ય, પાર ઉતારવાયાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચૈાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાયાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને
Page #132
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
૧૧૫ પ્રસિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે.
અધ્યયન ૪ થું
બ્રહ્મચર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું બ્રહ્મચર્ય વિષે ચૈથું અધ્યયન સંભળાવું છું. બ્રહ્મચર્યનું સ્વરૂપ,
બ્રહ્મચર્ય ઉત્તમ તપ, નિયમ (પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણ), જ્ઞાન-દર્શન–ચારિત્ર્ય, સમ્યકત્વ તથા વિનયના મૂળ કારણ રૂપ છે; યમ (અહિંસાદિ)-નિયમ (પિંડ વિશુદ્ધિ આદિ) પ્રધાન ગુણથી યુક્ત છે; હિમવંત પર્વત થકી મહાન તેજવંત (ત્રત) છે; પ્રશસ્ત, ગંભીર અને સ્થિર અંતઃકરણથી યુક્ત છે; આર્જવ (સરલતા) યુક્ત સાધુજનેએ આચરેલું છે, મોક્ષમાર્ગ રૂપ છે; વિશુદ્ધ સિદ્ધિ ગતિના સ્થાન રૂપ છે, શાશ્વત અવ્યાબાધ (આબાધ ૨હિતતા) છે, પુનર્ભવ નહિ કરાવનારૂં છે, પ્રશસ્ત છે, (રેગાદિના અભાવે કરી) સૌમ્ય છે, સુખ રૂપ છે, શિવ છે, અચળ છે, અક્ષયકર છે, યતિરે એ પાળેલું છે, સુચરિત (શોભનાનુષ્ઠાન) રૂપ છે, સુસાધિત-સુÇ પ્રકારે પ્રતિ પાદિત કરેલું છે. મુનિવરેાએ, મહાપુરૂષોએ, ધીર-૧રવીર મનુષ્પાએ, ધાર્મિક મનુષ્યએ, ધુતિમંતાએ સદા (બધી
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વયમાં) વિશુદ્ધ રીતે પાળી પિતાનું કલ્યાણ કર્યું છે, ભવ્ય જનેએ શંકારહિત રીતે પાળ્યું છે, બ્રહ્મચર્ય ભયરહિત છે, તુશરહિત (કણસલાથી છૂટા પડેલા દાણુ પેઠે વિશુદ્ધ) છે, ખેદના કારણરહિત છે, (પાપની) ચિકાસથી રહિત છે, વૃત્તિ (સ્વસ્થતા-સમાધિ) ના ગૃહરૂપ છે, અવશ્ય પ્રકંપરહિત (કેઈ ડેલાવી ન શકે તેવું) છે, તપ-સંયચમના મૂળ દળરૂપ-થડાબંધ સરખું છે, પાંચે મહાવતમાં સુઠ્ઠ પ્રકારે (અત્યંત) રક્ષાયેલું છે, સમિતિ-ગુપ્તિથી યુક્ત છે, ઉત્તમ ધ્યાનના રક્ષણાર્થે રચેલા કમાડ રૂ૫ છે, શુભ ધ્યાનના (રક્ષણથે) દીધેલી ભેગળ રૂપ છે, દુર્મતિના માર્ગને નિરૂદ્ધ તથા આચ્છાદિત કરનાર બખ્તર રૂપ છે, સુગતિના માર્ગને દર્શાવનાર છે તથા લેકમાં ઉત્તમ છે. આ વ્રત પદ્મસરેવર અને તળાવની પાળ સરખું છે, મોટા ગાડાના આરાની નાભી રૂપ છે (ક્ષાન્તિ આદિ ગુણોના આધાર રૂપ છે), અત્યંત વિસ્તૃત વૃક્ષના થડ રૂપ છે, મેટા નગરના ગઢના કમાડની અર્ગલા રૂપ છે, રજજુ–દેરડાથી બાંધેલા ઇંદ્રધ્વજના સ્થંભ જેવું નિર્મળ છે, અને અનેક ગુણે કરી સહિત છે.
હવે બ્રહ્મચર્ય વ્રત કેવે પ્રકારે ભાગે છે તે કહે છે. જેમ ઘડે પડે અને તેના કકડા થઈ જાય તેમ) બ્રહ્મચર્ય સાહસા સર્વથા ભગ્ન થઈ જાય છે, (દહીં વલોવાય તે રીતે) મદિંત થાય છે, (ચૂણની પેઠે) ચૂણિત-ઝીણા ઝીણું કણરૂપ બની જાય છે, (શરીરમાં કારમું શલ્ય પેસી જાય તેમ) શલ્યયુક્ત બની જાય છે, (પર્વતના શિખર
Page #134
--------------------------------------------------------------------------
________________
બ્રચય
૧૧૭ પરથી તૂટી પડેલા પાષાણુખંડની પેઠે) આશ્રયથી ચલિત થઈ નીચે તૂટી પડે છે, (મહેલના શિખર પરથી પડતા
. કળશની પડે) અધઃ પતિત થાય છે, (લાકડાના ટુકડાઓ
( ** * * થાય તેમ) ખંડિત થાય છે, (કેઢિ આદિથી અંગ સડે છે તેમ) સર્વને વિશ્વસ્ત થાય છે અને (દાવાનળથી બનેલા વૃક્ષની પેઠે) વિનષ્ટ થાય છે. બ્રહ્મચર્યની મહત્તા.
એવું બ્રહ્નચર્ય વિનય-શીલ-તપ-નિયમ-ગુણના સમૂહરૂપ અતિ મોટું છે. જેમ ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્રમા (મોટે) છે, જેમ મણી, મોતી, શિલા, પ્રવાલ, રક્ત વિદૂમ) રત્નની ખાણોમાં સમુદ્ર તટે) છે, જેમ મણીઓમાં વહૂર્ય મણ (ટે) છે, જેમ સર્વ આભૂષ
માં મુકુટ (પ્રધાન) છે, વસ્ત્રોમાં જેમ ક્ષોમયુગલ (રનું વસ્ત્ર) (પ્રધાન) છે, પુમાં જેમ કમળ (મેટું) છે, ચંદનેમાં જેમ શીષચંદન (ગેચંદન) ઉત્તમ છે, ઔષધિસ્થાનમાં જેમ હીમવંત પર્વત (મહાન) છે, નદીઓમાં જેમ સીતેદા નદી (મેટી) છે, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્ર (મો) છે, મંડલિક પર્વતમાં જેમ રૂચક પર્વત (મેટે) છે, હાથીઓમાં જેમ ચિરાવત (મેટે) છે, મૃગો (વનનાં પશુઓ) માં જેમ સિંહ (પ્રધાન) છે, પ્રવકાણ (સુવર્ણકુમાર) માં જેમ વેણુદેવ મટે) છે, પન્નગ (નાગકુમાર) માં જેમ ધરણંદ્ર (મેટ) છે, જેમ કલ્પમાં બ્રહ્મલોક (પાંચમે દેવક) માટે છે, (પાંચ) સભાઓમાં
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
જેમ સુધર્માં સભા (મોટી) છે, આયુષ્યમાં જેમ સાતમી સ્થિતિ (અનુત્તર વિમાનવાસી દેવતાની) માટી છે, દાનામાં જેમ અભયદાન (ઉત્તમ) છે, કાંખળીમાં જેમ રાતા રંગની (કીરમજી રંગની) કાંખની (ઉત્તમ) છે, સહુનનમાં જેમ વઋષભ નારાચ સહનન (પ્રધાન) છે, સંસ્થાનમાં જેમ સમચતુર સસસ્થાન ઉત્તમ) છે, ધ્યાનમાં જેમ પરમ શુક્લધ્યાન (ઉત્તમ) છે, જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન (પ્રધાન) છે, વૈશ્યાએમાં જેમ પરમ શુક્લ વેશ્યા (પ્રધાન) છે, સુનીધરામાં જેમ તીર્થંકર (સવથી મોટા) છે, ક્ષેત્રા (વાસા) માં જેમ મહાવિદેહ ક્ષેત્ર (માટુ) છે, ગિરિવામાં જેમ મેક્ ગિરિ (પ્રધાન) છે, વનામાં જેમ નંદનવન (મુખ્ય) છે, વૃક્ષામાં જેમ જમ્મૂ સુદન નામના વૃક્ષની વિખ્યાતિ છે અને જે નામે આ જમૃદ્વીપ ઓળખાય છે, રાજાઓમાં જેમ તુરગપતિ-ગજપતિ-થપતિ-નરપતિ સુવિખ્યાત છે, અને રથીઆમાં મહારથી (ક*રિપુની સેનાને હરાવનારા) મોટા છે, તેમ બ્રહ્મચય (સવાઁથી મોટુ‘-પ્રધાન-મુખ્ય-સર્વાંપરિ) વ્રત છે. એક બ્રહ્મચર્ય વ્રતનું આરાધન કરનાર એ પ્રમાણેના અનેક ગુણાથી પરિપૂર્ણ થાય છે. સમ્યક્ પ્રકારે પાળેલા આ વ્રતથી સવ ત્રતા, શીલ, તપ, વિનય, સયમ, ક્ષમા, ગુપ્તિ, નિČભતા ઈત્યાદિ પણ પળાય છે, અને તેથી ઈહલેાકમાં તથા પરલેાકમાં યશ, કીતિ તથા પ્રત્યય (“આ સાધુ જન છે” એવી પ્રતીતિ) ઉત્પન્ન થાય છે. તેથી કરીને નિશ્ચલપણે બ્રહ્મચર્ય પાળવું. (મન-વચન-કાયાએ કરી) સવથા વિશુદ્ધ બ્રહ્મચર્ય જીવનપર્યંત, જ્યાંસુધી (માંસ
Page #136
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
૧૧૯
રક્તાદિથી રહિત) શરીર કેવળ શ્વેત અસ્થિમય રહે ત્યાંસુધી સંયમવંતે પાળવાચેાગ્ય છે.
વળી ભગવાને આ વ્રત વિષે કહ્યુ છે કે આ બ્રહ્મચવ્રત પાંચ મહા સુવ્રતનું મૂળ છે, સાધુઓએ ભાવસહિત વ્યાકુળતાથી રહિતપણે રૂડે પ્રકારે આચરેલું છે, વેરના ઉપશમન રૂપ ફળયુક્ત છે, સવ સમુદ્રોમાં મહેહૃષિ (રૂપ સંસાર) ને ઉતરવા માટેના તીર્થરૂપ છે, તીર્થકરાએ રૂડે પ્રકારે દેખાડેલા મારૂપ છે, નરક તીર્થંચની ગતિને વજવાના માર્ગ રૂપ છે, (સંસારમાંની) સર્વ નિર્મળ વસ્તુના નિમાપિત સારભૂત છે, મેક્ષ તથા દેવલાકનાં દ્વારને ઉઘાડનારૂં છે, દેવ-નરેદ્રાથી પ્રણમિત અને પૂજ્ય છે, સર્વ જગતમાં ઉત્તમ માંગલિકના માર્ગ છે, અદ્વિતીય ગુણુ પ્રાપ્ત કરાવનાર એક (ઉપાય) છે, અને મેાક્ષના માર્ગના મુકુટ રૂપ છે. જે શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળે છે, તેજ સુબ્રાહ્મણ, સુશ્રમણુ, સુસાધુ, સુઋષિ, સુમુનિ, સુસતિ અને તેજ ભિક્ષુ છે.
બ્રહ્મચારીએ ત્યજવાયેાગ્ય.
જે શુદ્ધ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેણે ત્યજવા ચેાગ્ય (ક્રિયા-પદાર્થ વગેરે) આ પ્રમાણે છેઃ—રતિ-રાગ દ્વેષ-માહને વધારનારાં (અનુષ્કાના), પ્રમાદ દેોષવાળા પાસ. ત્યા (સાવાભાસા-મહિવર્તીઆ)નાં અનુષ્ઠાના, અભ્યગન (ઘી-માખણુ શરીરે ચાપડવાં તે), તેલમર્દન, સ્નાન, વારવાર કાખ–શિર-હાથ-પગ-હાં ધાર્યા, અંગચ’પી, ગાત્રચ'પી,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આખા શરીરને મેલ ઉતાર, અંગ-વિલેપન, (સુગંધિત) ચૂણેથી શરીરને સુવાસિત કરવું, (અગુરૂ આદિના) ધૂપથી શરીરને ધૂપવું, શરીને શણગારવું, જેથી ચારિત્ર કલુષિત થાય તેમ નખ-વસ્ત્ર-કેશાદિને સમારવાં, હસવું, ( કુશાસ્ત્રનું) ભણવું, નૃત્ય, ગીત, વાચિત્ર બનાવવું, નટ-નર્તક-બજાણીયા-મલાદિના ખેલ જોવા, ભાંડચેષ્ટ જેવી, ઇત્યાદિ જે હલકા શંગારની ખાણ જેવાં છે અને બીજા પણ એવા પ્રકારે જે તપ-સંયમ-બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારાં હોય તે, બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે સર્વ કાલે વર્જવાયેગ્ય છે. તેને ઉપર જણાવેલાને વર્જનારને) અંતરાત્મા નિત્ય તપ-નિયમ-શીલના યોગથી ભાવિત થાય છે. (એ તપ-નિયમ-શીલના વ્યાપાર હવે કહે છે). અસ્નાન, દાંતને સાફ ન કરવા તે, પરસેવ-મેલ-ગા મેલ ધારણ કરે તે (ન ઉતાર તે), મૌન વ્રત, કેશલોચન, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, અચલક (વસ્ત્રરહિતતા), ભૂખ-તરસને સહન કરવાં તે, લાઘવ (અલ્પ વસ્ત્ર રાખવાં તે), ટાઢ-તાપ સહેવાં તે, કષ્ટશ, ભૂમિ પર બેસવું તે, (ભિક્ષાર્થે) પારકે ઘેર જવું તે, (ભિક્ષા) મળે કે ન મળે અથવા ઓછું મળે (ત ખેદ ન પામ તે), માન-અપમાન-નિંદાને સહન કરવાં તે, ડાંસ-મચ્છરના સ્પર્શને સહેવાં તે, નિયમ, તપ, ગુણ, વિનય, ઈત્યાદિ એગથી એ અંતરાત્મા ભાવિત થાય છે, અને તે રીતે તેનું બ્રહ્મચર્ય સ્થિરતા-વિશેષ દૃઢ થાય છે. પાંચ ભાવનાઓ.
બ્રહ્મચર્ય વ્રતના રક્ષણને અર્થે અને અબ્રહાચર્યના
Page #138
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
૧૨૧
વિરમણને અર્થે શ્રી ભગવાને સકળ જીને હિતકારી, પરભવને વિષે હિતકારી, આગામી કાલે કલ્યાણકારક, નિર્દોષ, ન્યાયયુક્ત, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવચન કરેલું છે. તે ચેથા વતની પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે.
અબ્રહ્મચર્યના વિરમણને અર્થે અને બ્રહ્મચર્યના રક્ષણને અર્થે પહેલી ભાવના સ્ત્રીથી સંસક્ત આશ્રય વર્જવા વિષે છે. શય્યા, આસન, ગૃહ, દ્વાર, આંગણું, અગાશી, શેખ, ભંડશાળા (અનેક પ્રકારની સામગ્રી રાખવાનું સ્થાન), અભિકન સ્થાન (અતિ ઉંચું સ્થાન-જ્યાંથી બધું દેખાય), પાછલું ઘર, શણગાર કરવાનું સ્થાન, સ્નાતિકા (નાન કરવાનું ખુલ્યું સ્થાન), જે સ્થાનમાં વેશ્યાઓ રહેતી હોય તે, તથા જે સ્થાને વારંવાર અજ્ઞાનપણે (મેહદેષે કરીને) રતિરાગ વધારનારી સ્ત્રીઓ ઉભી રહેતી હોય તે સ્થાન, તથા
જ્યાં બહુવિધ (શૃંગારાદિકની) કથાઓ કહેવાતી હોય, એ બધાં સ્થાન વજે વાગ્યા છે. સ્ત્રીના સંસર્ગવાળાં સ્થાને કલેશને કરાવનારાં છે. એ અને એ પ્રકારનાં બીજા સ્થાને પણ વજેવાગ્યા છે. જ્યાં રહેતાં મને વિભ્રમ ઉપજે, (બ્રહ્મચર્ય વ્રતને) ભંગ થાય, બ્રશન ( અલ્પ વતભંગ) થાય, જ્યાં આ (ઈષ્ટ વિષય સંગના અભિલાષ રૂ૫) અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય, તે તે સ્થાન વજેવાગ્ય છે. પાપભીરૂ (પાપથી હીનારા)એ એવાં સ્થાન આશ્રય કરવાગ્ય નથી. જે સ્થાને વસતાં ઇન્દ્રિયોને રાગ દીતિમાન થાય નહિ તે સ્થાને વસવા ચોગ્ય છે. એ પ્રકારે સ્ત્રી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
એના સસર્ગ વિનાના સ્થાને વસવાની સમિતિના ચેાગે કીને જે ભાવિત થાય છે તેના અંતરાત્મા બ્રહ્મચર્ય'માં આસક્ત મનવાળા, ઇંદ્રિયધર્મ (લાલુપતા આદિ)થી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યની ગુપ્તિઓથી યુક્ત થાય છે.
બીજી ભાવનાએ સ્ત્રીજનાની વચ્ચે કથા કહેવી નહિ. ચિત્રવિચિત્ર પ્રકારની, કામુક સ્ત્રીની ચેષ્ટાથી યુક્ત, વિલાસ (નેત્રનિકાર)થી યુક્ત, હાસ્ય-શૃંગારવાળી લૌકિક કથા કરવી નહિ.માહજનક એવી આવાહ(નવપરિણીત વર-વધૂને લાવવા વિષેની)–વિવાહની કથા પણ કહેવીનહિ.સ્ત્રીની સુભગતા—દુતાની કથા,ીઓના ચેાસઠ ગુણ-વણુ દેશ-જાતિ-કુળ-રૂપનામ–નેપથ્ય (શુપ્ત શૃંગારક્રિયા)—પરિજન (દાસી–સખી) આદિ વિષેની કથા કહેવી નહિ. સ્ત્રીઓની અને બીજી પણ એ પ્રકારની અનેરી કથા શૃંગારે કરીને કરૂણાત્પાદક છે, તપસચમ-બ્રહ્મચર્યના ઘાત–ઉપઘાત કરનારી છે, તે બ્રહ્મચયન્નુ' અનુપાલન કરનારે કહેવા ચેાગ્ય નથી, સાંભળવાચેાગ્ય નથી અને વિચારવાચેાગ્ય નથી. એ પ્રકારે સ્રીકથાથી નિવૃત્તિરૂપ સમિતિના ચેાગે કરીને જે ભાવિત થાય છે તેના અંતરાત્મા બ્રહ્મચર્ય માં આસક્ત મનવાળા, ઇંદ્રિયધમ (લાલુપતા આદિ)થી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચય ની ગુપ્તિઓથી યુક્ત થાય છે.
ત્રીજી ભાવનાએ સ્ત્રીના રૂપનું નિરીક્ષણ વવું. સ્ત્રીનુ હસવુ-માલવુ અને ચેષ્ટાનું નિરીક્ષણ કરવું, (ચાલવાની) ગતિ–નેત્રવિલાસ-ક્રીડા-કામુક ચેષ્ટા (વિવેાક) નૃત્ય ગીત –વાદિત્રવાદન–શરીરસંસ્થાન-વર્ણ-હાથ-પગ—નયન—લાવ
Page #140
--------------------------------------------------------------------------
________________
ભ્રહ્મચય
૧૨૩
શ્ય-રૂપ-યૌવન–સ્તન-આઇ-વસ્ત્ર-અલંકાર-આભૂષણ--ગુહ્ય - દ્રિય ઇત્યાદિ (જોવાં-સાંભળવાં તે) અને ખીજાં પણ તપ-સ’ચમ-બ્રહ્મચર્યના ઘાત-ઉપઘાત કરનારાં (કારી) છે, તે બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે આંખ વડે, મન વડે કે વચન વડે ન અભિલષવા (ઇચ્છવા) ચેાગ્ય પાપકર્મી છે, એ પ્રકારે સ્ત્રી રૂપ-વિરતિ સમિતિના ચેાગથી જે ભાવિત છે તેના અંતરા ત્મા બ્રહ્મચર્ચમાં આસક્ત મનવાળા, ઈંદ્રિયધર્મથી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યની ગુપ્તિએથી યુક્ત થાય છે.
ચેાથી ભાવનાએ પૂર્વે કરેલાં-સેવેલાં વિષયે આદિને સંભારવાં નહિ. પૂર્વે (ગૃહસ્થાવસ્થામાં) સેવેલા વિષય ભાગ; પૂર્વે કરેલી રમતા-ક્રીડા; પૂર્વ સમયનાં સગાંઓ (સાસુ –સાળા–સાળી આદિ)ના પરિચય આદિ; આવાહ પ્રસ ંગે (નવપરિણીતને ઘેર લાવવાં), વિવાહ પ્રસંગે, ચૌલ કમ (મુંડન–બાળકને ચાટલી રાખવી) પ્રસંગે, તિથિએ (મદન ત્રયેાદશી આદિ), યજ્ઞક્રિયાને દિને (નાગપૂજાના દિવસે), અને ઉત્સદિને (ઇંદ્રમહેાત્સવ) શૃગારથી સજ્જ થએલીસુંદર વેશવાળી સ્ત્રી સાથે, હાવ-ભાવ-લાલિત્ય-કામચેષ્ટા -વિલાસથીશાભતી સ્ત્રીઓ સાથે, અનુકૂળ પ્રેમિકા સાથે જે શયનપ્રત્યેાગ અનુભવ્યા હાય ( વિષયસેવન કર્યા હોય ) તે સંભારવાં નહિ. ઋતુ-ઋતુનાં સુંદર પુષ્પો, સુગ'ધી ચઢન, સુગધી દ્રવ્યેા તથા સુગ'ધી ધૂપ, સુખસ્પશ કરાવનારાં વસ્ત્રાભૂષણ મ્રુત્યાદિથી સુશેાભિત સ્ત્રીઓ સાથે પૂર્વે કરેલા વિષયભાગ સંભારવા નહિ. રમણીય વાજિંત્રા, ગીતા, નટ, નર્તક, અજાણીયા, મલ્લ, મૂઠીએ લડવાના ખેલ કરનારા (મુષ્ટિક
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મલ્લ), ભાંડ, વિષક, કથાકાર, જલમાં કૂદી તરનારા, રાસ રમનારા, આખ્યાન કરનારા (શુભાશુભ કહેનારા), હાથમાં ચિત્રનું પાટીયું લઈ ભિક્ષા માંગનારા (મખ), તૃણુવાત્રિ વગાડનારા, તુંખવીણા મજાવનારા, તાલ (તાલુાટા) વગાડનારા, ગાયન કરનારા, ઇત્યાદિની ક્રિયા અને બહુવિધ મધુર સ્વરે ગીત ગાનારાઓનાં સુસ્વરયુક્ત ગીતા, તેમજ ખીજા એવા ( કણપ્રિય શબ્દ ) તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાત તથા ઉપઘાત કરનારાં છે, તે બ્રહ્મચર્ય નું અનુપાલન કરનાર શ્રમણે જેવાં નહિ, કહેવાં નહિ, તથા સંભારવાં નહિ. એ પ્રકારે જે પૂર્વે કરેલા વિષયભાગ, ક્રીડા આદ્વિની વિરતિરૂપ સમિતિના ચાળે કરીને ભાવિત છે, તેના અંતરાત્મા બ્રહ્મચર્યોંમાં આસક્ત મનવાળા, ઇંદ્રિયધમ થી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચય'ની ગુપ્તિએ કરીને યુક્ત થાય છે.
પાંચમી ભાવનાએ પ્રણિત સ્નિગ્ધ (જેમાંથી ઘી-તેલ વગેરેનાં ખિજ્જુએ ટપકતાં હાય) ભાજન સંયતિએ–સાધુએ (નિર્વાણુના સાધકે) વવું. દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગાળ, ખાંડ, સાકર, મધ, મદ્ય, માંસ, ખાજા (વગેરે મીઠાઈ) એટલા વિગય (વિકૃતિ પામનારા પદાર્થાં)થી યુક્ત આહાર, ધ્રુપકારક આહાર સાધુએ ત્યજવા અને (નિર્દેષ) આહાર પણ દિવસમાં બહુ વાર ન કરવા, નિર ંતર (પ્રતિદિન) ન કરવા, શાક-દાળ અધિક ન જમવાં, ઘણું ન જમવું; એ પ્રકારના આહાર ભોગવવા નહિ. (સંયમની) યાત્રાના પ્રમા
Page #142
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
૧૨૫
ણને અર્થેજ આહાર હય, વિશ્વમ કે ધર્મનું બ્રેશન (ભ્રષ્ટપણું) ન થાય તે માટેજ આહાર હોય. એ પ્રકારે પ્રણિત આહાર વિરતિ સમિતિના ચેગથી જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળો, ઈ દ્રિઅધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએ કરી યુક્ત થાય છે.
એ પ્રકારે આ સંવરના દ્વારને સમ્યક્ પ્રકારે આ ચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચુંગ મરણપર્યંત ધૃતિમાન અને અતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવાચોગ્ય છે. અલવયુકત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, શુદ્ધ, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ ચોથું સંવર દ્વારા કાયાએ કરી ફરસવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચોગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાગ્ય, આરાધવાયેગ્ય અને આજ્ઞાનુસાર અનુપાલન કરવા ગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું, પ્રસિદ્ધ કર્યું છે. એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અધ્યયન ૫ મું
અપરિગ્રહ જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જબૂ! અને* (ધપકરણને પણ) અપરિગ્રહ (મમતા રહિતતા) કરનાર, (કષાયેનું) સંવરણ કરનાર અને આરંભ તથા પરિગ્રહથી નિવૃત્ત થનાર સાધુ હોય. વળી સાધુ ફોધ, માન, માયા અને લેભથી નિવર્તિ. વિરતિનાં લક્ષણે.
(હવે વિસ્તાર કરીને વિરતિનાં લક્ષણે દર્શાવે છે). (૧) એક પ્રકારે અસંયમ (સર્વ આસવથી ન નિવર્તવું તે). (૨) બે પ્રકારે બંધ (૧ રાગબંધ, ૨ શ્રેષબંધ), (૩) ત્રણ પ્રકારે દંડ, ગર્વ, ગુપ્તિ અને વિરાધના.
[૩ દંડ:–૧ મન દંડ, ૨ વચનદંડ, ૩ કાયદડ. ૩ ગર્વ૧ ઋદ્ધિ ગર્વ, ૨ રસ ગર્વ, ૩ શાતા ગર્વ. ૩ ગુણિ–૧ મનગુણિ, ૨ વચનગુપ્તિ, ૩ કાયગુપ્તિ. ૩ વિરાધના–૧ જ્ઞાન વિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના.]
(૪) ચાર પ્રકારના કષાય, ધ્યાન, સંજ્ઞા, વિકથા.
[ ૪ કષાય૧ કૅધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ. ૪ ધ્યાનઃ૧ આર્ત, ૨ રૌદ્ર, ૩ ધર્મ, ૪ શુક્લ. ૪ સંજ્ઞા–૧ આહાર, ૨ ભિય, ૩ મૈથુન, ૪ પરિગ્રહ. ૪ વિકથા–૧ સ્ત્રીકથા, ૨ ભત્તકથા, ૩ દશકથા, ૪ રાજકથા.]
“ અહીં અને શબ્દથી જે પ્રારંભ થાય છે તેને હેતુ એ છે કે બ્રહ્મચર્યયુક્ત હોવા ઉપરાંત સાધુ અપરિગ્રહ પણ કરે.
Page #144
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૨૭ (૫) પાંચ પ્રકારની ક્રિયા, સમિતિ, ઇંદ્રિય અને મહાવતે.
[ પ ક્રિયા – કાયિકા, ૨ આધિકરણિકા, ૩ પ્રષિકા, ૪ પારિતાપનિકા, ૫ પ્રાણાતિપાતિકા. ૫ સમિતિ –૧ ઈર્યા, ૨ ભાષા, ૩ એષણા, ૪ આદાન ભંડમાત્ર નિક્ષેપના, ૫ ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, જળ, શ્લેષ્મ વગેરેને પરિઠવવાની સમિતિ.૫ ઈ દિઃ – ૧ કાન, ૨ આંખ, ૩, નાક, ૪ જીભ, ૫ સ્પર્શદ્રિય-વચા. ૫ મહા વ -૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ, ૨ સર્વથા મૃષાવાદ વિરમણ, ૩ સર્વથા અદત્તાદાન વિરમણ, ૪ સર્વથા મિથુન વિરમણ, ૫ સર્વથા પરિગ્રહ વિરમણ]
(૬) છ પ્રકારે જવનિકાય અને વેશ્યા.
[૬ જવનિકાય –-૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય. ૬ લેશ્યાઃ–૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કપોત, ૪ તેજે, પ પવ, ૬ શુકલ.)
(૭) સાત પ્રકારના ભય.
[૧ આલોક ભયઃ મનુષ્યને મનુષ્યથી ભય; ૨ પરલોક ભયઃ દેવ-તીર્થંચથી ભય; ૩ આદાન ભય ધનથી ભય; ૪ અકસ્માત ભયઃ છાયા વગેરે દેખવાથી થતા ભય; ૫ વેદના ભયઃ દુઃખથી થતો ભયઃ ૬ મરણ ભય; ૭ અપયશ થવાથી થતે ભય.]
(૮) આઠ પ્રકારના મદ.
[૧ જાતિ મદ, ૨ કુળ મદ, ૩ બળ મદ, ૪ રૂપ મદ, ૫ તપ મદ, ૬ લાભ મદ, ૭ ઐશ્વર્ય મદ.]
(૯) નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ.
[૧ સ્ત્રી-પશુ–પંડકથી રહિત સ્થાનમાં રહેવું. ૨ કામ–રાગની વૃદ્ધિ કરે તેવી સ્ત્રીની કથા કે સ્ત્રી સાથે કથા ન કરવી. ૩ સ્ત્રીની
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી પ્રક્ષ વ્યાકરણ સૂત્ર સાથે એક આસને બેસવું નહિ. ૪ સ્ત્રીનાં અંગે પાગ, તેની સુરચના, તેનું બોલવું, નિરીક્ષણ વગેરે રાગદષ્ટિથી જોવું નહિ. ૫ સ્ત્રીનાં ગીત-રુદન-પૂજન-હાસ્ય વગેરે સંભળાય તેમ ભીંત કે દિવાલને આંતરે રહેવું નહિ. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી કીડા, હાસ્ય, રતિ, વિષયભોગ, સ્નાન, ભોજન ઈત્યાદિ યાદ કરવાં નહિ. ૭ પ્રણિતલચપચત-વિગય સહિત આહાર લેવો નહિ. ૮ મર્યાદિત સમયે ધર્મયાત્રા નિમિત્ત જોઈએ તેથી વધુ આહાર લેવો નહિ. ૯ શરીરની શોભા-વિભૂષા કરવી નહિ.]
(૧૦) દસ પ્રકારને સાધુધર્મ.
[ ૧ ક્ષમા, ૨ મુક્તિ (નિર્લોભતા), ૩ આર્જવ (ઋજુતા), ૪ માર્દવ (કમળતા), ૫ લાઘવ (ાડાં ઉપકરણ રાખવાં), ૬ સત્ય, ૭ સંયમ, ૮ તપ, ૯ ચૈત્યદાન–જ્ઞાનદાન, ૧૦ બ્રહ્મચર્ય ]
(૧૧) અગ્યાર પ્રકારની શ્રાવકની (સાધુના ઉપાસકની) પ્રતિમા.
[ ૧ દર્શન પ્રતિમા–શુદ્ધ સત્ય પર રૂચિ થાય. ૨ વ્રત પ્રતિમા–પ્રાણાતિપાત વિરમણાદિ વ્રત નિરતિચારપણે પાળે. ૩ સવાર-સાંજ સામાયિક-આવશ્યક કરે. ૪ પૂર્ણ પૌષધ પ્રતિમા બધી પર્વતિથિએ નિયમિત પૌષધ કરે; ૫ ઉપર જણાવ્યું તે ઉપરાંત પાંચ બોલ સહિત કાયોત્સર્ગ કરે. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા – ઉપર જણાવ્યું તે કરવા ઉપરાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સેવે; ૭ સચિત્ત આહાર ન લે, પણ પિતાને આરંભ ન કરવાનો નિયમ ન હેય. ૮ આરંભ-સમારંભ કરે નહિ. ૯ આરંભ સમારંભ કરેકરાવે નહિ. ૧૦ આરંભ કરે-કરાવે નહિ તે ઉપરાંત આરંભ કરીને કોઈ આપે તે લે નહિ. ૧૧ ઉપર જણાવ્યું તે ઉપરાંત મુંડન કે લોચ કરાવે, સાધુ પેઠે ધર્મોપકરણ રાખે, સ્વાતિમાં ગોચરી કરે,
Page #146
--------------------------------------------------------------------------
________________
-
અપરિગ્રહ
૧૨૯
તે પ્રતિમધારી શ્રાવક કહેવાય. એકથી ૧૧ પ્રતિમામાં પ્રત્યેક પ્રતિમાએ એક-એક માસ ચડતાં એકંદરે સાડા પાંચ વર્ષ થાય. ]
(૧૨) બાર પ્રકારની ભિક્ષુની પ્રતિમા. . [૧ પહેલી પ્રતિમા ૧ માસની તેમાં એક દાતિ* આહારની અને એક દાતિ પાણીની લેવી ક. ૨ બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની કલ્પ. ૩ ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાણીની કલ્પ. ૪ ચેથી પ્રતિમા એક માસની તેમાં ચાર દાતિ આહાર અને ચાર દાતિ પાણીની કલ્પ. ૫ પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણીની કલ્પે. ૬ છઠી પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણીની કલ્પ. ૭ સાતમી પ્રતિમા એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણની કલ્પે. ૮ આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તેમાં પાણી વિના એકાંતર ઉપવાસ કરે અને ગામ બહાર જઈ ત્રણ આસને કરેઃ ચત્તા સૂએ, પાસું વાળી સૂએ અને પલાંઠી વાળી સૂએ. પરિષહથી ડરે નહિ. ૯ નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને દંડ-લગડ-ઉત્કટ એ ત્રણમાંથી એક આસન કરે. ૧૦ દસમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને ગોદૂહ, વીર તથા અદ્ભુખુજ એમાંથી એક આસન કરે. ૧૧ અગીઆરમી પ્રતિમા એક અહોરાત્રિની, તેમાં પાણું વિના છઠ (બે ઉપવાસ) કરે, ગામ બહાર બે પગ સંકેચી હાથ લાંબો કરી કાયોત્સર્ગ કરે. ૧૨ બારમી પ્રતિમા એક
દાતિ એટલે આહાર એકી સાથે એક વખતે જેટલે વહેરાવે તેટલો અને પાણીની ધાર તૂટે ત્યાંસુધીની એક દાતિ પાણીની સમજવી. એ એક-એક દાતિ થઈ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર
રાત્રિની તેમાં પાણી વિના અઠમ કરે, નગર બહાર જઈ અણમીંચ્યા લોચને કાર્યોત્સર્ગ કરે. બાય પ્રતિમામાં ૮ માસ થાય.]
(૧૩) તેર પ્રકારનાં યિાસ્થાનક.
[૧ અર્ષ ક્રિયા-પિતા માટે હિંસા કરે. ૨ અનર્થ ક્રિયા-પર માટે હિંસા કરે. કહિંસા ક્રિયા–તે મને હણે છે, હ હતો, હણશે એમ સંકલ્પી હિંસા કરે. ૪ અકસ્માત ક્રિયા-એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય. ૫ દષ્ટિ વિષયસ ક્રિયા-દુશમન ધારી મિત્રને હણે. ૬ મૃષાવાદ ક્રિયા-અસત્ય બોલે . ૭ અદત્તાદાન ક્રિયા-ચોરી કરે તે. ૮ અભ્યસ્થ ક્રિયા-મનમાં દુષ્ટ કલ્પનાઓ કરે તે. ૯ માન ક્રિયા-અભિમાન કરે તે. ૧૦ મિત્રદોષ ક્રિયા-સ્વજનને અલ્પ અપરાધે બહુ દંડ દે તે. ૧૧ માયા ક્રિયા-કપટ કરે તે. ૧૨ ૧૨ લોભ ક્રિયા-લાલચ-તૃષ્ણા. ૧૩ ઇર્યાપથિકા ક્રિયા-માર્ગમાં ચાલતાં હિંસા થાય તે.]
(૧૪) ચૌદ પ્રકારના જીવ.
[ ૧-૨ સૂમ એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૩-૪ બાદર એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૫-૬ બેઈ દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૭–૪ ત્રિઈદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૯-૧૦ ચૌઈ દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૧-૧૨ અસંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૩-૧૪ સંજ્ઞી પંચે દ્રય અપર્યાપ્ત અને પર્યાપ્ત.]
(૧૫) પંદર પ્રકારના પરમાધામી દેવ.
[૧ આઝ, ૨ આમ્રરસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વિરૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુક, ૧૩ વૈતરણ, ૧૪ પરસ્વર, ૧૫ મહાઘોષ.]
. (૧૬) સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના પ્રથમક્રુત સ્કંધનાં ૧૬ અધ્યયન.
Page #148
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૩૧
[૧ સ્વસમય-પરસમય, ર વૈદારિક, ૩ ઉપસર્ગ પ્રજ્ઞા, ૪ સ્ત્રી પ્રજ્ઞા, ૫ નરકવિભક્તિ, ૬ વરસ્તુતિ, ૭ કુશીલ પરિભાષા, ૮ વર્યાધ્યયન, ૯ ધર્મ ધ્યાન, ૧૦ સમાધિ, ૧૧ મોક્ષમાર્ગ, ૧૨ સમવસરણ, ૧૩ યથાતથ્ય, ૧૪ ગ્રંથી, ૧૫ યમતિથિ, ૧૬ ગાથા.]
(૧૭) સત્તર પ્રકારના અસંયમ.
[૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેજસ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બે ઈદ્રિય, ૭ ત્રિઈ દ્રિય, ૮ ચૌઈદ્રિય, ૯ પંચેંદ્રિય, ૧૦ અજીવ, ૧૧ પ્રેક્ષા, ૧૨ ઉઝેક્ષા, ૧૩ પ્રમાર્જન, ૧૪ પારિસ્થાનિક, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા સંબંધી અસંયમ]
(૧૮) અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય.
[૧ ઔદારિક શરીર સંબંધી ભેગમન-વચન-કાયાથી સેવવા નહિ, એ ૩, સેવરાવવા નહિ એ ૩, સેવતા પ્રતિ અનુમોદન આપવું નહિ એ ૩, એમ કુલ ૯; એ જ પ્રમાણે ૯ પ્રકાર વૈક્રિય શરીર સંબંધી ત્યજવા.]
(૧૯) જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયન.
[1 ઉક્ષિપ્ત–મેઘકુમારનું, ૨ ધન્ય સાર્થવાહ અને વિજય ચોરનું, ૩ મયૂર-ઈડાનું, ૪ કૂર્મ-કાચબાનું, ૫ શૈલક રાજર્ષિનું, ૬ તુંબડાનું, ૭ ધન્ય સાર્થવાહ અને ચાર વહુનું, ૮ મલ્લી ભગવતીનું, ૯ જિનપાલ જિનરક્ષિતનું, ૧૦ ચંદ્રની કળાનું, ૧૧ દાવદવા વૃક્ષનું, ૧૨ જિતશત્રુ રાજા ને સુબુદ્ધિ પ્રધાનનું, ૧૩ નંદ મણિયારનું, ૧૪ તેતલિપુત્ર પ્રધાન ને પિટીલા સોનાર પુત્રીનું, ૧૫ નંદી ફળનું, ૧૬ અવરકંકાનું, ૧૭ સમુદ્ર અશ્વનું, ૧૮ સુસીમા દારિકાનું, ૧૯ પુંડરીક-કુંડરીકનું.]
(૨૦) વીસ પ્રકારનાં અસમાધિસ્થાનક. [૧ ઉતાવળું ચાલે, ૨ પૂજ્યા વિના ચાલે, ૩ દુષ્ટ રીતે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પૂજે, ૪ વધુ આસન રાખે, ૫ વડા–વડીલની સામું બેલે, ૬
સ્થવિર-વૃદ્ધને ઉપઘાત કરે, છ એકેદિયાદિને પિતાના સુખને અર્થે ઉપવાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હમેશાં ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બોલે, ૧૨ ન ક્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના કલેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયેલા હાથ–પગે આહારાદિ લે, ૧૬ શાંતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં કલેશ કરી મને દુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અને ષણિક આહાર લે]
(૨૧) એકવીસ પ્રકારનાં સબલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કર્મ).
[૧ હસ્તકર્મ, ૨ મિથુન, ૩ રાત્રિભોજન, ૪ આધાકમ આહાર ભેગવો તે, ૫ રાજપિંડનું ભોજન, ૬ પાંચ બેલનું સેવનઃ વેચાતું–ઉછીનું -બળાત્કારે-ભાગીદારની આજ્ઞા વિના-સ્થાનમાં સામું લાવેલું આપવું લેવું તે, ૭ પ્રત્યાખ્યાન કર્યા છતાં ભોગવે તે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં જાય છે. ૧૦ એક માસમાં ૩ માયાનાં સ્થાનક ભોગવે તે. ૧૧ શમ્યાંતરને આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય બોલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચેરી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૭ સચિત્ત શિલા, ઝીણું જીવ રહે તેવાં કાષ્ટ, બીજ, લીલોતરી
* પાણીને લેપ-ઉદલેપ કરવો, એટલે પાણીવાળી માટી નદી ઉતરવી તે.
Page #150
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૩૩
ઇત્યાદિ પર શયાદિ કરે તે. ૧૮ ઈરાદાપૂર્વક મૂળ-કંદસ્કંધત્વચા-શાખા-પ્રવાળા–પત્ર-પુપ-ફળ-બીજ એ દસને સચિત્ત આહાર કરે તે. ૧૯ એક વર્ષમાં દસ ઉદકલેપ કરે તે. ૨૦ એક વર્ષમાં ૧૦ માયાનાં સ્થાનક સેવે તે. ૨૧ જળથી ભીના હાથ, પાત્ર, વગેરે વડે ભેજન આપે તે લઈ ઈરાદાપૂર્વક ભગવે તે. ]
(૨૨) બાવીશ પ્રકારના પરિષહ.
[૧ ભૂખ, ૨ તરસ, ૩ ટાઢ, ૪ તાપ, ૫ ડાંસ મચ્છર, ૬ વસ્ત્રરહિતતા, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચાલવું તે, ૧૦ એક આસને સ્થિર રહેવું તે, ૧૧ પ્રતિકુળ ઉપાશ્રય, ૧૨ આક્રોશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રેગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મેલ, ૧૯ સત્કાર–પુરસ્કાર, ૨૦ પ્રણા, ૨૧ અજ્ઞાન, ૨૨ દર્શન).
(૨૩) સૂત્રકૃતાંગ સૂત્રનાં ૨૩ અધ્યયન.
[સૂત્રકૃતાંગ સૂત્રના પહેલા મુતસ્કંધનાં ૧૬ અધ્યયન ૧૬ મા બોલમાં ઉપર કહ્યા છે. બીજા શ્રુતસ્કંધના ૭ અધ્યયન આ પ્રમાણે – ૧ પુંડરીક કમળનું, ૨ ક્રિયાસ્થાનકનું, ૩ આહાર પ્રતિજ્ઞાનું, ૪ પ્રત્યાખ્યાન ક્રિયાનું, ૫ અણગાર સુતનું, ૬ આર્દ્ર કુમારનું, ૭ ઉદકપેઢાલ પુત્રનું.]
(૨૪) ચોવીસ પ્રકારના દેવ. " [ દસ ભવનપતિ, આઠ વાણુવ્યંતર, પાંચ તિષી, એક વિમાનિક, કુલ ૨૪].
(૨૫) પચીસ પ્રકારની પાંચ મહાવ્રતની ભાવના
(૨૬) છવીસ પ્રકારે દશાશ્રુતસ્કંધ, બૃહત્ કલ્પ અને વ્યવહાર સૂત્રના ઉદ્દેશા.
જ આ સૂત્રમાંજ-સંવરદ્વારના પાંચ અધ્યયનમાં પાંચ મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાએ સમજાવી છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
| [ દશાશ્રુતસ્કંધના ૧૦, બહત્કલ્પના ૬ અને વ્યવહારના ૧૦, કુલ ૨૬ ]
(ર૭) સત્તાવીશ પ્રકારના સાધુના ગુણ.
[ ૧ થી ૫ મહાવ્રત; ૬ થી ૧૦ પાંચ ઈનેિ નિગ્રહ; ૧૧ થી ૧૪ ક્રોધમાન-માયા-લોભને વિજય, ૧૫ ભાવ સત્ય, ૧૬ કણું સત્ય, ૧૭ વેગ સત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦-૨૧-૨૨ મન-વચન-કાયાની સમધારણતા, ૨૩ જ્ઞાન, ર૪ દર્શન, ૨૫ ચારિત્ર, ૨૬ વેદના સહિષ્ણુતા, ૨૭ મરણ સહિષ્ણુતા. ]
(૨૮) અઠ્ઠાવીશ પ્રકારના આચારક૫.
[ આચારાંગના બેઉ છુતસ્કંધના મળીને ૨૫ અધ્યયન, ૨૬ ઉઠ્ઠાઈ, ૨૭ અનુષ્પાઈ, ૨૮ આરહણ. ઉપઘાતિક એટલે લઘુ માસાદિક પ્રાયશ્ચિત્ત અને અનુવાતિક એટલે ગુરૂ માસાદિક પ્રાયશ્ચિત્ત સમજવું. ]
(૨૯) ઓગણત્રીશ પ્રકારનાં પાપસૂત્ર.
[ ૧ ભૂમિકપ શાસ્ત્ર, ૨ ઉત્પાત શાસ્ત્ર, ૩ સ્વપ્ન શાસ્ત્ર, ૪ અંતરીક્ષ શાસ્ત્ર, ૫ અંગ ફરકવાનું શાસ્ત્ર, ૬ સ્વર શાસ્ત્ર, ૭ વ્યંજન (મસા–તલ વગેરેનું) શાસ્ત્ર, ૮ લક્ષણ શાસ્ત્ર એ આઠ સૂત્રથી, આઠ વૃત્તિથી અને આઠ વાર્તિકથી મળી કુલ ૨૪. ૨૫ વિકથાનુયોગ, ૨૬ વિદ્યા અનુયાગ, ૨૭ મંત્ર અનુગ, ૨૮ યેગ અનુયોગ, ૨૯ અન્યતીર્થિક અનુગ. ]
(૩૦) ત્રીસ પ્રકારનાં મેહનીયનાં સ્થાનક.
[ ૧ ત્રસ પ્રાણીને જળથી હણે, ૨ હાથે કરી પ્રાણીનાં મુખ વગેરે રૂંધી–શ્વાસ રૂંધી હશે, ૩ વાધરી–ચામડાથી માથું વિટીને ભારે, ૪ મુદુગરાદિથી માથું ભેદીને મારે, ૫ ભોદધિમાં બૂડતા જંતુઓને દ્વીપરૂપ એવા મનુષ્યને હણે, ૬ સામર્થ્ય છતાં
Page #152
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૩૫
દુષ્ટ પરિણામપૂર્વક ગ્લાન રોગીની સેવા સુશ્રષા ન કર, ૭ તપસ્વીને બળાત્કારે ધર્મભ્રષ્ટ કરે, ૮ સભ્યફદર્શન પ્રત્યે બીજાઓના વિપરીત પરિણામ નીપજાવી અપકાર કરે, ૯ જિનનિંદા કરે, ૧૦ આચાર્ય -ઉપાધ્યાયની નિંદા કરે, ૧૧ આચાર્યાદિના જ્ઞાનદાનના કાર્યની નિંદા કરે, ૧૨ રાજા વગેરેને પ્રયાણુદિ વિષે પુનઃ પુનઃ કહે, ૧૩ વશીકરણાદિ કરે, ૧૪ પ્રત્યાખ્યાન કરેલા ભોગની ઇચ્છા કરે, ૧૫ વારંવાર પિતાને બહુશ્રુત તરીકે ઓળખાવે, ૧૬ તપ કર્યા વિના તપસ્વી તરીકે ઓળખાવે, ૧૭ ઘણા મનુષ્યોને અગ્નિ તથા ધૂમાડા વગેરેથી હણે, ૧૮ પિતે કરેલા અપકૃત્યને આરોપ બીજા ઉપર ચડાવે, ૧૯ વિચિત્ર માયા કપટ કરી બીજાને ઠગે, ૨૦ અશુભ પરિણામે કરી સત્યને પણ સભા વચ્ચે અસત્ય તરીકે જણાવે, ૨૧ પુનઃ પુનઃ કલહ કરે, ૨૨ વિશ્વાસ ઉપજાવીને પરધનનું અપહરણ કરે, ૨૩ એજ રીતે પર દારાને લોભાવે, ૨૪ કંવા નહિ હોવા છતાં કુંવારા તરીકે પિતાને ઓળખાવે, ૨૫ અબ્રહાચારી હોવા છતાં બ્રહ્મચારી તરીકે ઓળખાવે, ૨૬ ઐશ્વર્ય પમાડનારનાજ દ્રવ્યનું હરણ કરવાની ઈચ્છા કરે, ૨૭ જેના પ્રભાવે ખ્યાતિ મળે તેનેજ કાંઈ અંતરાય પહોંચાડે, ૨૮ રાજા સેનાપતિ આદિ બહુ જનના નાયકની હિંસા કરે, ૨૯ દેવતાના અવર્ણવાદ બોલે, ૩૦ દેવતાના દર્શન વિના પિતાની પૂજા વધારવાના નિમિતે દેવતા મને દર્શન દેવા આવે છે એમ કહે. ]
(૩૧) એકત્રીશ પ્રકારના સિદ્ધના ગુણ. [[ પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ, એ ૨૮ થી રહિત; ૨૯ અકામ, ૩૦ અસંગ, ૩૧ આવતાર રહિત; અથવા જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની નવ, વેદનીયની બે, મોહનીયની છે, આયુષ્યની ચાર, નામ કર્મની બે,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી. પ્રેક્ષ વ્યાકરણ સૂત્ર
ગોત્ર કર્મની બે અને અંતરાય કર્મની પાંચ એ આઠ કર્મની એકત્રીશ પ્રકૃતિને વિજય. ]
(૩૨) બત્રીશ પ્રકારને યોગ (પ્રશસ્ત વ્યાપાર) સંગ્રહ.
[ ૧ પાપનું પ્રાયશ્ચિત્ત લે, ૨ શિષ્યને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ગુરૂ બીજાને ન કહે, ૩ વિપત્તિમાં ધર્મ વિષે દૃઢ રહે, ૪ નિશ્રારહિત તપ કર, ૫ સૂત્રાર્થ ગ્રહણ કરે, ૬ સુશ્રષા ટાળે, ૭ અજ્ઞાત કુળની ગૌચરી કરે, ૮ નિર્લોભી થાય, ૯ બાવીશ પરિષહ સહે, ૧૦ સરલ સ્વભાવ રાખે, ૧૧ સત્ય સંયમ આચરે, ૧૨ સમ્યક્ત્વ નિર્મળ રાખે, ૧૩ સમાધિપૂર્વક રહે, ૧૪ પાંચ આચાર પાળે, ૧૫ વિનય કરે, ૧૬ ધતિ રાખે, ૧૭ વૈરાગ્ય રાખે, ૧૮ શરીરને સ્થિર રાખે, ૧૯ સારાં અનુષ્ઠાન કરે, ૨૦ આસ્રવ રોકે, ૨૧ આત્માના દેષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિમુખ રહે, ૨૩ મૂળ ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૪ ઉત્તર ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૫ અપ્રમાદી થાય, ૨૬ કાળે કાળે ક્રિયા કરે, ૨૭ ધર્મધ્યાનને સંગ્રહ કરે, ૨૮ સંવર વેગને સંગ્રહ કરે, ૨૯ મરણ કે રોગ નીપજે તે મનને ક્ષુબ્ધ ન થવા દે, ૩૦ સ્વજનાદિકને ત્યાગ કરે, ૩૧ પ્રાયશ્ચિત્ત લીધું હોય તે પાળે, ૩ર આરાધક–પંડિત મૃત્યુ થાય તેમ આરાધના કરે. ]
(૩૩) તેત્રીશ પ્રકારની આશાતના.
[૧ શિષ્ય વડા (ગુરઆદિ)ની આગળ અવિનયે ચાલે, ૨ શિષ્ય વડાની બરાબર–સાથે ચાલે, ૩ વડાની પાછળ અવિનયે ચાલે, ૪-૫-૬ શિષ્ય વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે ઉભો રહે, ૭–૮–૯ વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે બેસે, ૧૦ શિષ્ય વડાની સાથે બહિરભૂમિ જાય અને વડાની પહેલાં શચિ થઈ આગળ આવે,
Page #154
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૩૭
૧૧ વડા સાથે વિહારભૂમિ જઈ આવી ઇર્યાપથિકા પહેલાં પ્રતિક્રમે, ૧૨ કોઈ પુરૂષ આવે તેને વડાની પહેલાં પોતે બોલાવે, ૧૩ સત્રે વડા બોલાવે કે કણ નિદ્રામાં છે ને કોણ જાગૃત છે, ત્યારે જાગતા છતાં ઉત્તર ન આપે. ૧૪ આહાર વહોરી લાવીને પહેલાં બીજા શિષ્યાદિની આગળ કહે અને પછી વડાને કહે, ૧૫ આહારાદિ પહેલાં બીજા શિષ્યાદિને બતાવે અને પછી વડાને બતાવે, ૧૬ આહાર માટે પહેલાં અન્ય શિષ્યને આમંત્ર અને પછી વડાને આમંત્રે, ૧૭ આહાર વહોરી લાવી વડાને કે વૃદ્ધ સાધુને પૂછ્યા વિના પિતાના પ્રિય બીજા સાધુઓને વહેંચી આપે, ૧૮ વડા સાથે જમતાં સારું શાક વગેરે ઉતાવળે જમે, ૧૯ વડાએ બોલાવ્યા છતાં મૌન રહે, ૨૦ વડાએ બોલાવતાં છતાં આસને રહી હા કહે, કામ બતાવશે એવા ભયથી વડા પાસે ન જાય, ૨૧ વડાએ બોલાવતાં મોટા સાદે-અવિનયથી જવાબ આપે, ૨૨ વડા કહે કે આ કાર્ય તમે કરો તમને લાભ થશે, ત્યારે શિષ્ય વડા પ્રત્યે કહે કે તે તમે જ કરે–તમને લાભ થશે, ૨૩ વડા પ્રત્યે કઠોર-કર્કશ ભાષા વાપરે, ૨૪ વડા જેવા શબ્દો વાપરે તેવા જ શબ્દો શિષ્ય વડા પ્રત્યે વાપરે, ૨૫ વડા વ્યાખ્યાન આપતા હોય, ત્યારે સભામાં જઈ બોલે કે તમે કહે છે તે ક્યાં છે? બતાવો ! ૨૬ વડા વ્યાખ્યાન આપે ત્યારે શિષ્ય વડાને કહે કે તમે ભૂલી ગયા છે, ૨૭ વડા વ્યાખ્યાન આપતા હોય ત્યારે શિષ્ય પિતે સારું ન જાણું ખુશ ન રહે, ૨૮ વડાના વ્યાખ્યાન વખતે સભામાં ભંગ પડે તેમ અવાજ કરે બોલી ઉઠે, ૨૯ વડાના વ્યાખ્યાનમાં શ્રોતાઓને નાખુશ કરે, ૩૦ વડાનું વ્યાખ્યાન પૂરૂં થયાં પહેલાં શિષ્ય વ્યાખ્યાન શરૂ કરે, ૩૧ વડાની શયાને પગે ઘસે, હાથે અફાળે, ૩૨ વડાની શયા ઉપર ઊભો રહે, બેસે, સૂએ, ૩૩ વડાથી ઉચ્ચ આસને કે બરાબર આસને બેસે, ઉભે રહે કે સુએ; એ ૩૩ પ્રકારે આશાતના થાય તેમ જાણવું.]
Page #155
--------------------------------------------------------------------------
________________
૪૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
(૩૪) બત્રીસ પ્રકારના સુરે [૨૦ ભવનપતિ, ૧૦ વિમાનિક અને ૨ પોતિષી, કુલ ૩૨]
એ પ્રકારે એકથી એક-એક વધારતાં તેત્રીસ એકાગ્ર ચિત્તે વિરમણ કરવા યોગ્ય સ્થાનક છે તેને વિષે, અવિરતિને વિષે, અને બીજા પણ અનેક સ્થાનકે જે જિનભાષિત છે, સત્ય છે, શાશ્વત ભાવે કરી અવસ્થિત છે, તે સ્થાનકે-પદાર્થોને વિષે શંકા (સંદેહ), કાંક્ષા (અન્ય મતને અભિલાષ) નિરાકરીને-ટાળીને ભગવાનના શાસનને જે સારો કરીને માને છે, જે નિયાણું (નિદાન) રહિત છે, જે ગર્વ રહિત છે, જે લોલુપતાથી રહિત છે, અને જે મન-વચન-કાયાની ગુપ્રિ સહિત છે તે સાધુ છે. મહાવીર ભગવાનનાં વચનને અનુસરતા વિરતિના વિસ્તારરૂપ બહુવિધ પ્રકારવાળે, નિર્મળ સમ્યક્ત્વથી સુબદ્ધ મૂળવાળો, તિરૂપી કંદવાળા, વિનયરૂપી કયારા-વેદિકાવાળો, ત્રણે લોકમાં વિસ્તરેલ યશવાળ, જાડા–મોટા-સુજાત ચડવાળો, પાંચ મહાવ્રતરૂપી વિશાળ શાખાવાળે, ભાવનારૂપી છાલના અંતવાળ, શુભ ચોગ તથા જ્ઞાનરૂપી પલ્લવ તથા સુંદર અંકુર ધારનારે, બહુગુણરૂપી પુષ્પોથી સમૃદ્ધ, શીલરૂપી સુગંધવાળે, અનાસવરૂપી ફળવાળે, મોક્ષરૂપી બીજથી યુક્ત એ સંવરરૂપી તરૂવર મેરૂપર્વતના શિખરની ચૂલિકાની પેઠે મોક્ષના બીજરૂપ મુક્તિ (નિર્લોભતા ) માર્ગના શિખર ઉપર વિરાજી રહ્યો છે.
- અહીં અનુક્રમ જોતાં ૩૪ પ્રકારના જોઈએ, પરન્તુ સૂત્રમાં વસ્તુતઃ ૩૨ માલૂમ પડે છે; બીજા ગ્રંથમાં કઈ સ્થળે ૩૪ ની સંખ્યા દેખાડે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૩૯ સાધુને શું ન કશે?
છેલા સંવરદ્વારમાં જે ન કપે તે હવે કહે છે. ગામ-આગર-નગર-ગામડું-કવડ-મંડપણમુખ-પટ્ટણ વગેરેમાં જે કાંઈ થોડું કે ઘણું, નાનું કે મોટું (પદાર્થ) પડયું હોય તે, ત્રસ કાયરૂપ પદાર્થ (સચેત કે અચેતા કેડા વગેરે), સ્થાવર કાયરૂપ પદાર્થ (રત્નાદિ), સામાન્ય વસ્તુ, મન વડે કરીને પણ પરિગ્રહવાં કપે નહિ; હિરણ્યસુવર્ણ-ક્ષેત્ર–ગૃહ પણ પરિગ્રહવાં કપે નહિ; દાસી–દાસભૂ–પ્રેષક (સંદેશવાહક)-ઘેડા-હાથી–ગાય-બકરાં પરિગ્રહવાં ન કલપે; યાન-વાહન-શયન-આસન-છત્રાદિ પરિગ્રહવાં ન કલ્પ, કમંડલ-જેડા-મેરપીંછના પંખા-વીંજણ– સાગપત્રના વીંજણ પરિગ્રહવા ન કલ્પે; લોહ-કથીર–તામ્રસીસું-કાંસુ-રૂપ–સોનું-મણી–મતી-સીપના પડા-શંખ-હાથીદાંતના મણ-શૃંગ-શિલા-પરવાળા-કાચ–વસ્ત્ર-ચમ-પાત્ર અને બીજા મૂલ્યવાન પદાર્થો વગેરે જે લોભને ઉપજાવનારા છે તે ગુણવંતે એકાગ્ર ચિત્તે પરિગ્રહવાં કપે નહિ. વળી પુષ્પ-ફળ-કંદ-મૂલાદિ, ચોખા વગેરે સત્તર પ્રકારનાં બીજ, સર્વ પ્રકારનાં ધાન્ય ત્રણે ચોગે કરીને ઔષધ-ભેષજભેજનાદિને અર્થે સંજતિએ પરિગ્રહવાં કલ્પ નહિ. શા કારણે? અપરિમિત જ્ઞાન-દર્શન ધરનારા, શીલ-ગુણ-વિય– તપ-સંયમના નાયક એવા તીર્થકરેએ તથા આખા જગતના જીવના હિતકારી અને ત્રણે લોકમાં પૂજ્ય એવા જિનવરોએ (કેવળજ્ઞાને કરીને તેમાં (પુષ્પ-ફળ-ધાન્યાદિમાં) જીવજગતનું ઉત્પત્તિસ્થાન કર્યું છે તેથી તે કલ્પ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી માન્યાકરણ સૂત્ર
નહિ. (તેના પરિગ્રહથી) જીવ-જગતનું ઉત્પત્તિસ્થાન સમુચ્છિન્ન થાય તે કારણથી શ્રમસિંહ (મુનિપુંગા) તેને વજે છે. વળી રાંધેલા ચાખા, બાફેલા અડદ, ગજ (એક પ્રકારની ખાદ્ય વસ્તુ), સાથવા, ખેરકુટ (અથવા દહીંને મસ્કા), સેકેલું ધાન્ય, તલવટ, મગ વગેરેની દાળના મનાવેલા પદાર્થ (જેમાં વિકૃતિ પેદા થાય તે), તલપાપડી, વેડમી રોટલી, મીઠા રસમાં મેળેલાં પકવાન્ના (જેવાં કે ગુલાબ જાજી, મુરબ્બા વગેરે), ચૂર્ણ કાશક (જેમાં મીઠાં ચૂર્ણાં-પદાર્થી ભરેલા હોય તે, જેવાં કે ઘારી-ઘુઘરા-કચારી વગેરે), શિખંડ, દાળનાં વડાં, માદક-લાડવા, દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગાળ, ખાંડ, સાકર, મધ, મદ્ય, માંસ, ખાજા, વિવિધ પ્રકારનાં ચટણી-અથાણાં-રાઇતાં, ઇત્યાદિ પ્રણીત રસયુક્ત પદાર્થોં ઉપાશ્રયમાં, પરઘરમાં અથવા અરણ્યમાં સાધુએ પાસે રાખવાં (કે સંગ્રહ કરવાં–પરિગ્રહેવાં) કલ્પે નહિ. વળી જે સાધુને ઉદ્દેશીને કર્યું હોય, રાખી મૂક્યું હોય, રચ્યું (તૈયાર કરી રાખ્યું) હોય, પચવજાત કરી રાખ્યું હોય (પર્યાંયનું અવસ્થાંતર કરીને રાખ્યું હોય, જેમકે દૂધ-ભાત એકઠાં કરી કર' તૈયાર કર્યાં હાય), રસબિંદુ પડતાં હોય તેવું કાંઈ, સાધુને અર્થે અંધારામાં અજવાળુ કરીને આપવામાં આવેલુ, ઉછીતું લઇ આપેલું, કાંઈક પેાતાને અર્થે અને કાંઇક સાધુને અથ તૈયાર કરેલુ (મિશ્ર), સાધુ માટે વેચાતું લઇ રાખેલું, સાધુને મહેમાન
* તે સમયે અન્યતિ સાધુ-વૈરાગી ચાચકાદિમાં ચાલતા ભેાજન— સગ્રહાદિના વ્યવહાર ઉપર ધ્યાન આપીને ભગવાને આ નિષેધ ફરમાવ્યે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૪૧ માનીને દાન તરીકે આપેલું, દાન-પુણ્યને અર્થે આપેલું, શાક્યાદિ તાપસ-રંક વાચકને અર્થે તૈયાર કરેલું, પશ્ચાતકર્મી (સાધુને આપીને પછી હાથ ધુએ તે), પુરકમ (પહેલાં હાથ ધોઈને પછી વહોરાવે તે), સદા એક ઘરને આહાર, પાણ આદિથી ખરડેલે આહાર, અતિરિક્ત (૩૨ કેળીયાથી વધુ) આહાર, મુખરી પણાથી (વાચાળપણે બોલીને
સ્તુતિ-ખુશામત કરીને) મેળવેલે આહાર, સાધુને અર્થ સામે આણેલે આહાર, માટી-છાણાદિથી લીધેલું ઉઘાને આપેલ આહાર, બાળકાદિની પાસેથી છીનવી લઈને આપે આહાર, બે જણાની વસ્તુ એક જણ (બીજાના ભાવવિના) આપે તે, તિથિમાં (મદનતેરશાદિ)-યજ્ઞ-પૂજાદિને વિષે– ઉત્સવ (ઇંદ્રમહત્સવાદિને) વિષે-ઉપાશ્રયની અંદર કે બહાર સાધુને અર્થે રાખેલું તે બધું (આહાર-પદાર્થો-વસ્ત્રો ઈત્યાદિ) હિંસાવાદથી યુક્ત હેઈને સાધુએ પરિગ્રહવાં કલ્પ નહિ. સાધુને શું કલપે?
હવે શું શું સાધુએ લેવું કપે તે કહે છે. (આચારાંગ સૂત્રના) “પિડેષણ” અધ્યયનમાં ૧૧ મા ઉદેશામાં કહ્યા મુજબ શુદ્ધ, વેચાતે લીધેલો-વિનાશ કરી નીપજાવેલે–અગ્નિથી રાંધેલ એ ત્રણ કાર્યનું કરણ-કરાવણ અને અનમેદન-એ પ્રકારે નવ કેટિએ કરીને વિશુદ્ધ (અર્થાત એમને કઈ પણ દેષ ન લાગે તે પ્રકારન), એષણાના દસ દેષથી મુક્ત, ઉદ્દગમ દેષ તથા ઉત્પાદન દષથી એષણાશુદ્ધ, ચેતનારહિત-અચેતન થએલું-વસંસર્ગથી ત્યાએલું એવું પ્રાશુક, સંજના દેષથી રહિત, અંગારેષથી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
-શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
રહિત, ધૂમ્રદેષથી રહિત ભજન વહેરી છ સ્થાનક નિમિત્તે
યણ-વૈયાવચ્ચ આદિ છ સ્થાનક), છ કાય જેના પરિરક્ષણને અર્થે, સાધુએ રેજ રેજ માશુક ભિક્ષાએ વર્તવું. વળી સુવિહિત સાધુ (પાસસ્થાદિ ભાવથી રહિત સાધુ) ને બહુ પ્રકારે રેગ થાય, દુઃખ થાય, વાયુની અધિકતા થાય, પિત્તપ્રકોપ થાય, શ્લેષ્મને પ્રપ થાય, સંનિપાત ઉપજે, લેશ સુખ હોય તે પણ ટળે, ઘણું કષ્ટ થાય, ગાઢ દુઃખ ઉપજે, અશુભ-કડકઠેર-પ્રચંડ ફળવિપાક ભોગવ પડે, મહા ભય ઉપજે, જીવનને અંત લાવનારું કારણ ઉત્પન્ન થાય, આખા શરીરને પરિતાપના-પીડા ઉપજે, એવાં દુખે થાય, તે પણ સાધુને પિતાને અર્થે કે પરને અથે ઔષધ-ભેષજ, ભાત-પાણી પાસે રાખવાં કલ્પ નહિ. વળી સુવિહિત, પાત્રાના ધરનાર સાધુને ભાજન, માટીનું વાસણ, વસ્ત્રાદિ ઉપધિ, (વિશેષ) ઉપકરણ જેવાં કે પાત્રા, પાત્રો બાંધવાની ઝેળી, પાત્રા પૂંજવાની પૂંજણી, પાત્રસ્થાપન કરવાની કામળીને કકડે, ત્રણે પડેલાં ભિક્ષાકાળે પાત્રને ઢાંકવાનાં વસ્ત્રના કકડા ), રજસ્ત્રાણ (પાત્રો વીંટવાનાં વસ્ત્ર), ગુચ્છ, ત્રણ પ્રછાદક (શરીર ઢાંકવાનાં વસ્ત્ર -બે સૂતરનાં અને એક ઊનનું), હરણ, ચલપટે, મુહપત્તી, પાયલૂછણું, એટલાં વાનાં કપે. સંયમના ઉપખંભને અથે, વાયુ-તાપ-ડાંસ-મસાલા-ટાઢમાંથી રક્ષણને અર્થે, રાગદ્વેષરહિતપણે એ ઉપકરણે પણ સાધુએ ભેગવવાનાં છે. વળી એ ભાજપત્રાદિ ઉપકરણને સાધુએ રેજરેજ પ્રતિલેખવાં જેવાં), બધી દિશાએ પૂજવાં, પ્રમાર્જિવાં,
Page #160
--------------------------------------------------------------------------
________________
,
અપરિગ્રહ
૧૪૩
રાત્રિ-દિવસ અપ્રમત્ત થઈને નિરંતર મૂકવાં તથા લેવાં. મેક્ષના સાધકનાં લક્ષણે.
એ રીતે જે સંયમવંત છે, વિમુક્ત છે, નિઃસંગ છે, પરિગ્રહરહિત રૂચિવાળા છે, મમતારહિત છે, સનેહબંધનરહિત છે, સર્વ પાપથી વિરત છે, વાંસલ કરી છે તેને અને ચંદનને લેપ કરે તેને (અપકારીને તેમજ ઉપકારીને) સમાન ગણનારા છે, તૃણ-મણિમુક્તા-પાષાણુ-કંચનને એકસરખાં માનનારા છે, માન તથા અપમાનને સરખાં માનનારા છે, (પાપ રૂપી) રજને ઉપશમાવનારા છે, રાગદ્વેષને શમાવનારા છે, (પાંચ) સમિતિએ સમિત છે, સમ્યક્ દષ્ટિવંત છે, સર્વ પ્રાણભૂતને સમાન માનનારા છે, તે નિશ્ચયે સામે ધુઓ છે, શ્રતને ધારણ કરનારા છે, કિયાને વિષે ઉદ્યમવત–આળસરહિત છે, સંયતિ છે. વળી એવા મેક્ષના સાધક (સુસાધુ) છે; તેઓ સર્વ ભૂતે (પૃથ્વી આદિ) ના શરણ રૂપ, સર્વ જગતના વાત્સલ્યકારી, સત્યભાષક, સંસારમાં સ્થિત હેવા છતાં સંસારને સમુછેદ કરનારા, સદા મરણના પારગામી, સર્વના સંશયને ટાળનારા, આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)એ કરી આઠ. કર્મની ગ્રંથીના વિમેચક (છોડનારા-મૂકનારા), આઠ મદનું મર્દન કરનારા, સ્વસમયકુશળ ( સ્વસિદ્ધાન્તનિપુણ ), સુખદુઃખને વિષે હર્ષવિષાદથી રહિત, બાહ્ય તથા આચંતર તપ રૂપી ઉપધાનને વિષે સુÇપણે ઉઘુક્ત (સાવધાન), ક્ષમાવંત, ઈદ્રિને દમનારા, (સર્વ જીવોના) હિતને વિષે તત્પર, ઈર્ષા સમિતિ–ભાષા સમિતિ-એષણ સમિતિ
Page #161
--------------------------------------------------------------------------
________________
•
-શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આજ્ઞાનમંડ માત્ર નિક્ષેપના સમિતિ–મન ગુ–િવચન ગુપ્તિ— કાય ગુપ્તિને પાળનાર, ઇંદ્રિયાને ગેાપવનાર, ગુતેંદ્રિય બ્રહ્મચારી, ત્યાગી, રજ્જીવત્ (સરલ), ધનવંત (ધન્ય) તપસ્વી, ક્ષાન્તિક્ષમ (ક્ષમાએ કરી સહન કરનાર-ક્ષમાસમ), જિતેંદ્રિય, (ગુણૅ કરી) શૈાલિત, નિદાનથી (નિયાણાથી) રહિત, (સંયમપૂર્વક) બહારની લેસ્યાથી રહિત, મમતારહિત, અકિ ચન (દ્રવ્યરહિત), છિન્ન ગ્રંથ (બાહ્ય-અભ્યંતર ગ્રંથીનું છેદન થયું હોય તેવા), (કર્મોંમળના) લેપથી રહિત, નિળ કાંસાના વાસણ ઉપર જેમ પાણી રહે નહિ તેવા ( સ્નેહ સમંધરહિત), શંખ જેવા નિર ંજન (રંગ ન લાગે તેવા), રાગ-દ્વેષ-માહથી રહિત, કાચબાની પેઠે ઇંદ્રિયાને ગેાપવનારા, સુવર્ણની પેઠે રૂપ સહિત (નિમ*ળ), કમળની પાંદડીની પેઠે નિર્લેપ, ચંદ્રની પેઠે સૌમ્ય ભાવયુક્ત, સૂર્યની પેઠે દાપતા તેજવાન, મેરૂ પર્વતની પેઠે અચળ, સમુદ્રની પેઠે ક્ષેાભરહિત, નિભ ય, પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પાને સહન કરનારા, તપસ્યા વડે ભસ્મના આચ્છાદનથી ઢંકાયેલા અગ્નિ જેવા, ખળતા અગ્નિ જેવા તેજથી જવલંત ( જેમ રાખથી ઢંકાયલા અગ્નિ મહારથી સ્લાન દેખાય છે તેમ તપસ્યાથી સાધુ શરીરે શ્વાન દેખાય છે, પરંતુ અગ્નિ અંદરથી જવલંત હોય છે, તેમ સાધુ અંતરમાં શુભ વેશ્યાથી દ્વીપ્તિમાન હોય છે), ગાશીષ ચંદનની પેઠે શીતળ, (શીલની) સુગધયુક્ત, દ્રહની પેઠે સમભાવયુક્ત (ઉંડા ધરાનાં પાણી વાયુથી પણ ક્ષુબ્ધ થતાં નથી તેમ), આપેલા સુનિળ અરીસામ’ડળના તળીયાની પેઠે પ્રકટ ભાવે કરીને શુદ્ધ
૧૪૪
Page #162
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૫ ભાવયુક્ત, શૌંવર (શરીર)ના જેવા (પરિષહ રૂપી સૈન્યની સામે લડનારા), (યુદ્ધભૂમિમાં) હાથીના જેવા, (સંયમભાર વહવામાં) વૃષભ જેવા સમર્થ, સિંહ જેમ મૃગેને અધિપતિ હોય છે તેના જેવા અજિત, શરત કાળના પાણી જેવા શુદ્ધ હૃદયના, ભારંડ પક્ષીના જેવા અપ્રમત્ત, ખગૈવિષાણુ (ગુંડા જે એક શીંગડાવાળે પશુ) ના જેવા એકીભૂત (રાગદ્વેષથી રહિત), સ્થંભની પેઠે ઉદ્ઘકાચ-
કાત્સગ કરનારા, સૂના ઘરના જેવા અપ્રતિકશ્મ ( સુશ્રુષા નહિ કરનારા), શુન્ય અને વાયુવજિત ગૃહમાંના દીવાની પેઠે કપરહિત ધ્યાનવાળા, અસ્તરાની પેઠે એક ધારે વહેનારા (સાધુ ઉત્સર્ગ લક્ષણે કરી એક ધારે વહેનારા), સર્ષની પેઠે એક દષ્ટિવાળા (વાંકું નહિ જેનારા), આકાશના જેવા નિરાલંબન, પક્ષીના જેવા સર્વથા વિમુક્તઅપરિગ્રહી, જેમ સર્ષ બીજાના કરેલા દરમાં વસે છે તેમ બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, વાયુની પેઠે અથવા જીવની ગતિની પેઠે અપ્રતિહત (વિહાર કરનારા), ગામેગામે એક રાત્રિ અને નગરે-નગરે પાંચ રાત્રિ વિચરનારા, જિતેંદ્રિય, પરિષહને જીતનારા, નિર્ભય, વિદ્વાન (ગીતાર્થ), સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યને વિષે વિરાગ ધારણ કરનારા, સર્વથા વિરતિયુક્ત-પરિગ્રહથી નિવૃત્ત, મુક્ત-ભરહિત, ગર્વરહિત, આકાંક્ષારહિત, જીવન-મરણની આકાંક્ષાથી રહિત, નેહરહિત, અતિચારરહિત ચારિત્રવાળા, કાયરતા રહિત, અને નિરંતર અધ્યાત્મ ધ્યાનને કાયાએ કરી પાળનારા છે. એ પ્રકારે (સાધુ) એકાગ્રચિત્ત થઈને ઉપશાંત વિરતિને આચરે.
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રહ્મવ્યાકરણ સૂત્ર
પાચ ભાવનાઓ - આ પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણને અર્થે ભગવાને અકથિત, આત્મહિતકર, પરભવને વિષે સુખના કારણરૂપ, આગામી કાળે કલ્યાણકારક, શુદ્ધ, ન્યાયપંથ પ્રકાશક, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનારું પ્રવચન કરેલું છે. તે છેલ્લા વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. - પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણ અર્થે પહેલી ભાવનાએ શ્રોત્રેઢિયે મને અને મધુર શબ્દો સાંભળીને પણ નિસ્પૃહ રહેવું. તે શબ્દો કેવા હોય? મોટા મુખવાળા મૃદંગ, પણવ (નાને ઢેલ), મટે ઢેલ, કચ્છમિ (નારદની વણા), વિણા, વિપંચી (એક જાતની વીણા), વહૂકી (બીજી જાતની વણા), બદ્ધસિક (વારિત્ર વિશેષ), સુઘોષા (ઘંટા, નંદિ (એક જાતનું વારિત્ર), સાત તારની વિણા, વાંસળી, તુણક (વાઘવિશેષ), પર્વક (વાઘવિશેષ), તંત્રી (એક જાતની વીણા), તાળી, કરતાલ (કાંસાની), તૂર (વાઘ), એવાં વાદિના નાદ, ગીત, વાદ્ય, નટ, નર્તક, બજાણીયા, મલ, મુષ્ટિમg, ભાંડ, કથાકાર, જળમાં કૂદી રમનાર, રાસ રમનાર, શુભાશુભ કહેનાર, લંખ (વાંસ ઉપર ખેલનાર), મંખ (ચિત્રપટ દેખાડનાર), તૃણ વગાડનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલટા વગાડનાર, એ બધાની વિધવિધ ક્રિયાઓ, અનેક પ્રકારના મધુર સ્વરે, સુસ્વર ગીતે; એવું સાંભળીને સાધુએ તેમાં આસક્તિ કરવી નહિ), તેમજ કંચી (કીએનું બનાવેલું સ્ત્રીઓએ પહેરવાનું કમરનું આભૂષણ), કટિ
Page #164
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૪૭
મેખલા, કલાપક (ગળાનું ઘરેણું), પ્રતરક (આભરણ વિશેષ), પહેરક (એક જાતનું આભરણ), પગનાં ઝાંઝર, ઘંટધઓ, નાની ઘંટીઓ, જાગે પહેરવાનું આભરણ, જાળી સરખું આભરણુ, મુદ્રિકા, પૂર, ચરણમાલિકા, કનક-નિગડ–જાલક જૂદી જૂદી જાતનાં ઘરેણાં), એ બધાં આભરણેના શબ્દ કે જે લીલાપૂર્વક ચાલતાં ઉત્પન્ન થાય છે, તે સાંભળવામાં સાધુએ આસક્તિ કરવી નહિ); તેમજ તરૂણ સ્ત્રીઓનાં હાસ્ય, શબ્દ, કલરવ, ગુંજારવ, એવા મધુર સ્વરયુકત વચને, સ્તુતિનાં વચને અને બીજા અનેક પ્રકારના મધુર સ્વરવાળા મનુષ્યએ બેલેલા શબ્દ કે જે મનેઝ હેય અને કર્ણરૂચિકારક હોય, તેને વિષે સાધુએ સંગ કરવો નહિ (આસકિત કરવી નહિ), રાગ કરવો નહિ, પૃદ્ધ થવું નહિ, મૂછવું નહિ (મેહ પામ નહિ), તેને અર્થે આત્માને વાત કર નહિ, ભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિ, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ રાખવી નહિ. તેવીજ રીતે શ્રોસેંદ્રિએ કરીને અમને તથા પાપના હેતુ રૂપ શબ્દો જેવા કે આક્રોશ વચન, કઠેર વચન, નિંદા વચન, અપમાનના શબ્દ, તજના (તુચ્છકાર) ના શબ્દ, નિસનાનાં વચન, દીન વચન, ત્રાસજનક શબ્દ, કેપનાં વચને, રૂદન, આરડવાના શબ્દો, કંદન, (શિયાળના જેવી) ચીસ-પકાર, કરૂણાજનક સ્વર, વિલાપના સ્વર ઈત્યાદિ અનેક પ્રકારના અમનેસ અને પાપના હેતુ રૂપ શબ્દ સાંભળીને સાધુએ રેષ કર નહિ, હેલણ કરવી નહિ, નિંદા કરવી નહિ, લેક સમક્ષ વાંકું બેલવું નહિ, છેદન
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮ શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર કરવું નહિ, ભેદન કરવું નહિ, જુગુપ્સા વૃત્તિથી સ્વ-પરના આત્મા અર્થ વર્તવું નહિ. એ પ્રમાણે શ્રોત્રંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેસ-અમનેશ અને શુભ-અશુભ (શબ્દો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિનું રૂધના કરનાર હાઈ ધર્મને આચરે છે.
બીજી ભાવનાએ ચક્ષુ ઇદ્રિએ કરીને રૂપ (સ્ત્રી-પુરૂષના) જતાં તેને સંવૃત્ત કરવી. (તે રૂપ કેવાં) મને,
સુંદર, સચિત્ત-સચિત્ત-મિશ્ર કાષ્ટકમનાં, વસ્ત્રનાં, ચિત્રનાં, . લેપકમનાં, પત્થરનાં, દાંતનાં રૂપ; પાંચવર્ણ સહિત અનેક
આકારે સંસ્થિત, ગ્રથિત (ગુંથેલાં), વેષ્ટિત (વીંટેલાં), પૂરત (ભરીને બનાવેલાં), સાંધીને બનાવેલાં (ચંદરવા વગેરે), અનેક પ્રકારની તથા નયન–મનને સુખ કરનારી ગુંથેલી (પુષ્પની) માળાઓનાં રૂપ; વનખંડ, પર્વત, ગામ, આગર, મગર, પાણીની ખાઈ, કમળયુક્ત ગેળ વાવ,
ખુણી વાવ, લાંબી વાવ, વાંકી-ચૂકી નહેર, સરોવર પંક્તિ (એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પાણી વહે તેવાં તળાવોની હાર), સમુદ્ર, ધાતુની ખાણ, ગઢ ફરતી ખાઈ નદી, કુદરતી સરોવર, દેલું તળાવ, વિકસિત પુષ્પ-ઉત્પલ-કમળથી શોભતા અને અનેક પ્રકારનાં પક્ષીઓનાં જોડાં જેમાં વિચરી રહ્યા છે તેવા બાગબગીચાનાં રૂપ; સુંદર મંડપ, વિવિધ ભવન, તોરણ, મૂતિઓ, દહેરાં, સભા, પરબ, પરિવ્રાજકનાં વસતીસ્થાન, રૂડાં શયર્ન-આસન, પાલખી, રથ, ગાડાં, યાન, યુગ્ય (એક પ્રકારનું વાહન,
Page #166
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
સ્પંદન ઈત્યાદિનાં રૂપ, સૌમ્ય, મનગમતાં, જોવાયેાગ્ય, અલંકારથી વિભૂષિત, પુષ્કૃત તપને પ્રભાવે સૌભાગ્યથી સપન્ન એવાં નર–નારીના સમૂહનાં રૂપ; નટ, નર્તક, અજાણીયા, મલ, મુષ્ટિમલ, (ભાંડ) વિદૂષક, કથાકાર, જળમાં કૂદી ખેલનાર, રાસ રમનાર, આખ્યાનકાર, લેખ, મખ, તૂણુ ખજાવનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલાટા વગાડનાર ઇત્યાદિની બહુ પ્રકારની રૂડી ક્રિયાઓ અને બીજી પણ. એ પ્રકારની ક્રિયાઓનાં મનાજ્ઞ તથા સુંદર રૂપને વિષે સાધુએ સંગ કરવા નહિ, રાગ કરવા નહિ, ગૃદ્ધ થવું નહિ, માહ કરવા નહિ, તેને અર્થે આત્માના ઘાત કરવા નહિ, àાભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિ, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ ચક્ષુએ કરીનેઅમનાર તથા પાપના હેતુરૂપ રૂપા જેવાં કે ક'ઠમાળના રાગી, કાઢના રાગી, લૂલા-ઢુંઢા માણસ, જાદરવાળા, કઠીન પગવાળા માણસ, શ્લીપદ, કુબડા, પાંગળા, વેંતીયા, આંધળા, કાણા, જન્માંધ, લાકડીને ટેકે ચાલનારા, પિશાચગ્રસ્ત (ગાંડા), વ્યાધિ-રાગથી પીડિત, વિકૃતિ પામેલાં કલેવરો, જીવડાંવાળા કાડેલા પદાર્થાંના ઢગલા, એવાં અને એ પ્રકારનાં બીજાં અમનેાજ્ઞ તથા પાપના હેતુરૂપ રૂપે! જોઇને સાધુએ રાષ-હેલા-નિ’દા-વકતા-છેદન-ભેદન જુગુપ્સા ઇત્યાદિસ્વપરના આત્મા અર્થે કરવાં નહિ. એ પ્રમાણે ચક્ષુ ઇંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેના અંતરાત્મા મનાજ્ઞઅમનાજ્ઞ અને શુભ-અશુભ (રૂપે) પ્રત્યે રાગદ્વેષને સંવર
૧૪૯
-
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
2
૧૫૦
નાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્ધિચેાનું ધન કરનાર હાઇ ધમને આચરે છે.
ત્રીજી ભાવનાએ ઘ્રાણેંદ્રિયે (નાસિકાએ) કરીને મનેાજ્ઞ તથા ભદ્રક (મધુર) ગધ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે ગંધા કેવી?) જળ, સ્થળ, સરસ ફૂલ, ફળ, પાણી, લેાજન, કાઠ (ઉપલેટ), તગર, (તમાલ) પત્ર, સુગંધી છાલ, દમનક (એક જાતનાં ફૂલ), મરવા, એલચી, જટામાંસી, સરસ ગાશીષ ચંદન, કપૂર, લવીંગ, અગુરૂ (કાળું અગર), કે કુમ (કેસર), કકોલ (એક જાતનું સુગંધી ફળ), સુગધી વાળા, શ્વેત ચંદન, સુગંધી દ્રવ્ચેાથી યુકત ધૂપ-વાસ જે ઋતુકાળે ઉપજીને દિશાઓમાં ઘણું દૂર સુધી પ્રસરે છે, એવી અને ખીજા અનેક પ્રકારની મનોજ્ઞ તથા મધુર ગાને વિષે સાધુએ સંગ કરવા નહિ, રાગ–ગૃદ્ધિ-માહ-લાભ-રાષહાસ્યસ્મરણાદિ કરવાં નહિ, અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ નાસિકાએ કરીને અમને જ્ઞ તથા પાપના કારણરૂપ ગંધા, જેવી કે મરેલા સર્પ, ઘેાડા, હાથી, ગાય, વરૂ, શ્વાન, શિયાળ, મનુષ્ય, ખીલાડી, સિહ, દીપડા ઈત્યાદિનાં કલેવર કાહેલાં, છિન્ન-ભિન્ન થયેલાં, જીવડાં પડેલાં હોય અને તેમાંથી દુર્ગંધ નીકળતી હાય તેને વિષે, દુર્ગંધી ભાજનને વિષે અને બીજી અનેક પ્રકારની અમનેાજ્ઞ અને પાપરૂપ દુર્ગંધાને વિષે સાધુએ રાષ-હેલણા–નિદાવક્રતા-છેદન-ભેદન-જ્જુગુપ્સા ઇત્યાદિ સ્વ-પરના આત્મા અર્થ કરવાં નહિ. એ પ્રમાણે ઘ્રાણેંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે. તેના અંતરાત્મા માન-અમનાર અને
Page #168
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૫૧
શુભ-અશુભ (ગો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મનવચન-કાયાને સંવૃત્ત કન્સ્ટાર અને ઇન્દ્રિયનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
ચથી ભાવનાએ જિવાઈદ્રિયે (જીભે) કરીને મને જ્ઞ તથા મધુર રસાસ્વાદ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે આ સ્વાદ અને રસ કેવા) પવાને, વિધવિધ પાન, ગળખાંડના અને તેલ-ઘીનાં બનાવેલાં જાત જાતનાં) ભજન, બહુવિધ લવણ-રસાદિથી યુક્ત ભેજ્ય પદાર્થો, મધુ, માંસ, બહુ પ્રકારના મૂલ્યવાન ભેજન પદાર્થો, દૂધ, દહીં, સરક (એક જાતનાં પુલ)ને મદ્ય, ઉત્તમ પ્રકારની મદિરા, સીધુ અને કાપિસાયણ ( એ બેઉ જાતની મદિરા), અઢાર પ્રકારનાં શાક, અને બીજા બહુ પ્રકારનાં ભજન, મને વર્ણ–બંધ-રસ–સ્પર્શવાળાં દ્રથી મિશ્રિત કરેલા ભોજન પદાર્થો અને એવા બીજા અનેક જાતનામનેઝ તથા મધુર રસને વિષે સાધુએ સંગ કર નહિ, રાગ-ગૃદ્ધિ-મેહ-લભ-તેષ-હાસ્ય-સ્મરણ તથા મતિ કરવી નહિ. વળી જિહ્વાઈકિયે કરી અમને જ્ઞ તથા પાપના કારણરૂપ આસ્વાદ અને રસ, જેવા કે રસરહિત, વિરસ (બગડેલે રસ) યુક્ત, લુખા, સત્વરહિત, ભજનપાનાદિના, વાસી, વિનષ્ટ વર્ણવાળા, કોહેલ, દુર્ગધયુક્ત, અમનેણ, વિકૃતિવાળા, પુગાઈ ગએલા (લીલવાળા), બહુ પ્રકારની દુર્ગધવાળા, તીખા, કડવા, કસાયલા, ખાટા, સેવાળવાળા જુના પાણીના જેવી ગંધવાળા અને એવા બીજા અનેક પ્રકારના અમનેજ્ઞ તથા પાપરૂપ રસને વિષે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સાધુએ " રાષ-હેલણ–નિંદા-વકતા- છેદન-ભેદન-જુગુપ્સા ઈત્યાદિ સ્વ-પરના આત્માને અર્થે કરવો નહિ. એ પ્રમાણે જિહ્વા ઇંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેz–અમનેઝ અને શુભ-અશુભ (રસો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇન્દ્રિયનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
પાંચમી ભાવનાએ સ્પર્શેન્દ્રિયને (શરીરની ત્વચાને) મને તથા સુખકારક પશે લેતાં સંવૃત્ત કરવી. (તે સ્પર્શે કેવા ?) ઉદકમંડપ (જેમાંથી પાણીનાં ઝીણાં કણ વરસ્યા કરે તે-કુવારે), વેત ચંદન, શીતળ નિર્મળ જળ, નાના પ્રકારનાં ફૂલની શય્યા, સુગંધી વાળે, મુક્તાફળ, પદ્મનાભ (મૃણાલ), ચંદ્રની ચાંદની, મોર પીંછના પંખાથીતાડના પાંદડાના પંખાથી ઉપજાવેલા સુશીતળ પવન, ગ્રીષ્મકાળે સુખસ્પર્શ કરાવનારાં અનેક પ્રકારનાં શયન, આસન તથા વસ્ત્ર, શિયાળામાં અગ્નિવડે શરીરને તપાવવું, સૂર્યને આતપ લે, સ્નિગ્ધ-મૃદુ-શીત-ઉષ્ણ-હળવે એ ઋતુ ઋતુને વિષે સુખકારક સ્પર્શ જે શરીરનું સુખ તથા મનની સ્વસ્થતા કરનારા છે તે અને એવા બીજા અનેક પ્રકારના મને તથા સુખકારક સ્પર્શીને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ-ગૃદ્ધિ-મેહ-લભ-તેષ-હાસ્ય-રમરણ તથા મતિ કરવી નહિ. વળી સાધુએ સ્પર્શેઢિયે કરી અમનોજ્ઞ તથા પાપના કારણરૂપ સ્પર્શ જેવા કે અનેક પ્રકારનાં બંધન, વધ, તાઠન, ડામ, અતિ ભારાપણુ, અંગભંજન (અવયવ ભાંગવા-મરડવામાં આવે તે), નખમાં સેયને પ્રવેશ, ચામપર નાના છેદ, ગરમ લાખને રસ
Page #170
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ
૧૫૩
ક્ષાર-તેલ-સીસું-કાળું લેખંડ ઈત્યાદિનું ધગધગતું સિંચન, હેડબંધન, દેરડાનું બંધન, બેલ, સાંકળ, હાથબેડ, કુંભી પાકદહન (કુંભીમાં નાંખીને રાંધવું), ઈદ્રિયનું તેડવું, ઉચે (વૃક્ષાદિ ઉપર) લટકાવવું, શુળીએ પરવવું, હાથીને પગે કરીને મર્દન, હાથ-પગ-કાન-નાક-હોઠ–શીષનું છેદન, જીભનું તેડવું, વૃષણ-નયન-હૃદય-દાંતનું ભાંગવું, જેતર અને ચાબુકના પ્રહાર, પગ-પાની-ઘુંટણને પત્થરના પ્રહારથી પીડા ઉપજાવવી, કવચ-અગ્નિ-વિંછીના ડંખ, વાયુતાપ-ડાંસ-મસલાને ઉપદ્રવ, કષ્ટકારી આસન, કષ્ટકારી સ્વાધ્યાયભૂમિ, એવા કર્કશ-ભારે-ટાઢા-ઉના-રૂક્ષ અને બીજા અનેક પ્રકારના અમનેણ તથા પાપના હેતુરૂપ સ્પર્શીને વિષે સાધુએ રેષ-હેલણ–નિંદા-વક્રતા–છેદનભેદન-જુગુપ્સા ઈત્યાદિ સ્વ-પરના આત્માને અર્થે કરવાં નહિ. એ પ્રમાણે સ્પર્શેન્દ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેણ-અમનેશ અને શુભ-અશુભ (સ્પશે) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઈદ્રિનું ઉધન કરનાર હોઈ ધર્મને આચરે છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યફ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતા થકા એ યોગ (અપરિગ્રહ) મરણુપર્યત પ્રતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવાયેગ્ય છે. અનાસવયુક્ત, નિર્મળ, અછિદ્ર, અપરિભ્રવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ પાંચમું સંવરદ્વાર કાયાએ કરી ફરસવાયેગ્ય,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી માવ્યાકરણ સૂત્ર
પાળવાયાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાાગ્ય, પાર ઉતારવાચેાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચેાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચેાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે; એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે. ઉપસહાર.
હે સુન્નત ! (જમ્મૂ !) એ પાંચે મહાત્રતા સેંકડો હેતુપૂર્વક વિચિત્ર પ્રકારે અરિહંતના શાસનમાં વિસ્તીર્ણ કરીને કહેલાં છે. પાંચ સક્ષેપે કહેલા સવર વિસ્તારે કરીને પચ્ચીસ ભાવના અને પાંચે સમિતિ સહિત સદા યતના, (સંયમ પાળવાની) ઘટના અને વિશુદ્ધ (નિર્મળ) દર્શન સદ્ગુણાએ કરીને આચરનાર સતિ ચરમ શરીરને ધારણ કરનાર થશે. (નિર્મળ સંવરને પ્રતિપાલક આ જ ભવે માક્ષને પામશે.)
ઇતિ સંવર દ્વાર સમાપ્ત. શાકૂલ
શ્રી લાધાજી ગુરૂ-પ્રસાદ સુખદા પામ્યા ઉમંગે હવુ, તેમાંથી રસબિંદુ એક ગ્રહીને આહીં પ્રમદે ધરૂ, ચાતુર્માસ નિધિ વધુ નિધિ ભૂમિ ચારૂ શપૂર્ણિમા;
પ્રશ્નવ્યાકરણાનુવાદ
પૂર્ણ તા.
અમદાવાદે કરી 34 ફૂ
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમાપ્ત.
Page #172
--------------------------------------------------------------------------
________________
અગાઉથી થએલાં ગ્રાહકોનાં નામ
નામ
અમદાવાદ,
૧ છગનલાલ પાનાચંદ સંઘવી નકલ
૧ શાન્તિલાલ નાગરદાસ શાહ ૫૧ પિયાલાલ પીતાંબરદાસ શાહ ૧ પોપટલાલ જગજીવનદાસ શાહ ૧૧ લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી ૧ મણીલાલ સાંકળચંદ ભાવસાર
લીંબડીવાળા ૧ મણીલાલ બેચરદાસ શાહ ૧૧ ઉમેદચંદ લલ્લુભાઈ શાહ
૧ ગીરધરલાલ વ્રજલાલ શાહ હા. પિપટલાલભાઈ ૧ મોરારજી ધનજી પડીયા ૫ પ્રેમચંદ માણેકચંદ
૧ ગુલાબચંદ હીરાચંદ સંધાણું ૫ શાન્તિલાલ મગનલાલ મહેતા
૧ માણેકલાલ સુખલાલ શાહ ૨ દુર્લભજી માધવજી શાહ
૧ ખીમચંદ બેચરદાસ શાહ ૨ લાલચંદ મલકચંદ શાહ
૧ રતિલાલ સુખલાલ તલસાણીયા ૨ જમજીવનદાસ નાગજી શાહ
૧ અંબાલાલ મણીલાલ ૨ ડૉ.માણેકલાલ ડાહ્યાભાઈ શાહ
તલસાણીયા ૨ ગાંધી મનસુખલાલ ત્રિભુવનદાસ
૧ જગજીવન હીરાચંદ શાહ ૨ છગનલાલ વનમાળીદાસ શાહ
૧ શીવલાલ રતનશી શાહ ૨ ફુલાઇ નાગરદાસ ભાવસાર
૧ ડો. ભાલચંદ્ર ડુંગરશી ૧ જીવરાજ લાલચંદ ગોસળીયા ૧ ખુશાલચંદ હીરાચંદ સંધાણું ૧ સુખલાલ મગનલાલ શાહ. ૧ મલુકચંદ હીરાચંદ સંધાણું ૧ જીવણલાલ કાળીદાસ શાહ ૧ સુખલાલ દલીચંદ અંધાર ૧ હરખચંદ દેવશીભાઈ સંધવી
૧ ધનજી જેચંદ શાહ ૧ લક્ષ્મીચંદ કપુરચંદ શાહ ૧ ખીમચંદ વખતચંદ શાહ ૧ નાગરદાસ ઠાકરશી શાહ
૧ તલકચંદ ખીમચંદ શાહ ૧ મલુકચંદ ગોકળદાસ શાહ ૧ ગાંધી હરખચંદ ત્રિભુવનદાસ ૧ હીરાચંદ જીવણભાઈ શાહ
વકીલ ૧ વાડીલાલ મોતીલાલ શાહ | ૧ લલ્લુભાઈ મગનલાલ ગાંધી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
૧ ગુલાબચંદ રાઘવજી શાહ | ૧ વનારસી ડોસાભાઈ ૧૪ છગનલાલ જીવરાજ ગાંધી | ૧ ત્રિભવનદાસ અમુલખ ૧ કપુરચંદ અમરચંદ શાહ ૧ નંદલાલ મનસુખલાલ ૧ જીવરાજ અભેચંદ શાહ ૧ ભેગીલાલ બાવલભાઈ ૧ ગાંડાલાલ સંધછ ભાવસાર ૧ અમૃતલાલ બાવલભાઈ . ૧ ગાંડાલાલ પોચાલાલ ભાવસાર | ૧ હરિલાલ ઓઘડભાઈ , ૧ કેશવલાલ લલ્લુભાઈ ભાવસાર
ગોસળીઆ ૧ વર્ધમાન જગજીવન
૧ લખમીચંદ ગોરધનદાસ ૧ મોહનલાલ મગનલાલ
૧ મનસુખલાલ જેઠાલાલ ૧ કેશવલાલ વનમાળીદાસ ૧ કાળીદાસ કલ્યાણદાસ ૧ વાડીલાલ બેચરદાસ
૧ છોટાલાલ ભૂધરદાસ ૧ અમુલખ ગોવિંદજી શાહ ૧ શાતિલાલ મગનલાલ ૧ છોટાલાલ જેઠાભાઈ શાહ - ૧ મહાલ મગનલાલ ૧ પિપટલાલ નાથાલાલ શાહ ૧ સુખલાલ મથુરદાસ ૧ ગુલાબચંદ કેશવજી શાહ ૧ પિપટલાલ ચુનીલાલ ૧ મગનલાલ કમળશી શાહ ૧ ભગવાનજી પાનાચંદ ૧ ચીમનલાલ મોહનલાલ શાહ | ૧ વાડીલાલ ઠાકરશી ૧ ભાવસાર શામજી વેલજી ૧ દયાળજી જગજીવનદાસ ૧ વ્રજલાલ વીરપાળ
૧ મણીલાલ નાનચંદ. ૧ પુરૂષોત્તમદાસ કસ્તુરચંદ વોરા | ૧ નાગરદાસ જેઠાભાઈ ૧ શીવલાલ સુખલાલ શાહ ૧ અમરચંદ માણેકચંદ ૧ જેઠાલાલ પ્રેમચંદ
૧ મોહનલાલ પ્રાગજી ૧ વનમાળીદાસ માણેકલાલ
૧ કપુરચંદ દેવચંદ ૧ પરશોત્તમદાસ ઠાકરશી
૨ રમણલાલ મગનલાલ શાહ ૧ ત્રિવનદાસ રાજપાળ ( ૧ પુરશોત્તમ કાળીદાસ શાહ ૧ ધનજીભાઈ વીઠલદાસ
૫ પંજાભાઈ જેઠાભાઈ ભાવસાર ૧ મોહનલાલ ગુલાબચંદ
હા. ગણપતલાલ ૧ નાનાલાલ ત્રિભોવનદાસ ૫ અમરચંદ જેસીગભાઈ શાહ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧પ૭
૫ સુંદરલાલ લવજીભાઈ ભાવસાર | ૫ શેઠ છોટાલાલ અમથાભાઈ ૨ શીવલાલ પૂંજાભાઈ ભાવસાર ૨ શેઠ કેશવલાલ મગનલાલ - ૨ ભાઈલાલ સુખલાલ શાહ ૨ શોઠ કેશવલાલ ઉકાભાઈ ૧ દેવચંદ ભાણજી શાહ
૨ શેઠ આત્મારામ મેહનલાલ ૧ હીરાલાલ કરમચંદ શાહ
૨ શાહ હકમચંદ ડોસાભાઈ ૧ પ્રેમચંદ ગોપાળદાસ શાહ
૧ શેઠ મોહનલાલ મગનલાલ ૧ મોહનલાલ કીરચંદ શાહ
૧ શાહ ઘેલાભાઇ પ્રાણલાલ અમલનેર,
કહોડા. ૫ નાગરદાસ વાઘજીભાઈ શાહ
૧ મગનલાલ હતુભાઈ શાહ ૧ જીવાભાઈ કાલીદાસ શાહ ૧ ચતુરદાસ માવજી શાહ
૧ મગનલાલ કુબેરદાસ ૧ લાલચંદ રૂઘનાથદાસ
વખારવાલા ૧ અમીચંદ લાલજીભાઈ
૧ લલ્લુભાઈ કુબેરદાસ વખારવાલા કલકતા.
કોટડા. (કચ્છ) ૧ મણલાલ સુંદરજી દેસાઈ ૧ શામજી ખેરાજ શાહ ૧ જગજીવન શીવલાલ દેસાઈ ૧ સાધ્વીજી શ્રી કસ્તુરશ્રીજી ૧ છોટાલાલ મગનલાલ દેસાઈ
૧ શામળભાઈ નથુભાઈ શાહ ૧ નંબકલાલ મગનલાલ દેસાઈ ૧ બાઇશ્રી વાલબાઈ પાલણ કલોલ.
કઢ. ૧ મોતીલાલ મણુલાલ શેઠ ૧ માણેકચંદ નથુભાઈ શાહ ૧ શાન્તિલાલ નાથાલાલ શાહ ૧ મનસુખલાલ મોહનલાલ શાહ ૧ ફકીરચંદ કસ્તુરચંદ શાહ ૧ તારાચંદ નાનજી કોઠારી ૧ બાબુલાલ મફતલાલ શાહ
ખેરવા. (જતના) ૧ ગીરધરલાલ કાળીદાસ શાહ ૧ ચીમનલાલ છોટાલાલ શાહ ૧ વીરચંદભાઈ શામળદાસ શાહ
ખંભલાવ, ૧ કંચનલાલ મેહનલાલ
૧ હીરાચંદ નાગરદાસ શાહ તલસાણીયા
ગઢડા. ૧ શાહ નાનચંદભાઈ હઠીશીંગ | ૧ ધી ગઢડા કેરોસીન જનશાળા ૧ શાહ મંગળદાસ નગીનદાસ - . માસ્તર મણુલાલ સુખલાલ
Page #175
--------------------------------------------------------------------------
________________
ગઢસીસા (કચ્છ).
ડુમસ (કચ્છ) ૧ ડે. મેહનલાલ સુંદરજી દેસાઈ | ૨ ખીમજીભાઈ નથુભાઇ ૧ નામસીભાઈ પાંચુભાઈ
ડાળીઓ. ગેડી.
૧ લહેરા સુંદરજી ગોસલીયા ૧ માણેકચંદ ઉકાભાઈ શાહ ૧ સેમચંદ પીતાંબરદાસ ૧ નાનચંદ ઉકાભાઇ શાહ
ગેસલીયા ૧ ચુનીલાલ જીવરાજ શાહ
દેવપુર (કચ્છ) ચુડા,
૧ ગેપાળજી કેરશી શાહ ૧ ચતુરભાઈ લેશભાઈ ગોસલીયા ૧ શામજી વેરશી શાહ
૧ રતનશી હેમરાજ શાહ ૧ પાનાચંદ મૂળચંદ દોશી
થરા, ૧ પ્રેમચંદ પાનાચંદ દોશી
૧ હરિલાલ ફુલચંદ શાહ ૧ કેશવલાલ ઝવેરચંદ શાહ
યુડિશિઅલ કામદાર ૧ લલ્લુભાઈ કેશવજી શાહ
ધોરાજી. ૧ મૂળજીભાઈ ભૂધરજી સોની
૨ ગુલાબચંદ પાનાચંદ મહેતા ટીકર (રણની)
૧ ગુલાબચંદ પાનાચંદ મહેતા ૧ મૂળચંદ રામજી શાહ
૧ બાઈ નરભે કુંવરબાઇ ૧ પીતામ્બરદાસ જેઠાભાઇ મહેતા
૧ મહેતાછ પાનાચંદ વાલજી ૧ ચંદુલાલ વર્ધમાન મહેતા ૨ ટીકર સ્થાનકવાસી જૈનશાળા
પરનાળા. ૧ મોનજી જેઠાભાઈ મહેતા ૧ વ્રજલાલ બેચરદાસ શાહ ૧ ગંગારામ હંસરાજ મહેતા ૧ છગનલાલ દેવચંદ શાહ મેટા ટીંબલા.
૧ નાગરદાસ દેવચંદ શાહ -૨ ચીમનલાલ ચત્રભુજ
૧ ગુલાબચંદ દેવચંદ શાહ
તલસાણ્યા | ૧ ત્રિભુવન વેલચંદ શાહ ૧ ત્રિભુવન જીવરાજ શાહ ૧ માધવજી ડાહ્યાભાઈ શાહ ૧ જેઠાલાલ તલકશી દોશી ૧ ભગવાનજી હરિશંકર દવે ૧ પિપટલાલ કાકુભાઈ દોશી
પબાલી. ૧.મણલાલ છગનલાલ વેચઃ | ૫મગનલાલ માણેકચંદ શાહ
દેસાઈ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧
પાણુસણા
૧ શ્રી પાલણપુર લોંકાગચ્છ સાધ૨ શાહ પરશોત્તમદાસ કાળીદાસ માગ જૈન પુસ્તકાલય ૧ જગજીવનદાસ પ્રાગજી શાહ ૧ બહાદુરમલ મંગળજીભાઈ કે ઠારી ૧ જીવણ સંઘજી શાહ
૧ મોહનલાલ સાંકળચંદભાઈ મોદી ૧ છગનલાલ બાવાભાઈ શાહ | ૧ કાલીદાસ જેઠાલાલભાઈ મહેતા ૧ ઉમેદ ગફલ શાહ
૧ કોઠારી ફેજાલાલ ડુંગરશીભાઈ ૧ મગન ગફલ શાહ હા, ભાઈલાલ ૧ ચંદુલાલ લલુભાઈ મહેતા ૧ જટાભાઈ ચતુરભાઈ શાહ ૧ પરી હીરાલાલ શીખવચંદ ૧ ભલસાગર ત્રીકમજી શાહ ૧ જસકરણ ગોદડશીભાઈ મહેતા ૧ મોહનલાલ ફુલચંદ શાહ ૧ અમીચંદ તળશીભાઈ મહેતા ૨ ભુરાલાલ પરશોત્તમદાસ શાહ ૫ બહેન શ્રી અલકબાઈ ૧ ખુશાલદાસ રાજપાળ શાહ ૩ બહેન ચંદનબહેન કચરાભાઈ ૧ છગનલાલ ચકુભાઈ શાહ ૨ બહેન મફતહેન તળશીભાઈ ૧ લક્ષ્મીચંદ ચુનીલાલ
૨ બહેન લમીબાઈ ૧ સુંદરજી નાગરદાસ
૨ બહેન પારૂબહેન જસકરણભાઈ ૧ ગુલાબચંદ એવડદાસ | ૧ બહેન હીરાબહેન મગનભાઈ ૧ ગાંડાલાલ જીવરાજ માળી. ૧ બહેન તારાહેન જસકરણભાઇ ૧ મોહનલાલ લેરાભાઈ ભાવસાર
ટાદ. ૧ મગનલાલ પરશોત્તમદાસ શાહ ૨૫ લક્ષ્મીચંદ ત્રિભુવનદાસ શાહ વેંચી, (બીનાગંજ).
૫ વાડીલાલ ચુનીલાલ દોશી ૫.૫નાલાલ ગોપીલાલ
ભલગામડી, પાલણપુર.
૧ જેચંદભાઈ ડાહ્યાભાઈ શાહ ૨૫ છોટુભાઈ હેમુભાઈ મહેતા ૧ છગનલાલ કાળીદાસ વ્યાસ ૬ વકીલ ભાઈચંદભાઈ ખુમચંદ ૧ લક્ષ્મીશંકર રામચંદ્ર આચાર્ય
મહેતા ૧ રાણી દીપસીંહજી અમરસીંહજી ૩ જેઠાલાલ ઝુમચંદ મહેતા | ૧ , ફતેહસિંહજી દોલતસિંહજી
મા તહેસીલદાર. | માણી... ૨ બાપાલાલ ગોદડભાઈ કેસરી. | ૧ ચલાલ ત્રિભુવનદાસ
Page #177
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
૧ છગનલાલ પાશવીર શેઠ ૧૧ નકુભાઈ કાળુભાઈ શાહ ૧ ત્રિભુવન હરજીવન શેઠ મંડાલી.
૧ લક્ષ્મીચંદ ચતુરભાઈ શેઠ ૧ કાલીદાસ દામોદર શાહ. ૧ લીલાધર પાનાચંદ દોશી ૧. જીવરાજ લવજી મહેતા
૧ ઝુંઝાભાઈ સેમચંદ સંઘવી રાયડી.
૧ શામજીભાઈ દેવજી સંઘવી ૧ માનસીગ પ્રેમચંદ કેટીયા
૧ ચત્રભુજ કચરાભાઈ સંઘવી રાણપુર.
૧ ભાઈચંદ કાલીદાસ સંઘવી ૫૧ શેઠ વાડીલાલ પુરૂષોત્તમદાસ
૨ છગનલાલ દરજી હેમરાજ ૫ મોતીલાલ દેવચંદ દોશી
સંધવી તરફથી વાં. સ્થા. જૈન ૫ શેઠ મેહનલાલ મૂળચંદ
શાળાને ભેટ રામવાવ. (કચ્છ વાગડ) ૧૫ વાલજીભાઈ શાહ
૧ રૂ૫ચંદ ઈદરજી સંઘવી લીંબડી.
૧ વાલમજી ફુલચંદ મહેતા ૨૫ શાહ પ્રાણલાલ મગનલાલ
૧ ન્યાલચંદ કુલચંદ મહેતા
૧ હેમચંદ જેચંદ સંઘવી ૨૫ શાહ ત્રિભુવન રાઘવજી
૧ વીકમચંદ જેચંદ સંઘવી ૫ નાથાલાલ ડાહ્યાભાઈ શાહ
૧ કરસનજી ભીમજી દેશી ૧ મેહનલાલ જીવરાજ શેઠ
૧ શેઠ ભગવાનજી દેવશી
૧ શેઠ ઉમેદચંદ ભાઈચંદ ૫ વકીલ હરીલાલ વાલજી શાહ ૨ નાનાલાલ નાગરદાસ શાહ
૧ શેઠ ઉમેદચંદ દેવચંદ લાકડીયા, (કચ્છ વાગડ) ૧ પુરૂષોત્તમદાસ રૂગનાથ મહેતા ૫ કરમણ પાલણ શાહ
૧ વખતચંદ નારણજી મહેતા લુણવા.
૧ જગજીવન પાનાચંદ દોશી ૧ લહેરચંદ હતુભાઈ શાહ ૧ વર્ધમાન ભાઈચંદ ૧ નાથાલાલ જેઠાભાઇ શાહ ૧ પિપટલાલ ફુલચંદ મહેતા તે વાંકાનેર
૧ મોતીચંદ રતનશી શાહ ૧ મે. વાંકાનેર પોલીસ સુપ્રિન્ટે. | ૧ ડુંગરશી ડાહ્યાભાઈ ગાંધી
ન્ડન્ટ, એમ. પી. સાહેબ ૧ માણેકચંદ જુઠાભાઈ મહેતા
વકીલ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧ રૂપચંદ પુલચંદ મહેતા
હા. વસંતમેન
૧ ઉમેદચંદ નારણજી મહેતા
હા. એન દુધી
૧ કાનજીભાઈ નરસી શાહ
હા. મેન અમુ
૧ શેઠ વીરપાલ ડાયાભાઈ ૧ રાશી માનસીંગ ફૅશળદ
હા. ખાઈ દીવાળી
૧ જીવરાજ કાળીદાસ દોશી ૧ મૂળજી ભીમજી કાશી
હા. બાઇ હેમકુ`વરભાઈ
૧ પટેલ ડુંગરશી દેવચંદ
હા. ખાઇ ધેલીબાઈ ૧ છગનલાલ ગાઅરદાસ સંઘવી હા. ભાઈ જડાવમાઈ ૧ શેઠ મેાતીચંદ્ર વીરપાળ
હા. ખાઇ જડાવબાઇ
૧ કાશી રવજી સુંદરજી
૧૬૧
હા. આઇ સંતાકભાઈ
૧ મહેતા લાલચંદ નારણજી
હા. ભાઇ અંબાભાઇ વઢવાણ શહેર.
૨ અમૃતલાલ ઓધડભાઈ કામદાર ૨ તેજપાળ તળથી ગાંધી
હા. જીવીબેન
૨ ઉજમશી કુલચંદ શાહ
વઢવાણ કેમ્પ. ૨૫ ભેરાભાઈ ઉકાભાઈ દાશી
વસ્તડી.
૫ મેાહનલાલ ટાકરશી સેાની વીસનગર.
૧૦ કેશવલાલ પાનાચંદ શાહે ૧ રતીલાલ નરશીદાસ ૧ વકીલ વિનયચંદ્ર સુખલાલ શેઠ ૧ ડા. શીવલાલ ધનજીભાઈ
શેરડી (કચ્છ)
૮ શ્રી શેરડી દેરાસર પુસ્તકાલય સિદ્ધપુર.
૨ ચુનીલાલ મુગટરામ સંધવી હા. સમુર્ખન ૧ જીવરાજ પીતાંબરદાસ ગાપાણી ૧ પરી ચંદુલાલ મગનલાલ ૧ શેઠે સુખલાલ ડાહ્યાભાઈ ૧ શેઠ ન્યાલ શીવલાલ
સાયલા.
૨ ટાલાલ મગનલાલ દેસાઇ ૧ ધનજીભાઇ માવજી શાહે
૧ જગજીવન ગાવીંદ્રજી ગેાસલીયા ૧ ભીખાલાલ પ્રેમજી શાહ.
હા. ચંપામેન
સતીસણા. ૧ છગનલાલ મેાતીચંદ ગેાસલીયા
Page #179
--------------------------------------------------------------------------
________________
સીયાણી.
સઈજ. ૧ કાળુભાઈ મેઘજી શાહ.
૧ મનસુખભાઈ છગનલાલ શાહ ૧ તુલશી કલ્યાણજી શાહ ૨ મગનલાલ જેસીંગભાઈ શાહ ૧ કેશવલાલ અમૃતલાલ શાહ
૧ ચીમનલાલ મણુલાલ શાહ ૧ હીમચંદ હકમચંદ શેઠ
૧ શંકરલાલ લલ્લુભાઈ શેઠ
૧ વ્રજલાલ નાથાલાલ શાહ ૧ ઉજમશી રામજીભાઈ દરજી
હળવદ. ૧ સાપાણ નથુભાઈ હતુભાઈ
૧ વખતચંદ કેશવ કોઠારી હા. સમરથબાઈ ! ૧ દેવશી ભગવાનજી કોઠારી ૧ મંગુબેન ખુશાલભાઈ
૧ રતીલાલ ફૂલચંદ કોઠારી 1 સુખલાલ ઓઘડલાલ શાહ | 1 ભનુભાઈ સેમચંદ મહેતા
Page #180
--------------------------------------------------------------------------
_